"IT+IT= IT. Indian Talent + Information technology= India Tomorrow. CM addresses Google Big Tent Event."
"The crux of politics lies in connecting to the people. Shri Modi"
"The internet has therefore truly empowered the citizen. It has forced the politician to perform, not just promise. Shri Modi"
"The internet has been a game changer in the realm of information-based decision making. Shri Modi"
"Advanced technology is rapidly transforming the government-citizen relationship. Social media in particular, provides a great platform for the government to engage with citizens. Shri Modi"
"Technology in itself is neither good nor bad. That depends on how it is harnessed. Shri Modi"

 

ટેકનોલોજીએ સામાન્ય નાગરિકોનું સશકિતકરણ કર્યું છે

ટેકનોલોજીના પ્રભાવ રાજનીતિમાં જ નહીં, પ્રશાસનમાં ગુણાત્મંક પરિવર્તન લાવશ

ગુજરાતમાં ટેકનોલોજીના વિનિયોગથી ગુડગવર્નન્સ અર્થપૂર્ણ

રાજકારણીઓ માટે ટેકનોલોજીનો પડકાર પણ સામાન્યજન માટે સશકત અવાજ

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દિલ્હીમાં ગુગલ આયોજિત BIG TENT SUMMITને વિડિયો કોન્ફશરન્સ્ માધ્યમથી સંબોધતા આજે જણાવ્યું હતું કે ટેકનોલોજીથી નાગરિકોનું સશકિતકરણ થયું છે અને રાજનીતિમાં રાજકારણીઓને પોતાની કાર્યક્ષમતા પૂરવાર કરવાની ફરજ પડી છે.

ગુગલની આ સમિટમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને ટેકનોલોજી ઇન પોલિટીકસ (રાજનીતિમાં ટેકનોલોજીના પ્રભાવ) વિષયક પોતાના વિચારો પ્રસ્તુત કરવા ઇજન આપવામૌ આવ્યું હતું.

આજે બપોરે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થા્નેથી વિડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીએ ગુગલ-હેન્ગ આઉટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ટેકનોલોજી રાજકારણી વર્ગ માટે પડકારરૂપ છે પરંતુ તેનો સાચી દિશામાં ઉપયોગ થાય તો સ્થિતિ બદલવામાં તે એક સક્ષમ માધ્યમ બની શકે છે. આજે સામાન્ય માનવીને WWW-વર્લ્ડ (આઇ.ટી. કનેકટીવિટી) સાથે જોડીને વિકાસ આધારિત રાજનીતિના એજન્ડા માટે નાગરિકોનું સશકિતકરણ કરી શકાય છે. આપણા માટે આ પડકાર છે, પરંતુ લોકશાહીમાં સામાન્ય માનવીનો અવાજ રજૂ કરવાથી માંડીને સમસ્યાઓના સમાધાન અને નીતિ-નિર્ધારણ માટે રાજનીતિની પ્રક્રિયામાં સામાન્ય્ જનને પણ સહભાગી બનાવી શકાય છે.

મુખ્યમંત્રીશ્રીએ અગાઉના સમયમાં રાજકારણીઓ ટેકનોલોજીનો ઉપયોગ જનસમૂહના સંપર્ક-પ્રસાર માટે કરતા હતા પરંતુ હવે વેબ-કનેકટેડ ટેકનોલોજી, ઇન્ટનરનેટ અને સોશ્યકલ મિડિયાના સાર્વત્રિક પ્રભાવના પરિણામે રાજનીતિ ઉપર ટેકનોલોજી એક પડકાર બની રહી છે અને નાગરિકો માટે લોકતંત્ર આધારિત રાજકારણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે, એની સવિસ્તર ભૂમિકા આપી હતી.

ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં ઇન્ફોરમેશન ટેકનોલોજીથી થયેલા નાગરિક સશકિતકરણનો નિર્દેશ આપતાં શ્રી નરેન્દ્રંભાઇ મોદીએ જણાવ્યું કે હવે રાજકારણીને પોતાના વિચારો જનતા સુધી મૂકવાને બદલે નાગરિકોએ ટેકનોલોજીના માધ્યુમથી જે વિચારો-સૂચનો રાજકારણી સુધી મૂકયા છે તેને ધ્યાનમાં લેવા પડે છે.

મુખ્યમંત્રીશ્રીએ IT+IT=IT (ઇન્ડીઅન ટેલેન્ટ+ઇન્ફરમેશન ટેકનોલોજી=ઇન્ડીઆ ટુમોરો)નો મંત્ર આપતા જણાવ્યું કે ઇન્ફનમેશન ટેકનોલોજીએ સામાન્ય નાગરિકને માહિતીના અનેક વિધસ્ત્રોતોથી સક્ષમ બનાવ્યો‍ છે, અને પોતાના અભિપ્રાયો દ્વારા રાજનીતિ અને વિકાસની નીતિઓ તથા કાર્યક્રમોના નિર્ધારણમાં તેનો અવાજ પહોંચાડી શકે છે. પહેલાં લોકશાહીની ચૂંટણીમાં પાંચ વર્ષની સરકાર માટે મતદાન સિવાય રાજનીતિ સાથે સામાન્ય જનતાને કોઇ નાતો નહોતો હવે રાજકારણની પ્રત્યેક ગતિવિધિ સાથે તે જી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Narendra Modi’s ‘F.R.I.E.N.D.S. Reel’ To Bansuri’s Micro Claps, Tejasvi’s ‘Delulu’: NDA’s Gen-Z Outreach

Media Coverage

PM Narendra Modi’s ‘F.R.I.E.N.D.S. Reel’ To Bansuri’s Micro Claps, Tejasvi’s ‘Delulu’: NDA’s Gen-Z Outreach
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister reviews flood situation in Arunachal Pradesh and Nagaland with MPs from the two states
July 30, 2026

The Prime Minister, Shri Narendra Modi, met Members of Parliament from Arunachal Pradesh and Nagaland and discussed the situation in the two states in the wake of the floods.

Shri Modi said that the Central Government will continue working with the respective state Governments to address the challenges arising from the floods.

The Prime Minister prayed for everyone’s well-being and safety.

In a post on X, Shri Modi said;

“Had a meeting with MPs from Arunachal Pradesh and Nagaland. We talked about the situation in these states in the wake of floods there. The Central Government will keep working with the respective state Governments to address the challenges. Praying for everyone’s wellbeing and safety.”