ભૌગોલિક, સામાજિક કે આર્થિક રીતે વ્યાપક વિકાસ તરફ સરકાર મિશન મોડમાં આગળ વધી રહી છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ ઝડપી વિકાસ પ્રાપ્ત કરવા માટે સુધારા, કામગીરી અને પરિવર્તનના મહત્વ પર ભાર મૂક્યો
રાજ્ય અને કેન્દ્ર સરકારોએ સાથે મળીને કામગીરી કરવી જોઈએ, જનભાગીદારી પરિવર્તન તરફ દોરી જશે: પ્રધાનમંત્રી
આગામી 25 વર્ષ સમૃદ્ધ અને વિકસિત ભારત પ્રાપ્ત કરવા માટે સમર્પિત રહેશે: પ્રધાનમંત્રી

મિત્રો,

આજે બજેટ સત્રની શરૂઆતમાં હું સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મીને નમન કરું છું અને આવા પ્રસંગોએ, સદીઓથી, આપણે મા લક્ષ્મીના પવિત્ર નામનું સ્મરણ કરતા આવ્યા છીએ.

सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि। मंत्रपूते सदा देवि महालक्ष्मि नमोस्तुते।

માતા લક્ષ્મી આપણને સિદ્ધિ અને વિવેક આપે છે, સમૃદ્ધિ આપે છે અને કલ્યાણ પણ કરે છે. હું મા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર મા લક્ષ્મીના આશીર્વાદ રહે.

મિત્રો,

આપણા પ્રજાસત્તાકને 75 વર્ષ પૂર્ણ થયા છે અને આ દેશના દરેક નાગરિક માટે ખૂબ જ ગર્વની વાત છે અને ભારતની આ તાકાત લોકશાહી વિશ્વમાં પણ પોતાના માટે એક ખાસ સ્થાન બનાવે છે.

 

મિત્રો,

દેશના લોકોએ મને ત્રીજી વખત આ જવાબદારી સોંપી છે, અને આ ત્રીજા કાર્યકાળનું આ પહેલું પૂર્ણ બજેટ છે.  હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 2047માં જ્યારે આપણે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરીશું, ત્યારે દેશનો સંકલ્પ વિકસિત ભારત માટે આ બજેટ સત્ર અપનાવ્યું છે, આ બજેટ એક નવો આત્મવિશ્વાસ પેદા કરશે, નવી ઉર્જા આપશે કે જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે, ત્યારે તે વિકસિત રહેશે. 140 કરોડ દેશવાસીઓ પોતાના સામૂહિક પ્રયાસોથી આ સંકલ્પ પૂર્ણ કરશે. ત્રીજા કાર્યકાળમાં અમે દેશને સર્વાંગી વિકાસ તરફ લઈ જવા માટે મિશન મોડમાં કામ કરીશું, પછી ભલે તે ભૌગોલિક રીતે હોય, સામાજિક રીતે હોય કે વિવિધ આર્થિક સ્તરોના સંદર્ભમાં હોય. આપણે સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે મિશન મોડમાં આગળ વધી રહ્યા છીએ. નવીનતા, સમાવેશ અને રોકાણ સતત આર્થિક પ્રવૃત્તિ માટેના આપણા રોડમેપનો આધાર રહ્યા છે.

 

હંમેશની જેમ આ સત્રમાં ઘણા ઐતિહાસિક દિવસો રહેશે, આવતીકાલે ગૃહમાં ચર્ચા થશે અને વ્યાપક વિચાર-વિમર્શ પછી, રાષ્ટ્રની શક્તિ વધારવા માટે કામ કરતા કાયદા બનાવવામાં આવશે. ખાસ કરીને સ્ત્રી શક્તિના ગૌરવને પુનઃસ્થાપિત કરવા, દરેક સ્ત્રીને ધર્મ અને સંપ્રદાયના ભેદભાવ વિના સન્માનજનક જીવન મળે અને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત કરવા માટે, આ દિશામાં આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાંસફોર્મ, જ્યારે વિકાસની ઝડપી ગતિ હાંસલ કરવી હોય, ત્યારે મહત્તમ ભાર સુધારા પર હોય, રાજ્ય અને કેન્દ્ર સરકારોએ સાથે મળીને કામગીરી કરવી પડે અને જનભાગીદારીથી આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ.

આપણી પાસે એક યુવાન દેશ છે, આપણી પાસે યુવા શક્તિ છે અને આજે 20-25 વર્ષના યુવાનો, જ્યારે તેઓ 45-50 વર્ષના થશે, ત્યારે તેઓ વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી બનશે. તેઓ ઉંમરના એ તબક્કે હશે, નીતિ નિર્માણ પ્રણાલીમાં એ પદ પર બેઠેલા હશે, કે સ્વતંત્રતા પછી શરૂ થનારી સદીમાં તેઓ ગર્વથી વિકસિત ભારત સાથે આગળ વધશે. અને તેથી, વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાનો આ પ્રયાસ, આ અથાક મહેનત, આપણા કિશોરો માટે, આપણી આજની યુવા પેઢી માટે એક મોટી ભેટ બનવા જઈ રહી છે. 1930 અને 1942માં જે લોકો સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા, દેશની આખી યુવા પેઢી સ્વતંત્રતા સંગ્રામ માટે સમર્પિત હતી અને તેના ફળ આગામી પેઢીને 25 વર્ષ પછી મળ્યા. તે જંગમાં જે યુવાનો હતા તે નસીબદાર હતા. આઝાદી પહેલાના તે 25 વર્ષ સ્વતંત્રતાની ઉજવણીનો અવસર બની ગયા. તેવી જ રીતે, આ 25 વર્ષ સમૃદ્ધ ભારત, વિકસિત ભારત માટે છે; દેશવાસીઓનો આશય સંકલ્પથી સિદ્ધિ અને સિદ્ધિથી શિખર સુધી પહોંચવાનો છે; અને તેથી, આ બજેટ સત્રમાં, બધા સાંસદો સામાજિક-આર્થિક વિકાસને મજબૂત બનાવવામાં યોગદાન આપશે. વિકસિત ભારત, ખાસ કરીને યુવા સાંસદો છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. કારણ કે આજે તેઓ ગૃહમાં જેટલી પણ જાગૃતિ અને ભાગીદારી વધારશે, વિકસિત ભારતના ફળો તેમની નજર સમક્ષ દેખાશે. અને તેથી આ યુવા સાંસદો માટે એક અનમોલ અવસર છે.

 

 

મિત્રો,

હું આશા કરું છું કે આપણે દેશની આશા-આકાંક્ષાઓ પર આ બજેટ સત્રમાં ખરા ઉતરીશું.

મિત્રો,

આજે તમે એક વાત નોંધી હશે, મીડિયાના લોકોએ તે ચોક્કસ કરવું જોઈએ. કદાચ 2014થી અત્યાર સુધી સંસદનું આ પહેલું સત્ર છે, જેમાં સત્રના એક-બે દિવસ પહેલા કોઈ વિદેશી તણખા ભડક્યા નથી.  વિદેશમાંથી આગ ભડકાવવાનો કોઈ પ્રયાસ થયો નથી. હું છેલ્લા 10 વર્ષથી, 2014થી જોઈ રહ્યો છું. દરેક સત્ર પહેલા લોકો તોફાન કરવા માટે તૈયાર બેઠા રહેતા હતા અને અહીં એવા લોકોની કોઈ કમી નથી જે આને ઉશ્કેરે છે. છેલ્લા 10 વર્ષ પછી આ પહેલું સત્ર છે, જે હું જોઈ રહ્યો છું જેમાં કોઈ પણ વિદેશી ખૂણામાંથી કોઈ સ્પાર્ક નહોતો.

ખુબ ખુબ આભાર મિત્રો.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”