Gujarat has given the nation the practice of elections based on development and doing away with elections that only talked about corruption and scams: PM Modi in Jambusar
Congress and their like-minded people neither respect the tribals nor took care of their needs: PM Modi in Jambusar

ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


સૌથી પહેલા આટલી મોટી સંખ્યામાં સંતો આશીર્વાદ આપવા માટે આવ્યા છે, એમને પ્રણામ કરું છું.


મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો,


હું જોઉં છું, પેલું એલ.ઈ.ડી. લગાવ્યું છે એનીય પેલી બાજુ પબ્લિક છે. હવે એમને દેખાતું ય નહિ હોય અને સંભળાતું ય નહિ હોય. પણ આટલી મોટી સંખ્યામાં તમે અમને બધાને આશીર્વાદ આપવા આવો, અરે તમારી સેવા કરવામાં દિવસ-રાત ખપી જવાનું મન થઈ જાય, ભાઈ. અને હું બે દિવસથી ગુજરાતના અલગ અલગ ભાગોમાં જઈ રહ્યો છું. દક્ષિણ ગુજરાતમાં ગયો, સૌરાષ્ટ્રમાં ગયો, ચારેય તરફ આ ચુંટણી ગુજરાતની જનતા લડી રહી છે, ગુજરાતના નાગરિકો લડી રહ્યા છે. જેમને ગુજરાતની આવતીકાલની ગેરંટી જોઈએ છે, ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી જોઈએ છે, એવા લોકો આજે ચુંટણીનું નેતૃત્વ સંભાળી રહ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીનો વિજયવાવટો ઉજ્જવળ ગુજરાત, ભવ્ય ગુજરાત, દૈદિપ્યમાન ગુજરાત, એના માટે થઈને દિવસ-રાત જહેમત કરી રહ્યા છે. એવા ગુજરાતના નાગરિકોને હું પ્રણામ કરું છું. જંબુસરના નાગરિકોને પ્રણામ કરું છું. ભરુચ જિલ્લાના નાગરિકોને પ્રણામ કરું છું. હવે તમે મને કહો, ભાઈ, દેશમાં કોઈ એવો પ્રધાનમંત્રી તમને મળે? કે જેને જંબુસર ક્યાં આવ્યું એ ખબર છે? આમોદ ક્યાં આવ્યું એ ખબર છે, એવો કોઈ મળે તમને? ઝગડીયા ક્યાં આવ્યું? એને ખબર જ ના પડે કે ઝગડીયા ગામ છે કે ઝગડીયા સ્વભાવ છે. હવે એ લોકો ગુજરાતનું ભલું કરી શકે, ભાઈ? મને કહો, જેને ખબર ના હોય એ તમારા સુખ-દુઃખની ચિંતા કરી શકે? કરી શકે? આ તમારો ઘરનો જણ હોય, ઘરનો માણસ હોય તો સુખે-દુઃખે તમારી જોડે રહે કે ના રહે? આટલી સમજ તો આપણા ગુજરાતવાળાને હોય જ ભાઈ,


ભાઈઓ, બહેનો,


થોડા દિવસ પહેલા મને ભરુચમાં વિકાસનો મહોત્સવ ઉજવવા માટેનો અવસર મળ્યો હતો. અને આજે લોકતંત્રનો ઉત્સવ ઉજવવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. જંબુસરનો આ ઉત્સાહ, આ ઉમંગ આખા ભરુચ જિલ્લાનો જે વિશ્વાસ છે ને, એ આખા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે, ભાઈઓ. જે તમારામાં પડ્યું છે ને એ મને ગુજરાતમાં ખુણે ખુણે દેખાઈ રહ્યું છે. ગુજરાતના અમૃતકાળનો, આ અમૃતકાળની વિકાસયાત્રાની શરૂઆત છે, ભાઈઓ. અને એટલે જ ચારે તરફ એક જ વાત સાંભળવા મળે છે. એક જ નારો સાંભળવા મળે છે. એક જ શંખનાદ સાંભળવા મળે છે.


એક એક ગુજરાતી કહે છે,


ફિર એક બાર... (ઑડિયન્સમાંથી...) મોદી સરકાર...


ફિર એક બાર... (ઑડિયન્સમાંથી...) મોદી સરકાર...


ફિર એક બાર... (ઑડિયન્સમાંથી...) મોદી સરકાર...


આ જ ગૌરવથી ભરેલું આપણું ગુજરાત, એણે જે પુરુષાર્થ કર્યો છે, જે પરિશ્રમ કર્યો છે, અને ડગલે ને પગલે માત્ર ને માત્ર ગુજરાતનું કલ્યાણ થાય તો એ કલ્યાણમાં અમારું કલ્યાણ નક્કી જ છે, એવો જેમનો વિશ્વાસ છે, અને એના માટે થઈને ખભે-ખભો મિલાવીને કામ કર્યું છે, અને એટલે જ પ્રત્યેક ગુજરાતી ગૌરવપૂર્વક બોલે છે. પ્રત્યેક ગુજરાતની માતા-બહેનો ગૌરવપૂર્વક બોલે છે. પ્રત્યેક ગુજરાતનો નાગરિક ગૌરવપૂર્વક બોલે છે કે


આ ગુજરાત (ઑડિયન્સમાંથી...) મેં બનાવ્યું છે.


આ ગુજરાત (ઑડિયન્સમાંથી...) મેં બનાવ્યું છે.


આ ગુજરાત (ઑડિયન્સમાંથી...) મેં બનાવ્યું છે.


આ પ્રત્યેક ગુજરાતીનો આજે ભાવ છે કે અમે ગુજરાત બનાવ્યું છે, અને એના ફળ ગુજરાતને મળી રહ્યા છે, ભાઈઓ. તમે જુઓ, ભૂતકાળમાં ચુંટણીઓ થાય અને ભૂતકાળમાં સરકારો ચાલે તો છાપા ઉપર શું ચમકતું હોય? દિલ્હીમાં સરકાર હોય તો એક જ વાત હોય, આટલા કરોડના ગોટાળા, આટલા કરોડના ગોટાળા, આટલા કરોડના ગોટાળા... આ લૂંટી ગયો, પેલો લૂંટી ગયો, પેલો લૂંટી ગયો... આવું જ ચાલતું હતું ને? આ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર એવો ઝંડો રોપી દીધો છે, એવો ઝંડો રોપી દીધો છે કે, ગમે તે પોલિટીકલ પાર્ટી આવે, જાતિવાદ કરવાવાળી આવે તો પણ, ગુંડાગર્દી કરવાવાળી આવે તો પણ, ભ્રષ્ટાચારમાં ડૂબેલી હોય તો પણ, બધાએ હવે વિકાસની વાત કરવી જ પડે. આ વિકાસવાદની રાજનીતિ કોઈ લાવ્યું હોય તો ભારતીય જનતા પાર્ટી લાવી છે, ભાઈઓ. અને આ ગુજરાતની મોટામાં મોટી દેન છે કે ગુજરાતે બધી પોલિટીકલ પાર્ટીઓને કહી દીધું કે ભઈ, બાકી બધું જવા દો, તમે ગુજરાતના કલ્યાણ માટે શું કરશો? ગુજરાતની આવતીકાલ માટે શું કરશો? એની વાત કરો. અને એટલે જ આજે ભરુચ અમારું અભુતપૂર્વ વિકાસની કેડી કંડારી રહ્યું છે. 20 વર્ષની અંદર ભાઈઓ, બહેનો, આ ગુજરાત કેટલું બધું બદલાઈ ગયું છે, આપણો ભરુચ જિલ્લો કેટલો બધો બદલાઈ ગયો છે, અને એના કારણે એક એવો વિશ્વાસ પેદા થયો છે, એ આપણે જાણીએ છીએ. તમે વિચાર કરો, બે દસક પહેલા આ ભરુચ જિલ્લામાં માથું ઊંચું કરીને ઉભા રહેવું હોય તો ચિંતા થતી હતી કે નહોતી થતી? બહેન-દીકરીઓને સાંજે જવું હોય તો ચિંતા થતી હતી કે નહોતી થતી? આ બધી મુસીબતો ગઈ કે ના ગઈ? વાર-તહેવારે હુલ્લડો થતા હતા, તે બંધ થયું કે ના થયું? સુખ-શાંતિ આવી કે ના આવી? કર્ફ્યુ... અહીં આપણા ભરુચ જિલ્લામાં તો છોકરું જન્મે તો કાકા-મામાનું નામ ના આવડતું હોય પણ કર્ફ્યુ શબ્દ ખબર હોય, એને. આ કર્ફ્યુ ગયો કે ના ગયો?


ગયો કે ના ગયો? (ઑડિયન્સમાંથી હા...)


શાંતિ આવી કે ના આવી? (ઑડિયન્સમાંથી હા...)


વિકાસ આવ્યો કે ના આવ્યો? (ઑડિયન્સમાંથી હા...)


ભાઈચારો આવ્યો તો આજે ભરુચ જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યો?


ભાઈઓ, બહેનો,


ચાહે શિક્ષણની વાત હોય, શાળાઓની વાત હોય, કોલેજની વાત હોય, ગુણવત્તાની વાત હોય, આ બધી જ બાબતમાં આપણે નવી નવી ઊંચાઈઓ સર કરી છે, ભાઈઓ. આજે એન્જિનિયરીંગ કોલેજ, મેડિકલ કોલેજ, આ બધું ભરુચમાં ભાઈઓ. સિંચાઈની બાબતમાં, નર્મદા આટલી બધી આપણે ત્યાંથી જાય, પણ પીવાના પાણીના સાંસા પડે. આ મા નર્મદા આપણા, આપણે તો એના ખોળામાં મોટા થયા,તોય આપણા ખેતરોને પાણી ના મળતા હોય, એમાંથી રસ્તા કાઢવાનું કામ આ ભાજપ સરકારે કર્યું છે. આજે દૂધનું ઉત્પાદન હોય, કે પછી 20 વર્ષમાં ભરુચ જિલ્લાના વિકાસની કોઈ પણ બાબત લઈ લો, તમે, સાહેબ. 20 વર્ષની અંદર બે ગણો, અઢી ગણો, ત્રણ ગણો વિકાસ જુદા જુદા ક્ષેત્રોમાં આપણે કર્યો છે, અને ઉદ્યોગોમાં તો, આ ભરુચ જિલ્લાએ જે હરણફાળ ભરી છે ને, હિન્દુસ્તાનના નાના નાના રાજ્યો કરતા પણ એકલો ભરુચ જિલ્લો આગળ નીકળી ગયો છે, ભાઈ. કોઈ ઉદ્યોગ એવો નહિ હોય કે જે આજે ભરુચ જિલ્લામાં નહિ હોય, ભાઈ. બે દસકમાં ભરુચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કુદકે ને ભુસકે વધી છે, ભાઈઓ. અમે અહીંયા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટની વાત હોય, સૌથી મોટું ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, સૌથી મોટું પી.સી.પી.આઈ.આર. ભાઈઓ, બહેનો, ફર્ટિલાઈઝરનું મોટામાં મોટું કારખાનું, કેમિકલની મોટામાં મોટી કંપનીઓ, દવાની મોટામાં મોટી કંપનીઓ, અને આ બધાને લેબલ – ભરુચ. આ વટ પડી ગયો કે નહિ, ભરુચનો ભાઈ. અરે, આજે ભરુચ જિલ્લામાં બનેલી દવાઓએ દુનિયામાં કેટલાય લોકોની આ કોરોનામાં જિંદગી બચાવી છે. ભરુચવાળાની છાતી ફુલે કે ના ફુલે? ભાઈઓ. આ કામ થયું છે.

અને મારા ભુપેન્દ્રભાઈની સરકાર, ગુજરાતની સરકાર, એણે જે ઔદ્યોગિક નીતિ લાવી છે, ઔદ્યોગિક પોલિસી લાવી છે, એના કારણે તો આ ભરુચ જિલ્લા જેવા ઔદ્યોગિક રીતે આગળ વધી રહેલા જિલ્લાઓને તો મોટો કુદકો લાગવાનો છે. મોટી હરણફાળ ભરવાની છે, ભાઈઓ. અને એની સાથે સાથે લઘુઉદ્યોગોની જાળ, આ લઘુઉદ્યોગના કારણે અમારા આદિવાસી ભાઈઓ-બહેનો, મને યાદ છે, પહેલા અહીંયા રોડની માગણી આદિવાસી ભાઈઓ કરે, રેલવેની કરે તો શેના માટે કરે? કે સાહેબ મારે ત્યાં રોજી-રોટી માટે અપ-ડાઉન કરવાનું હોય છે, અમને આ કારખાનાઓમાં, અમે કામ કરીએ છીએ. અમે હવે પેલા રોડ બનાવવાના કામ બંધ કરી દીધા છે. અમે તો ઉત્પાદન કરવાવાળા બની ગયા છે.


ભાઈઓ, બહેનો,


આ પરિવર્તન એકલા એક જિલ્લાનું. કોઈ રાજ્યનું ના હોય ને એટલું બધું ભરુચ જિલ્લાનું આપણે કર્યું છે. ગરીબોના કલ્યાણને આપણે વરેલા છીએ. નરેન્દ્ર હોય કે ભુપેન્દ્ર હોય, આ સરકારનો જ મતલબ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, અને પાછો સૌનો પ્રયાસ. અને આ જ વાત કરીને ભાઈઓ, બહેનો, જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે પહેલા શું હાલત હતી? અરે આપણને ભરુચ જિલ્લામાં ખબર છે એક જમાનો હતો, આ ગરીબનું રાશન જે હોય ને, આ રાશન કાર્ડ પણ લૂંટી લેતા હતા ને રાશન પણ, આ ફર્જી કાર્ડમાં લૂંટાઈ જતું હતું, એ દિવસો... 20 વર્ષ પહેલા... આ જુવાનીયાઓને તો ખબર નહિ હોય કે ગરીબના રાશનમાંથી લૂંટ ચલાવનારા લોકો અહીં ભરુચ જિલ્લામાં બેઠા હતા અને રાજકીય મોટા મોટા નેતાઓ લાંબા લાંબા ઝભ્ભા પહેલીને ફર્યા કરતા હતા, ભાઈઓ. આ દશા હતી, અહીંયા...


આપણા ખેડૂતોને મદદ મળે, એમાંય આ વચેટીયાઓ એમની મલાઈ કાઢી જાય. સ્કોલરશીપ હોય, લોન હોય, ગરીબોને પાકું ઘર મળવાનું હોય, ગરીબોના હક્ક ઉપર ડગલે ને પગલે કમિશન સિવાય વાત નહિ. કટકી કંપની સિવાય વાત નહિ. એ પેલાના વાયા તમે જાઓ તો જ મેળ પડે, તો જ તમારી અરજી આગળ વધે. ભાઈઓ, બહેનો, આ દશા હતી. 100 વર્ષમાં આવડી મોટી ભયંકર આપદા આવી. આખી દુનિયા હલી ગઈ. કોવિડે સગા-વહાલાંનેય દૂર કરી દીધા. કુટુંબમાંય કોઈને કોવિડ થયો હોય તો બાકી લોકો એ રૂમમાં ન પ્રવેશે એવી દશા આવી ગઈ. મોત આમ ઉપર લટકતું હોય ને એવા દિવસો આવી ગયા હતા. એવે વખતે આ દેશનો કોઈ નાગરિક ભુખે ન મરે, ભાઈઓ, એને બે ટાઈમ એના ઘરમાં ચુલો સળગે, એના માટેના, ઘેર ઘેર રાશન પહોંચાડવાનું કામ આ સરકારે કર્યું છે, ભાઈઓ. કારણ, કોઈ ગરીબ માના ઘરમાં ભુખ્યા છોકરા સૂતા ના હોય.

હમણાં મને હેલિપેડ ઉપર અમારી આદિવાસી સમાજની કેટલીક બહેનો સ્વાગત કરવા આવી હતી. મેં એમને પુછ્યું કે બહેનોમાં કેમ છે? મને કહે સાહેબ, એ તો એમ કહે છે કે અમારો દીકરો દિલ્હીમાં બેઠો છે ને, અમને ભુખે રહેવા જ ના દે, ભુખે રહેવા જ ના દે. જ્યારે આદિવાસી મા એમ કહેતી હોય કે દિલ્હીમાં એનો દીકરો બેઠો છે, ત્યારે આ દીકરાને કેટલો બધો આનંદ થાય? એ તમે કલ્પના કરી શકો છો, અને એ મા માટે કામ કરવા માટેનું કેટલું બધું મન થાય, ભાઈ. અને એટલા માટે 80 કરોડ લોકોને રાશન પહોંચાડ્યું, ભાઈઓ. અને ક્યાંય કોઈએ કટકી કરી હોય એવા વાવડ નથી આવવા દીધા, ભાઈઓ. આ કામ આપણે કર્યું છે. વેક્સિન... તમે મને કહો, આ મોદી સરકારે વેક્સિન મફતમાં ન આપી હોત, મારો ગરીબ, આદિવાસી ભાઈ-બહેન આ વેક્સિન લેવા જાત ક્યાં? આ અમારો ગરીબ ભાઈ-બહેન હજાર રૂપિયા ખર્ચો થાય એવી વેક્સિન ક્યાં લગાવવા જાય? અરે, અમારા માટે તો અમારા દેશના નાગરિકની જિંદગી પહેલી છે. 200 કરોડ ડોઝ, ભાઈઓ, 200, વિચાર કરો. આ કામ આપણે 200 કરોડ ડોઝ લગાવીને આ દેશના લોકોને સુરક્ષિત રાખવા માટેનું કામ કર્યું, ભાઈઓ, બહેનો. અને, એક કાણી પાઈ લીધી નથી. તમારે વેક્સિન લાગ્યું છે કે નહિ? તમે મને કહો. વેક્સિન લાગ્યું છે કે નહિ?


જરા, જરા હાથ ઉપર કરીને કહો ને? વેક્સિન લાગ્યું છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)


બધાએ વેક્સિન લગાવ્યું છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)


એક કાણી પાઈ આપવી પડી હતી? (ઑડિયન્સમાંથી ના...)


એક કાણી પાઈ આપવી પડી હતી? (ઑડિયન્સમાંથી ના...)


કોઈની લાગવગ લગાવવી પડી હતી? (ઑડિયન્સમાંથી ના...)


કોઈને ભ્રષ્ટાચાર કરવો પડ્યો હતો? (ઑડિયન્સમાંથી ના...)


અરે, આ સરકાર એવી છે, તમારી જિંદગી માટે થઈને દોડવાવાળી સરકાર છે. અને એટલા માટે કામ કર્યું છે.


ભાઈઓ, બહેનો,


આપણી પી.એમ. કિસાન સન્માન નિધિ સીધી બેન્કના ખાતામાં જાય. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા, 12 મહિનામાં 3 વખત, જ્યારે એને જરૂર પડે ત્યારે. અને અમારા ગુજરાતની અંદર લાખો કિસાનોને 12,000 કરોડ રૂપિયા આ પી.એમ. કિસાન સન્માન નિધિમાં મળ્યા. અને કોઈ કટકી કંપની નહિ. એક એવા પ્રધાનમંત્રી હતા, દેશમાં, એમ કહેતા હતા કે દિલ્હીથી રૂપિયો નીકળે ને તો 15 પૈસા પહોંચે છે. આ મોદી એવો માણસ, તમારો દીકરો બેઠો છે કે જેણે દિલ્હીથી રૂપિયો મોકલે એટલે 100 એ 100 પૈસા તમારા ખાતામાં જમા થાય. કોઈ વચેટીયા નહિ, કોઈ કટકી કંપની નહિ, ભાઈઓ. અને એના કારણે અમારા એકલા ભરુચ જિલ્લામાં 2 લાખ ખેડૂતો, ભાઈઓ, 2 લાખ ખેડૂતો, એમના ખાતામાં 400 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. ગેરંટીના કાર્ડ નથી વેચ્યા, 400 કરોડ રૂપિયા એના ખાતામાં જમા થઈ ગયા છે. આ કામ અમે કરીએ છીએ, ભાઈઓ. ગરીબોને પાકું ઘર મળે, એના માટે થઈને, પાછું એને જેવું બનાવવું હોય એવું બનાવે, એના ખાતામાં સીધા પૈસા જમા થાય. અને આજે તો ગરીબોના ઘર છે ને, એ સવા લાખ, દોઢ લાખ, પોણા બે લાખ રૂપિયાના બને છે, અને ગરીબને જ્યારે ઘર મળી જાય ને, એટલે રાતોરાત મારો ગરીબ લખપતિ બની જાય. દોઢ લાખના, બે લાખના, ઘરનો માલિક બની જાય. અને માલિક પાછી મા બને. અમે તો નક્કી કર્યું, સરકાર ઘર આપશે, એનું માલિકીમાં નામ માતાઓનું, બહેનોનું હશે, જેથી કરીને જીવનમાં કોઈ મુસીબત ના આવે, ભાઈઓ, બહેનો. આ કામ કર્યું છે. ગુજરાતમાં લાખો પાકા ઘર બનાવી દીધા, આપણે. કોઈ ગરીબને ફૂટપાથ ઉપર જિંદગી જીવી પડતી હતી, ઝુંપડીમાં જીવવી પડતી હતી, એટલું જ નહિ, ભાઈઓ, બહેનો, માતાઓ-બહેનો, એમના માટેની સુવિધા, એમના માટે સમૃદ્ધિ, એના માટે આપણે અનેક કામો લીઘા. હું તો કહું, મારી માતાઓ, બહેનોનો આભાર વ્યક્ત કરું છું કે એમણે 20 – 22 વર્ષ પહેલાં, મને, આ મારી માતાઓ, બહેનો... હું આ ભરુચ જિલ્લામાં ખુબ ફરેલો છું, ભાઈઓ.

પહેલાં તો હું અહીં સાઈકલ ઉપર આવતો હતો. એટલો બધો મેં પ્રવાસ કર્યો છે. મારું આ કામ જ હતું. મારું કાર્યાલય હતું ભરુચમાં, પાંચ બત્તી પાસે. અહીં અમારે રોજ આવવાનું. મેં જોયું છે, મને યાદ છે, હું જ્યારે રાજકારણમાં આવ્યો તો મને લોકો પત્રો લખે. મને ઓળખતા હોય. નાની નાની વાતની રજુઆતો. અમારા ગામમાં આ કરજો, અમારા મહોલ્લામાં આ કરજો. અરે પેલી સ્ટ્રીટલાઈટ લગાવવી હોય ને તો પણ મને લખતા, લોકો. આજે વીજળી હોય, પાણી હોય, ગેસ હોય, ટોઈલેટ હોય, આ મારી માતાઓ-બહેનોને બધી મુસીબતોમાંથી મુક્તિ અપાવવાનું મેં અભિયાન ઉપાડ્યું. અને એના કારણે મને મારી માતાઓ, બહેનોના આશીર્વાદ પણ મળ્યા. ગર્ભાવસ્થાની અંદર અમારી માતાઓ-બહેનોને પુરતું પોષણ મળે, એમનું ચેક-અપ થાય, બાળકોનું ટીકાકરણ થાય, પોષક આહાર મળે, એના માટેની યોજનાઓ કરીને અમારી ગરીબ મા-બહેનોની ચિંતા અમે કરી છે. સમય પર ટીકા લાગે તો દીકરાની જિંદગી બચી જાય, સંતાનની જિંદગી બચી જાય, દીકરીની જિંદગી બચી જાય, કોઈ મોટા રોગચાળાનો ભોગ ના બને. હોસ્પિટલમાં ડિલિવરી થાય, એના માટેની ચિંતા, માતૃવંદના યોજના દ્વારા એના ખાતામાં સીધા પૈસા મોકલીએ. જેથી કરીને સુવાવડનો ટાઈમ હોય ત્યારે એના પેટમાં કંઈક આહાર જાય. પેટમાં જે સંતાન હોય એને પણ કંઈક મળે, એની ચિંતા. રોજગારની વાત હોય, સ્વરોજગારની વાત હોય, બહેન-દીકરીઓ માટે અનેક બધા અવસરો આપણે ઉભા કરવાનું કામ કર્યું છે. સખી મંડળોની રચના. આપણા ગુજરાતની અંદર સખી મંડળોને એટલા બધા સશક્ત કર્યા, બેન્કોમાંથી એમને પૈસા ડબલ મળે એની વ્યવસ્થા કરી, અને મામુલી વ્યાજથી પૈસા મળે, અને એ જે ઉત્પાદ કરે, એને દુનિયાના બજારમાં વેચવા માટેની મથામણ કરવાનું કામ આજે કર્યું, એના કારણે મારી બહેન-દીકરીઓ વિના ગેરંટી, કોઈ ગેરંટી વગર મુદ્રા યોજના લઈને બેન્કોમાંથી લઈ લઈને આજે ધંધા-રોજગારની અંદર આગળ આવી રહી છે.


ભાઈઓ, બહેનો,


વિકાસનું કોઈ ક્ષેત્ર એવું ના હોય, ચાહે યુવાનો હોય, ચાહે મહિલાઓ હોય, ચાહે દરિયાકિનારે રહેતો મારો માછીમાર ભાઈ હોય, બધાના ભલા કરવા માટે આપણે કામ કરીએ. અને અમે, અમારા આદિવાસી ભાઈઓના કલ્યાણ માટે તો એક મહાયજ્ઞ આદર્યો છે. એમના જીવનમાં બદલાવ લાવે, એમના જીવનમાં આત્મનિર્ભરતા આવે, ગુજરાતની પ્રગતિમાં મારો આદિવાસી ભાઈ ભાગીદાર બને, ગુજરાતની પ્રગતિનું નેતૃત્વ કરે, એના માટે અમે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. કોંગ્રેસવાળાને તો આદિવાસીઓ આ દેશમાં છે કે નહિ, એની ખબર જ નહોતી. તમે વિચાર કરો, ભગવાન રામના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? ભાઈ...


જરા જવાબ આપવો પડશે, ભગવાન રામના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


કૃષ્ણના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


શિવાજી મહારાજના જમાનામાં આદિવાસીઓ હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


રાણા પ્રતાપ જોડે લડાઈ લડવામાં આદિવાસી ભાઈઓ-બહેનો હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


1857ની લડાઈમાં આદિવાસીઓ હતા કે નહોતા? (ઑડિયન્સમાંથી હા...)


અમારા આદિવાસી ભાઈઓએ આ દેશની સંસ્કૃતિ, આ દેશ માટે આટલું બધું કર્યું. પણ આ કોંગ્રેસવાળાને ખબર જ નહોતી કે આદિવાસીઓ હોય છે. નહિ તો આઝાદીના આટલા બધા વર્ષો પછી, જ્યાં સુધી અટલજીની સરકાર ના બની ને, ત્યાં સુધી આદિવાસીઓ માટે કોઈ મંત્રાલય જ નહોતું, બોલો. અટલજીની સરકારે પહેલી વાર આદિવાસીઓનું મંત્રાલય બનાવ્યું. આદિવાસીઓ માટે બજેટ બનાવ્યું. અને આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યું. આ કોંગ્રેસના લોકો તો અત્યાર સુધી, કોઈ મને આદિવાસીનું જાકીટ પહેરાવે કે મને આદિવાસી પાઘડી પહેરાવે તો મજાક ઉડાવતા હતા. આદિવાસીઓના પહેરવેશ ઉપર મજાક ઉડાવનારી આ કોંગ્રેસ પાર્ટી, અને એમના આ કોંગ્રેસના નેતાઓ, વાર-તહેવારે આદિવાસીઓનું અપમાન કરનારા લોકો, એમના પાસેથી આદિવાસીઓના કલ્યાણની કલ્પના ના કરી શકાય, ભાઈઓ. એમના મનમાં ક્યારેય વિચાર જ ના આવ્યો કે આ આદિવાસી ભાઈઓ-બહેનો, એમનામાં એક તાકાત પડી છે, આ ભારતને આગળ લઈ જવાનું સામર્થ્ય પડ્યું છે. કોંગ્રેસે આદિવાસીઓને એના હાલ ઉપર છોડી દીધા હતા. એમના નસીબ ઉપર છોડી દીધા હતા. કુપોષણની મોટી સમસ્યા અમારા આદિવાસી પરિવારોમાં, અમારી આદિવાસી દીકરીઓને, એના સ્વાસ્થ્યની સુરક્ષા, એના માટે આહારની સુરક્ષા, એના માટે શિક્ષણની ચિંતા, એના માટે કનેક્ટિવિટીની ચિંતા, એને અભાવમાંથી, સમસ્યામાંથી મુક્ત કરીને આદિવાસી ક્ષેત્રોમાં સમૃદ્ધિ આવે, સામર્થ્ય આવે, એના માટે ભાજપ સરકારે કામ કર્યું. એના માટે સંકલ્પ લીધા, અને એના કારણે આજે ઉમરગામથી અંબાજી સુધી અમારા આદિવાસી પટ્ટાની અંદર, આ ઈમાનદાર સરકાર, મહેનત કરનારી સરકાર, અનેક યોજનાઓ લાવ્યા, એના કારણે આજે આદિવાસીઓનું કલ્યાણ થઈ રહ્યું છે, ભાઈઓ. એના માટે... અને આ કોંગ્રેસની ઈકો-સિસ્ટિમ... આત્મસન્માનની વાત આવે, તો આદિવાસીઓના આત્મસન્માનને કચડી નાખો. અમે એમના ગૌરવનો વિચાર કર્યો. આદિવાસીઓના ગૌરવને માટે થઈને, એને સશક્ત કરવા માટેની અમે યોજનાઓ બનાવી. અમે પાલ ચિતરીયાની અંદર અમારા આદિવાસીઓમાં જલિયાંવાલા બાગ જેવી ઘટના બની હતી. આ કોંગ્રેસને કોઈ દિવસ યાદ ના આવ્યું.

અમારા ભિલોડા પાસે પાલ ચિતરીયાની અંદર જલિયાંવાલા બાગ જેવી આઝાદીના જંગમાં લડાઈ લડનારા અમારા આદિવાસીઓને અમે સન્માન કર્યું, ભાઈઓ. આદિવાસી બાળકોને શિક્ષણ મળે, એના માટે અમે કામ કર્યું, આદિવાસી યુવાનોને રોજગાર મળે એના માટે અમે કામ કર્યું. આદિવાસીઓને વાજપાયીજીની સરકારે અલગ મંત્રાલય આપ્યું. આદિવાસીઓના કલ્યાણ માટે અલગ વ્યવસ્થા કરી. અમે આદિવાસીના આખા ઉમરગામથી અંબાજી પટ્ટા ઉપર 10,000 જેટલી નવી સ્કૂલો બનાવી, ભાઈઓ, બહેનો. અમે આદિવાસી વિસ્તારની અંદર એકલવ્ય શાળાઓ બનાવી. અમે આદિવાસી વિસ્તારની અંદર છાત્રાલયો ઉભા કર્યા, દીકરીઓ માટે અલગ વ્યવસ્થા કરી. અમે દીકરીઓ શાળાએ જાય એ માટે આદિવાસી નિશાળોની અંદર ટોઈલેટની વ્યવસ્થા કરી. 20 વર્ષ પહેલાં આદિવાસી વિસ્તારમાં હોનહાર વિદ્યાર્થીઓને આગળ ભણવું હોય તો એના માટે કોઈ વ્યવસ્થા નહોતી. આજે આદિવાસી વિસ્તારની અંદર સાયન્સ સ્ટ્રીમની શાળાઓનું અમે આખું નેટવર્ક ઉભું કરી દીધું. અમે પ્રોફેશનલ કોર્સીસ શરૂ કરી દીધા. અમે ગયા બે દસકની અંદર આદિવાસી વિસ્તારમાં 11 સાયન્સ કોલેજ, 11 કોમર્સ કોલેજ, 23 આર્ટ્સ કોલેજ, આ અમારી ભાજપાની સરકાર છે કે જેણે સેંકડો આદિવાસીઓ માટે હોસ્ટેલો તૈયાર કરી. અમારા હજારો આદિવાસી બાળકો જંગલોમાં જીવતા હતા, એ હોસ્ટેલોમાં રહે. અમે બે તો આદિવાસી યુનિવર્સિટીઓ બનાવી, ભાઈઓ.

કોઈ કલ્પના પણ ના કરે, અમે વનબંધુ કલ્યાણ યોજન દ્વારા આદિવાસીઓને આર્થિક મજબુતી આપવા માટે 1 લાખ કરોડ રૂપિયા, ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓના વિકાસ માટે ખર્ચ્યા. અમે આદિવાસીઓના આરોગ્યમાં સૌથી મોટી મુસીબત હતી, સિકલસેલની, આ સિકલસેલમાંથી મુક્તિ અપાવવા માટે આદિવાસીઓને, આ રોગમાંથી, જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે અનેક લોકોની મદદ લઈને વૈજ્ઞાનિક તરીકાથી અમે આગળ વધી રહ્યા છીએ. અનેક વિસ્તારોમાં ડિસ્પેન્સરી, અમે વેલનેસ સેન્ટર ઉભા કર્યા, અમે મેડિકલ સેન્ટર ઉભા કર્યા, અમે હોસ્પિટલની વ્યવસ્થા કરી. અરે, સાપ કરડી જાય તો આદિવાસીને હોસ્પિટલ જતા પહેલા પ્રાણપંખેરું ઊડી જાય, અમે 108ની અંદર આદિવાસીઓ માટે સાપના માટેની ઈન્જેક્શન આપવાની પણ વ્યવસ્થા અમે કરી દીધી. જેથી કરીને ઝેર એના શરીરમાં ફેલાય નહિ અને હોસ્પિટલ જાય ત્યાં સુધીમાં બચી જાય. આટલી ઝીણી ઝીણી ચિંતાઓ કરવાનું. આદિવાસીના યુવાનોમાં સ્વાભિમાન આવે, એના માટે અમે કામ કર્યું. ભગવાન બિરસા મુંડા, આઝાદીના નાયક, આદિવાસી માતાની કુંખેથી જન્મેલ વીર નાયક, એમને ભુલાવી દીધા હતા. ભગવાન બિરસા મુંડાનું નામ આ ભાજપ આવ્યું, એ પહેલા તમે સાંભળ્યું પણ નહિ હોય, ભાઈઓ. અમે તા. 15મી નવેમ્બર આ જનજાતિય ગૌરવ દિવસ તરીકે પુરા હિન્દુસ્તાનની અંદર ઉજવવાનું નક્કી કર્યું. જે અમારા ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ છે, ભાઈઓ, બહેનો.


દેશભરમાં આ સ્વાતંત્ર્યસેનાનીઓ, એમાં આદિવાસીઓનું મોટું યોગદાન રહ્યું છે. એને ભુલાવી દીધું છે. અમે આદિવાસી સ્વાતંત્ર્યસેનાનીઓ માટે મ્યુઝિયમ બનાવવા માટેની દિશામાં કામ કરી રહ્યા છીએ. આવનારી પેઢીને ખબર પડે કે અમારા આદિવાસી પૂર્વજોએ કેટલું મોટું દેશ માટે કામ કર્યું છે. હમણાં હું માનગઢ ગયો હતો. ગોવિંદ ગુરુ, અમારા માનગઢની અંદર જલિયાંવાલા બાગ જેવી બીજી ઘટના બની હતી. અમારા આદિવાસીઓને અંગ્રેજોએ બંદુકે વીંધી નાખ્યા હતા, મોતને ઘાટ ઉતાર્યા હતા. ગોવિંદ ગુરુની પ્રેરણા હતી, એ ગોવિંદ ગુરુના ધામમાં, માનગઢ ધામમાં જઈને આદિવાસી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું કામ અમે કર્યું છે.


ભાઈઓ, બહેનો,


આદિવસી કલ્યાણની જ વાતો હું કરું ને તો મારે અહીંયા અઠવાડિયા સુધી બેસવું પડે. હવે આજે ભરુચ જિલ્લો અમારો, વિકાસનો સાક્ષી બની રહ્યો છે. આજે ભરુચ મેં કહ્યું એમ ઔદ્યોગિક સેન્ટર બની રહ્યું છે. ઉદ્યોગોનો વિસ્તાર પુરી તરહ થાય એના માટે કામ કરીએ છીએ. એક ઈમાનદારીથી પ્રયાસ કરીને અમે આગળ વધી રહ્યા છીએ, ત્યારે, અને ઉદ્યોગો ત્યારે જ આવે, વીજળી હોય, પાણી હોય, કાયદો-વ્યવસ્થા હોય, અને યુવાનો માટે કામ કરવાનો અવસર હોય. આ બધી બાબતો આપણે ગુજરાતમાં પહેલા ધ્યાન કેન્દ્રિત કર્યું, એના કારણે ઔદ્યોગિક વિકાસ થયો. બલ્ક ડ્રગ પાર્ક... એનો શિલાન્યાસ મેં કર્યો હતો, ભાઈ. આ બલ્ક ડ્રગ પાર્ક છે ને, આખી દુનિયામાં તમારું નામ જાગતું કરવાનો છે. અમારું ફાર્માનું હબ બને ભરુચ જિલ્લો. અમારું ગુજરાત ફાર્માનું હબ બને, એના માટે અમે કામ કર્યું છે, જેથી કરીને નવજવાનોને રોજગારનો અવસર મળે, એના માટે અમે કામ કર્યા છે.


ભાઈઓ, બહેનો,


કોરોનાના કાળમાં વેક્સિન બનાવીને લોકોની જિંદગી બચાવવાનું કામ આ ગુજરાતની ધરતીમાં થયું છે, અમારા ભરુચ જિલ્લામાં થયું છે, અને અમારા જંબુસરમાં બનેલી દવાઓ, કરોડો લોકોની જિંદગી બચાવવાનું કામ કર્યું છે, ભાઈઓ. આ ગૌરવની ગાથા, આ મારા ગુજરાતના લોકોએ લખી છે. આદિવાસી ક્ષેત્રમાં ઉદ્યોગો વધારવા માટે ટ્રાયબલ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઉપર આપણે કામ કરી રહ્યા છીએ, જેથી કરીને એની પ્રગતિ થાય. અમારા ભરુચને પીવાનું શુદ્ધ પાણી ના મળે. ભાડભૂત બેરેજ બનાવીશું, અને એના કારણે અમારા માછીમારોનું પણ કલ્યાણ કરવાની વ્યવસ્થા જોડી છે અને પીવાના પાણીની પણ સુવિધા કરી છે. અમે ઘોઘા – દહેજ ફેરી સર્વિસ. આખા સૌરાષ્ટ્ર જોડે ભરુચ જિલ્લાને જોડી દેવાનું કામ કર્યું છે, ભાઈઓ.

ખેતી હોય, ઉદ્યોગ હોય, વિકાસના દરેક ક્ષેત્રમાં અમે તેજ ગતિથી આગળ વધીએ છીએ. સિક્સ લેન રોડ, આજે દહેજ – હજીરા, 35 કિલોમીટરનો સિક્સ લેન રોડ, લોકો જોઈને તાજુબ થઈ જાય છે, ભાઈઓ. સડક હોય, રેલ હોય, હવાઈ કનેક્ટિવિટી, હવે અંકલેશ્વર, એરપોર્ટ. બધા મોટા મોટા નેતાઓ આવી ગયા, એમને સુઝ્યું નહોતું, કરવાનું. અમે કરવાના, આ કામ અમે કરવાના, ભાઈઓ. મુંબઈ એક્સપ્રેસ, અમારા આમોદ થઈને નીકળશે, તમારો તો જયજયકાર છે, ભાઈઓ. હું જેટલા ભવિષ્યના કામો ગણાવું ને તોય તમારું ભાગ્ય બદલનારા કામો છે, અને એટલા માટે હું કહું છું, ભાઈઓ, આ ચૂંટણી, ગુજરાતનું સંતોષી મન, ગુજરાતનો વિકાસને વરેલું મન, અને એટલા માટે તમારા સહયોગથી બધે જ કમળ ખીલવા જોઈએ.


ખીલશે ને ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


દરેક પોલિંગ બુથમાંથી કમળ નીકળશે ને? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


દરેક પોલિંગ બુથમાંથી કમળ જ ઊગવું જોઈએ. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


પાકું? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ઘેર ધેર જઈને સંપર્ક કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


મારી વાત પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


અને, જ્યારે હું ભરુચ જિલ્લામાં આવ્યો છું. આટલા બધા ગામનું મેં પાણી પીને હું મોટો થયો છું. આટલા બધા ગામોની ધૂળ ખાધેલી છે. કેટલા બધા લોકો મને ઓળખે છે. પણ કામ મારું એટલું બધું વધી ગયું, અને હું મળી ના શકતો હોઉં, તો મારું એક કામ તમે કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


કરશો તમે? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


પાકા પાયે કરવાના હોય તો બોલો. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


હાથ ઉપર કરીને કહો, કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


તમે જુઓ, આપણા ગામમાંથી કોઈ યાત્રાઓ જતું હોય, કોઈ કાશી જતું હોય, કોઈ અયોધ્યા જતું હોય, કોઈ બદ્રીનાથ, કેદારનાથ જતું હોય, કોઈ રામેશ્વરમ જતું હોય તો આપણે શું કહીએ, એમને કહીએ કે તમે જાઓ છો ને, તો એક કામ કરજો, મારા વતી પણ જરા ભગવાનને પગે લાગજો, એવું કહે કે ના કહે, બધા... આવું કહે ને...


ગંગામાં ડૂબકી મારવા જાય તો એમ કહે કે મારા વતી પણ ગંગાજીમાં એક ડૂબકી મારજો, એવું કહે કે ના કહે...


તમે આવનારા બે અઠવાડિયા, આ ચુંટણીમાં એક એક મતદારને મળવા જવાના છો. આ મતદારને મળવા જવું ને એ પણ એક તીર્થયાત્રા છે, ભાઈઓ. મતદાતા તીર્થરૂપ છે. એ આ દેશની લોકશાહીને બચાવે છે. આ દેશની પ્રગતિનો એ કર્ણધાર છે. એટલે આ તમારી તીર્થયાત્રા છે.


હવે જ્યારે તમે મતદારોરૂપી તીર્થયાત્રા કરવા જાઓ છો, ત્યારે મારું એક કામ કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


જોરથી બોલો તો જવાબ આપો તો કહું, નહિ તો ના કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ખોંખારીને બોલો તો કહું, નહિ તો ના કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આ તીર્થરૂપ, તીર્થરૂપ મતદાતાઓને જ્યારે મળો, ત્યારે એમને હાથ જોડીને કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા હતા, જંબુસર. નરેન્દ્રભાઈ જંબુસર આવ્યા હતા, અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે, નમસ્તે પાઠવ્યા છે. આટલું કહી દેશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


જેમ કોઈ તીર્થ માટે જાય અને કહેતા હોય છે કે મારા વતી પગે લાગજો, એમ હું તમને કહું છું કે મારા વતી આ બધાને પ્રણામ કહેજો, અને કહેજો કે નરેન્દ્રભાઈએ ખાસ પ્રણામ પાઠવ્યા છે.


બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ખુબ ખુબ ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This is the New India that leaves no stone unturned for development: PM Modi
March 23, 2026
Today, India is moving forward with a new confidence; Now India faces challenges head-on: PM
From the Gulf to the Global West and from the Global South to neighbouring countries, India is a trusted partner for all: PM
What gets measured gets improved and ultimately gets transformed: PM
This is the new India, It is leaving no stone unturned for development: PM

नमस्कार!

पिछले कुछ समय में मुझे एक-दो बार टीवी9 भारतवर्ष देखने का मौका मिला है। नॉर्मली भी युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है और आजकल तो आपको कंटेंट की ओवरफीडिंग हो रही है। बड़े-बड़े देश टीवी9 को इतना सारा कंटेंट देने पर तुले हुए हैं, लेकिन On a Serious Note, आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है, वो अभूतपूर्व है और बेहद गंभीर है। और इन स्थितियों के बीच, आज टीवी-9 नेटवर्क ने विचारों का एक बेहद महत्वपूर्ण मंच बनाया है। आज इस समिट में आप सभी India and the world, इस विषय पर चर्चा कर रहे हैं। मैं आप सबको बधाई देता हूं। इस समिट के लिए अपनी शुभकामनाएं देता हूं। सभी अतिथियों का अभिनंदन करता हूं।

साथियों,

आज जब दुनिया, conflicts के कारण उलझी हुई है, जब इन conflicts के दुष्प्रभाव पूरी दुनिया पर दिख रहे हैं, तब India and the world की बात करना बहुत ही प्रासंगिक है। भारत आज वो देश है, जिसकी अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है। 2014 के पहले की स्थितियों को पीछे छोड़कर के आज भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। अब भारत चुनौतियों को टालता नहीं है बल्कि चुनौतियों से टकराता है। आप बीते 5-6 साल में देखिए, कोरोना की महामारी के बाद चुनौतियां एक के बाद एक बढ़ती ही गई हैं। ऐसा कोई साल नहीं है, जिसने भारत की, भारतीयों की परीक्षा न ली हो। लेकिन 140 करोड़ देशवासियों के एकजुट प्रयास से भारत हर आपदा का सामना करते हुए आगे बढ़ रहा है। इस समय युद्ध की परिस्थितियों में भी भारत की नीति और रणनीति देखकर, भारत का सामर्थ्य देखकर दुनिया के अनेकों देश हैरान हैं। हमारे यहां कहावत है, सांच को आंच नहीं। 28 फरवरी से दुनिया में जो उथल-पुथल मची है, इन कठोर विपरीत परिस्थितियों में भी भारत प्रगति के, विकास के, विश्वास के संकल्प के साथ आगे बढ़ रहा है। इन 23 दिनों में भारत ने अपनी Relationship Building Capacity दिखाई है, Decision Making Capacity दिखाई है और Crisis Management Capacity दिखाई है।

साथियों,

आज जब दुनिया इतने सारे खेमों में बंटी हुई है, भारत ने अभूतपूर्व और अकल्पनीय bridges बनाए हैं। Gulf से लेकर Global West तक, Global South से लेकर पड़ोसी देशों तक भारत सभी का trusted partner है। कुछ लोग पूछते हैं, हम किसके साथ हैं? तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं, हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ हैं।

साथियों,

संकट के इसी समय में जब global supply chains डगमगा रही हैं, भारत ने diversification और resilience का मॉडल पेश किया है। Energy हो, fertilizers हों या essential goods अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे है।

साथियों,

जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। लेकिन जब राजनीति में व्यक्तिगत स्वार्थ हावी हो जाता है, तब लोग देश के फ्यूचर के बजाय अपने फ्यूचर के बारे में सोचते हैं। आप ज़रा याद कीजिए 2004 से 2010 के बीच क्या हुआ था? तब कांग्रेस सरकार के समय पेट्रोल-डीजल और गैस की कीमतों का संकट आया था और तब कांग्रेस ने देश की नहीं बल्कि अपनी सत्ता की चिंता की। उस वक्त कांग्रेस ने एक लाख अड़तालीस हज़ार करोड़ रुपए के ऑयल बॉन्ड जारी किए थे और प्रधानमंत्री मनमोहन सिंह जी ने खुद कहा था कि वो आने वाली पीढ़ी पर कर्ज का बोझ डाल रहे हैं। यह जानते हुए भी कि ऑयल बॉन्ड का फैसला गलत है, जो रिमोट कंट्रोल से सरकार चला रहे थे, उन लोगों ने अपनी सत्ता बचाने के लिए यह गलत निर्णय किया क्योंकि जवाबदेही उस समय नहीं होनी थी, उस बॉन्ड पर री-पेमेंट 2020 के बाद होनी थी।

साथियों,

बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस सरकार के उस पाप को धोने का काम किया है, और इस धुलाई का खर्चा कम नहीं आया है, ऐसी लाँड्री आपने देखी नहीं होगी। 1 लाख 48 हज़ार करोड़ रुपए की जगह, देश को 3 लाख करोड़ रुपए से अधिक की पेमेंट करनी पड़ी क्योंकि इसमें ब्याज भी जुड़ गया था। यानी हमने करीब-करीब दोगुनी राशि चुकाने के लिए मजबूर हुए। आजकल कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो टीवी9 को मजा आएगा, उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है।

साथियों,

पश्चिम एशिया में बनी परिस्थितियों पर मैंने आज लोकसभा में अपना वक्तव्य दिया है। दुनिया में जहां भी युद्ध हो रहे हैं, वो भारत की सीमा से दूर हैं। लेकिन आज की व्यवस्थाओं में कोई भी देश युद्धों से दुष्प्रभाव से दूर रहे, ऐसा संभव नहीं होता। अनेक देशों में तो स्थिति बहुत गंभीर हो चुकी है। और इन हालातों में हम देख रहे हैं कि राजनीतिक स्वार्थ से भरे कुछ लोग, कुछ दल, संकट के इस समय में भी अपने लिए राजनीतिक अवसर खोज रहे हैं। इसलिए मैं टीवी9 के मंच से फिर कहूंगा, यह समय संयम का है, संवेदनशीलता का है। हमने कोरोना महासंकट के दौरान भी देखा है, जब देशवासी एकजुट होकर संकट का सामना करते हैं, तो कितने सार्थक परिणाम आते हैं। इसी भाव के साथ हमें इस युद्ध से बनी परिस्थितियों का सामना करना है।

साथियों,

दुनिया की हर उथल-पुथल के बीच, भारत ने अपनी प्रगति की गति को भी बनाए रखा है। अगर मैं 28 फरवरी को युद्ध शुरू होने के बाद, बीते 23 दिनों का ही ब्यौरा दूं, तो पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक देश में हजारों करोड़ के डेवलपमेंट प्रोजेक्ट्स का काम हुआ है। दिल्ली मेट्रो रेल के महत्वपूर्ण कॉरिडोर्स का लोकार्पण, सिलचर का हाई स्पीड कॉरिडोर का शिलान्यास, कोटा में नए एयरपोर्ट का शिलान्यास, मदुरै एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा देना, ऐसे अनेक काम बीते 23 दिनों में ही हुए हैं। बीते एक महीने के दौरान ही औद्योगिक विकास को गति देने के लिए भव्य स्कीम को मंजूरी दी गई है। इसके तहत देशभर में 100 plug-and-play industrial parks विकसित किए जाएंगे। देश में Small Hydro Power Development Scheme को भी हरी झंडी दी गई है। इससे आने वाले वर्षों में 1,500 मेगावाट नई hydro power capacity जोड़ी जाएगी। इसी दौरान जल जीवन मिशन को साल 2028 तक बढ़ाने का निर्णय लिया गया है। किसानों के हित में भी अनेक बड़े निर्णय लिए गए हैं। बीते एक महीने में ही पीएम किसान सम्मान निधि के तहत 18 हजार करोड़ रुपए से अधिक सीधे किसानों के खातों में ट्रांसफर किए गए हैं। और जो हमारे MSMEs हैं, जो हमारे निर्यातक हैं, उनके लिए भी करीब 500 करोड़ रुपए के राहत पैकेज की भी घोषणा की गई है। यह सारे कदम इस बात का प्रमाण हैं कि विकसित भारत बनाने के लिए देश कितनी तेज गति से काम कर रहा है।

साथियों,

Management की दुनिया में एक सिद्धांत कहा जाता है - What gets measured, gets managed. लेकिन मैं इसमें एक बात और जोड़ना चाहता हूं, What gets measured, gets improved और ultimately, gets transformed. क्योंकि आकलन जागरूकता पैदा करता है। आकलन जवाबदेही तय करता है और सबसे महत्वपूर्ण आकलन संभावनाओं को जन्म देता है।

साथियों,

अगर आप 2014 से पहले के 10-11 साल और 2014 के बाद के 10-11 साल का आप आकलन करेंगे, तो यही पाएंगे कि कैसे इसी सिद्धांत पर चलते हुए, भारत ने हर सेक्टर को Transform किया है। जैसे पहले हाईवे बनते थे, करीब 11-12 किलोमीटर प्रति दिन की रफ्तार से, आज भारत करीब 30 किलोमीटर प्रतिदिन की स्पीड से हाईवे बना रहा है। पहले पोर्ट्स पर शिप का Turnaround Time, 5-6 दिन का होता था। आज वही काम, करीब-करीब 2 दिन से भी कम समय में पूरा हो रहा है। पहले Startup Culture के बारे में चर्चा ही नहीं होती थी। 2014 से पहले, हमारे देश में 400-500 स्टार्ट अप्स ही थे। आज भारत में 2 लाख से ज्यादा रजिस्ट्रर्ड स्टार्ट अप्स हैं। पहले मेडिकल education में सीटें भी सीमित थीं, करीब 50-55 हजार MBBS seats थीं, आज यह बढ़कर सवा लाख से ज्यादा हो चुकी हैं। पहले देश के Banking system से भी करोड़ों लोग बाहर थे। देश में सिर्फ 25 करोड़ के आसपास ही बैंक account थे। वहीं जनधन योजना के माध्यम से 55 करोड़ से ज्यादा बैंक अकाउंट खुले हैं। पहले हमारे देश में airports की संख्या भी 70 से कम थी। आज एयरपोर्ट्स की संख्या भी बढ़कर 160 से ज्यादा हो चुकी है।

साथियों,

पहले भी योजनाएं तो बनती थीं, लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं। पहले गति धीमी थी, आज भारत fastrack पर है। पहले संभावनाएं भी अंधकार में थीं, आज संकल्प सिद्धियों में बदल रहे हैं। इसलिए दुनिया को भी यह संदेश मिल रहा है कि यह नया भारत है। यह अपने विकास के लिए कोई कोर-कसर बाकी नहीं छोड़ रहा है।

साथियों,

आज हमारा प्रयास है कि अतीत में विकास का जो असंतुलन पैदा हो गया था, उसको अवसरों में बदला जाए। अब जैसे हमारा पूर्वी भारत है। हमारा पूर्वी भारत संसाधनों से समृद्ध है, दशकों तक वहां जिन्होंने सरकारें चलाई हैं, उनकी उपेक्षा ने पूर्वी भारत के विकास पर ब्रेक लगा दी थी। अब हालात बदल रहे हैं। जिस असम में कभी गोलियों की आवाज सुनाई देती थी, आज वहां सेमीकंडक्टर यूनिट बन रही है। ओडिशा में सेमीकंडक्टर से लेकर पेट्रोकेमिकल्स तक अनेक नए-नए सेक्टर का विकास हो रहा है। जिस बिहार में 6-7 दशक में गंगा जी पर एक बड़ा पुल बन पाया था एक, उस बिहार में पिछले एक दशक में 5 से ज्यादा नए पुल बनाए गए हैं। यूपी में कभी कट्टा मैन्युफैक्चरिंग की कहानियां कही जाती थीं, आज यूपी, मोबाइल फोन मैन्युफैक्चरिंग में दुनिया में अपनी पहचान बना रहा है।

साथियों,

पूर्वी भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है। पश्चिम बंगाल, एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था। बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है। लेकिन दुर्भाग्य से, आज वहां एक ऐसी निर्मम सरकार है, जो विकास पर ब्रेक लगाकर बैठी है। TV9 बांग्ला के जो दर्शक हैं, वो जानते हैं कि बंगाल में आयुष्मान योजना पर निर्मम सरकार ने ब्रेक लगाया हुआ है। पीएम सूर्यघर मुफ्त बिजली योजना पर ब्रेक लगाया हुआ है। पीएम आवास योजना पर ब्रेक लगाया हुआ है। चाय बागान श्रमिकों के लिए शुरू हुई योजना के लिए ब्रेक लगाया हुआ है। यानी विकास और जनकल्याण से ज्यादा प्राथमिकता निर्मम सरकार अपने राजनीतिक स्वार्थ को दे रही है।

साथियों,

देश में इस तरह की राजनीति की शुरुआत जिस दल ने की है, वो अपने गुनाहों से बच नहीं सकती और वो पार्टी है - कांग्रेस। कांग्रेस पार्टी की राजनीति का एक ही लक्ष्य रहा है, किसी भी तरह विकास का विरोध और कांग्रेस यह तब से कर रही है, जब मैं गुजरात में था। गुजरात में वर्षों तक जनता ने हमें आशीर्वाद दिया, तो कांग्रेस ने उस जनादेश को स्वीकार नहीं किया। उन्होंने गुजरात की छवि पर सवाल उठाए, उसकी प्रगति को कटघरे में खड़ा किया और जब यही विश्वास पूरे देश में दिखाई दिया, तो कांग्रेस का विरोध भी रीजनल से नेशनल हो गया।

साथियों,

जब राजनीति में विरोध, विकास के विरोध में बदल जाए, जब आलोचना देश की उपलब्धियों पर सवाल उठाने लगे, तब यह सिर्फ सरकार का विरोध नहीं रह जाता, यह देश की प्रगति से असहज होने की मानसिकता बन जाती है। आज कांग्रेस इसी मानसिकता की गुलाम बन चुकी है। आज स्थिति यह है कि देश की हर सफलता पर प्रश्न उठाया जाता है, हर उपलब्धि में कमी खोजी जाती है और हर प्रयास के असफल होने की कामना की जाती है। कोविड के समय, देश ने अपनी वैक्सीन बनाई, तो कांग्रेस ने उस पर भी संदेह जताया। Make in India की बात हुई, तो कहा गया कि यह सफल नहीं होगा, बब्बर शेर कहकर इसका मजाक उड़ाया गया। जब देश में डिजिटल इंडिया अभियान शुरू हुआ, तो उसका मजाक उड़ाया गया। लेकिन हर बार यह कांग्रेस का दुर्भाग्य और देश का सौभाग्य रहा कि भारत ने हर चुनौती को सफलता में बदला। आज भारत दुनिया की सबसे बड़ी वैक्सीनेशन ड्राइव का उदाहरण है। भारत डिजिटल पेमेंट्स में दुनिया का अग्रणी देश है। भारत मैन्युफैक्चरिंग और स्टार्टअप्स में नई ऊंचाइयों को छू रहा है।

साथियों,

लोकतंत्र में विरोध जरूरी होता है। लेकिन विरोध और विद्वेष के बीच एक रेखा होती है। सरकार का विरोध करना लोकतांत्रिक अधिकार है। लेकिन देश को बदनाम करना, यह कांग्रेस की नीयत पर सवाल खड़ा करता है। जब विरोध इस स्तर तक पहुंच जाए कि देश की उपलब्धियां भी असहज करने लगें, तो यह राजनीति नहीं, यह दृष्टिकोण की समस्या है। अभी हमने ग्लोबल AI समिट में भी देखा है। जब पूरी दुनिया भारत में जुटी हुई थी, तो कांग्रेस के लोग कपड़े फाड़ने वहां पहुंच गए थे। इन लोगों को देश की इज्जत की कितनी परवाह है, यह इसी से पता चलता है। इसलिए आज आवश्यकता है कि देशहित को, दलहित से ऊपर रखा जाए क्योंकि अंत में राजनीति से ऊपर, राष्ट्र होता है, राष्ट्र का विकास होता है।

साथियों,

आज का यह दिन भी हमें यही प्रेरणा देता है। आज के ही दिन शहीद भगत सिंह, शहीद राजगुरु और शहीद सुखदेव ने देश के लिए सर्वोच्च बलिदान दिया था। आज ही, समाजवादी आंदोलन के प्रखर आदर्श डॉ. राम मनोहर लोहिया जी की जयंती भी है। यह वो प्रेरणाएं हैं, जिन्होंने देश को हमेशा स्व से ऊपर रखा है। देशहित को सबसे ऊपर रखने की यही प्रेरणा, भारत को विकसित भारत बनाएगी। यही प्रेरणा भारत को आत्मनिर्भर बनाएगी। मुझे पूरा विश्वास है कि टीवी9 की यह समिट भी भारत के आत्मविश्वास और दुनिया के भरोसे पर, भारतीयों पर जो भरोसा है, उस भरोसे को और सशक्त करेगी। आप सभी को मेरी तरफ से बहुत-बहुत शुभकामनाएं हैं और आपके बीच आने का अवसर दिया, आप सबसे मिलने का मौका लिया, इसलिए बहुत-बहुत धन्यवाद!

नमस्‍कार!