The nation is now moving towards Gas Based Economy, says PM Modi
City Gas Distribution network will play a major role in achieving Clean Energy solutions: PM Modi
Government would strive to fulfil the targets for Clean Energy and Gas Based Economy: PM Modi

મંચ પર ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન ધર્મેન્દ્ર પ્રધાનજી, ડૉક્ટર હર્ષવર્ધનજી, ટેકનોલોજીના માધ્યમથી દેશના જુદા-જુદા ભાગોમાં જોડાયેલા તમામ મહાનુભવો, આજની બોલી પ્રક્રિયામાં સામેલ થઇ રહેલા ઉદ્યમીગણ અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો.

ભાઈઓ અને બહેનો, ભવિષ્યના ભારત માટે કેવી રીતે આજકાલ ભારતમાં મોટા સંકલ્પો લઈને કાર્યને સિદ્ધ કરવામાં આવી રહ્યા છે, આજે આપણે સૌ તેના સાક્ષી બન્યા છીએ. આજનો દિવસ ભારતમાં આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવાની દિશામાં એક ખૂબ મહત્વપૂર્ણ પગલું છે. 9માં બોલી રાઉન્ડ વડે દેશના 129 જિલ્લાઓમાં શહેરી ગેસ વિતરણની જાળ સ્થાપિત કરવાના કાર્યની શરૂઆત થશે. આ સિવાય 10મી બોલી પ્રક્રિયાની પણ શરૂઆત થઇ છે.

આ શરૂઆત એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે આ કાર્યો પુર્ણ થશે તો તેનું પરિણામ ખૂબ જ વ્યાપક આવશે, બૃહદ થશે. 10મી બોલી પછી શરુ થયેલા કાર્યો જ્યારે પૂર્ણતા તરફ આગળ વધશે તો દેશના 400થી વધુ જિલ્લા શહેરી ગેસ વિતરણ નેટવર્કની સીમા રેખામાં આવી જશે અને મને જણાવવામાં આવ્યું છે કે દેશની લગભગ 70 ટકા જનસંખ્યાને આ સુવિધા મળવાનો માર્ગ ખુલી જશે. દેશના વિકાસ સાથે જોડાયેલ, દેશના લોકોના જીવનને સરળ બનાવવા સાથે જોડાયેલ આ ખૂબ મોટી ઉપલબ્ધી છે.

સાથીઓ, 2014 સુધી દેશના માત્ર છાસઠ જિલ્લાઓ, 66 જિલ્લાઓમાં શહેરી ગેસ વિતરણ નેટવર્કની સીમા રેખામાં પહોંચ્યા હતા. આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો દેશના 174, જિલ્લાઓમાં સીટી ગેસનું કામ ચાલી રહ્યું છે. આગામી બે ત્રણ વર્ષોમાં 400થી વધુ જિલ્લાઓ સુધી આની પહોંચ થઇ જશે.

આ કોઈ નાના મોટા આંકડાઓ નથી. આપણા શહેરોએ વીતેલા ચાર વર્ષોમાં ગેસ આધારિત અર્થતંત્ર તરફ કઈ રીતે મજબૂત પગલા ઉઠાવ્યા છે, આ તેની ભવ્ય તસ્વીર છે. 2014માં આશરે 25 લાખ ઘરોમાં પાઈપવાળા ગેસના જોડાણો હતા. ચાર વર્ષમાં તેની સંખ્યા વધીને લગભગ બમણી થઇ ગઈ છે.

આજે જે શહેરોમાં કાર્યોની શરૂઆત થઇ છે તે પછી આ સંખ્યા 2 કરોડને પાર પહોંચવાની આશા છે. એ જ રીતે 2014માં દેશમાં 947 સીએનજી સ્ટેશનો હતા. એ વાત ન ભૂલતા કે આજથી લગભગ 25 વર્ષ પહેલા દેશના ત્રણ શહેરો દિલ્હી, મુંબઈ અને સુરત, જ્યાં આગળ સૌપ્રથમ સીએનજી સ્ટેશનો ખૂલ્યા હતા. ત્યારથી લઈને 2014 સુધી તેની સંખ્યા 947 સુધી પહોંચી હતી. એટલે કે ઉપર ઉપરથી આપણે સરેરાશ કાઢીએ તો કહી શકીએ છીએ કે એક વર્ષમાં લગભગ 40 સીએનજી સ્ટેશનો ખૂલ્યા, આટલા વર્ષોમાં દર વર્ષે ચાલીસ. હવે તેની સંખ્યા પણ વધીને 1470થી વધુ થઇ ગઈ છે. અંદાજે એ પણ છે કે તેમની આવનારા દાયકાના અંત સુધીમાં સીએનજી સ્ટેશનોની સંખ્યા વધીને 10 હજારને પાર થવાની પૂરી વ્યવસ્થા છે.

ભાઈઓ અને બહેનો, કેન્દ્ર સરકારના ચાર વર્ષોના અથાક પ્રયાસ બાદ હવે દેશ એવી સ્થિતિમાં આવી ગયો છે કે તે શહેરી ગેસ વિતરણ નેટવર્કના વિકાસમાં પહેલાની સરખામણીએ આજે અનેક ગણા ઝડપથી આગળ વધી શકે છે. આ ક્ષેત્રના વિકાસમાં આવનારી અડચણો, વિતરણ વ્યવસ્થામાં આવનારી તકલીફો, અમે દરેક પડકારને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

હું જે સુધારા, દેખાવ અને પરિવર્તનના મંત્રની વાત કરતો હોઉ છુ, આ ક્ષેત્ર તેનું ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. સરકારે વીતેલા ચાર વર્ષોમાં જે પગલાઓ ભર્યા છે, જે સુધારાઓ કર્યા, તેણે આ ક્ષેત્રનો દેખાવ વધારી દીધો છે અને આપણે પરિવર્તનના યુગમાં પ્રવેશ કરવાના છીએ.

સાથીઓ, 2022 આપણો દેશ પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આપણે 130 કરોડ દેશવાસીઓ મળીને એક ભવ્ય ભારત, એક નવા ભારતના નિર્માણની માટે કાર્ય કરી રહ્યા છીએ. એક એવું ભારત જે આધુનિક ટેકનોલોજીથી યુક્ત અને જૂની થઇ ગયેલી વ્યવસ્થાઓથી મુક્ત હોય. એ જ વિઝન સાથે દેશના ઊર્જા ક્ષેત્રનો કાયાકલ્પ પણ કરવામાં આવી રહ્યો છે.

તે એટલા માટે ખૂબ જરૂરી છે કારણ કે દેશમાં વધી રહેલી આર્થિક પ્રવૃત્તિઓએ ઊર્જાની માંગને ખૂબ જ વધારી નાખી છે. ઊર્જાની આ વધતી માંગને પૂરી કરવાની સાથે-સાથે જ આપણે સ્વચ્છ ઊર્જાની આપણી પ્રતિબદ્ધતાને પણ ધ્યાનમાં રાખવાની છે. આપણે દુનિયાને એ પણ દેખાડવાનું છે કે પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડ્યા વિના પણ વિકાસ થઇ શકે છે. એવામાં પોતાની ઊર્જાની જરૂરિયાતો માટે કુદરતી ગેસનો વધુમાં વધુ ઉપયોગ આપણા દેશની માટે ખૂબ જરૂરી છે.

અમારો પ્રયાસ છે કે આગામી દાયકાના અંત સુધીમાં દેશમાં કુદરતી ગેસની વપરાશને અઢી ગણાથી વધુ વધારવામાં આવે. અને એટલા માટે સરકાર ગેસ આધારિત અર્થતંત્રના તમામ પાસાઓ પર ધ્યાન આપી રહી છે. દેશમાં ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે એલએનજી ટર્મિનલની સંખ્યા વધારવા, રાષ્ટ્રવ્યાપી ગેસ ગ્રીડ અને સીટી ગેસડિસ્ટ્રીબ્યુશન પર એક સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. પ્રવાહી કુદરતી ગેસના આયાતની ક્ષમતા વધારવા માટે જૂના ટર્મિનલનું આધુનિકીકરણ થઇ જ રહ્યું છે, નવા એલએનજી ટર્મિનલ પણ બનાવવામાં આવી રહ્યા છે.

10 હજાર કરોડના ખર્ચે તમિલનાડુના એન્નૌર અને ઓડિશાના ધામરામાં નવા એલએનજી ટર્મિનલનું કામ છેલ્લા તબક્કામાં છે. એ જ રીતે દેશના વધુમાં વધુ જિલ્લાઓ સુધી કુદરતી ગેસ પહોંચી શકે, તેની માટે રાષ્ટ્રીય ગેસ ગ્રીડની ઇકો સીસ્ટમ પણ વિકસિત કરવામાં આવી રહી છે.

તે અંતર્ગત જગદીશપુર-હલ્દીયા અને બોકારો ધામરા પાઈપલાઈન પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ પૂર્વોત્તરના બીજા ક્ષેત્રોને આ ગેસ ગ્રીડ સાથે જોડવા માટે આ પ્રોજેક્ટનો વિસ્તાર બરૌનીથી ગુવાહાટી સુધી કરવામાં આવી રહ્યો છે. આ પરિયોજનાઓ પર લગભગ 13 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ પરિયોજનાઓના કારણે ગોરખપુર, બરૌની અને સિંદરી, આ ત્રણેય ફર્ટીલાઈઝર પ્લાન્ટ્સને પણ એક નવું જીવનદાન મળવા જઈ રહ્યું છે. સિક્કિમ સહિત પૂર્વોત્તરના દરેક રાજ્યને આ ગ્રીડ સાથે જોડવા માટે 9200 કરોડથી વધુ ખર્ચની રકમ વડે ઇન્દ્રધનુષ ગેસ ગ્રીડના નામે એક સંયુક્ત સાહસ પણ બનાવવામાં આવ્યું છે.

સાથીઓ, જે રોકાણકારો આ ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યા છે, તેમના હિતોની રક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘરેલું ગેસની કિંમતોને વૈશ્વિક ગેસ બજારથી જોડવાનું કામપહેલા જ કરી દેવામાં આવ્યું છે. ઘરેલું સ્તર પર ગેસનું ઉત્પાદન વધારવા માટે કંપનીઓને માર્કેટિંગ અને પ્રાઈસિંગની આઝાદી આપી દેવામાં આવી છે.

ગેસની કિંમતો પર ધ્યાન આપવા માટે, ગેસ ગ્રીડના સંચાલન માટે, એક સ્વતંત્ર ટ્રાન્સપોર્ટ સીસ્ટમ ઓપરેટર પણ બનાવવામાં આવ્યું છે. તેની સાથે જ દેશમાં મફત ગેસ બજારનું વાતાવરણ તૈયાર કરવા, આ ક્ષેત્રમાં પારદર્શકતા જાળવી રાખવા માટે સરકાર ગેસ ટ્રેડીંગ એક્સચેન્જને વિકસિત કરવા પર પણ કામ કરી રહી છે.

ભાઈઓ અને બહેનો, આ ટેકનિકલ પાસાઓ અને આંકડાઓની સાથે જ આપણા સૌની માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે આ કાર્યો, આ પરિયોજનાઓનો દેશ પર સકારાત્મક પ્રભાવ છે. આ કાર્ય સામાજિક સ્તર પર, આર્થિક સ્તર પર અને પર્યાવરણના સ્તર પર દેશમાં ઘણું મોટું પરિવર્તન લાવવાનો છે.

સાથીઓ, જ્યારે કોઇપણ જગ્યાએ કોઈ નવી વ્યવસ્થાનું નિર્માણ થાય છે તો તેના કારણે આસપાસના મોટા વિસ્તારમાં ઇકો સીસ્ટમનું પણ નિર્માણ થઇ જાય છે. જે રીતે કોઈ જગ્યા પર મોટું દવાખાનું ખુલે છે તો તેની આસપાસ મેડીકલ સ્ટોર ખુલી જશે, ઢાબા હશે, રેસ્ટોરન્ટ હશે, ચાની દુકાનો હશે, ધર્મશાળાઓ હશે, નાની-નાની હોટેલ ખુલી જશે, ઓટો સ્ટેન્ડ બની જશે, ટેક્સી સ્ટેન્ડ બની જશે, આ બધા પોતપોતાની રીતે કામ કરે છે પરંતુ તેમના અસ્તિત્વના કેન્દ્રમાં તો તે દવાખાનું જ હોય છે.

એ જ રીતે જ્યારે કોઈ શહેરમાં ગેસ પહોંચે છે તો તે પણ એક નવા ઇકો સીસ્ટમનું નિર્માણ કરે છે. તે શહેરમાં ગેસ આધારિત નાના મોટા ઉદ્યોગોની સ્થાપના અનેક ગણી વધી જાય છે. પાઈપના માધ્યમથી સીધા લોકોના ઘરોમાં પહોંચનાર ગેસ લોકોના જીવનને જીવન જીવવાની સરળતાને વધુ સરળ બનાવે છે. તે પાઈપને પાથરવા માટે, સીએનજી અથવા પીએનજી નેટવર્કને સ્થાપિત કરવા માટે હજારો લાખો યુવાનોને રોજગારી મળે છે. તે શહેરમાં ચાલતા ઓટો, ટેક્સીઓ, કારોને બળતણનો એક આધુનિક વિકલ્પ મળેછે. ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માટે જે યોજનાઓ હાલ દેશમાં ચાલી રહી છે, તેનાથી લાખો લોકોને રોજગાર મળશે.

આજે નવી બોલી અંતર્ગત જે કાર્ય શરુ થયા છે, તેનાથી જ સીધી રીતે ઓછામાં ઓછા ત્રણ લાખ નવયુવાનોને રોજગાર મળશે. તે સિવાય જે બીજી વ્યવસ્થાઓ વિકસિત થશે તે પણ રોજગારીના લાખો નવા અવસરો ઉભા કરશે. ખાસ કરીને પૂર્વીય ભારત અને પૂર્વોત્તરના રાજ્યોને તેનો ઘણો મોટો લાભ મળશે. કહેવાનો અર્થ એ છે કે ગેસ આધારિત વ્યવસ્થાઓ માત્ર ઉદ્યોગોને જ નહી, તે જિલ્લાના લોકોના રહેવાના રીત ભાતને પણ બદલી રહી છે. તેમની જીવન પદ્ધતિ પણ બદલાઈ રહી છે.

આવનારા અમુક વર્ષોમાં ભારતના સેંકડો શહેરોમાં, આ પરિવર્તનને જાતે જ થતા જોશો અને તમે પણ તેના સહભાગી બનશો. આપણે પોતાની જાતને આ બાબતે સૌભાગ્યશાળી માની શકીએ છીએ કે આપણે આપણા જીવનકાળ દરમિયાન આટલા મોટા પરિવર્તનને થતા જોઈ રહ્યા છીએ, નહિતર મને તે સમય પણ યાદ છે જ્યારે દેશના સામાન્ય નાગરિક પોતાના ઘરમાં ગેસનું સામાન્ય જોડાણ લેવા માટે સાંસદો, વિધાયકોની ભલામણની ચિઠ્ઠીઓ લખાવવા માટે હરોળમાં ઉભા રહેતા હતા. તે સ્થિતિમાંથી દેશ ઘણો આગળ વધી ગયો છે.

જો હું કહું કે વર્ષ 2014માં દેશના લોકોએ માત્ર સરકાર જ નથી બદલી પરંતુ સરકારની કાર્ય શૈલી, કાર્ય સંસ્કૃતિ અને યોજનાઓને લાગુ કરવાની રીત ભાત પણ બદલી નાખી છે તે ખોટું નહી હોય. આજે આ અવસર પર હું આપ સૌને આ જ ક્ષેત્ર સાથે જોડાયેલ એક વધુ ઉદાહરણ આપું છું. આપણે લોકો ગેસ આધારિત અર્થતંત્રની વાત કરીએ છીએ, આપણે તે ના ભૂલવું જોઈએ કે દેશમાં એલપીજીનું જોડાણ આપવાની શરૂઆત 1955માં થઇ હતી. ત્યાર પછીથી 2014 સુધી દેશમાં 13 કરોડ એલપીજી જોડાણો આપવામાં આવ્યા હતા. એટલે કે 60 વર્ષમાં 13 કરોડ જોડાણ. આ આંકડા જો તમે યાદ રાખશો તો લોકોની સાથે વાત કરીએ સમય તો તમે વિશ્વાસ સાથે કહી શકશો કે કઈ રીતે બદલાવ આવી રહ્યો છે, 60 વર્ષમાં 13 કરોડ. દેશમાં બધા જ સંસાધનો એ જ છે, લોકો પણ એ જ છે, ફાઈલો પણ એ જ છે, કચેરીઓ પણ એ જ છે, અધિકારીઓના કામ કરવાની રીત પણ એ જ છે, તેમ છતાં ચાર વર્ષમાં લગભગ 12 કરોડ જોડાણો આપી દેવામાં આવી ચુક્યા છે.

60 વર્ષમાં 13 કરોડ અને ચાર વર્ષમાં 12 કરોડ, જો તે જ ગતિએ ચાલતા તો કદાચ આપણી બે પેઢી પછી પણ આ લાભ પરિવારોને ના મળતો. ઘરેલું ગેસ કવરેજની જે સીમા 2014 પહેલા માત્ર 55 ટકા હતી, હવે તે વધીને લગભગ 90 ટકા થઇ ગઈ છે. નિશ્ચિતરૂપે તેમાં ઉજ્જવલા યોજનાની ઘણી મોટી ભૂમિકા રહી છે. 1 મે, 2016ના રોજ શરુ થયા પછીથી અત્યાર સુધી ઉજ્જવલા યોજના અંતર્ગત લગભગ 6 કરોડ મહિલાઓને મફત ગેસના જોડાણો આપી દેવામાં આવ્યા છે. આ યોજનાએ દેશના ગામડાઓમાં રહેનારા લોકોના જીવન જીવવાની રીતભાતને બદલી નાખી છે.

આ બિડિંગની પ્રક્રિયાની વચ્ચે, શિલાન્યાસની વચ્ચે, આજે ક્ષણભર માટે આપણે તે મહિલાઓ વિષે પણ વિચારવું જોઈએ જે અત્યાર સુધી લાકડાનો ચૂલો ફૂંકી રહી હતી. પોતાના સ્વાસ્થ્યને દાવ પર લગાવીને પરિવારનું પેટ ભરી રહી હતી. આ મહિલાને ગેસ આધારિત અર્થતંત્રનો અર્થ ભલે ના ખબર હોય પરંતુ ગેસ આધારિત અર્થતંત્ર તરફ વધી રહેલા દેશના પગલાઓએ તેનું જીવન જરૂરથી બદલી નાખ્યું છે.

ભાઈઓ અને બહેનો, કેટલાક સમય પહેલા મેં તમને પર્યાવરણની વાત કરી હતી. જે ગેસ આધારિત અર્થતંત્રની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, તેનો એક મોટો અને વધુ સારો પ્રભાવ આપણા પર્યાવરણ ઉપર પડવાનો છે. જ્યારે દેશમાં હજારો નવા સીએનજી સ્ટેશનો હશે, ઉદ્યોગોને કોઇપણ અડચણ વિના ગેસ મળશે, ટેક્સીઓ, ઓટો, કારોમાં ભરવા માટે દેશના મોટા ભાગના જિલ્લાઓમાં સીએનજી સરળતાથી ઉપલબ્ધ થશે, તો પ્રદુષણ પણ તેટલું જ ઓછું થશે. આ કોપ 21 પ્રત્યે પણ ભારતની પ્રતિબદ્ધતાને પણ વધુ મજબુત કરશે. આ વૈશ્વિક પર્યાવરણની રક્ષા માટે ભારતના યોગદાનને મજબુત કરશે. આ વૈશ્વિક મંચ પર ભારતના નેતૃત્વની ચમકને વધારે વધારશે.

સાથીઓ, સ્વચ્છ ઊર્જા માટે સરકારના પ્રયાસોનો વિસ્તાર ઘણો વ્યાપક છે. આપણી કૃષિ વ્યવસ્થામાંથી જે કચરો નીકળે છે, બાયોમાસ નીકળે છે, તેને કમ્પ્રેસ્ડ બાયો ગેસ બનાવવાની દિશામાં પણ એક અભિયાન સરકારે શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત આવનારા પાંચ વર્ષોમાં દેશમાં પાંચ હજાર કમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ્સની સ્થાપના કરવામાં આવશે.

આ પ્લાન્ટ અનાજના બચેલાડુંડાઓને બાળવા, કૃષિ કચરા જેવી સમસ્યાઓને તો ઓછી કરશે જ, ખેડૂતોની આવક વધારવામાં પણ તે મદદગાર સાબિત થશે. તે સિવાય બાયોમાસને બાયોફયુલમાં બદલવા માટે 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 12 આધુનિક બાયો રીફાઈનરી બનાવવાની યોજના પર પણ કામ થઇ રહ્યું છે. ઇથેનોલ બ્લેન્ડિંગને લઈને સરકારે જે નીતિગત પરિવર્તનો કર્યા છે, તેનાથી ઇથેનોલ બ્લેન્ડિંગમાં પણ રેકોર્ડબ્રેક વૃદ્ધિ થઇ છે.

2014માં જ્યાં દેશમાં લગભગ 40 કરોડ લીટર ઇથેનોલની બ્લેન્ડિંગ થતી હતી, તે હવે લગભગ ચારગણાસુધી વધી ગઈ છે. સરકારનું લક્ષ્ય હવેઇથેનોલની બ્લેન્ડિંગને 10 ટકા સુધી લઇ જવાનું છે. આવનારા વર્ષમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વર્ષ 2014ની સરખામણીમાં લગભગ આઠ ગણું થઇ જશે.

સ્વચ્છ ઊર્જાથી સ્વચ્છ પર્યાવરણની દિશામાં વધતા સરકારે બીએસ-4 બળતણથી સીધા બીએસ-6 બળતણ પર જવાનો નિર્ણય લીધો છે. ટેલિકોમમાં આપણે 2જીથી 4જી, 4જીથી 5જી, આપણે અહિયાં સીધા ચારથી છ પર પહોંચ્યા છીએ. તે સિવાય એલઈડી બલ્બની કિંમતોમાં થયેલા ઘટાડા અને દેશના લગભગ 32 કરોડ એલઈડી બલ્બના વિતરણે પણ ત્રણ કરોડ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડ ગેસના ઉત્સર્જનને રોકવામાં મદદ કરી છે.

સરકાર બે હજાર વીસ સુધીમાં, 2022 સુધીમાં દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી 175 ગીગા વોટ ઊર્જાના ઉત્પાદનના લક્ષ્યને પાર કરવા માટે કામ કરી રહી છે. તે અંતર્ગત ઓછામાં ઓછા 100 ગીગા વોટ વીજળી સૌર ઊર્જા વડે બનાવવામાં આવશે. આવનારા ચાર વર્ષોમાં સરકાર ખેડૂતોને 28 લાખથી વધુ સોલર પંપ વિતરિત કરવાનું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. દેશમાં ગેસ આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સાથે આ બધા પ્રયાસો ભારતની વૈશ્વિક પ્રતિબદ્ધતાને પૂરી કરવામાં પણ મદ કરશે.

એક તો એ છે કે ભારત 2030 સુધી પોતાની ઉત્સર્જન તીવ્રતાને ૩૩થી 35 ટકા સુધી ઓછી કરશે અને બીજું એ કે ઓછામાં ઓછા 40 ટકા વીજળીની જરૂરિયાત બિનપારંપરિક સ્રોતોમાંથી પૂરી કરશે.

ભાઈઓ, બહેનો, ગેસ આધારિત અર્થતંત્ર સાથે જોડાયેલ લક્ષ્યાંકોને અથવા તો સ્વચ્છ ઊર્જા વડે, આ લક્ષ્ય ભારતને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે અને આપણે કરીને રહીશું. માત્ર આપણી માટે જ નહી પરંતુ માનવતાની માટે, આપણી આવનારી પેઢીઓ માટે, આપણે એવો સંકલ્પ લીધો છે અને તેને સિદ્ધ કરવાની આપણા સૌની જવાબદારી છે.

હું એક વાર ફરી આપ સૌને જે શહેરોમાં શહેરી ગેસ વિતરણ નેટવર્કનું કામ શરુ થઇ રહ્યું છે ત્યાના લોકોને, 10મી બોલી સાથે જોડાયેલા પ્રતિનિધિઓને અનેક અનેક શુભકામનાઓની સાથે મારી વાતને સમાપ્ત કરું છું.

ખૂબ-ખૂબ આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
GIFT City scales new heights as India's 1st international finance and IT hub

Media Coverage

GIFT City scales new heights as India's 1st international finance and IT hub
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi’s interaction with BJP booth Karyakartas from Assam ahead of Assembly Elections
March 30, 2026
‘Seva, Sangathan, and Samarpan’, PM Modi says Assam’s BJP karyakartas embody the true spirit of the organisation
When every booth becomes strong, victory becomes certain, and Assam’s future becomes brighter: PM Modi lauding the efforts of BJP karyakartas
The importance of protecting Assam’s identity and tackling issues like illegal infiltration is not just a political issue but one of security, culture and justice: PM Modi
Over a dozen key peace agreements have brought lasting stability, especially in regions like Bodoland: PM Modi

PM Modi interacted with BJP booth karyakartas across Assam as a part of the ‘Mera Booth, Sabse Mazboot’ programme via NaMo App. He energised booth-level members and reaffirmed that every booth remains the foundation of the party’s strength and electoral success. He hailed the true spirit of Assam, calling it a powerful force driving BJP’s growth in the Northeast.

Opening the interaction, PM Modi described himself as a karyakarta first, expressing pride in working alongside the grassroots cadre. He lauded booth karyakartas for their tireless dedication, emphasising that their connect with every household is the BJP’s greatest strength. “Booth jeetoge toh chunav jeetoge,” he reiterated.

Highlighting Assam’s transformation over the past decade, PM Modi underlined the shift from instability and violence to peace, progress, and prosperity under the double engine government. He noted that over a dozen key peace agreements have brought lasting stability, especially in regions like Bodoland.

He stressed the importance of educating first-time voters about Assam’s past challenges, urging karyakartas to actively communicate the contrast between earlier regimes marked by unrest and the current era of stability. He encouraged innovative booth-level engagements to emotionally connect with voters while showcasing developmental achievements.

PM Modi also called for focused outreach to beneficiaries of key welfare schemes such as PM Awas Yojana, PM-Kisan, Ujjwala, and others, urging workers to compile beneficiary lists and strengthen direct engagement. He emphasised turning polling day into a Jan Utsav, with collective participation ensuring maximum voter turnout.
Encouraging youth and women’s participation, PM Modi praised Assam’s Nari Shakti and highlighted initiatives empowering women economically and socially. He urged workers to leverage platforms like the NaMo App and social media to share real-life stories.

Addressing key regional concerns, PM Modi underscored the importance of protecting Assam’s identity and tackling issues like illegal infiltration, calling it not just a political issue but one of security, culture, and justice. He urged karyakartas to raise awareness at the grassroots and support efforts ensuring the rights and dignity of indigenous communities.

He also highlighted the empowerment of tea garden workers through land rights and welfare schemes, calling it a historic step towards dignity and long-term security for lakhs of families.

Reaffirming the guiding principles of ‘Seva, Sangathan, and Samarpan’, PM Modi said that Assam’s BJP karyakartas embody the true spirit of the organisation.

He concluded with a powerful call to action:“When every booth becomes strong, victory becomes certain, and Assam’s future becomes brighter.”