A definite change is now visible in India, says PM Narendra Modi
Change in the economic and social content, represents the essence of the New Rules for the New India and the New Economy: PM
India, once mentioned among the ‘Fragile Five’ is now rapidly moving towards becoming a “Five Trillion Dollar” economy: PM
India is playing a key role in the entire world’s growth, the country’s share of the world GDP has risen from 2.4% in 2013, to 3.1% in 2017: PM
A new approach and a new work culture has developed in India: PM Narendra Modi
Speed + Scale + Sensitivity = Success: PM Narendra Modi
Unprecedented investment is being made today in infrastructure, agriculture, technology, health sector, and education sector: PM
  • ઇકોનોમિક ટાઇમ્સ – ગ્લોબલ બિઝનેસ સમિટમાં દેશવિદેશથી પધારેલા મહેમાનો,

    અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો,

    દેવીઓ અને સજ્જનો,

    નવા ભારતનાં નિર્માણનાં સંકલ્પ સાથે આ મહત્ત્વપૂર્ણ સમયગાળામાં તમે બધા New Economy-New Rules (નવું અર્થતંત્ર – નવા નિયમો) પર મનોમંથન કરવા માટે એકત્ર થયા છો. સવાલ એ છે કે આ નવું અર્થતંત્ર શું છે? નવા નિયમો શું છે? ઇકોનોમિક ટાઇમ્સ પણ દરરોજ પ્રકાશિત થાય છે, પેપરની ગુણવત્તા પણ દરરોજ એકસરખી જ હોય છે, છાપકામની ગુણવત્તા પણ એ જ હોય છે, તમે લોકો છાપાનાં બેનર પર જે નામ લખો છો, તેનાં ફોન્ટ અને સ્ટાઇલ પણ એ જ હોય છે. છતાં આપણે કહીએ છીએ કે દરરોજ નવું છાપું નીકળે છે. તેમાં ફરક હોય છે – અખબારની સામગ્રીનો અને આ જ સામગ્રીને આધારે તમે કહો છો કે આ તાજાં સમાચાર છે, નવાસમાચાર છે.

    સાથીદારો,

    આગામી થોડાં મહિનાઓમાં અમારી સરકાર ચાર વર્ષ પૂર્ણ કરશે. દેશ એ જ છે, લોકો એ જ છે, બ્યૂરોક્રેસી પણ એ જ છે, પણ એક પરિવર્તન દેશવિદેશમાં ઊડીને આંખે વળગે છે. દેશની આર્થિક અને સામાજિક સ્થિતિમાં ફેરફાર થયો છે અને આ જ પરિવર્તન સાથે નવા ભારત, નવા અર્થતંત્રનાં નવા નિયમો સામેલ છે.
    તમને યાદ હશે કે, ચાર વર્ષ અગાઉ સમગ્ર દુનિયામાં જ્યારે ભારતનાં અર્થતંત્રની ચર્ચા થતી હતી, ત્યારે કહેવાતું હતું કે,ભાંગી પડેલા પાંચ (Fragile Five..!) દુનિયા આપણાં પર હસતી હતી અને આંખ ઉઠાવીને કહેતી હતી કે, આ દેશ પોતે તો ડૂબશેઅને સાથે સાથે આપણને પણ ડૂબાડશે. અને અત્યારે ભાંગી પડેલા પાંચની નહીં, પણ ભારત પાંચ ટ્રીલિયન ડોલરનાં અર્થતંત્રનાં લક્ષ્યાંકની ચર્ચા થાય છે. અત્યારે દુનિયા ભારત સાથે ખભેખભો મિલાવીને ચાલવા ઇચ્છે છે.

    સાથીદારો,

    ભારતનો વિકાસ સંપૂર્ણ વિશ્વનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

    • છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં ભારતે પોતાની સાથે સમગ્ર વિશ્વની આર્થિક વૃદ્ધિને મજબૂતી પ્રદાન કરી છે.

    • જો આપણે વિશ્વની જીડીપીનાં વાસ્તવિક આંકડા જોઈએ, તો અતિ રસપ્રદ તથ્યો સામે આવે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)નાં આંકડા અનુસાર, વર્ષ 2013નાં અંતે ભારતનું વિશ્વની જીડીપીમાં નોમિનલ ટર્મમાં યોગદાન 2.4 ટકા હતું. અમારી સરકારનાં લગભગ 4 વર્ષનાં કાર્યકાળમાં આપણું યોગદાન વધીને 3.1 ટકા થઈ ગયું છે.

    • વિશ્વનાં અર્થતંત્રનો જે હિસ્સો મેળવવામાં ભારતને 8 વર્ષ લાગ્યા હતાં, એ જ ભાગીદારી અમારી સરકારે 4 વર્ષમાં પ્રાપ્ત કરી છે. તેનાથી પણ વધારે એક ચોંકાવનારું તથ્ય આઇએમએફનાં આંકડામાંથી બહાર આવ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં નોમિનલ ટર્મમાં છેલ્લાં ચાર વર્ષોમાં વૃદ્ધિ થઈ છે, તેમાં 21 ટકા વૃદ્ધિ માટે ભારતમાં થયેલી વૃદ્ધિ જવાબદાર છે.

    • હવે તમે પોતે અંદાજ લગાવી શકો છો કે એક દેશ જે વિશ્વની જીડીપીનો ફક્ત 3 ટકા હિસ્સો છે, એ 7 ગણો વધીને વિશ્વનાં અર્થતંત્રનાં વિકાસમાં યોગદાન આપી રહ્યો છે.

    અત્યારે તમે કોઈ પણ અર્થતંત્રનાં વિસ્તૃત માપદંડ પર જુઓ, પછી એ મોંઘવારી હોય, ચાલુ ખાતાની ખાધ હોય, રાજકોષીય ખાધ હોય, જીડીપીમાં વૃદ્ધિ હોય, વ્યાજનાં દર હોય, પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)નો પ્રવાહ હોય, તમામ માપદંડોમાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે.

    • દેશની ચાલુ ખાતાની ખાધ, જે 4 ટકાનાં ચેતવણીજનક સ્તર પર હતી, તેને ઓછી કરીને અમારી સરકાર પ્રથમ ત્રણથી સાડાં ત્રણ વર્ષમાં સરેરાશ એક ટકાનાં સ્તરે લઈ આવી છે.

    • અગાઉની સરકારનાં સમયે રાજકોષીય ખાધ 4.5 ટકાની આસપાસ હતી, જેને ઘટાડીને અમારી સરકાર 3.5 ટકાનાં સ્તરે લઈ આવી છે.

    • અમારી સરકારે સાડાં ત્રણ વર્ષમાં લગભગ 209 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) મેળવ્યું છે, જ્યારે અગાઉની સરકારનાં ત્રણ વર્ષમાં 117 અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું હતું.

    • અત્યારે દેશનું વિદેશી હૂંડિયામણ લગભગ 300 અબજ ડોલરથી વધીને 419 અબજ ડોલરનાં સ્તરે પહોંચી ગયું છે. વર્ષ 2013નાં સંકટ દરમિયાન Special Foreign Currency Non-Resident Deposits એટલે કે FCNRનાં લગભગ 24 અબજ ડોલરની પુનઃચુકવણી પણ દેશે કરી દીધી છે.

    • મોંઘવારીને નિયંત્રણમાં રાખવા અને ઉત્પાદકતાની ઊંચી વૃદ્ધિને કારણે રૂપિયાનું Outlook પણ શ્રેષ્ઠ છે. વ્યાજદરમાં એક ટકાથી વધારે ઘટાડાનો લાભ હાઉસિંગ ક્ષેત્ર અને અન્ય ઉદ્યોગોને થઈ રહ્યો છે.

દર વર્ષે અમારી સરકાર તમામ સ્થૂળ આર્થિક સુચકાંકોને સુધારવામાં સફળ રહી છે. પણ જૂની પદ્ધતિથી આ શક્ય હતું? નાં. જૂનાં અભિગમ સાથે આ શક્ય નહોતું. દેશમાં આ પરિવર્તન આવ્યું છે, કારણ કે દેશ એક નવી કાર્યશૈલી સાથે આગળ વધી રહ્યો છે. પોતાનાં સામર્થ્ય, પોતાનાં સંસાધન પર વિશ્વાસ કરીને ન્યુ ઇન્ડિયાનાં સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છીએ.

છેલ્લાં ત્રણ વર્ષમાં દેશનાં આર્થિક જગતને એક નવી વસ્તુ શીખવા મળી છે અને તે છે સ્પર્ધાત્મકતા…જ્યારે આગળ વધવાની સ્પર્ધા નહીં હોય, જ્યારે એક સ્વસ્થ સ્પર્ધા નહીં હોય, ત્યારે ન તો ઝડપ આવશે અને ન ઊંચી ક્ષિતિજ પર જઈને વિચારી શકીશું.

સાથીદારો,

આજે ભારતની આ સ્પર્ધાત્મકતાને સંપૂર્ણ વિશ્વ માન્યતા આપી રહ્યું છે, સલામ કરી રહ્યું છે.

• અંકડાટનો વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ જણાવે છે કે ભારત દુનિયાનાં એફડીઆઈ રોકાણ માટેનાં મનપસંદ દેશોમાંથી એક દેશ છે.

• દુનિયાનાં ટોચનાં ત્રણ સંભવિત યજમાન અર્થતંત્રમાં પણ ભારતનું નામ છે.

• FDI Confidence Indexમાં ભારત ટોચની વિકસી રહેલા બે બજારોમાંનું એક છે.

• વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં ક્રમાંકમાં અમે ફક્ત ત્રણ વર્ષમાં 42 ક્રમનો સુધારો કર્યો છે. અત્યારે આપણે 142થી 100માં સ્થાને પહોંચી ગયા છીએ. તમામ રેટિંગ એજન્સીઓ પણ ભારતની રેટિંગમાં સુધારો કરી રહી છે.

• અત્યારે ભારત દુનિયાનાં સૌથી ઉદાર અર્થતંત્રોમાંનું એક છે.

સાથીદારો,

જ્યારે હું અગાઉ તમારાં આ કાર્યક્રમમાં આવ્યો હતો, ત્યારે જીએસટી ફક્ત સંભવિતતા હતી.

અત્યારે જીએસટી વાસ્તવિકતા છે. સ્વતંત્રતા પછી દેશમાં કરવેરાનાં સૌથી મોટાં સુધારા લાગુ થયાને 7 મહિને થયા છે. જીએસટીએ દેશને કરવેરાનું પાલન કરનાર એક શ્રેષ્ઠ સિસ્ટમ, શ્રેષ્ઠ આવક વ્યવસ્થા પ્રદાન કરી છે. તેણે ચીજવસ્તુઓનાં ઝડપી પરિવહનને પ્રોત્સાહન આપ્યું છે, પરિવહન ખર્ચ ઘટ્યો છે અને નિકાસમાં સ્પર્ધાત્મકતાનું વાતાવરણ ઊભું થયું છે.

• ભાઈઓ અને બહેનો, આપણાં દેશમાં 70 વર્ષથી પરોક્ષ કરવેરા વ્યવસ્થા હોવા છતાં લગભગ 60 લાખ વેપારી જ એવા હતાં, જે પરોક્ષ કરવેરાની વ્યવસ્થામાં આવતાં હતાં.

• જીએસટીનાં ફક્ત 7 મહિનામાં, 44 લાખથી વધારે નવા લોકોએ પરોક્ષ કરવેરા વ્યવસ્થા સાથે જોડાવા માટે અરજી કરી છે.

• તેનાથી દેશમાં પ્રામાણિક વ્યવસાય કરવાનાં અભિગમને બળ મળ્યું છે, કરવેરા નેટવર્કનાં આ વિસ્તારનું કારણ પ્રામાણિક કરદાતાને ઓછા કરવેરાનો રિવોર્ડ પણ મળ્યો છે.

સાથીદારો,

તમને જાણ છે કે, અમારી સરકારને Twin Balance Sheet કેવી રીતે વારસામાં મળી હતી. બેંકોની અગાઉની વ્યવસ્થાથી તમે પરિચિત છો કે કઈ રીતે ક્રોની કેપિટાલિઝમનું વાતાવરણ વ્યાપક રીતે સિસ્ટમમાં ફેલાઈ ગયું હતું. તેને સુધારવા માટે નાદારી અને દેવાળિપણાની આચારસંહિતા જેવા મોટાં સુધારા પણ અમે કર્યા છે.
અત્યારે દેશમાં 2,000થી વધારે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ અને 62 ઇન્સોલવન્સી કંપનીઓ 24 કલાક આ સમસ્યાને દૂર કરવામાં લાગી છે. ફક્ત ત્રણ મહિનામાં અમારી સરકારે 2700થી વધારે કેસો ઉકેલ્યાં છે.

અન્ય એક પડકારજનક વિષયો હતો – નિકાસનો. જો આપણે વર્ષ 2015-16નાં આયાત અને નિકાસનાં આંકડા જોઈએ તો બંનેમાં લગભગ 15 ટકાનો ઘટાડો થયો હતો એ જોવા મળશે. આ ઘટાડો શા માટે થયો હતો તેનાં પર અનેક પ્રકારનાં મતમતાંતરો પ્રવર્તે છે. એક અન્ય સંભાવના છે, જેનાં પર અર્થશાસ્ત્રનાં જાણકારોએ મનોમંથન કરવું જોઈએ.

સાથીદારો,

વર્ષ 2014માં સરકાર બન્યાં પછી કાળાં નાણાં સામે લડાઈ માટે અમારી સરકારે પ્રથમ મોટો નિર્ણય લીધો હતો – એસઆઇટીની રચનાનો. એસઆઇટીએ પોતાનાં અહેવાલમાં કહ્યું હતું કે, આયાત-નિકાસમાં over-invoicing અતિ ગંભીર વિષય છે. આ અહેવાલમાંથી જાણકારી પ્રાપ્ત થયા પછી સરકારે over-invoicingની સમસ્યાનું સમાધાન કરવા કડક પગલું ઉઠાવ્યું હતું. હવે આ અર્થશાસ્ત્રીઓ માટે અભ્યાસનો વિષય છે કે વેપારી ખાધમાં પરિવર્તન થયા વિના પણ આયાત-નિકાસમાં એક પ્રકારનો ઘટાડો શા માટે આવ્યો હતો? તેની પાછળનું કારણ over-invoicing હતું, base correction હતું?

વિનીતજી, હવે આવતીકાલે એવાં સમાચાર પ્રકાશિત ન કરતાં કે નિકાસમાં થયેલા ઘટાડા પર મોદીએ સ્પષ્ટતા કરી. હું એક એંગલ તમારી સામે રજૂ કરી રહ્યો છું, જેનાં પર તમારે બધાએ વિચારવું જોઈએ. તમને જાણ હશે કે કડક પગલાનાં લાંબા સમય પછી હવે નિકાસનાં તાજેતરનાં આંકડાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે એવું જણાવે છે.

સાથીદારો,

આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ કે જ્યારે પાણીને ઊકાળવા માટે મૂકવામં આવે છે, ત્યારે એક ખાસ તાપમાન પર પહોંચ્યાં પછી પાણી વરાળમાં પરિવર્તિત થાય છે, પાણીનું બાષ્પીભવન થવા લાગે છે. એ તાપમાન પર પહોંચતા અગાઉ ન તો પાણી ઊકળે છે અને ન વરાળ બને છે. આ જ રીતે સરકારની પહેલો લોકો સુધી પહોંચે એ માટે સ્પીડ, સ્કેલ અને સેન્સિટિવિટીની પણ જરૂર હોય છે.

જ્યારે સ્પીડ, સ્કેલ, સેન્સિટિવિટીની સાથે કામ થાય છે, ત્યારે સફળતા પણ મળે છે. અમારી સરકારે અટકાવતા-ભટકાવતા-લટકાવતા અગાઉનાં કલ્ચરનો અંત લાવી દીધો છે. આ કારણે સંપૂર્ણ સિસ્ટમમાં એક નવી ઝડપ આવી છે.

• અગાઉની સરકારે જે ઝડપ સાથે રેલવે લાઇનોને બ્રોડ ગેજમાં બદલવામાં આવી હતી, તેનાથી બમણી ઝડપ સાથે રેલવે લાઇનોને બ્રોડ ગેજમાં બદલવામાં આવી રહી છે.

• અગાઉની સરકારમાં જે ઝડપ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો બનતાં હતાં, રાષ્ટ્રીય ધોરીમાર્ગો બની રહ્યાં હતાં, હવે આ સરકારમાં એ જ કામ બમણી ઝડપ સાથે થઈ રહ્યું છે.

• અગાઉની સરકારમાં જે ઝડપે પાવર ટ્રાન્સમિશન લાઇન પાથરવામાં આવી હતી, અત્યારે આ જ કામ બમણી ઝડપ સાથે થઈ રહ્યું છે.

• અગાઉની સરકારમાં જે ઝડપથી વીજળીનાં ઉત્પાદનની ક્ષમતા વધારવામાં આવી હતી, અત્યારે તેનાથી વધારે ઝડપથી હવે કામ થઈ રહ્યું છે.

• જ્યારે અગાઉની સરકારમાં 3 વર્ષની મહેતન પછી ફક્ત 59 ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર સાથે જોડવામાં આવી હતી, ત્યારે અમે ફક્ત 3 વર્ષમાં જ 1 લાખ 10 હજારથી વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી જોડી દીધી છે.

• સીધા લાભ હસ્તાંતરણ અંતર્ગત અગાઉ ફક્ત 28 યોજનાઓની રકમ લાભાર્થીઓનાં બેંક ખાતામાં સીધી હસ્તાંતરિત થઈ હતી, અત્યારે 400થી વધારે સરકારી યોજનાઓ ડીબીટી સાથે જોડાયેલી છે.

• તમે વિચારો કે, એક નાનો એલઇડી બલ્બ અગાઉ સાડા ત્રણસો રૂપિયામાં મળતો હતો. તેની કિંમતમાં ઘટાડો કરીને અમે 40થી 50 રૂપિયા પર લઈ આવ્યાં છીએ. દુનિયાનાં ઘણાં દેશોમાં અત્યારે પણ એલઇડી 3 ડોલરનો મળે છે, પણ અમારી સરકારે તેની કિંમત 1 ડોલરથી પણ ઓછી કરી દીધી છે.

• વર્ષ 2014 અગાઉ આપણાં દેશમાં ફક્ત 3 મોબાઇલ ઉત્પાદક કંપનીઓ હતી. અત્યારે તેની સંખ્યા વધીને 120ની આસપાસ પહોંચી ગઈ છે. તેનાં પરિણામે વર્ષ 2014-15માં દેશમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધારે મોબાઇલની આયાત થતી હતી, પણ અત્યારે એ ઘટીને અડધી થઈ ગઈ છે.

શું આ પરિવર્તન આપોઆપ થઈ ગયું? શું આ ફેરફાર અચાનક થઈ ગયો? આ માટે જે ઇચ્છાશક્તિની જરૂર છે, તે અમારી સરકારે દેખાડી છે. આ જ નવાં અર્થતંત્રનાં નવા નિયમો છે.

ભાઈઓ અને બહેનો,

વર્ષ 2014માં સરકાર બન્યાં પછી અમે સંસાધનોનો મહત્તમ ઉપયોગ, સંસાધન આધારિત વિકાસ નીતિઓ અને વિકાસ નીતિઓ આધારિત બજેટ પર ભાર મૂક્યો છે.

• અત્યારે દેશમાં માળખાગત ક્ષેત્રમાં, કૃષિમાં, ટેકનોલોજીમાં, સ્વાસ્થ્યક્ષેત્રમાં, શિક્ષણનાંક્ષેત્રમાં જેટલું રોકાણ કરવામાં આવે છે, એટલું રોકાણ અગાઉ ક્યારેય થયું નહોતું.

• સૌપ્રથમ વખત દેશમાં ઉડ્ડયન નીતિ બની છે. જે સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઇ વિશે કોઈ વિચારી શકતું નહોતું, તેમાં પણ અમારી સરકારે રોકાણની નવી સંભવિતતા ઊભી કરી છે.

• અમારી સરકાર દેશનાં પરિવહન ક્ષેત્રને 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરી રહી છે, તેને સંકલિત કરી રહી છે.

આ તમામ રોકાણ, સરકારની યોજનાઓ, પોતાની સાથે રોજગારની લાખો તકો લઈને આવી છે. છેલ્લાં ચાર વર્ષમાં અમારી સરકારે દેશમાં રોજગાર કેન્દ્રીત વૃદ્ધિની સાથે જનકેન્દ્રીત વૃદ્ધિ પર ભાર મૂક્યો છે. એક એવું અર્થતંત્ર, જેમાં દેશનાં ગરીબોનું નાણાકીય સર્વસમાવેશન પણ થાય, જે મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પણ ધ્યાનમાં રાખે.

સાથીદારો,

અમારી સરકાર એવો દંભ બિલકુલ કરતી નથી કે, અમે બધું જાણીએ છીએ. સૌનો સાથ – સૌનો વિકાસનાં મંત્ર પર ચાલીને અમે તમામનાં વિચાર અને તમામનાં અનુભવને સાથે લઈને આગળ વધી રહ્યાં છીએ. અમારી સરકાર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે તેમની જરૂરિયાતો, તેમની ચિંતાઓ ધ્યાનમાં લે છે અને આ જ કારણે લાંબા સમયથી વણઉકેલાયેલી સમસ્યાઓનું નવીન સમાધાન કાઢી રહ્યાં છીએ.

અમે પ્રથમ દિવસે જ પ્રણાલિમાં તમામ સ્તરે સંવેદનશીલતા લાવવામાં આવે એવો પ્રયાસ શરૂ કર્યો છે. હું પોતે ઘણી વખત ખેડૂતો, નવયુવાનો, વિદ્યાર્થીઓને, યુવાન સીઇઓને મળીને જુદાં જુદાં મંચ પર આદાન-પ્રદાન કરી રહ્યો છું. અમે એવું અર્થતંત્ર બનાવ્યું છે, જેનાથી લોકો પાસેથી પ્રતિસાદ અમને સીધો મળે છે. ફરિયાદ નિવારણ પર પણ અમારી સરકારે ઘણો ભાર મૂક્યો છે.

સાથીદારો,

ઘણી વખત જે સૈદ્ધાંતિક સમાધાન અતિ પરિપૂર્ણ દેખાય, તે અનેક વ્યવહારિક સમસ્યાઓનું મૂળ બની જાય છે. જ્યારે સરકાર સંવેદનશીલતા સાથે તમામ નાની-નાની વિગતો સમજી રહી છે, ત્યારે જ તેને સમજી શકાય છે.
જેમ વાંસ પર તાજેતરમાં લેવામાં આવેલો નિર્ણય, યુરિયાનું 100 ટકા નીમ કોટિંગ, ગ્રૂપ સી અને ગ્રૂપ ડી માટે નોકરીમાં ઇન્ટરવ્યૂ પ્રથાનોઅંત લાવવાનો નિર્ણય, ગેઝેટેડ ઓફિસર પાસેથી પ્રમાણિત કરાવવાનુંબંધન ખતમ કરવાનો નિર્ણય – આ કામ અગાઉ પણ થઈ શકતાં હતાં, પણ સંવેદનશીલતાનાં અભાવે, જનતા સાથે જોડાણનાં અભાવે આવું થયું નહોતું.

સાથીદારો,

આપણે ત્યાં સ્વાસ્થ્ય એવું ક્ષેત્ર છે, જેનાં પર અત્યાર સુધી સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું નથી. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી યોજનાઓ અગાઉ પણ બની હતી, પણ તેમાં સંવેદનશીલતા નહોતી. અમે સારી સ્વાસ્થ્ય સુવિધાની સાથે સાથે સારા સ્વાસ્થ્યની પણ ખાતરી આપી રહ્યાં છીએ.

• મિશન ઇન્દ્રધનુષની જેમ દેશમાં રસીકરણની કામગીરીમાં છ ગણી ઝડપ આવી છે.

• ત્રણ હજારથી વધારે જનઔષધિ સ્ટોર્સ પર 800થી વધારે દવાઓ ઓછી કિંમત પર આપવામાં આવે છે. અમારી સરકારે સ્ટેન્ટની કિંમતમાં 80 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. ની ઇમ્પ્લાન્ટની કિંમતને પણ નિયંત્રિત કરવામાં આવી છે. ડાયાબીટિઝનાં લગભગ અઢી લાખ દર્દીઓને 20થી 25 લાખ સેશન્સ મફત કરાવવામાં આવ્યાં છે.

• આ બજેટમાં અમે દેશનાં 10 કરોડ ગરીબ કુટુંબોને લાભ પહોંચાડનારી હેલ્થ એશ્યોરન્સ સ્કીમ – આયુષ્માન ભારતનું એલાન કર્યું છે. આ અંતર્ગત દરેક ગરીબ પરિવારને ગંભીર બિમારીની સારવાર માટે વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ એશ્યોરન્સ આપવામાં આવશે.

સાથીદારો, ડિજિટલ ઇન્ડિયા મિશનનો આધારે, આપણાં સમાજને ડિજિટલ રીતે સક્ષમ સોસાયટીમાં બદલવાનો અને દેશનાં અર્થતંત્રને નોલેજ અર્થતંત્રમાં બદલવાનો છે. 100 કરોડ બેંક ખાતા, 100 કરોડ આધાર કાર્ડ, 100 કરોડ મોબાઇલ ફોનનો ત્રિસ્તરીય અભિગમ એક એવી ઇકોસિસ્ટમ બનાવશે, જે સંપૂર્ણ દુનિયામાં બિલકુલ અલગ પ્રકારની હશે.

સાથીદારો, એમએસએમઇની ઇકોસિસ્ટમ, આપણાં અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ ક્ષેત્રને મજબૂત કરવા માટે અમે સતત કામ કરી રહ્યાં છીએ. મહત્તમ લઘુ ઉદ્યોગોને ઔપચારિક ક્ષેત્રમાં લાવવા માટે ધિરાણનાં ઊંચા ટેકા, મૂડી અને વ્યાજની સહાય તથા નવીનતા પર ધ્યાન આપવામાં આવે છે.

તેમાં નાણાકીય ટેકનોલોજી એટલે કે ફિનટેકનું બહુ મહત્ત્વપૂર્ણ યોગદાન છે. એમએસએમઇને નાણાકીય સુલભતા પ્રદાન કરવા માટે, તેનાં વિકાસમાં વધારે તેજી લાવવા માટે ફિનટેકનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. તેનો વધતો ઉપયોગ દેશનાં અર્થતંત્રને પણ મજબૂત કરી રહ્યો છે.

સાથીદારો, જ્યારે હું અગાઉ તમારાં આ આયોજનમાં આવ્યો હતો, ત્યારે મેં તમામ માટે મકાન, તમામ માટે વીજળી, તમામ માટે સ્વચ્છ રાંધણ ઇંધણ, તમામ માટે સ્વાસ્થ્ય, તમામ માટે વીમાની વાત કરી હતી.

• દેશમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ગરીબો અને નીચલાં મધ્યમ વર્ગ માટે લગભગ એક કરોડ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

• ચાર કરોડ ઘરોને વીજળીથી રોશન કરવા માટે સૌભાગ્ય યોજના શરૂ કરવામાં આવી છે.

• ઉજ્જવલા યોજના અંતર્ગત 3 કરોડ 40 લાખ મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે.

• દરરોજ ફક્ત 90 પૈસા અને મહિને એક રૂપિયાનાં પ્રીમિયમ પર અમારી સરકારે 18 કરોડથી વધારે ગરીબોને વીમાકવચ પ્રદાન કર્યું છે. આ વીમાયોજનાનાં માધ્યમથી ગરીબોને અત્યાર સુધી 2 હજાર કરોડ રૂપિયાથી વધારેનાં દાવામાં વળતરની રકમ પણ ચુકવવામાં આવી છે.

સાથીદારો,

અમારી સરકારની નીતિઓ, નિમણૂકો, નિર્ણય, નિયત, નિયમ – તમામનું એક જ લક્ષ્યાંક છે. દેશનો વિકાસ, દેશનાં ગરીબનો વિકાસ. બધાનો સાથ, બધાનો વિકાસનાં મંત્ર પર ચાલીને અમે ગરીબોને સક્ષમ કરવાનું કામ કરી રહ્યાં છીએ.

• છેલ્લાં ત્રણ-સાડાં ત્રણ વર્ષમાં જનધન યોજના અંતર્ગત દેશમાં 31 કરોડથી વધારે ગરીબોનાં બેંક ખાતાં ખુલ્યાં છે. ફક્ત ખાતાં જ નહીં, પણ તેમાં અત્યારે લગભગ 75 હજાર કરોડ રૂપિયા જમા છે.

• આ દરમિયાન સરકારે 6 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ કર્યું છે. દેશમાં ગ્રામીણ સ્વચ્છતાનો વ્યાપ વર્ષ 2014નાં લગભગ 40 ટકાથી વધીને અત્યારે 78 ટકાથી વધારે થઈ ગયો છે.

• સરકારે મુદ્રા યોજના અંતર્ગત 11 કરોડ લોન આપી છે. આ અંતર્ગત સાડા 4 લાખ કરોડ રૂપિયાથી વધારેની રકમ બેંક ગેરેન્ટી વિના દેશનાં નવયુવાનો, મહિલાઓને આપવામાં આવી છે. આ યોજનાથી દેશને લગભગ ત્રણ કરોડ નવા ઉદ્યોગસાહસિકો મળ્યાં છે.

• અત્યાર સુધી 11 કરોડથી વધારે સોઇલ હેલ્થ કાર્ડ વહેંચવામાં આવ્યાં છે. 20 લાખ હેક્ટરથી વધારે જમીનને સૂક્ષ્મ સિંચાઈનાં વ્યાપમાં લાવવામાં આવી છે.

સાથીદારો,

આ વર્ષનાં બજેટમાં નવા અર્થતંત્ર સાથે સંબંધિત એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિસૂચિત પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ – એટલે કે એમએસપીમાં લગભગ દોઢ ગણો વધારો જાહેર કરવામાં આવશે. તેમાં ખેડૂતોએ અન્ય મજૂરો પાસેથી કરાવેલ મહેનતનું મૂલ્ય, પોતાનાં પશુ-મશીન કે ભાડા પર લીધેલ પશુ કે મશીનનો ખર્ચ, બિયારણનું મૂલ્ય, તમામ પ્રકારનાં ખાતરનું મૂલ્ય, સિંચાઈ પર થયેલો ખર્ચ, રાજ્ય સરકારને આપવામાં આવેલા જમીન મહેસૂલ, કાર્યકારી મૂડી પર આપવામાં આવેલ વ્યાજ, ભાડાપટ્ટે લેવામાં આવેલી જમીન માટે આપવામાં આવેલું ભાડું, અને અન્ય ખર્ચ સામેલ છે. એટલું જ નહીં ખેડૂતો દ્વારા પોતાનાં અને પરિવારનાં સભ્યો દ્વારા શ્રમ યોગદાનનું મૂલ્ય પણ ઉત્પાદન ખર્ચમાં જોડવામાં આવશે.

દેશનાં મહેનતુ ખેડૂતોની આવક સાથે જોડાયેલો આ નિર્ણય અતિ મહત્ત્વપૂર્ણ પગલું છે. જોકે કેટલાંક અર્થશાસ્ત્રીઓ તેનાથી મોંઘવારી કે કિંમતોમાં વધારો થવાનો સંકેત આપી રહ્યાં છે.

સાથીદારો,

આ પ્રકારનાં અર્થશાસ્ત્રીઓને તો એ વિચાર પણ કરવો જોઈએ કે આપણાં અન્નદાતા, આપણાં ખેડૂત પ્રત્યે આપણી જવાબદારી શું હોવી જોઈએ? મને લાગે છે કે ખેડૂતોની આવક વધારવા સાથે સંબંધિત દરેક નિર્ણયનું અમારે સમર્થન કરવું જોઈએ અને સરકાર આ પ્રયાસમાં આવકનાં સ્ત્રોત ઓળખે, તો નિઃસંકોચ પોતાની ભાગીદારી વધાવી જોઈએ.

સાથીદારો,

સરકારે છેલ્લાં ત્રણ વર્ષોમાં પ્રામાણિકતાને સંસ્થાગત બનાવવાનું કામ કર્યું છે. ટેકનિકલ માધ્યમોથી વ્યવસ્થાઓને પારદર્શક બનાવવામાં આવે છે, લીકેજ રોકવામાં આવે છે.

• ડીબીટી (સરકારી સહાયનું સીધું હસ્તાંતરણ) મારફતે સરકારે 57 હજાર કરોડ રૂપિયા ખોટાં હાથોમાં જતાં અટકાવ્યાં છે.

• બે લાખથી વધારે શંકાસ્પદ કંપનીઓની નોંધણી પણ રદ કરી છે. આ કંપનીઓનાં ડાયરેક્ટર્સનાં ખાતાં પણ સ્થગિત કરી દીધા છે અને તેમને અન્ય કોઈ કંપનીમાં ડાયરેક્ટર બનાવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

અહીં આ પ્રસંગે હું દેશનાં ઉદ્યોગજગતને, દરેક ક્ષેત્રનાં લોકોને, દરેક વ્યવસાયને એક આગ્રહ કરવા ઇચ્છું છું. દેશની વર્તમાન જરૂરિયાતો શું છે, ભવિષ્યની જરૂરિયાત શું છે, તેનો ખ્યાલ આપણાં મનમાં હંમેશા રાખવો જોઈએ.

હું અન્ય એક અપીલ પણ કરવા ઇચ્છું છું કે વિવિધ નાણાકીય સંસ્થાઓમાં નિયમ અને નિયત એટલે કે નૈતિકતા જાળવવાની જવાબદારી જેમનાં શિરે છે તેમણે તેને પૂરી નિષ્ઠા સાથે અદા કરવી જોઈએ. ખાસ કરીને જેમને નજર રાખવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે.

હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે, આ સરકાર આર્થિક વિષયો સાથે સંબંધિત અનિયમિતતાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે. જનતાનાં નાણાંનો અનિયમિત વ્યય – આ સિસ્ટમને, અમારી સરકારને સ્વીકાર્ય નથી. આ જ નવાં અર્થતંત્ર – નવા નિયમનો મૂળ મંત્ર છે.

સાથીદારો,

આ નવા અર્થતંત્રની વાત થઈ રહી છે. મેં અહીં થઈ રહેલાં અલગ-અલગ મત વિશે જાણકારી લીધી તો મને એક વિચાર પણ આવ્યો. આ વિચાર દેશનાં અર્થતંત્ર સાથે ઊંડાણપૂર્વક જોડાયેલો છે. મને લાગે છે કે આ પ્રકારનાં કાર્યક્રમોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાનો – જેની અર્થતંત્ર પર સકારાત્મક અસર દેશ પર થશે. આ મુદ્દાની પણ ચર્ચા થવી જોઈએ.

આ વિષય ફક્ત ભારત પૂરતો જ મર્યાદિત નથી. વિદેશી કંપનીઓ પર પણ તેની અસર થાય છે. તેનાથી રોકાણને પણ અસર થાય છે. ઘણાં દેશોમાં ચૂંટણીનો સમય, મહિનો અને દિવસ પણ નક્કી હોય છે. આ દેશોનાં ઔદ્યોગિક વિકાસ પર શું અસર થઈ છે, તેનાં પર પણ ચર્ચા થઈ શકે છે.

ભારતનો આર્થિક વિકાસ, ભારતમાં સુશાસનનાં સતત પ્રયાસ, ભારતમાં વૈશ્વિક માપદંડો મેળવનારી નીતિઓ અને કાર્યક્રમ, વિશ્વની સાથે આર્થિક અને વેપારી ભાગીદારીનાં સંબંધમાં વ્યાપક સંમતિનાં પ્રયાસ, વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતાનાં કેન્દ્રમાં સ્થાયી વિકાસને પ્રાથમિકતા – આ તમામ બાબતોની સંપૂર્ણ વિશ્વને સમજણ પડે છે અને તેઓ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યાં છે.

આધુનિક પરિવેશ, નવી વૈશ્વિક સ્થિતિસંજોગોમાં ભારત મુખ્ય બળ બની શકે છે, ટેકનોલોજીની બાબતમાં, નવીનતાની બાબતમાં દુનિયાનું નેતૃત્વ કરી શકે છે.

આપણી અંદર એ સામર્થ્ય છે, આપણી પાસે એ સ્ત્રોત છે કે અમે ન્યૂ ઇન્ડિયાનાં સ્વપ્નને સાકાર કરી શકીએ. અને આપણો વિકાસ, ફક્ત આપણો જ વિકાસ નથી, પણ તે સંપૂર્ણ વિશ્વમાં સુખસમૃદ્ધિ લઈને આવશે.
આવો, આપણી સમક્ષનાં દરેક પડકારને તકમાં બદલીને આપણે ન્યૂ ઇન્ડિયાનું નિર્માણ કરીએ, આપણાં સંકલ્પને સિદ્ધ કરીએ.

ફરી એક વખત તમને બધાને આ આયોજન કરવા માટે ઘણી ઘણી શુભેચ્છાઓ સાથે હું મારી વાણીને વિરામ આપું છું.

તમામનો ખૂબ-ખૂબ ધન્યવાદ !!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature

Media Coverage

IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of Prime Minister addresses the Indian Community in Paris
June 18, 2026

नमस्ते!

बों जू!

ऐसा लग रहा है, आप सब छुट्टी के मूड में हैं।

साथियों,

ये पेरिस शहर, Lights का शहर है, रंगों का शहर है, यहां Art है, Ideas हैं, और innovation की प्रेरणा भी है। इस शहर को भारत के अलग-अलग राज्यों से आए आप सभी लोग और भी खूबसूरत बना देते हैं। नए नए रंगों से भर देते हैं।

कोई तमिल है, कोई पंजाबी है, कोई गुजराती है, तो कोई मराठी है, और कोई बंगाली है। भारत के हर कोने का प्रतिनिधित्व यहां दिखाई देता है।

साथियों,

मैं जब 14 जून को नीस पहुंचा था तो सबसे पहले भारत इनोवेट्स कार्यक्रम में शामिल हुआ था। आज जब मैं फ्रांस से वापसी की तैयारी में हूं तो लग रहा है जैसे भारत कनेक्ट्स कार्यक्रम में आ गया हूं।

फ्रांस में रहने वाले आप लोगों ने 21वीं सदी के भारत-फ्रांस रिश्तों को जिस तरह कनेक्ट किया है, वो हमारी Strategic Partnership की बहुत बड़ी ताकत बन रही है। मैं आप सभी के लिए भारत से 140 करोड़ देशवासियों की शुभकामनाएं लेकर आया हूं। इस आत्मीय स्वागत के लिए, मैं आप सभी का हृदय से आभार व्यक्त करता हूं।

साथियों,

आज मैं ऐसे समय में फ्रांस आया हूं जब कुछ ही दिन पहले हमारी सरकार के 12 वर्ष पूरे हुए हैं। चुने हुए प्रधानमंत्री के रूप निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है। यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चायवाले को यहां तक पहुंचा दिया।

साथियों,

बीते 12 वर्ष, 140 करोड़ भारतीयों के अद्भुत सामर्थ्य के रहे हैं। 12 साल के इस कालखंड में भारत का GDP दोगुना हुआ है। Airports की संख्या दोगुनी हुई है। Universities की संख्या भी दोगुनी हो गई है। Highway Construction की स्पीड तीन गुना बढ़ गई। और Metro Network, चार गुणा बड़ा हो गया है।

मैं आपको कुछ और फैक्ट्स दूंगा, उससे आप अंदाजा लगा पाएंगे कि भारत किस स्पीड और कितने बड़े स्केल पर काम कर रहा है। पिछले 12 वर्षों में भारत का Defence Export 35 गुणा यानि Thirty Five Times बढ़ गया है।

औऱ एक फैक्ट सुनिए भारत में मोबाइल मैन्यूफैक्टरिंग यूनिट्स में, 100 गुणा की बढ़ोतरी हुई है। 100 times. भारत अब दुनिया का दूसरा सबसे बड़ा mobile phone manufacturer है। इसी गति, इसी प्रगति का नतीजा है कि आज भारत दुनिया की Fastest Growing Major Economy है।

साथियों,

आज भारत की कहानी सिर्फ Economic Progress की कहानी नहीं है। सिर्फ यहाँ अटक नहीं जाती है। ये Social Transformation की भी कहानी है।

पिछले 12 साल में देश में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। यानि एक ऐसी प्रगति जिसका लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंच रहा है। फ्रांस में जितने घर हैं, उससे भी अधिक पक्के घर बीते 12 वर्ष में हमने जरूरतमंदों के लिए बनाए हैं।

अब हर परिवार के पास, गरीब से गरीब क्यों न हो, Bank Account है। Financial Inclusion एक सरकारी कार्यक्रम नहीं, बल्कि सामाजिक परिवर्तन का अभियान बना है।

साथियों,

इन 12 वर्षों की उपलब्धियों में, एक उपलब्धि ऐसी भी है जिसे किसी आंकड़े से, या अंकों से, नहीं मापा जा सकता। वह है 140 करोड़ भारतीयों का आत्मविश्वास।

आज का भारत और आज के भारत का युवा बहुत बड़े सपने देख रहा है। भारत का किसान नई संभावनाओं के साथ आगे बढ़ रहा है। भारत की महिलाएं नए नेतृत्व का परिचय दे रही हैं। इसलिए ये सिर्फ Achievements के 12 साल नहीं हैं, ये भारत की एस्पिरेशन्स को नई बुलंदी देने का कालखंड रहा है।

साथियों,

एक समय था जब दूर-दराज के गांवों तक आधुनिक सुविधाएं पहुंचाना वाकई बहुत मुश्किल भरा था। आज उन्हीं गांवों में बिजली भी है, इंटरनेट भी है, और डिजिटल सेवाओं की पूरी दुनिया भी है। आज एक क्लिक पर, कभी भी, कहीं भी बैंकिंग सेवाएं उपलब्ध हैं।

आज मोबाइल फोन, भारत के नागरिकों को अनेक सुविधाओं से कनेक्ट कर रहा है। हमारे किसान, हमारे मछुआरे, हमारे dairy farmers, हमारी महिलाएं, हमारे स्टूडेंट्स, सभी टेक्नोलॉजी के माध्यम से सशक्त हो रहे हैं, और अपने लिए नए अवसर बना रहे हैं।

साथियों,

आपने 125 करोड़ से अधिक Aadhaar IDs के बारे में सुना है। लेकिन आज भारत सिर्फ पहचान को डिजिटल नहीं बना रहा। आज करीब 90 करोड़ भारतीयों की Unique Digital Health IDs बनाई जा चुकी हैं। जिससे मेडिकल रिकॉर्ड सुरक्षित और accessible बन गए हैं। इससे हेल्थकेयर डिलीवरी और अधिक आसान और efficient हो रही है।

साथियों,

इन उपलब्धियों की सबसे बड़ी विशेषता यह है कि इनमें से अधिकांश चीजें कुछ वर्ष पहले तक कल्पना जैसी लगती थीं। कौन सोच सकता था कि गांव-गांव तक हाई-स्पीड इंटरनेट पहुंचेगा ? कौन सोच सकता था कि दूर-सुदूर के गांवों में भी QR code जीवन का हिस्सा बन जायेगा ? गांव में कोई बहन, ड्रोन से खेती करने में मदद करेगी, ये भी असंभव लगता था।

लेकिन आज यह सब, भारत के करोड़ों लोगों के जीवन का सामान्य हिस्सा बनता जा रहा है। और आपको गर्व होगा साथियों, यही नए भारत की पहचान है।

जो कभी सपना था, वह आज सच्चाई है। जो कभी नामुमकिन लगता था, वो आज मुमकिन हुआ है, औऱ ये करने के पीछे सबसे बड़ी ताकत क्या है? किसकी वजह से ये सब संभव हुआ है? यह मोदी के कारण नहीं, वो ताकत है- भारत का लोकतंत्र, भारत की डेमोक्रेसी। इस डेमोक्रेसी में सबका साथ है, सबका विकास है।

साथियों,

आज से 50 या 100 साल बाद जब भारत के इस कालखंड की समीक्षा होगी, तो ये बात उभरकर सामने आएगी कि इस कालखंड को भारत की Aspirations ने ड्राइव किया। यह भारत के एस्पिरेशन्स का नया युग है।

जहां बिजली पहुंची है, वहां लोग सिर्फ बिजली नहीं चाहते, वे Smart Living चाहते हैं। जहां ट्रेन पहुंची है, वहां लोग High-Speed Connectivity चाहते हैं। जहां हाईवे बने हैं, वहां लोग World-Class Expressways चाहते हैं। जहां इंटरनेट पहुंचा है, वहां लोग AI और Digital Innovation में नेतृत्व चाहते हैं।

यानि आज भारत के लोग अपने जीवन को भी Next Level पर ले जाना चाहते हैं, और भारत को भी Next Level पर ले जाना उनका मकसद है, उनका संकल्प है, उनके सपने है।

और साथियों,

यही Aspirations आज भारत की विकास यात्रा की सबसे बड़ी शक्ति हैं। मैं आपको भारत की Space Journey का उदाहरण दूंगा।

भारत ने चंद्रयान को चंद्रमा के South Pole पर उतारा। दुनिया ने इसे एक बहुत बड़ी उपलब्धि माना। लेकिन भारत इसे अपनी मंजिल मानकर रुका नहीं। आज देश गगनयान की तैयारी कर रहा है। भारत अंतरिक्ष में अपना Space Station बनाने की दिशा में आगे बढ़ रहा है।

हमारे Space Startups Global Space Economy में अपनी जगह बनाने के लिए पुरजोश काम कर रहे हैं, आगे बढ़ रहे हैं।

साथियों,

Green Energy के क्षेत्र में भी भारत की यही एस्पिरेशंस दिखाई देती है। Solar Power में भारत की उपलब्धियों की दुनिया भर में लगातार चर्चा हो रही हैं। लेकिन भारत अगली छलांग की तैयारी कर रहा है।

Green Hydrogen में बड़े निवेश हो रहे हैं। Advanced Nuclear Energy पर तेजी से काम हो रहा है। आपने भारत के Fast Breeder nuclear Reactor से जुड़ी प्रोग्रेस के बारे में भी सुना ज़रूर होगा। ये भारत के न्यूक्लियर एनर्जी लैंडस्केप में क्रांतिकारी परिवर्तन करने का बहुत बड़ा अचीवमेंट हमारे सीसेन्टिस्टों ने किया है।

साथियों,

आज का भारत भविष्य का पूरा Ecosystem बना रहा है। भारत एक साथ हर उस क्षेत्र में निवेश कर रहा है, जो आने वाले दशकों की दिशा तय करेगा।

अभी आपने कुछ दिन पहले ही देखा है नीस में भारत इनोवेट्स का एक आयोजन किया। ये इवेंट भारत के डीप टेक सामर्थ्य को दुनिया तक पहुंचाने का एक और माध्यम था। इसमें भारत के 120 Deep-Tech Startups उपस्थित थे। Bharat Innovates में करीब एक हजार चार सौ B2B Meetings हुईं है। कई Startups के लिए Investment Commitments आगे बढ़ीं, Commercial Orders के लिए रास्ते खुले। French और European Universities तथा Incubators के साथ Engagements बढ़ रही हैं।

Student Exchanges, Joint Research, और Innovation Support के नए रास्ते बने। इसलिए Bharat Innovates सिर्फ एक Summit नहीं रहा। यह Innovation Diplomacy का एक नया मॉडल बना है।

और आज ही पेरिस में VivaTech इवेंट के जरिए, इस यात्रा को हमने और आगे बढ़ाया। नीस में हमने Ideas को Capital से जोड़ा और पेरिस में Indian Innovation को Global Scale से जोड़ा। आज दुनिया देख रही है भारत केवल भविष्य के लिए तैयार नहीं हो रहा है। भारत भविष्य को आकार दे रहा है।

साथियों,

एक समय था, जब देशों के बीच रिश्ते केवल व्यापार से तय होते थे। आज व्यापार के साथ-साथ Trust यानि भरोसा भी उतना ही महत्वपूर्ण हो गया है।

हर देश Reliable Supply Chains चाहता है। हर देश Stable Partnerships चाहता है। हर देश ऐसे साथियों की तलाश में है, जिन पर लंबे समय तक भरोसा किया जा सके। और ऐसे समय में, भारत विश्व में एक Trusted Partner के रूप में उभर रहा है।

एवियां में G7 बैठक के दौरान मैंने trust based partnerships बनाने पर ज़ोर दिया। ग्लोबल साउथ के देशों के साथ equal पार्टनर्स के रूप में आगे बढ़ने का आह्वान किया। भारत का G7 समिट में संदेश था Global Governance तभी प्रभावी होगी जब वह Inclusive होगी। Global Growth तभी Sustainable होगी जब वह शेयर्ड होगी। और Global Technology तभी मानवता के लिए उपयोगी होगी जब वह Trusted होगी।

साथियों,

भारत और दुनिया के बीच व्यापारिक रिश्तों में नई ऊर्जा नज़र आ रही है। फ्रांस के साथ भारत का ट्रेड लगतार बढ़ रहा है। पिछले कुछ वर्षों में भारत ने दुनिया के अनेक देशों के साथ Free Trade Agreements किए हैं। यूरोपियन यूनियन हो, यूनाइटेड किंगडम हो दुनिया के हर देश, हर रीजन के साथ भारत समझौते कर रहा है।

अगले महीने से भारत और UK के बीच ट्रेड एग्रीमेंट भी लागू हो जाएगा। यह एग्रीमेंट भारत के farmers, workers और innovators को अनेक नए अवसर प्रदान करेगा।

साथियों,

आज दुनिया Uncertainty और Disruption के दौर से गुजर रही है। ऐसे समय में भारत और फ्रांस की साझेदारी विश्वास, स्थिरता और सहयोग का एक मजबूत स्तंभ बन रहा है।

इस वर्ष हमने भारत और फ्रांस के संबंधों को Special Global Strategic Partnership का दर्जा दिया था। नीस में मेरे मित्र President Macron और मैंने हमारे संबंधों को force for global good बनाने पर चर्चा की। Defence से लेकर space और नुक्लियर तक AI और क्रिटीकल मिनरल्स से लेकर high speed railway तक, हर क्षेत्र में हम मिलकर आगे बढ़ेंगे।

साथियों,

Solar energy हो, या AI के क्षेत्र में सहयोग हो, भारत और फ्रांस मिलकर ऐसे समाधान विकसित कर रहे हैं जो पूरी मानवता के हित में हैं। पिछले वर्ष पेरिस में और इस वर्ष दिल्ली में हमने AI Summit को Co-chair किया।

अब हम साथ मिलकर अगले वर्ष “तृष्णा” satellite को लॉन्च करने जा रहें हैं। यह “तृष्णा” satellite जो विश्व में फूड और वाटर सिक्युरिटी सुनिश्चित करने में योगदान देगा।

और साथियों,

यह सभी गवर्नमेंट टू गवर्नमेंट पहलो में आप सभी का योगदान बहुत महत्वपूर्ण है। ये आप हैं जो भारत और यूरोप के बीच सबसे मजबूत सेतु हैं। आप दोनों समाजों को समझते हैं। दोनों बाजारों को समझते हैं। आने वाले समय में Talent, Trade, Technology, Tourism और Investment के नए अवसरों को आगे बढ़ाने में आपकी भूमिका लगातार बढ़ने वाली हैं।

साथियों,

भारत और फ्रांस के रिश्तों को साझा इतिहास, साझा मूल्यों और साझा विश्वास ने आगे बढ़ाया है। विश्व युद्धों के दौरान फ्रांस की धरती पर बलिदान देने वाले भारतीय सैनिकों की स्मृतियां आज भी हमें जोड़ती हैं।

मुझे पहले नव शापेल में श्रद्धांजलि देने का अवसर मिला, पिछले वर्ष प्रेसिडेंट मैक्रों के साथ मार्सेय के वॉर मेमोरियल जाने का अवसर भी मिला। ये हमारी साझा विरासत है।

फ्रांस, भारतीयों के योगदान को संजोता भी है और सराहता भी है। भारतीय मूल की नूर इनायत खान हों, जिन्होंने फ्रांस की Resistance के लिए अपना जीवन बलिदान किया, या महाराजा रणजीत सिंह के साथ काम करने वाले जनरल जां फ्रांस्वा अलार हों ये सभी भारत और फ्रांस की साझा विरासत के प्रतीक हैं।

भारत के राज्य पुडुचेरी में भी फ्रेंच विरासत की झलक दिखाई देती है। वहां का Architecture, वहां की कला-संस्कृति और खान-पान सभी में हमारे संबंधों की महेक है।

साथियों,

इस समय फ्रांस समेत पूरी दुनिया में International Yoga Day की तैयारी भी चल रही है। इस अवसर पर मैं, फ्रांस में योग को आगे बढ़ाने वाले श्रीमान महेश घाट्राड्याल जी को भी आदरपूर्वक श्रद्धांजलि देता हूं। मैं पद्म पुरस्कार से सम्मानित, शार्लोत शोपां जी को भी प्रणाम करता हूं। जिन्होंने सौ वर्ष की आयु में भी, योग के माध्यम से फ़्रांस को भारत की विरासत से जोड़ा है। उनका जीवन यह सिद्ध करता है: Yoga does not add years to life, it adds life to years.

साथियों,

मैं फ्रेद नेग्री जी को भी आदरपूर्वक श्रद्धापूर्वक याद करता हूं। भारतीय विरासत को संरक्षित करने में उनका योगदान अतुल्य रहा है।

साथियों,

भारत और फ्रांस को कनेक्ट करने वाली एक और चीज है, और वो है फुटबॉल। इस वक्त यहां फुटबॉल फीवर पूरे जोर पर है। फ्रांस में इसकी दीवानगी, चप्पे-चप्पे पर दिखती है। लेकिन भारत में भी फुटबॉल का क्रेज़ सिर चढ़कर बोलता है।

खासतौर पर फ्रांस की टीम के फैन्स भारत में बहुत अधिक हैं। फ़्रांस ने इस वर्ल्ड कप की शुरुआत एक जोरदार जीत से शुरू की है। मैं फ्रांस की टीम को बहुत-बहुत शुभकामनाएं देता हूं।

साथियों,

जाने से पहले, आप सभी के लिए कुछ और अच्छी खबरें भी लेकर के आया हूँ। वो आपके लिए हैं। पिछले वर्ष, मार्सेय में कॉन्सुलेट खोला गया, इससे काफी अधिक सुविधा मिल रही है। कुछ हफ्ते पहले, Indian Nationals के लिए French Airports पर Visa-free Transit की व्यवस्था शुरू हो गई है।

Students और Professionals की Mobility बढ़ाना हो, या Educational Qualifications की Mutual Recognition की बात हो, या फिर French Universities के भारत में Campus खोलना हो, इन सभी पर हम मिलकर आगे बढ़ रहें हैं।

अब फ्रांस में UPI के उपयोग का दायरा भी और बढ़ने जा रहा है। यानि भारत-फ्रांस कनेक्ट भी Instant और आपसी Payment भी Instant!

साथियों,

इन सभी पहलों से, हम भारत और फ़्रांस को और करीब ला रहें हैं। और मैं फिर कहूंगा इस साझेदारी की नींव, इस रिश्ते की असली ताकत आप सभी हैं। आप सब मेरे देशवासी हैं।

आज जब भारत तेज़ी से विकसित भारत के लक्ष्य की ओर बढ़ रहा है, तो मैं आप सभी से भारत के साथ और गहराई से जुडने का आग्रह करूंगा। इससे भारत की विकास यात्रा को नई शक्ति मिलेगी, और आपको अपनी पुरखों की धरती की सेवा करने का अवसर भी मिलेगा।

इन्हीं शब्दों के साथ आप सभी के प्रेम आपके उत्साह और इस आत्मीय स्वागत के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं।

भारत माता की जय!

बहुत बहुत धन्यवाद।