
જુનુર્મ અંતર્ગત શહેરી ગરીબોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે અમદાવાદની શ્રેષ્ઠ શહેર તરીકે પસંદગી
શહેરી ગરીબોને પાયાની જરૂરિયાતો શ્રેષ્ઠ રીતે પૂરી પાડવા માટે કેન્દ્રની જુનુર્મ (જવાહરલાલ નહેરુ નેશનલ રિન્યુઅલ મિશન ) યોજના હેઠળ અમદાવાદ શહેરની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત શહેરી વિકાસમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ અને અમદાવાદનાં મેયર શ્રી અસિત વોરાને કેન્દ્રિય શહેરી વિકાસ પ્રધાન શ્રી કમલનાથનાં હસ્તે છઠ્ઠા વાર્ષિક અધિવેશનમાં આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો. એવોર્ડ ઉપરાંત ગુજરાત સરકારને રૂપિયા ત્રણ લાખનો ચેક પ્રોત્સાહન પેટે આપવામાં આવ્યો હતો. જુનુર્મ યોજના હેઠળ ૩૨,૬૪૦ રહેઠાણોનાં નિર્માણ માટે રૂપિયા ૫૨૩.૯૫ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૪,૦૫૨ રહેઠાણોનું નિર્માણ અને ફાળવણી થઈ ચૂકી છે. આ અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાને શહેરી ગરીબોને અપાતી સેવામાં નાવીન્ય લાવવા બદલ પણ કેન્દ્ર સરકારનો એવોર્ડ મળી ચૂક્યો છે.
વોર્ડ ગ્રહણ કરતાં શહેરી વિકાસમંત્રી શ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરી ગરીબોને પાયાનીજરૂરિયાતોપૂરી પાડવારાજ્યસરકારે ‘સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રીસહાયયોજના’ શરૂ કરી છે અને તેઅંતર્ગતરૂપિયા ૭,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સરકાર નવા સુધારાઓ દ્વારાશહેરી ગરીબોની પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે પ્રતિબધ્ધ છે.
ગુજરાત સરકારે હાઉસિંગ ટાઉનશીપ પોલીસી હેઠળ સાત જેટલી ટાઉનશીપનેમંજુરીઆપી દીધી છે. આયોજનાહેઠળ રૂપિયા ૧૩,૬૫૦ કરોડનુંભંડોળએકત્ર થશે અને એક લાખથીવધુ રહેઠાણોનું નિર્માણકરવામાં આવશે એમ શ્રી પટેલે જણાવ્યું હતું. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કેરાજ્યસરકારે ૭૨ગરીબકલ્યાણમેળાઓનુંઆયોજનકરીને રૂપિયા ૪૩૫કરોડજેટલા સાધન-સહાયનું લાભાર્થીઓનેવિતરણકર્યું હતું. આ ઉપરાંત ઝુંપડાવાસીઓનાં પુન:વસવાટ અને તેમનેજરૂરીસુવિધાઓ પૂરી પાડવા માટે પણ સરકારેખાસયોજનાસફળતાપૂર્વક લાગુ કરી છે. શહેરીકરણ અને અર્બન પ્લાનિંગનાં પ્રશ્નોનાં નિવારણ માટે રાજ્ય સરકારે પ્રશંસાપાત્ર પગલાઓ લીધેલ છે. શહેરી વિકાસ વિભાગ માટેનું બજેટ વર્ષ ૨૦૦૪-૦૫ માં રૂ.૧૨૬ કરોડ હતું જે ૨૪ ગણું વધીને રૂ.૩,૦૩૦ કરોડ પહોંચી ચૂક્યું છે.
શ્રી પટેલે કહ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાએ ટ્રાફિકનાં પ્રશ્નનું નિવારણ કરવા શહેરનાં પ્રવેશ વિસ્તારોમાં બે રીંગ રોડનું નિર્માણ કર્યું છે. અન્ય શહેરોમાં પણ આ પ્રકારે રોડનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાજ્યનાં શહેરોમાં સ્વચ્છતાનું ધોરણ જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે ભંડોળની ફાળવણી કરવી જોઈએ એવો અનુરોધ પણ શ્રી પટેલે કર્યો હતો. શહેરીવિકાસઅગ્રસચિવ શ્રી આઈ.પી.ગૌતમ, અમદાવાદ મહાનગરપાલિકાનાંકમિશનરશ્રી મોહાપાત્રા અને અન્ય વરિષ્ટ અધિકારીઓ આ પ્રસંગેઉપસ્થિતરહ્યા હતા.