તા. ૨૬/૧૨/૨૦૧૧

  રાજકોટ શહેર મારા જીવનમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ આ રાજકોટ શહેર છે જેણે મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો હતો અને ત્યારથી મારા રાજકીય જીવનની એક નવી યાત્રા શરૂ થઈ હતી. એ હું ધારાસભ્ય એટલા માટે બન્યો કારણ આ રાજકોટે સદભાવ બતાવ્યો હતો, આ સદભાવનો પાઠ મને રાજકોટથી શીખવા મળ્યો હતો. અહીંની જનતા જનાર્દને મારા પર આશીર્વાદ વરસાવ્યા હતા. ભાઈઓ-બહેનો, સદભાવનાની શક્તિ શું હોય છે એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું, લાભાર્થી છું. અને એ રાજકોટની ધરતી પર આજે સદભાવના મિશનના મારા કાર્યક્રમના ભાગરૂપે આપની સાથે બેઠો છું. ૩૩ ઉપવાસ કરવાનું મારું અભિયાન છે. રાજ્યના બધા જ જિલ્લાઓમાં જવાનું અભિયાન છે. લગભગ અડધી મજલ મે પાર કરી છે, હજુ અડધી મજલ બાકી છે. ભાઈઓ-બહેનો, આજે રાજકોટે સવારથી જે આશીર્વાદની વર્ષા કરી છે... રાજકોટે રંગ રાખ્યો છે. હું રાજકોટને વંદન કરું છું, અભિનંદન કરું છું અને હું રાજકોટવાસીઓને વિશ્વાસ આપું છું કે સદભાવના મિશનને સફળ બનાવવા માટે આપે જે આ તપસ્યા કરી છે એને હું ક્યારેય એળે નહીં જવા દઉં.

ભાઈઓ-બહેનો, બધા જ પોલિટિકલ પંડિતો ધરાર ખોટા પડી રહ્યા છે કે એવું તો શું કારણ છે કે આ માનવ-મહેરામણ આવી રીતે ઊમટે છે? કોઇ ૧૦૫ વર્ષના માજી આવીને આશીર્વાદ આપે, કોઇ ૯૫ વર્ષના સ્વાતંત્ર્ય સૈનિક ગુજરાતને બિરદાવવા માટે કંઈ વાત કરી જાય, નાનાં-નાનાં ભૂલકાં જઇને કહે કે મેં પણ ઉપવાસ રાખ્યા છે, માતાઓ-બહેનો આવીને ઓવારણાં કરે... કયું કારણ છે? પોલિટિકલ પંડિતો આટઆટલા દિવસોના અભિયાન પછી પણ ગોથાં જ ખાય છે, ગોથાં જ ખાય છે. સમુંદર ગમે તેટલો ખારો હોય મિત્રો, પણ એમાં ડૂબકી મારો તો મોતી મળે, ગટરોમાં ડૂબકી મારીને મોતીઓ ન મળે. જે લોકો ગટરની જ જીંદગી જીવવા ટેવાયેલા છે એમને પ્રજાશક્તિના સામર્થ્યને ઓળખવા માટે કદાચ નવો જન્મ લેવો પડશે. શાના માટે આ ઉમળકો? સામાન્ય રીતે, આજનો ટી.વી.નો જમાનો, ઘેર બેઠા રોજ નેતા દેખાતા હોય, અભિનેતા દેખાતા હોય, એમાં કંઈ જોવાનું આકર્ષણ ન રહ્યું હોય. એ જમાના હતા, આજથી ૧૫-૨૦ વર્ષ પહેલાં... એમજ લાગતું હોય કે આપણે બરાબર ઓળખીએ છીએ, કંઈ જોવા જવાની જરૂર નથી. અને જે રીતે આપણે ત્યાં લોકશાહીએ રૂપ લીધું છે. એમાં કોઇ પણ સરકાર હોય, ગમે તેવી... બે વર્ષ થયાં નથી કે લોકોનો અણગમો શરૂ થઈ ગયો હોય અને ધીરે ધીરે વકરતો હોય. આટલાં બધાં વર્ષોની સરકાર પછી પણ પ્રજા પ્રેમ કરવા આવે, આશીર્વાદ આપવા આવે આ વાત એમને સમજવી મુશ્કેલ છે, મિત્રો. એની પાછળ એક તપશ્ચર્યા છે, એની પાછળ એક સમર્પણ છે. રાજકીય કાવાદાવા નથી માત્ર ને માત્ર રાષ્ટ્રહિત માટેની સાધના છે અને એના કારણે પ્રજાનો પ્રેમ અબાધિત રહેતો હોય છે. ભાઈઓ-બહેનો, ઉમળકો, ઉમંગ, ઉત્સાહ, આશીર્વાદ, આ જોશ, આ જુસ્સો શેના માટે? એનું કારણ છે. ગુજરાતીઓનો સ્વભાવ છે, બને ત્યાં સુધી કોઇને છેડે નહીં. તું તારું કર, હું મારું કરું. જા, તું તારુ સંભાળ... બહુ મગજમારીમાં પડે નહીં. પણ પછી પાણી જ્યારે માથા પરથી વહેવા માંડે... જે ગુજરાતી કોઇને છેડે નહીં, સ્થિતિ પલટાય તો કોઇને છોડે પણ નહીં.

મિત્રો, આ વાતાવરણ એનું પ્રતીક છે, એનું પ્રતિબિંબ છે. કોઇ કારણ વગર ગયા દસ વર્ષથી ગુજરાતને પીડિત કરવા માટેની આ જે સ્પર્ધા ચાલે છે, ગુજરાતને જેટલી યાતનાઓ આપી શકાય, એ યાતનાઓ માટે રોજ નવા નવા નુસખા શોધવામાં આવે છે. કોઇ દિવસ એવો ઊગે નહીં કે જે દિવસે ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાત પર જુલ્મ કરવાનો, ગુજરાતને નીચાજોણું થાય તેવું કરવાનો કારસો ન રચાયો હોય... અને ગુજરાત ચૂપચાપ સહન કરતું રહે. મને ઘણીવાર લોકો કહે કે સાહેબ, આ બધું તમે ક્યાં સુધી સહન કરશો? જ્યાં સુધી પ્રજાના આશીર્વાદ છે ત્યાં સુધી ઊની આંચ નથી આવવાની. ભાઈઓ-બહેનો, પ્રજામનમાં એક ગુસ્સો પડ્યો છે, આક્રોશ પડ્યો છે. દેશ અને દુનિયામાં ગુજરાતને બદનામ કરનારાં તત્વોને ગુજરાત જવાબ દેવા માંગે છે. સામાન્ય માનવી એના આક્રોશની અભિવ્યક્તિ કરવા માંગે છે, એના ગુસ્સાનું પ્રકટીકરણ કરવા માંગે છે. કોઇ કવિ હોય તો જુસ્સાદાર કવિતા લખીને એના આક્રોશની અભિવ્યક્તિ કરે છે, કોઇ ગાયક હોય અને પરિસ્થિતિ પલટાણી હોય તો વીરરસનું ગાન કરીને જગતની સામે પોતાની લાગણીઓને વ્યક્ત કરે છે, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વ્યક્ત કરે, પણ સામાન્ય માનવી શું કરે? એ અવસરની તલાશ કરતો હોય છે અને જ્યારે મોકો મળે એની અભિવ્યક્તિ કરતો હોય છે. આ સદભાવના મિશને ગુજરાતના કરોડો નાગરિકોને પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટેની એક લોકશાહી પદ્ધતિને અવસર આપ્યો છે, લોકશાહી ધર્મને અવસર આપ્યો છે અને એટલે જ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે આ માનવ-મહેરામણ આમ હકડેઠઠ...! આપ કલ્પના કરો, અરે કોઇ પોલિટિકલ પાર્ટીને પોતાનું અધિવેશન કરવું હોય, જેમાં પોતાના જ કાર્યકર્તા હોય, પોતાની જ કેડર હોય તો પણ આખો દિવસ અધિવેશન ચલાવવું મુશ્કેલ હોય છે, એક જિલ્લાનું કરવું હોય તો પણ. આટલી માનવમેદની ન હોય અને એક-બે ઠરાવ કર્યા પછી ભોજન પત્યું નથી કે કાર્યક્રમ પૂરો થયો નથી. આજે સવારથી, ૮-૮:૩૦ વાગ્યાથી, લોકો આવીને બેસવાના શરૂ થયા હતા. એ જ માનવ-મહેરામણ, આ શેના માટે? આ ગુજરાત ભક્તિની અભિવ્યક્તિ છે, દોસ્તો.

ગુજરાત પર જુલ્મ કરનારાઓને લોકશાહી ઢબે અપાનારો જવાબ છે આ, અને આ પોલિટિકલ પંડિતોને ગળે ઊતરવું મુશ્કેલ છે, મિત્રો. જે લોકો વેચાઈ ગયા હોય, ગીત ગાતા હોય એમની મજબૂરી હું સમજી શકું છું, એમના માટે મુશ્કેલ છે. પરંતુ, જે નીર-ક્ષીરનો વિવેક જાણે છે, જે લોકો ગુજરાતના લોકોના મનની ભાવનાઓને સમજી શકે છે, જે પ્રજામાનસને પારખવામાં પારંગત છે એને આ વાતને સમજવી મુશ્કેલ નથી પડતી, મિત્રો. ભાઈઓ-બહેનો, આ સદભાવના મિશનમાં લોકજુવાળ... અને હું બધે જ્યાં જાઉં ત્યાં આ જ દ્રશ્ય છે. ડાંગ જેવા જિલ્લામાં મિત્રો, નાનકડો એક તાલુકાનો જિલ્લો, પણ ત્યાં જે મેં માનવ-મહેરામણ જોયો..!

દોસ્તો, સમગ્ર રાજ્યની અંદર એક સ્વાભિમાન માટે, રાજ્યના ગૌરવને માટે, પ્રતિબદ્ધતાનાં દર્શન થાય છે અને આ સદભાવનાનું મિશન આખા દેશ અને દુનિયાને ઘણું બધું શીખવાડશે, પરંતુ મને વ્યક્તિગત રૂપે એક નવી તાકાતની અનુભૂતિ થઈ છે. હજારો લોકો હાથ મિલાવે છે ત્યારે એક નવી ઊર્જાનો સંચાર મારામાં થાય છે. એક-એક વ્યક્તિ જાણે આમ સ્પર્શ કરેને ત્યારે મને એમ લાગે કે કેટલી બધી શક્તિનો ધોધ મારામાં પ્રવેશી રહ્યો છે..! આવું સદભાગ્ય કોને મળ્યું હોય કે હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનો સાથે એ હસ્તધૂનન કરી શકે, કદાચ ઈશ્વરીય કોઇ સંકેત છે ભાઈઓ કે મને આ સૌભાગ્ય મળ્યું છે, હું એને સૌભાગ્ય ગણું છું. શારીરિક શ્રમ પડતો હોય પણ આવું સૌભાગ્ય ક્યાંથી, મિત્રો. કારણ જનતા જનાર્દન એ ઈશ્વરનું રૂપ હોય છે અને એ જ્યારે પ્રત્યક્ષ આવીને આપને આશીર્વાદ આપે ત્યારે જાણે શક્તિનો ધોધ આપણા ઉપર વરસતો હોય છે, એવી હું અનુભૂતિ કરું છું. અને આ શક્તિ કોઇ અંગત ઉપયોગ માટે નથી. આવા આશીર્વાદથી પ્રાપ્ત થયેલી શક્તિ, એનો હક માત્રને માત્ર છ કરોડ ગુજરાતીઓનો છે અને આ બધું હું આપના ચરણોમા અર્પણ કરું છું.

આજે ક્યાંય પણ જાવ, ગુજરાતના વિકાસની વાત થાય છે. ગમે ત્યાં જાવ, કોઈપણ હોય, “વાહ, અરે ભાઈ, તમારું ગુજરાત..!”. તમે રેલવેમાં જતા હોવ અને સામેવાળા પૅસેન્જરને ખબર પડે કે ગુજરાતના છે, તો તરત જ બોલે કે, “ઓ..હો ભાઈ, તમારા ગુજરાતની તો વાત જ ન થાય..!” આ બધાને સાંભળવા મળે છે, ગૌરવ થાય છે. હું આજે રાજકોટમાં આવ્યો છું તો એક પ્રસંગ કહું. એક દિવસ અમારા અટીરાવાળા કિરીટભાઈ ગણાત્રાનો મારી પર ફોન આવ્યો. પત્રકાર જગતની અંદર કિરીટભાઈ એક નોખું જીવન છે, અત્યંત નોખું જીવન. કોઇ દિવસ ફોન-બોન આવે એ એમના સ્વભાવમાં નહીં. એમને સરકાર કે નો-સરકાર, કંઈ લેવાદેવા નહીં એવો માણસ. કિરીટભાઈનો ફોન આવ્યો. મને આશ્ચર્ય થયું, કિરીટભાઈ ફોન કરે..! એટલે મેં થોડી જ વારમાં એમને કૉલ-બૅક કર્યો, સવાર સવારમાં ફોન હતો. “બોલો કિરીટભાઈ, શું હતું, તમારો ફોન આવ્યો હતો?” મને કહે કે, “હું પઠાણકોટથી બોલું છું”. તો મને એકદમ ધ્રાસકો પડ્યો કે “ભાઈ, કોઇ તકલીફમાં છો? આપ પઠાણકોટથી ફોન કરો છો, થયું છે શું?” તો મને કહે કે, “ના-ના નરેન્દ્રભાઈ, તકલીફ નથી. અમે તો બધા કુટુંબ સાથે વૈષ્ણોદેવી દર્શન કરવા ગયા હતા અને પાછા જતાં અમે હિમાચલ બાજુ જતા હતા, ત્યાં પઠાણકોટ ઢાબા ઉપર ચા પીવા ઉભા રહ્યા છીએ અને ઘટના એવી બની એટલે હું તમને ફોન કરું છું”. મેં કહ્યું, “શું થયું?” તો કહે કે, “આ પઠાણકોટના જે રોડ પરના ઢાબાવાળા પાસે અમે ચા પીયે છીએ, એ ઢાબાવાળો અમારા પૈસા નથી લેતો”. મેં કહ્યું, “કેમ?”, તો કહે કે ”અમારી ગાડીનો નંબર ગુજરાતનો છે, અમે ગુજરાતના છીએ એટલા માટે આ ઢાબાવાળો ચાના પૈસા નથી લેતો”, આ કિરીટભાઈએ મને પઠાણકોટથી ફોન કર્યો હતો. મેં એમને પૂછ્યું, ”કિરીટભાઈ હજી ઢાબા પર છો કે નીકળી ગયા?” મને કહે, “ના, હજી ત્યાં જ છું.” મેં કહ્યું, “એના માલિકને વાત કરાવો મારી જોડે...”. આપ કલ્પના કરી શકો છો કે કેવો ઓળઘોળ થઈ ગયો હશે એ માણસ. અને એને અંદાજ આવ્યો હશે કે આ કિરીટભાઈની પહોંચ કેવી છે કે પાંચ જ મિનિટમાં મુખ્યમંત્રીને લાઇન પર લઈ આવે છે, ટેલિફોનથી. મિત્રો, આ ઘટનાઓ તમારા જીવનમાં પણ રોજબરોજ બનતી હશે. ચારે તરફ ગુજરાતના જયજયકારની ચર્ચા ચાલે છે, ગુજરાતના વિકાસની વાત ચાલે છે અને પ્રત્યેક ગુજરાતી એનો લાભાર્થી છે. અહીંયાં કોઇ ગમે તે આડું-તેડું કરતો હોય, પણ બહાર જાયને તો આમ પાકો ગુજરાત ભક્ત થઈને એનો લાભ લેતો હોય. કોઇ અભિનંદન આપે તો સ્વીકાર કરતો હોય, “હા હોં, અમારું ગુજરાત બહુ સરસ છે...” એમ કહેતો હોય. એનો લાભ બધાને મળી રહ્યો છે. ક્યાંય કોઇ વિકાસ બોલે તો તરત જ ગુજરાત યાદ આવે અને કોઇ ગુજરાત બોલે તો તરત જ વિકાસ દેખાય, આ જાણે ક્રમ થઈ ગયો છે.

વિકાસ શેના કારણે છે? એવું કયું કારણ છે કે આ વિકાસ થયો છે? અલગ અલગ લોકો એનાં અલગ અલગ કારણો આપે છે. કોઇ કહે છે કે મુખ્યમંત્રી એવા મળ્યા એટલે વિકાસ થયો, કોઇ કહે સરકાર એવી મળી એટલે વિકાસ થયો, કોઇ કહે રાજકીય સ્થિરતા છે એના કારણે વિકાસ થયો, કોઇ કહે સરકાર દોડતી થઈ છે એટલે વિકાસ થવા માંડ્યો છે. બધા જાતજાતનાં કારણો કહેતા હોય છે. પણ સાચું કારણ ખબર છે? ભાઈઓ-બહેનો, આ ગુજરાતના વિકાસનું સાચું કારણ છે છ કરોડ ગુજરાતીઓની મહેનત. એના હકદાર કોઇ હોય તો આ ગુજરાતના નાગરિકો છે. એમની તપશ્ચર્યા, એમનો પુરુષાર્થ, એમની સાહસવૃતિ, એના કારણે ગુજરાતનો વિકાસ થયો છે. યશ આપને જાય છે, હક આપનો છે, પરાક્રમ આપનું છે અને એના કારણે આજે ગુજરાત આ નવી ઊંચાઈઓને પાર કરી શક્યું છે. ભાઈઓ-બહેનો, આ છ કરોડ ગુજરાતીઓની એવી કઈ તાકાત છે કે જેણે આખી સ્થિતિ પલટી નાખી. નહીં તો આ ગુજરાતીઓ ૨૦૦૧ પહેલાં પણ હતા જ, પણ હવે કેમ થયું? હવે એટલા માટે થયું છે કારણ ગુજરાતે એકતા, શાંતિ અને ભાઈચારાનો રસ્તો અપનાવ્યો છે, એને કારણે આ શક્ય બન્યું છે. નહીં તો ભૂતકાળમાં શું હતું, ભાઈ? ૧૯૮૫ ના દિવસો યાદ કરો, ‘ખામ’ ના નામે ખેલ ચાલતા હતા એ યાદ કરો, સવાર-સાંજ હુલ્લડો થતાં હતાં, ચપ્પા ચાલતા હતા, જાતિવાદનાં ઝેર રેડવામાં આવતાં હતાં. અમારો ખેડૂત કાળી મજૂરી કરીને ઊભો પાક ખેતરમાં પકવ્યો હોય, લણવાની તૈયારીઓ ચાલતી હોય અને માથાભારે તત્વો પહોંચી જાય, બધું રમણ-ભમણ કરીને ઉપાડી જાય. કદાચ ખેડૂતે ખેતરમાં પોતાની ખળીમાં પાક ભેગો કર્યો હોય, અડધી રાતે ઉઠાવી જાય. ગામની અંદર ધિંગાણાં કોઇ નવી વાત નહોતી. બહેન-દીકરીઓને રંજાડવી એ જાણે શિરસ્તો થઈ ગયો હતો, આ દિવસો આપણે જોયેલા છે. જુલ્મ, અત્યાચાર, એક જણાનું, જેનું જોર હોય એ બીજાને દબાવે... આ જ પ્રવૃત્તિઓ ચાલતી હતી. કારણ? એ વખતના શાસકો માટે આ જરૂરી હતું. એકબીજાને લડાવો, એમને ઝગડતા રાખો, એટલે એમને કાયમ સરકાર પર નિર્ભર રહેવું પડે. આજ કારસાઓ ચાલતા હતા. જાતિવાદનું ઝેર ઘોળી ઘોળીને પિવડાવવામાં આવતું હતું. ત્યારથી સમાજજીવન વેરવિખેર થઈ ગયું, હુલ્લડો કેટલાં ચાલતાં હતાં? રાજકોટથી અમદાવાદ જવાનું હોય તો ફોન કરીને પૂછવું પડે, કે ભાઈ કર્ફ્યૂ-બર્ફ્યૂ નથીને તો અમે નીકળીએ. લગ્નની તારીખ નક્કી કરવાની હોય તો પહેલાં તો એ નક્કી કરે કે ઉભા રહો ભાઈ, રથયાત્રા આજુબાજુની તારીખ નક્કી ના કરતા, મહિનો તો કર્ફ્યૂ ચાલતો હશે. આવું જ થતું..! મોહરમ નીકળવાના હોય તો ટેન્શન, કર્ફ્યૂ આવશે તો? ઈદ હોય તો ટેન્શન તોફાન થશે તો? ગણેશ ચતુર્થી હોય તો ટેન્શન તોફાન થશે તો? કોઇ તહેવાર એવો નહીં કે જેમાં ઉચાટ ના હોય. અસ્ત્રાઓ ચાલે, અસ્ત્રા. જવાનજોધ છોકરાઓ મોતને ઘાટ ઊતરી જાય. રિક્ષાઓ બાળો, ગલ્લાઓ બાળો, આ જ કાર્યક્રમ ચાલે. ગુજરાતને બરબાદ કરી દેવામાં આવ્યું હતું. જાતિવાદનું ઝેર, કોમવાદનું ઝેર... તબાહ કરી નાખ્યું. આજે દસ વર્ષ થયાં ભાઈઓ, કર્ફ્યૂ કોને કહેવાય એ ગુજરાત ભૂલી ગયું છે. નહીં તો એક જમાનો હતો, બાળક જન્મે તો એ મમ્મી-પપ્પા બોલતાં પછી શીખતું હતું, કર્ફ્યૂ બોલતાં પહેલાં શીખતું હતું. એને કર્ફ્યૂ બોલતા આવડતું. કારણ, ગુજરાતમાં કર્ફ્યૂ જાણે એક શિરસ્તો થઈ ગયો હતો. એ પોતાના કાકાને ના ઓળખતો હોય, પોતાના મામાને ના ઓળખતો હોય પણ પોલીસ અંકલને ઓળખતો હોય. કારણ એ મહોલ્લાની બહાર ઉભા જ હોય, ડ્યૂટિ ઉપર. આ બધું જતું રહ્યું,

મિત્રો. એકતા, શાંતિ, ભાઈચારાને કારણે ગુજરાતનું એક નવું રૂપ પેદા થયું છે. અને એના કારણે, એ સૌના માટે છે કે આપણે વિકાસની અંદર જોડાઈ જઇએ, આપણે વિકાસના સમર્થક બનીએ, આપણે વિકાસના લાભાર્થી બનીએ, આપણે વિકાસના ભાગીદાર બનીએ અને ગુજરાતમાં એ જે વાતાવરણ પકડાય, એ વાતાવરણની એને દુનિયાને જાણ કરવી છે. મારે દુનિયાને ડંકાની ચોટ પર કહેવું છે, હિંદુસ્તાનનાં અન્ય રાજ્યોને કહેવું છે કે જે લોકો એમ માને છે કે અમારે પણ આગળ વધવું છે તો ગુજરાતની આ જે જડીબુટ્ટી છે, એ જડીબુટ્ટી તમને પણ કામ આવે એવી છે. એ જડીબુટ્ટી છે એકતાની, એ જડીબુટ્ટી છે શાંતિની, એ જડીબુટ્ટી છે ભાઈચારાની. એકવાર હિંદુસ્તાનનાં રાજ્યો આ જાતિવાદના ઝેરમાંથી બહાર આવે, હિંદુસ્તાનનાં રાજ્યો કોમવાદના કાવાદાવામાંથી બહાર આવે તો હું વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતની જેમ એમનો પણ સુવર્ણયુગ શરૂ થશે, એવો મારો દાવો છે મિત્રો. આ વાત એ શબ્દની તાકાત બનેને એના માટે મેં ઉપવાસનો યજ્ઞ આદર્યો છે, મિત્રો. ઉપવાસનું સામર્થ્ય હોય છે, આ મારું કન્વિક્શન છે અને ઉપવાસના સામર્થ્યને કારણે આમ આદમીની વાત ખૂબ નીચે સુધી પહોંચતી હોય છે.

પ કલ્પના કરો ભાઈઓ, આજે ગુજરાત કેવી રીતે આગળ વધી રહ્યું છે..! ડેરી ઉદ્યોગ, ડેરી. આ પશુપાલક ભાઈઓ આપણા, ખેડૂતો... ઢોરઢાંખર રાખતા હોય, ચોમાસાની ખેતી હોય, આઠ મહિના ઢોરઢાંખર પર ચાલતું હોય, પશુપાલકને તો માત્ર ને માત્ર એના પર જ ચાલતું હોય... આપ વિચાર કરો, આજથી દસ વર્ષ પહેલાં આપણા સૌરાષ્ટ્રમાં દૂધનું ઉત્પાદન માત્ર ૭૦,૦૦૦ લિટર હતું, માત્ર ૭૦,૦૦૦ લિટર. આજે, આજે ૨૦ લાખ લિટરે પહોંચ્યું છે. દસ જ વર્ષમાં... ડેરીઓ ન કરો એવો સરકારે નિર્ણય કર્યો, કાઠિયાવાડમાં ડેરી ન કરો એવો સરકારે કાયદેસર નિર્ણય કર્યો હતો. ભાઈઓ, હું જ્યારે આવ્યો ત્યારે ચોંકી ગયો કે આ શું કર્યું હશે આ લોકોએ? મેં જુદું કર્યું, મેં કહ્યું ડેરીઓ કરો અને જે ડેરી કરે એને રૂપિયા પણ આપ્યા અને આજે કાઠિયાવાડમાં ડેરીઓ શરૂ પણ થઈ ગઈ છે. જે ખેડૂતનું દૂધ દસ રૂપિયે માંડ જતું હતું, આજે એને પચીસ, સત્તાવીસ કે ત્રીસ રૂપિયા મળવા માંડ્યા, એના ઘરની આવક વધી, ભાઈ. જે પશુપાલનનું દૂધ કોઇ પૂછતું નહોતું, આજે એના દૂધની આવક વધવા માંડી. બિચારો માવો બનાવે, લાકડાં-કોલસા બધું બાળે તો પણ માવાના ભાવ ના મળે એવા દિવસો આપણે જોયા હતા. આજે ડેરી આવવાને કારણે એની આવકમાં વધારો થયો, આવકની ગેરંટી થઈ. એટલું જ નહીં ભાઈઓ, આખા ગુજરાતમાં જયાં ડેરી ઉદ્યોગ વિકસ્યો હતો ત્યાં પણ દૂધના ઉત્પાદનની સ્થિતિ શું હતી? ૨૦૦૧ પહેલાં ૪૦-૪૨ લાખ લિટર દૂધ હતું, આજે ૧૨૦ લાખ લિટર દૂધ ગુજરાતની ડેરીઓમાં ભરાય છે. ખેડૂતની આવક કેવી રીતે વધે છે એનું ઉદાહરણ સમજો. ગુજરાતનો ખેડૂત પગભર થાય એના માટે આપણે અભિયાન ઉપાડ્યું છે. આપણા સૌરાષ્ટ્રના અનેક જિલ્લા કપાસ પકવે છે. ૨૦૦૧ પહેલાં ૨૩ લાખ ગાંસડી કપાસ થતું હતું, આજે ૧ કરોડ ૨૩ લાખ ગાંસડી કપાસ આ ગુજરાતની ધરતી પર અમારો ખેડૂત પેદા કરે છે. આનું નામ વિકાસ કહેવાય. પરિવર્તન કેવી રીતે લવાય છે, એનાં આ ઉદાહરણો છે. ૦૦૧ ની અંદર હું એક અર્બન વિભાગની મીટિંગ લેતો હતો. મને આશ્ચર્ય થયેલું કે આટલી બધી સરકારો આવીને ગઈ, આટલાં બધાં બજેટ થઈ ગયાં, પણ શહેરી ગરીબો માટે આરોગ્યનો કોઇ વિચાર જ નહોતો થયો, આપ વિચાર કરશો..! આ સરકાર એવી છે કે મિત્રો, કે શહેરી ગરીબોના આરોગ્ય માટેનાં આયોજનો થાય અને પછી ભારત સરકારને પણ એવું સૂઝ્યું કે શહેરી ગરીબો માટે કંઈક કરવું પડે.

સામાન્ય માનવીને કૌશલ્ય હોય એનો વિચાર અમે કર્યો. પહેલાં તો કેવું હતું? આઇ.ટી.આઇ. માં કોઇ ભણે તો એની બિચારાની ઇજ્જત જ નહીં. જવા દો, એ તો આઇ.ટી.આઇ. વાળો છે... અમે એમને પ્રતિષ્ઠા આપી. મેં કહ્યું કે જે બાળક આઇ.ટી.આઇ. પાસ કરે, એક વર્ષનો કોર્સ કર્યો હોય તો એને દસમા બરાબર ગણી કાઢવાનો અને જેણે બે વર્ષનો કોર્સ કર્યો હોય એને બારમા ધોરણના બરાબર ગણી કાઢવાનો અને પછી એને ડિપ્લોમા-ડિગ્રીમાં જવું હોય તો એના માટે દ્વાર ખોલવાનાં, આ ગુજરાતે કરી દીધું અને ગુજરાતના એ છોકરાઓ, જેને ટેક્નિકલ સ્કિલ છે, એના માટે પ્રગતિ કરવા માટે એક નવો ઉત્સાહ ઊભો કરી દીધો. એનું જીવન બદલી શકાય. પાંચમું-સાતમું ધોરણ ભણીને બિચારાએ છોડી દીધું હોય, ઝૂંપડપટ્ટીમાં જીંદગી ગુજારતો હોય, એને કંઈ આવડત ન હોય એના કારણે મજૂરી કરીને બિચારો માંડ પાંચ-પચીસ રૂપિયા કમાતો હોય... આપણે નક્કી કર્યું કે એની સ્કિલ ડેવલપ કરો, એને કોઇ ઉદ્યમ શિખવાડો. મહાનગરોમાં, નગરોમાં ‘ઉમ્મીદ’ નામની યોજના શરૂ કરી અને દર વર્ષે એક લાખ કરતાં વધારે જવાનીયાઓને, જેમણે બીજું-પાચમું-સાતમું માંડ ભણ્યું છે, એને કૌશલ્ય શીખવાડ્યું અને આજે ગેરંટીથી દસ હજાર, બાર હજાર, પંદર હજારનો પગાર આ લોકો કમાતા થઈ ગયા. આ કોણ ચિંતા કરે? સામાન્ય માનવીના જીવનમાં બદલાવ આવે એનું અભિયાન ઉપાડ્યું.

ભાઈઓ-બહેનો, વિકાસ કરવો હશે તો, હજુ નવી ઊંચાઈઓને પાર કરવી હશે તો, આ સમાજની જે ૫૦ પ્રકારની જે માતૃશક્તિ છે એમને પણ વિકાસની યાત્રામાં ભાગીદાર બનાવવી પડશે. આપણો તો મંત્ર છે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’. દરેકનો સાથ જોઇએ, દરેકનો સાથ હશે તો દરેકનો વિકાસ થવાનો છે. આ માતાઓ-બહેનોની શક્તિ માટે આપણે ‘મિશન મંગલમ’ યોજના ચાલુ કરી. અઢી લાખ જેટલાં સખીમંડળો ગયા ત્રણ-ચાર વર્ષમાં ઉભા કરી દીધાં. ગરીબીની રેખા નીચે જીવનારી બહેનો એક રૂપિયો, બે રૂપિયા બચત કરે, મંડળ બનાવે, સરકાર મદદ કરે, બેંકો પાસેથી લોન અપાવીએ અને એના કારણે એનો કારોબાર ચાલે, નાની નાની ચીજોનું ઉત્પાદન કરે. આજે સખીમંડળની બહેનોને અહીં પ્રદર્શનમાં હું મળ્યો હતો, તો કહે કે અમારી દરેક બહેન ૧૫૦૦-૨૦૦૦ વધારાની ઇન્કમ કરતી થઈ ગઈ છે, આવક કરતી થઈ ગઈ છે. આજે ગુજરાતમાં અઢી લાખ જેટલાં સખીમંડળો છે. ૧૫૦૦ કરોડ રૂપિયાનો કારોબાર ગરીબીની રેખા નીચે જીવનારી મારી બહેનોના હાથમાં સોંપ્યોં છે, ૧૫૦૦ કરોડ રૂપિયા, ભાઈઓ. આવનારા દિવસમાં એ રકમ મારે ૫૦૦૦ કરોડ રૂપિયાએ પહોંચાડવી છે. આપ વિચાર કરો, ગરીબીની રેખા નીચે જીવનારી બહેનોના હાથમાં ૫૦૦૦ કરોડ રૂપિયાની માતબર રકમ હોય એટલે કેટલી મોટી આર્થિક ગતિવિધિ..! કેટલું બળ મળવાનું છે, કેટલી મોટી ગતિવિધિ વધવાની છે એનો આપ અંદાજ કરી શકો છો. વિકાસ કેવી રીતે કરાય એનાં આ ઉદાહરણો છે, ભાઈ. આ લોકોને કલ્પના નથી, મિત્રો. એમને સમજણ નથી પડતી કે કેમ કરવું. ભાઈઓ-બહેનો, ગુજરાતને એક નવી ઊંચાઈ પર પહોંચાડવું છે. પ્રત્યેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર જવું છે.

ચાહે ઉદ્યોગ હોય, ખેતી હોય, પ્રવાસન ક્ષેત્ર હોય... આખા કાઠિયાવાડમાં ટુરિઝમ માટેનું પોટેન્શિયલ કેટલું બધું પડ્યું છે. આખા દેશનો ટુરિઝમ ઉદ્યોગ, માત્ર કચ્છ અને કાઠિયાવાડમાં આપણે કેન્દ્રિત કરીએને, તો આખા હિંદુસ્તાનનું ટુરિઝમ અહીંયાં વળી જાય એટલી બધી તાકાત કચ્છ અને કાઠિયાવાડમાં પડી છે. દ્વારકા, સોમનાથ, ગીરના સિંહ, કચ્છનું રણ, ૧૬૦૦ કિ.મી. નો દરિયાકિનારો... શું નથી આપણી પાસે? આ બધું મારા આવ્યા પછી આવ્યું, ભાઈ? હું આવ્યો પછી આ ગીરના સિંહ આવ્યા? મને દેખાણા એમને નહોતા દેખાણા... અને એના કારણે આજે સિંહો જોવા માટે લાઇન લાગવા માંડી છે, મિત્રો. કાઠિયાવાડના ટુરિઝમ સેન્ટર ઉપર નવી લગભગ ૪૦ હોટલો આવી ગઈ, બોલો. બે જ વર્ષમાં... હજુ તો અમિતાભ બચ્ચને વાત કરવાની શરૂઆત હમણાં કરી છે. ૪૦ જેટલી નવી હોટલો આવી, ૧૦૦૦ કરતાં વધારે નવા બેડ તૈયાર થઈ ગયા. એટલું જ નહીં, ગીરના જંગલોમાં તો લોકો પોતાના ઘરની બાજુમાં નવો રૂમ બનાવીને, કમોડવાળું સંડાસ બનાવીને, લોકોને ઘરમાં મહેમાન તરીકે રાખતા થઈ ગયા અને એક-એક રાત રોકાય તો બે-બે હજાર રૂપિયા કમાતા થઈ ગયા, ભાઈઓ. હવે ‘હોમ લીઝ’ શરૂ થઈ ગયું, ઘરની અંદર મહેમાનગતીની પરંપરા ઊભી થવા લાગી, ‘હોમ સ્ટે’ની વ્યવસ્થા ઊભી થવા લાગી. કચ્છના રણમાં જાવ. ધોરડો જેવું પાકિસ્તાનની સીમા પરનું છેલ્લું ગામ... આજે ત્યાં ઢગલાબંધ રિસોર્ટ બની રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રનો મોટામાં મોટો લાભ કચ્છ-કાઠિયાવાડને મળવાનો છે. હિંદુસ્તાનભરનું ટુરિઝમ અહીં આવે એને માટેની આ બધી મથામણ છે. અને ટુરિઝમ આવે ને ભાઈઓ, તો ગરીબમાં ગરીબ માણસને રોજગાર મળે. ટુરિઝમ આવે એટલે રિક્ષાવાળો કમાય, ટૅક્સીવાળો કમાય, ચોકલેટ વેચવાવાળો કમાય, બસ સ્ટૅન્ડ પર પેલો ભજિયાં-પાપડ વેચતો હોય એ પણ કમાય, ચાની લારીવાળો પણ કમાય, કોઇ ઢીંગલીઓ બનાવીને વેચતું હોય તો તે ઢીંગલીઓ વેચવાવાળો પણ કમાય, દરેક માણસ કમાય મિત્રો, ટુરિઝમ એવું છે. બહુ મોટું મૂડીરોકાણ પણ ન જોઇએ. માત્ર સ્વભાવ બનાવવો પડે, બહારના મહેમાનોને આવકારવાનો. એમને લૂંટવાની પેરવી કરો તો કોઈ ન આવે. પણ એમને જોઇએ એ ધીરે ધીરે ધીરે કરે તો આપણી પણ કમાણી થાય, લોકો પણ આવતા થાય. આજે ગુજરાતમાં ટુરિઝમ કૂદકે ને ભૂસકે વધવા માંડ્યું છે જેનો મોટો લાભ કચ્છ અને કાઠિયાવાડને મળવાનો છે, મિત્રો. એના લાભાર્થી થયા છીએ કારણકે ઈશ્વરે અહીં ઘણું બધું આપ્યું છે. આપણા પૂર્વજો પણ અહીં ઘણું બધું આપણા માટે મૂકીને ગયા છે એનો ઉપયોગ કરો, ભાઈઓ. એક જમાનો હતો, આ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો આપણને બોજ લાગતો હતો. ખારી હવા, ખારો પાટ... દરેક માં-બાપ માથાં પછાડતા હોય કે હવે અહીંયાં જન્મ્યાં છીએ, હવે આ છોકરાઓને બહાર ક્યાંક મોકલો તો ઠેકાણે પડે. અને એટલે હીરા ઘસવા માટે આખું કાઠિયાવાડ ખાલી થઈ ગયું. બિચારાઓએ સુરત અને મુંબઈમાં મુશ્કેલીમાં જીંદગી ગુજારેલા દિવસો જોયા. કારણ? આ દરિયાકિનારો બોજ લાગતો હતો. જે દરિયાકિનારો ગઈકાલે બોજ લાગતો હતો એ દરિયાકિનારાને આજે આપણે અવસર બનાવી દીધો, દોસ્તો. ૧૬૦૦ કિ.મી.ના સમુદ્રકિનારાને આપણે હિંદુસ્તાનની પ્રગતિનું પ્રવેશદ્વાર બનાવી દીધું છે, હિંદુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવી દીધું છે. અને એ દિવસ દૂર નહીં હોય મિત્રો, વીસ જ વર્ષમાં તમે જોશો... આ મારા શબ્દો તમે યાદ રાખજો, વીસ જ વર્ષમાં તમે જોશો કે આખે આખું નવું ગુજરાત આ દરિયાકિનારે વસતું હશે, આખું નવું ગુજરાત વસતું હશે. આખો દરિયાકિનારો ધમધમતો થવાનો છે એનો સીધે સીધો લાભ કચ્છ અને કાઠિયાવાડને મળવાનો છે. આ અવસર ચૂકવાનો નથી અને ભાઈઓ-બહેનો, સદભાવના મિશન દ્વારા ગુજરાતની જે શક્તિ છે એ શક્તિને વધારે મજબૂત બનાવવી છે. એકતા, શાંતિ, ભાઈચારો... એના સામર્થ્યમાં ઉમેરો કરવો છે. અને ગુજરાતને બદનામ કરનારા તત્વોને સદભાવનાના મંત્ર દ્વારા શક્તિનો પરિચય કરાવીને, વિકાસની યાત્રાને વેગ આપીને, આખી દુનિયાનાં મોઢાં બંધ કરવાની તાકાત આ ગુજરાતના છ કરોડ નાગરિકોમાં છે, એના ભરોસે આગળ વધવું છે.

ભાઈઓ-બહેનો, આજે જ્યારે રાજકોટની ધરતી પર આવ્યો છું ત્યારે, વિકાસની જે હરણફાળ ભરી રહ્યા છીએ એમાં આવનારા દિવસોમાં માત્ર રાજકોટ શહેરમાં નવા આયોજનો પેટે ૧૧૦૦ કરોડ રૂપિયાનું આયોજન આપણે વિચાર્યું છે, ૧૧૦૦ કરોડ રૂપિયાનું. જેમા રસ્તાનું સ્ટ્રેંથનીંગ કરવાનું હશે, રિકાર્પેટીંગ કરવાનું હશે, રસ્તાઓ પહોળા કરવાના હશે... રિવર ફ્રન્ટ, રાજકોટની અંદર રિવર ફ્રન્ટના પ્રોજેક્ટને આપણે આકાર આપવો છે ભાઈ, અને રાજકોટનાં રૂપરંગ બદલી નાખવાં છે. આવી અનેક યોજનાઓ છે જેની ડિટેઇલ હું આજે કહેતો નથી પણ ૨૧ જેટલા જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા, ૧૧૦૦ કરોડ રૂપિયાની માતબર રકમ સાથે, આ રાજકોટના વિકાસની યાત્રા તેજ ગતિથી ચાલે છે, એને ઓર તેજ ગતિથી ચલાવવા માટેના અભિયાનનો આજે આપણે પ્રારંભ કરવા માંગીએ છીએ.

ભાઈઓ-બહેનો, વિકાસ કેવી રીતે થાય? ભૂતકાળમાં એક જમાનો એવો હતો કે જિલ્લાને ગાંધીનગરથી એક કરોડ રૂપિયા મળે ને તો એ જિલ્લો ફૂલહાર કરવામાં મહિનો બગાડતો હતો. એક કરોડ રૂપિયા આવેને તો ફૂલહાર અને પેંડા વહેંચવામાં જ ટાઇમ જતો હતો. ભાઈઓ-બહેનો, આજે ગુજરાતની અંદર રૂપિયાની લહાણી થાય છે. ગુજરાતનો વિકાસ કરવો... વિકાસ, વિકાસ, વિકાસ - એક જ મંત્ર લઈને આપણે ચાલીએ છીએ, એને આપણે આગળ ધપાવવો છે. આજે આટલી મોટી સંખ્યામાં રાજકોટે જે રંગ રાખ્યો, હું આપનો ખૂબ ખૂબ આભારી છું અને સૌ મિત્રો જે આવ્યા છે એમને વિનંતી કરું કે ફરી એકવાર નીચેથી બધા લોકો પસાર થાય, હું એમને રામરામ કરી શકું...

જય જય ગરવી ગુજરાત..!!

ખૂબ ખૂબ આભાર..!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Scan, withdraw, done: EPFO 3.0 plans instant PF access via ATMs and UPI

Media Coverage

Scan, withdraw, done: EPFO 3.0 plans instant PF access via ATMs and UPI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોના વિતરણ અવસર પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 23, 2026
India’s youth are playing a vital role in accelerating the journey towards a Viksit Bharat: PM
Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti with new opportunities: PM
The world is excited by India’s youth and technological progress and today the global community wants to partner in India’s development journey: PM
Sectors like clean energy, critical minerals, green hydrogen, and sustainable manufacturing are advancing rapidly and partnerships in these areas are creating new opportunities: PM Modi
Every Indian is moving forward with the resolve of building a Viksit Bharat by 2047: PM Modi at Rozgar Mela
Today, Rapid transformation is clearly visible even in rural areas; Enhanced connectivity has opened new avenues for farmers, small traders, and students: PM
Viksit Bharat will be built by the efforts of such youth who view their work as a means of national service: PM Modi

મિત્રો,

આજનો દિવસ દેશભરના હજારો યુવાનો માટે ખૂબ  મહત્વપૂર્ણ છે. 51,000 થી વધુ લોકોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો મળ્યા છેઆજેતમે બધા દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર બની રહ્યા છોજવાબદાર ભાગીદાર બની રહ્યા છોતમે બધા આગામી વર્ષોમાં વિકસિત ભારત માટેના સંકલ્પને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.

મિત્રો,

અહીં સુધી પહોંચવા માટે તમે બધાએ ઘણી તૈયારી અને સખત મહેનત કરી હશે સિદ્ધિ માટે હું તમને અને તમારા પરિવારોને અભિનંદન આપું છુંતમને અહીં પહોંચાડવામાં તમારા માતાપિતા અને પરિવારનું યોગદાન અમૂલ્ય છેપરંતુ ફક્ત એટલું  નહીંજેમ પરિવાર ફાળો આપે છેતેમ સમાજ પણ આપણને અહીં લાવવામાં મોટી ભૂમિકા ભજવે છેઆપણે ફક્ત પોતાના કારણે કે ફક્ત પોતાના પરિવારોના કારણે  પદ પર પહોંચી શકતા નથી વિશાળ દેશના 140 કરોડ નાગરિકોનું યોગદાન પણ ખૂબ મહત્વનું છેઅને તેથીઆપણી જાત પ્રત્યેઆપણા પરિવારો પ્રત્યે અને સમગ્ર સમાજ પ્રત્યે આપણી જવાબદારી છેઅને મને વિશ્વાસ છે કે તમે  બધા કાર્યો માટે પોતાને વધુ સક્ષમ બનાવશોહું તમને શુભકામનાઓ પાઠવું છું.

 

મિત્રો,

તમે બધા જાણો છો કે બે દિવસ પહેલા  હું પાંચ દેશોની યાત્રા કરીને પાછો ફર્યો છુંભલે તે ફક્ત પાંચ દેશોની યાત્રા હતીમેં ડઝનબંધ દેશોની મોટી કંપનીઓના નેતાઓ સાથે વાત કરીચર્ચા કરી અને તેમને મળ્યોઅને મને એક વાત સતત અનુભવાઈવિશ્વ ભારતના યુવાનો અને તેની ટેકનોલોજીકલ પ્રગતિ પ્રત્યે ખૂબ  ઉત્સાહિત છેઆજેવિશ્વ ભારતની વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છેભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છેઉદ્દેશ્ય ભારતના યુવાનોને તકો અને રોજગાર પૂરો પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છેહું ખરેખર ઇચ્છું છું કે મારા દેશના યુવાનો વૈશ્વિક સ્તરે એક્સપોઝર મેળવે મુલાકાત દરમિયાનજો હું નેધરલેન્ડનો ઉલ્લેખ કરી શકું તોતેમની સાથે સેમિકન્ડક્ટરપાણીકૃષિ અને અદ્યતન ઉત્પાદન પર ચર્ચાઓ થઈસ્વીડન સાથેકૃત્રિમ બુદ્ધિ (AI) અને ડિજિટલ નવીનતામાં સહયોગ પર અસંખ્ય ચર્ચાઓ થઈનોર્વે સાથેગ્રીન ટેકનોલોજી અને દરિયાઈ સહયોગ પર ચર્ચાઓ આગળ વધી છેયુએઈ સાથે વ્યૂહાત્મક ઉર્જા અને ટેકનોલોજી ભાગીદારી પર મહત્વપૂર્ણ કરારો થયાઇટાલી સાથેસંરક્ષણમહત્વપૂર્ણ ખનિજો અને વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભાગીદારી પર કરારો થયા.

મિત્રો,

 બધા કરારો ભારતના યુવાનોને સીધા લાભ આપશેઅને જેમ તમે જોયું હશે બધા મુદ્દાઓ ભારત માટે ઉજ્જવળ અને સક્ષમ ભવિષ્યની ખાતરી આપે છેકારણ કે દરેક નવું રોકાણદરેક ટેકનોલોજી ભાગીદારીદરેક ઔદ્યોગિક સહયોગ ભારતના યુવાનો માટે નવી તકો  લાવતું નથી પણ અસંખ્ય નવી તકો પણ બનાવે છે.

મારા યુવા મિત્રો,

આપણે યાદ રાખવું જોઈએ કે  એવા ક્ષેત્રો છે જ્યાં રોકાણ અને ભાગીદારી એવા ઉદ્યોગોનું નિર્માણ કરશે જે આગામી ત્રણથી ચાર દાયકા માટે વૈશ્વિક વિકાસને આકાર આપશેઅને ભારતના યુવાનો નિઃશંકપણે આમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

મિત્રો,

હું તમને એક ઉદાહરણ આપું છું કે ભારત કેવી રીતે વિશ્વ માટે વિશ્વસનીય સપ્લાય ચેઇન ભાગીદાર બની રહ્યું છેઉદાહરણ તરીકેડચ સેમિકન્ડક્ટર કંપની ASML, એક નામ જેનાથી તમે ઘણા પરિચિત હશોતેનો ભારતીય કંપની ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે કરાર છેભારત વિશ્વના એવા થોડા દેશોમાંનો એક છે જેની સાથે  કંપનીએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ASML અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચેનો  કરાર ભારતમાં અસંખ્ય નવી રોજગારીની તકો ઉભી કરશે અને ભારતને આગામી પેઢીની ટેકનોલોજીનો પ્રવેશદ્વાર ખોલશેતેવી  રીતેસ્વીડન સાથે ટેકનોલોજી અને AI ભાગીદારી અને UAE સાથે સુપરકોમ્પ્યુટિંગ સહયોગ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતાઓને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે કરારો નિઃશંકપણે યુવાનો માટે નવી તકો ઉભી કરશે.

 

મિત્રો,

આજે સ્વચ્છ ઉર્જામહત્વપૂર્ણ ખનિજોગ્રીન હાઇડ્રોજન અને ટકાઉ ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો પણ ઝડપથી આગળ વધી રહ્યા છે ભાગીદારી નવી અર્થવ્યવસ્થા માટે નવી તકોના દરવાજા ખોલી રહી છેસ્વીડનનોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે સહયોગ ગ્રીન ટ્રાન્ઝિશન અને ટકાઉ ટેકનોલોજીમાં પણ વધી રહ્યો છે સ્વચ્છ ઉત્પાદન સંબંધિત ભવિષ્યના ઉદ્યોગોમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવશેવધુમાંભારતે બંદરોશિપિંગ અને દરિયાઇ માળખાગત સુવિધાઓ સંબંધિત કરારો પર ઝડપથી કામ કર્યું છેયુએઈ અને નોર્વે સાથેની ભાગીદારી ભારતના જહાજ નિર્માણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવશેઅને જેમ તમે જાણો છોજહાજ નિર્માણ માટે નોંધપાત્ર પ્રમાણમાં કુશળ માનવશક્તિની જરૂર પડે છેઆનો અર્થ  છે કે ભારતીય ઇજનેરોટેકનિશિયન અને કુશળ કામદારોની માંગ કલ્પના કરતાં પણ વધુ વધશેઅને અસંખ્ય તકો ઉભરી આવશે.

મિત્રો,

દરેક નવી ભાગીદારી સાથેઅમે ભારતીય સ્ટાર્ટઅપ્સસંશોધકો અને યુવા વ્યાવસાયિકો માટે વિશ્વ સાથે જોડાવા માટે નવા માર્ગો બનાવી રહ્યા છીએ ભારતીય યુવાનોને અદ્યતન કુશળતાવૈશ્વિક બજારો અને નવી વૃદ્ધિની તકો પણ પ્રદાન કરશેઆજેવિશ્વ એવા દેશોનું સન્માન કરે છે જે નવીનતા લાવે છેનિર્માણ કરે છે અને જે મોટા પાયે ડિલિવરી કરી શકે છેભારત ત્રણેય દિશામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છેઅને  પરિવર્તન પાછળની સૌથી મોટી શક્તિ તમે બધા છોમારા યુવાન મિત્રોભારતના યુવાનોહું વિશ્વમાં જ્યાં પણ જાઉં છુંહું ભારતની યુવા શક્તિની ચર્ચા કરવામાં ઘણો સમય વિતાવું છું.

મિત્રો,

આજેદરેક ભારતીય મજબૂત સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે સંકલ્પ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો છે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેદેશ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છેઅને  રોકાણ દેશના યુવાનો માટે લાખો નવી રોજગારીની તકો ઉભી કરી રહ્યું છેઉદાહરણ તરીકેઆજેભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે એક સંપૂર્ણ સપ્લાય ચેઇન બનાવવામાં આવી રહી છેનજીકના ભવિષ્યમાંભારતના 10 સૌથી મોટા સેમિકન્ડક્ટર એકમોને વૈશ્વિક સ્તરે માન્યતા આપવામાં આવશેઆનાથી ભારતના યુવાનોની ક્ષમતાબુદ્ધિ અને પ્રતિબદ્ધતાને  સુવિધાઓમાં મોટી સંખ્યામાં લાવવામાં આવશેસ્વાભાવિક રીતેરોજગારની તકો ઉભી થશેભારત જહાજ નિર્માણથી લઈને જહાજ સમારકામ અને ઓવરહોલિંગ સુધીની એક ઇકોસિસ્ટમ પણ વિકસાવી રહ્યું છે માટે આશરે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છેતેવી  રીતેઅમે ભારતમાં એક સંપૂર્ણ MRO ઇકોસિસ્ટમએટલે કે જાળવણીઓવરહોલ અને રિપેર સુવિધાઓ વિકસાવી રહ્યા છીએઆનાથી દેશના ઉડ્ડયન ક્ષેત્રને ઘણો ફાયદો થશેઅને નિઃશંકપણે ભારતના યુવાનો માટે રોજગારની નવી તકો ખુલશે.

 

મિત્રો,

ભારત આજે એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક છેઅને અમે ભારતમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક્સ મૂલ્ય શૃંખલા બનાવી રહ્યા છીએચાલુ PLI યોજના દેશમાં રેકોર્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને આગળ ધપાવી રહી છે અને યુવાનો માટે લાખો નોકરીઓનું સર્જન કરી રહી છે.

મિત્રો,

ભારતના જાહેર અને ખાનગી ક્ષેત્રો સંયુક્ત રીતે આવી અનેક પહેલોમાં ભારે રોકાણ કરી રહ્યા છે રોકાણ દેશના યુવાનોને દેશમાં નોકરીઓ પૂરી પાડી રહ્યું છેતેમના સપનાઓને પૂર્ણ કરી રહ્યું છેએક સરકારી કર્મચારી તરીકેઅને આજે તમારો નિમણૂક પત્ર ભર્યા પછી  તમારી ઓળખ બનશેતમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે દેશ માટે વ્યવસાય કરવાની સરળતા કેટલી મહત્વપૂર્ણ છે.

મિત્રો,

 એક જાણીતી હકીકત છેજેમ તમે જાણો છોભારતની વિકાસ વાર્તા અને રોજગાર સર્જનમાંમાળખાગત સુવિધાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છેજ્યારે ગામડાંનાના શહેરો અને દૂરના વિસ્તારો વિકાસ સાથે જોડાયેલા હોય છેત્યારે દેશની પ્રગતિના લાભો વધુ લોકો સુધી પહોંચે છેછેલ્લા 12 વર્ષોમાં રેલવેહાઇવેએરપોર્ટલોજિસ્ટિક્સબંદરો અને ડિજિટલ માળખાગત સુવિધાઓ અકલ્પનીય ગતિએ વિસ્તરી છેદરેક સ્તરે વિકાસ ચાલી રહ્યો છેઆજેજો તમે તમારા વિસ્તારમાં કોઈપણ દિશામાં 100 કિલોમીટર મુસાફરી કરો છોતો તમને ભારત સરકાર દ્વારા ચાલી રહેલા કેટલાક કામ જોવા મળશેગામડાઓમાં પણ પરિવર્તન ઝડપથી દેખાય છેવધેલી કનેક્ટિવિટીએ ખેડૂતોનાના વ્યવસાયો અને વિદ્યાર્થીઓ માટે નવા રસ્તા ખોલ્યા છેલાખો પરિવારો પાસે કાયમી ઘરો છેઆનો અર્થ  છે કે આપણે વિશ્વના ઘણા દેશો કરતાં અનેક ગણા નવા ઘરો બનાવીએ છીએવધુમાંહું લોકોને મારા સ્વચ્છતા અભિયાનને ક્યારેય ભૂલવા દેતો નથીઅને હું પણ નથીશૌચાલય આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છેઅને અમે તેના પર પણ ભાર મૂકી રહ્યા છીએઆજે લાખો ઘરોમાં વીજળી પહોંચી છેછત પર સૌર ઉર્જાઅને ઘણા નવા વિક્રેતાઓ ક્ષેત્રમાં પ્રવેશ્યા છેહવેજલ જીવન મિશન જુઓજે નળનું પાણી પૂરું પાડે છેહું ફક્ત નોંધ કરી રહ્યો હતો કે હું શહેરોમાં PNG કનેક્શનની સંખ્યા વધારવા માંગતો હતોપરંતુ મને પ્લમ્બર મળી શક્યા નહીંમને અછત પડી રહી હતીકારણ કે મોટી સંખ્યામાં પ્લમ્બર પહેલાથી  જલ જીવન મિશનમાં રોકાયેલા હતાહવેમારે ઉર્જા માટે મોટા શહેરોમાં PNG કનેક્શન ઝડપથી વધારવા પડ્યાતેથી તમે કલ્પના કરી શકો છો કે ક્યારેક જ્યારે લોકોને જરૂર હોય છેત્યારે તે પૂરતા  હતા.

મિત્રો,

 ફેરફારોની અસર સામાન્ય નાગરિકોની સુવિધા સુધી મર્યાદિત નથીગામડાઓ સુધી રસ્તાઓ પહોંચ્યાજેના કારણે બજારોમાં અવર-જવર સરળ બનીવીજળીની સુલભતામાં સુધારો થવાથી નાના ઉદ્યોગોનો વિકાસ થયોગામડાઓમાં કૃષિમાં મૂલ્યવર્ધન શરૂ થયુંપહેલા લોકો લાલ મરચાં વેચતા હતાપરંતુ હવે વીજળીની મદદથી તેઓ મરચાંનો પાવડર બનાવે છેતેને પેક કરે છે અને પછી વેચે છેપરિણામેગામડાઓમાં નાના ઉદ્યોગો ખીલી રહ્યા છેડિજિટલ કનેક્ટિવિટીમાં વધારો થવાથીગામડાના લોકો વિશ્વ સાથે જોડાઈ રહ્યા છેઆધુનિકતા સાથે એકીકૃત થઈ રહ્યા છેશહેર અને ગામ વચ્ચેનો ભેદ ઝાંખો પડી રહ્યો છેઅને આનાથી અર્થતંત્રની ગતિ ઝડપી બની છે બધાની સકારાત્મક અસર દેશના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છેમાત્ર નોકરીઓનું સર્જન  નથી થતુંપરંતુ રાષ્ટ્ર પણ આત્મસન્માનની નવી ભાવના સાથે આગળ વધે છેઅને લાખો લોકોને નવી તકો મળે છે.

 

મિત્રો,

આજેભારતના યુવાનો પાસે પહેલા ક્યારેય  હોય તેવી રીતે આગળ વધવા અને તેમના સપના પૂરા કરવાની તકો છેહું કોઈને દોષ નથી આપી રહ્યોપરંતુ વાસ્તવિકતા  છે કે બધું ખૂબ  ઝડપી ગતિએવિશાળ પાયે અને વિવિધતાથી ભરેલું થઈ રહ્યું છેઉત્પાદનટેકનોલોજીસ્ટાર્ટઅપ્સડિજિટલ સેવાઓરેલવેસંરક્ષણ અને અવકાશ સહિત અનેક ક્ષેત્રોમાં આપણી સામે અસંખ્ય તકો રાહ જોઈ રહી છેઅમારો પ્રયાસ  સુનિશ્ચિત કરવાનો છે કે શક્ય તેટલા વધુ યુવાનો  નવી તકોનો લાભ લઈ શકે અને દેશના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની પૂરતી તક મળેતેથીકૌશલ્ય વિકાસઉદ્યોગ-સંકળાયેલ શિક્ષણ અને ભવિષ્યની ટેકનોલોજી પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. ITI નું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છેરાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓને મજબૂત બનાવવામાં આવી રહી છે. PM SETU જેવા અભિયાનો  દિશામાં કામ કરી રહ્યા છે.

મિત્રો,

છેલ્લા કેટલાક વર્ષોમાંદેશમાં સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની એક નવી સંસ્કૃતિ વિકસિત થઈ છેભારત વિશ્વનું ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે આંકડાને યાદ રાખોદેશમાં 230,000 થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ છેઅને તેમાં પણ યુવાનો સામેલ છેમહત્વની વાત  છે કે  પરિવર્તન ફક્ત મોટા શહેરો પૂરતું મર્યાદિત નથીઅને મને આનો સૌથી વધુ આનંદ છેઆજકાલટાયર 2 અને ટાયર 3 શહેરોમાંથી મોટી સંખ્યામાં યુવાનો સ્ટાર્ટઅપ્સ અને નવીનતાની દુનિયામાં પણ પોતાની શક્તિ દર્શાવી રહ્યા છેતેમની ક્ષમતા નોંધનીય છે પરિવર્તન હવે દેશના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરિવર્તનમાં આપણી મહિલાઓની ભૂમિકા પણ સતત વધી રહી છેઆજેજ્યારે હું મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સ વિશે સાંભળું છુંત્યારે મારું હૃદય ગર્વથી ભરાઈ જાય છેહું દુનિયાને કહું છું કે આપણા દેશમાં સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓની ભૂમિકા નોંધપાત્ર રીતે વધી રહી છેઅને મોટી સંખ્યામાં મહિલાઓ આગળ આવી રહી છેમુદ્રા યોજના હેઠળકરોડો મહિલાઓને નાણાકીય સહાય મળી છેપીએમ સ્વનિધિ જેવી યોજનાઓએ પણ લાખો મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક આપી છેઆજેગામડાઓ અને નાના શહેરોમાંપહેલા કરતાં વધુ મહિલાઓ પોતાના દમ પર નવા સાહસો શરૂ કરી રહી છે.

મિત્રો,

નીતિઓ અને નિર્ણયોના  અભિયાન વચ્ચેતમારે એક બીજી વાત યાદ રાખવી જોઈએકોઈપણ વ્યવસ્થાની સાચી તાકાત તેના લોકોમાં રહેલી છે. જનતા જર્નાદનની શક્તિ હોય છે, જનશક્તિ હોય છે અને જનશક્તિ જ તો રાષ્ટ્રશક્તિનું નિર્માણ કરે છે. તમે જે વ્યવસ્થાનો ભાગ બનવાના છો તે લાખો દેશવાસીઓના જીવનલાખો દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓ સાથે સીધી રીતે જોડાયેલી છેસરકારી નોકરીઓ લોકોના જીવનને સરળ બનાવવાનું એક માધ્યમ છેતમે ગમે તે વિભાગમાં કામ કરો છોતમારું વર્તનસંવેદનશીલતા અને અભિગમ ખૂબ  મહત્વપૂર્ણ રહેશેદેશે તમારામાં વિશ્વાસ મૂક્યો છેહવે તમારા કાર્યતમારા આચરણતમારા શબ્દો અને તમારા વર્તન દ્વારા તે વિશ્વાસને મજબૂત બનાવવાની જવાબદારી તમારી છેદેશવાસીઓના હૃદયમાં એક નવો વિશ્વાસ ભરાશેઅને તમને મળતાં  તેઓ નવી આશા સાથે આગળ વધશેતેથીદરેક યુવાન કર્મયોગીએ પોતાના કાર્યને જવાબદારી તરીકે જોવું જોઈએઅને મારા માટેતમારો અર્થ ઘણો છેભૂતકાળમાંઆપણે સાંભળતા હતા, "સહસ્ત્રબાહુ વાલે ફલાનેસહસ્ત્રબાહુ વાલે ઢીકને." આજેતમે સરકારના હાથ છોતમે સરકારની તાકાત છોજેઓ પહેલાથી  સરકારમાં છેઅને જેઓ સરકારમાં નવા છે તેઓ પણ ત્યાં છેઆજેભારતના લોકોની આકાંક્ષાઓ ઝડપથી વધી રહી છેઅને હું આને વિકાસનો સકારાત્મક સંકેત માનું છુંઆપણે આપણા લોકોની આકાંક્ષાઓને સમજવી જોઈએ અને તે મુજબ એટલી  ઝડપી ગતિએ કામ કરવું જોઈએઆવી સ્થિતિમાંજાહેર સેવામાં પ્રવેશતા યુવાનોની ભૂમિકા ખૂબ  મહત્વપૂર્ણ બની ગઈ છેતમારે સતત શીખવું જોઈએ અને નવી ટેકનોલોજીનવી સિસ્ટમો અને નવી જરૂરિયાતો માટે પોતાને તૈયાર કરવું જોઈએ. iGOT કર્મયોગી પ્લેટફોર્મ આમાં ખૂબ મદદરૂપ થશેકર્મયોગી પ્રારંભ જેવા મોડ્યુલ તમારી જવાબદારીઓને સમજવામાં ખૂબ  સરળતા લાવશેહું તમને તેનો મહત્તમ લાભ લેવાનો આગ્રહ કરું છું.

 

મિત્રો,

નીતિઓ અને નિર્ણયોના  અભિયાન વચ્ચેતમારે એક બીજી વાત યાદ રાખવી જોઈએકોઈપણ વ્યવસ્થાની સાચી તાકાત તેના લોકોમાં રહેલી છે. જનતા જર્નાદનની શક્તિ હોય છે, જનશક્તિ હોય છે અને જનશક્તિ જ તો રાષ્ટ્રશક્તિનું નિર્માણ કરે છે. તમે જે વ્યવસ્થાનો ભાગ બનવાના છો તે લાખો દેશવાસીઓના જીવનલાખો દેશવાસીઓની આશાઓ અને આકાંક્ષાઓ સાથે સીધી રીતે જોડાયેલી છેસરકારી નોકરીઓ લોકોના જીવનને સરળ બનાવવાનું એક માધ્યમ છેતમે ગમે તે વિભાગમાં કામ કરો છોતમારું વર્તનસંવેદનશીલતા અને અભિગમ ખૂબ  મહત્વપૂર્ણ રહેશેદેશે તમારામાં વિશ્વાસ મૂક્યો છેહવે તમારા કાર્યતમારા આચરણતમારા શબ્દો અને તમારા વર્તન દ્વારા તે વિશ્વાસને મજબૂત બનાવવાની જવાબદારી તમારી છેદેશવાસીઓના હૃદયમાં એક નવો વિશ્વાસ ભરાશેઅને તમને મળતાં  તેઓ નવી આશા સાથે આગળ વધશેતેથીદરેક યુવાન કર્મયોગીએ પોતાના કાર્યને જવાબદારી તરીકે જોવું જોઈએઅને મારા માટેતમારો અર્થ ઘણો છેભૂતકાળમાંઆપણે સાંભળતા હતા, "સહસ્ત્રબાહુ વાલે ફલાનેસહસ્ત્રબાહુ વાલે ઢીકને." આજેતમે સરકારના હાથ છોતમે સરકારની તાકાત છોજેઓ પહેલાથી  સરકારમાં છેઅને જેઓ સરકારમાં નવા છે તેઓ પણ ત્યાં છેઆજેભારતના લોકોની આકાંક્ષાઓ ઝડપથી વધી રહી છેઅને હું આને વિકાસનો સકારાત્મક સંકેત માનું છુંઆપણે આપણા લોકોની આકાંક્ષાઓને સમજવી જોઈએ અને તે મુજબ એટલી  ઝડપી ગતિએ કામ કરવું જોઈએઆવી સ્થિતિમાંજાહેર સેવામાં પ્રવેશતા યુવાનોની ભૂમિકા ખૂબ  મહત્વપૂર્ણ બની ગઈ છેતમારે સતત શીખવું જોઈએ અને નવી ટેકનોલોજીનવી સિસ્ટમો અને નવી જરૂરિયાતો માટે પોતાને તૈયાર કરવું જોઈએ. iGOT કર્મયોગી પ્લેટફોર્મ આમાં ખૂબ મદદરૂપ થશેકર્મયોગી પ્રારંભ જેવા મોડ્યુલ તમારી જવાબદારીઓને સમજવામાં ખૂબ  સરળતા લાવશેહું તમને તેનો મહત્તમ લાભ લેવાનો આગ્રહ કરું છું.

મિત્રો,

આજેભારતના યુવાનો વિશ્વના દરેક ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહ્યા છે  ભાવના  ઉર્જા જાહેર સેવામાં પ્રતિબિંબિત થવી જોઈએએક વિકસિત ભારતનું નિર્માણ એવા યુવાનોના પ્રયાસોથી થશેજેઓ પોતાના કાર્યને રાષ્ટ્રની સેવાલોકોની સેવાનું સાધન માને છેઅને આપણા દેશમાં એવું કહેવામાં આવે છે કે લોકોની સેવા કરવી   ભગવાનની સેવા છેમને પૂર્ણ વિશ્વાસ છે કે આજે નિમણૂક પત્રો મેળવનારા આપણા યુવા સાથીઓ ભારતની વિકાસ યાત્રાને નવી ગતિ આપશેતમારું કાર્યતમારા નિર્ણયો વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશેઅને તમારે તે મંત્ર ક્યારેય ભૂલવો  જોઈએઅમારો મંત્ર છે - નાગરિક દેવો ભવ. નાગરિક દેવો ભવ. નાગરિકનું કલ્યાણ જ આપણું કર્તવ્ય છે. નાગરિકોનું કલ્યાણ  આપણું કર્તવ્ય છેફરી એકવારહું આજે નિમણૂક પત્રો મેળવનારા તમામ યુવાનોને તેમના ભાવિ જીવન માટે અને રાષ્ટ્રની સેવા કરવાની  તક પૂરી કરવા માટે મારી શુભકામનાઓ પાઠવું છુંઆપ સૌનો ખૂબ ખૂબ આભાર.