આર્ટ ઓફ લિવિંગ- ગુજરાત આશ્રમ, આંકલાવાડીમાં મુખ્યમંત્રીશ્રી અને શ્રી શ્રી રવિશંકરજી વચ્ચે એક કલાક સત્સંગ-ચર્ચા.
સ્વામી વિવેકાનંદની દોઢસોમી રજતજયંતી વર્ષની ઉજવણી યુવાશક્તિ, આધ્યાત્મિક ચેતના અને સામાજિક મૂલ્યોના જન જાગરણ વિષયક ચર્ચા-વિમર્શ.

એક કલાકની આ સત્સંગ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આગળ સને ૨૦૧૨-૧૩ નું વર્ષ સ્વામી વિવેકાનંદજીની દોઢસોમી ઉજવણી નિમિત્તે અને વિશેષ કરીને ગુજરાત સરકારે આ ઉજવણીને યુવા શક્તિ વર્ષ તરીકેની જાહેરાત કરી છે, તે સંદર્ભમાં યુવા વર્ગમાં આધ્યાત્મિક ચેતના અને સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્ય ભાવના અને પારિવારિક મૂલ્યોનાં સામુહિક જાગરણ અભિયાન સંદર્ભમાં શ્રી શ્રી રવિશંકર પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
આર્ટ ઓફ લિવિંગ- ગુજરાત આશ્રમ, આંકલાવાડીના પદાધિકારીઓ અને વિરાટ સંખ્યામાં ઉપસ્થિત સત્સંગી પરિવારોને પણ મુખ્યમંત્રીશ્રી મળ્યા હતાં અને નવા વર્ષની શુભકામના સૌને પાઠવી હતી.


