"The world has lost an apostle of peace & non-violence who redefined the journey of his nation for the good of humankind: Shri Modi"

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે આજીવન સંઘર્ષરત રહેલા વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલાના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મુખ્ય મંત્રીશ્રીએ સદ્દગત નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકાના જનજીવનમાં શાંતિ અને અહિંસાના દૂત ગણાવી શ્રદ્ધાંજલિ સંદેશમાં જણાવ્યું છે કે, આપણે સૌ મહાત્મા ગાંધીના જીવન-કવનને તો જોઇ શકયા નથી. પરંતુ નેલ્સન મંડેલાના જીવનમાં ગાંધીજીના આદર્શો અને વિચારો મૂર્તિમંત થતા નિહાળવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દક્ષિણ આફ્રિકાના નાગરિકો પર આવી પડેલી આ દુઃખની વસમી વેળાએ ગુજરાત અને દેશવાસીઓ તેમની પડખે ઉભા છે તેવી હૃદયપૂર્વકની લાગણી વ્યકત કરી સદ્દગતના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India-EU trade pact to better tech access

Media Coverage

India-EU trade pact to better tech access
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Nagaland meets Prime Minister
March 24, 2026