"Shri Narendra Modi met a delegation of Kashmiri Pandits"
"Expressed concern on the injustice meted out to Kashmiri Pandits, affirms commitment to ensure justice"
"Shri Modi states that an attack on their rights is an attack on the national ideal of Sarva Pantha Sambhav"

Shri Narendra Modi met a delegation of Kashmiri Pandits

કાશ્મીર ખીણમાં તેમના સલામત અને સમ્માનભેર પુન:સ્થાપન માટે આવેદનપત્ર પાઠવ્યુ

નવી દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોને થયેલા અન્યાય પ્રત્યે ઉંડી સહાનુભુતિ દર્શાવી છે અને જણાવ્યુ છે કે કાશ્મીર ખીણપ્રદેશમાં તેમના સલામત અને સમ્માનભેર પુન:સ્થાપન માટે ભાજપ પ્રતિબધ્ધ છે અને જમ્મુ-કાશ્મીરની ભુમિ પર કાશ્મીરી પંડિતોની સદીઓ જુની સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે પક્ષ સમુદાયની સાથે મળીને પ્રયાસો કરશે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની કાશ્મીરી પંડિતોના એક પ્રતિનિધિમંડળે આજે મુલાકાત લઈને તેમના સમુદાયને છેક ૧૯૯૦ ની સાલથી કાશ્મીરમાં ભોગવવા પડતા વિવિધ પ્રશ્નો મુદ્દે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

કાશ્મીરી પંડિતોના દુ:ખમાં સહભાગી થતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે આજથી ૨૪ વર્ષ પહેલા ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ ના રોજ કાશ્મીરી પંડિતોને તેમનું વતન છોડવાની ફરજ પાડવામાં આવી હતી. આ માત્ર એક સમુદાય પર થયેલ હુમલો નહોતો પણ તેમની સદીઓ જુની સંસ્કૃતિ અને પરપંરા ઉપરનો હુમલો પણ હતો. વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની પીડા માત્ર તેમની સાથે થયેલા અન્યાયનો સામનો કરવા પૂરતી સિમિત નથી, પણ કાશ્મીર ખીણપ્રદેશમાંથી વિલુપ્ત થઈ ચૂકેલ કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાની પણ છે.

કાશ્મીરી પંડિતો સાથે થયેલો અન્યાય એ માત્ર તેમના અધિકારો પર થયેલો હુમલો નથી પણ “સર્વ પંથ સમભાવ” ના આપણા રાષ્ટ્રિય આદર્શ પર થયેલા હુમલા સમાન છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે કાશ્મીરી પંડિતોની વ્યથાને શબ્દોથી ક્યારેય વર્ણવી શકાય એમ નથી. કાશ્મીરી પંડિતોને ન્યાય અપાવવા પ્રત્યે અમે મક્કમપણે પ્રતિબધ્ધ છીએ.

પ્રતિનિધિમંડળે પરંપરાગત કાશ્મીરી પરિધાન અને હસ્તકલાની કૃતિઓ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કર્યા હતા.

Shri Modi tweeted:

Shri Narendra Modi met a delegation of Kashmiri Pandits

Shri Narendra Modi met a delegation of Kashmiri Pandits

Shri Narendra Modi met a delegation of Kashmiri Pandits

Shri Narendra Modi met a delegation of Kashmiri Pandits

Shri Narendra Modi met a delegation of Kashmiri Pandits

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s 5G traffic surges 70% Y-o-Y: Nokia report

Media Coverage

India’s 5G traffic surges 70% Y-o-Y: Nokia report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 એપ્રિલ 2026
April 01, 2026

Grassroots Heart, Global Vision: How PM Modi is Weaving Culture, Commerce & Confidence into Viksit Bharat