"Gujarat Government announces special flights from Dehradun to Ahmedabad to bring back those affected by Uttarakhand floods"

મુખ્યમંત્રીશ્રીએ વિશેષ (ચાર્ટર્ડ) વિમાની સેવાઓનો કરેલો પ્રબંધ

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરાખંડમાં પૂર-વરસાદના કુદરતી કહેરમાં ફસાયેલા આપત્તિગ્રસ્ત ગુજરાતી યાત્રિકોને ગુજરાત પરત લાવવા માટે ખાસ વિમાની સેવાનો પ્રબંધ કર્યો છે.

તદ્‌અનુસાર આજે સાંજે ૪-૩૦ કલાકે ગુજરાત સરકાર તરફથી ૧૭ બેઠકની ક્ષમતા ધરાવતું વિમાન દહેરાદૂનથી ગુજરાત પરત આવવા ઇચ્છતા અસરગ્રસ્ત પરિવારોને વિનામૂલ્યે અમદાવાદ લાવશે. ત્યારે બાદ આજે જરૂર જણાયે આજ વિમાનની બીજી ઉડાન પણ કરવામાં આવશે.

આવતીકાલે શનિવારે સવારે ૭-૩૦ કલાકે ૧૩૫ બેઠકોની ક્ષમતા ધરાવતા વિમાનની પ્રથમ ઉડાન દહેરાદૂનથી ગુજરાતી પરિવારોને અમદાવાદ   પરત લાવવા માટે શરૂ કરાશે. આવી વધુ ઉડાન જરૂર જણાયે ચાલુ રખાશે. આ વિશેષ વિમાની સેવામાં મહિલાઓ અને બાળકોને પ્રવાસ પ્રાધાન્ય અપાશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima

Media Coverage

Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે સમજાવે છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા કેવી રીતે સફળતા તરફ દોરી જાય છે.
April 30, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કરીને ભાર મૂક્યો છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવા માટે સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દેશના મહેનતુ અને ઉર્જાવાન નાગરિકો રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે, જેમની સખત મહેનત વિકાસ માટે નવા માર્ગો બનાવે છે. તેમના પ્રયાસો દેશને સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને પ્રગતિના શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે.

अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः।

करोति सफलं जन्तोः कर्म यच्च करोति सः॥"

ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે. આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવાનો સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.