રાજ્ય મંત્રીમંડળની બેઠક પછી સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળીને ન્યાયની અનુભૂતિ કરાવી

પહેલીવાર મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા મંત્રીશ્રીઓ પણ આ સ્વાગત ઓનલાઇનમાં ઉપસ્થિત

 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સચિવાલયમાં સ્વાગતઓનલાઇન જનફરિયાદ નિવારણ કક્ષમાં સામાન્ય નાગરિકોની રજૂઆતોના વાજબી નિરાકરણ કરીને ન્યાયની અનુભૂતિ કરાવી હતી.

નવરચિત રાજ્ય મંત્રીમંડળની પ્રથમ બેઠક સંપણ થયા પછી બપોર બાદ મુખ્યમંત્રીશ્રીએ સ્વાગતઓનલાઇન ટેકનોલોજીથી નાગરિકોની રજૂઆતો માટે ખાસ સમય ફાળવ્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળમાં પ્રથમવાર મંત્રીસ્થાને આવેલા મંત્રીશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્વાગત ઓનલાઇન સાથે સંલગ્ન તમામ સચિવશ્રીઓ અને જિલ્લા તંત્રોના વરિષ્ઠ અધિકારીઓને નાગરિક સેવાસુવિધાના કામો ત્વરિત ઝૂંબેશ રૂપે હાથ ધરવાની તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણીની આચારસંહિતાના અમલના કારણોસર કામો અટકવાથી, સામાન્ય નાગરિકોને પરેશાનીનો ભોગ બનવું પડયું છે, આથી સવિશેષ કાળજી લઇને જિલ્લા તંત્રોને પ્રોએકટીવ બનાવી પૂરી તાકાતથી નાગરિક સુવિધાના કામોને અભિયાન સ્વરૂપે ઉપાડવા જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ આપણો તાલુકોવાઇબ્રન્ટ તાલુકોખ્વ્સ્વ્ઙ્ખના નવતર તાલુકા વહીવટના વિકેન્દ્રીત અભિગમને સાકાર કરવાનું માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગ્રામકક્ષાએ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમને વધુ અસરકારક બનાવવો જોઇએ અને તાલુકા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં નાગરિકો પોતાની રજૂઆતો માટે ન્યાયની અનુભૂતિ કરે તેવું વિશ્વસનિય વાતાવરણ ઉભંૂ કરવું જોઇએ. રાજ્ય સરકારની વ્યકિતગત લાભાર્થી યોજનાઓ લક્ષિત લાભાર્થી સુધી પહોંચે તે માટે પણ તેમણે સૂચનાઓ આપી હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા તથા વરિષ્ઠ અધિકારીઓ સર્વશ્રી જે. પી. મોઢા, શ્રી ચન્દ્રેશ કોટક અને તેમના સહયોગીઓ ઉપસ્થિત હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Digital dominance: UPI tops global real-time payments with 49% share; govt tells Lok Sabha

Media Coverage

Digital dominance: UPI tops global real-time payments with 49% share; govt tells Lok Sabha
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles demise of Baba Adhav Ji
December 09, 2025

The Prime Minister, Shri Narendra Modi, condoled the passing away of Baba Adhav Ji today.

The Prime Minister said Baba Adhav Ji will be remembered for his efforts to serve society through various causes, notably empowering the marginalised and furthering labour welfare.

In a post on X, Shri Modi wrote:

“Baba Adhav Ji will be remembered for his efforts to serve society through various causes, notably empowering the marginalised and furthering labour welfare. Pained by his passing away. My thoughts are with his family and admirers. Om Shanti.” 

“विविध सामाजिक कामांसाठी आयुष्य वाहून घेत समाजसेवा करणारे, विशेषतः वंचितांचे सबलीकरण आणि कामगार कल्याणासाठी लढणारे बाबा आढावजी, त्यांच्या या कार्यासाठी सदैव स्मरणात राहतील. त्यांच्या निधनाने अतिशय दुःख झाले आहे. त्यांचे कुटुंब आणि प्रशंसकांप्रति माझ्या संवेदना. ॐ शांती.”