તેલંગણાની રચના- લડત અને માર્ગ આગળ પણ છે

 

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની જાહેરાતને તેલંગાણાની પ્રજા શક્તિનો વિજય ગણાવ્યો છે… તેલંગાણાની અલગ રાજ્ય તરીકેની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા મુખ્ય મંત્રીશ્રીનો બ્લોગ અક્ષરસ: આ પ્રમાણે છે…

આંધ્રપ્રદેશના વિવિધ વિસ્તારોના રહેવાસી મારા ભાઇઓ અને બહેનો,

નમસ્કારમ! 11મી ઑગષ્ટના રોજ હૈદરાબાદ ખાતે યોજાનારી નવભારત યુવા ભેરી પબ્લિક રેલીમાં આપની સાથે વાર્તાલાપ માટે હું આતુર છું.

હૈદરાબાદ ખાતેની આ પબ્લિક મીટીંગ દરમ્યાન, હું મારા તેલંગણાના વિભાજનના મુદ્દાની સાથે-સાથે આંધ્રપ્રદેશના તમામ વિસ્તારોને દર્શાવનારા નકશા પ્રત્યેની આપની નિસ્બત અંગે મારા વિચારો રજૂ કરવાનું ઇચ્છી રહ્યો હતો.

અલબત્ત, ઘટનાઓની આ હારમાળા વચ્ચે કોંગ્રેસ પાર્ટી જે કામ છેલ્લા 9 વર્ષોથી કરવા કતરાતી હતી તેમણે ઓવરટાઇમ કરીને રાતોરાત તેલંગણા અંગેનો આ નિર્ણય લઇ લીધો. તે નિર્વિવાદસભર તથ્ય છે કે કોંગ્રેસ પાર્ટી અલગ તેલંગણા રાજ્યની રચના અંગેના તેમના આચરણ પર પારદર્શક કે સ્પષ્ટ નથી. તેથી, એક પાર્ટી અને એક સરકાર જેણે તેલંગણા મુદ્દે લોકોનો દ્રોહ કર્યો હતો અને આ મુદ્દે હાલના સમયગાળામાં તેના પર ભાગ્યે જ વિશ્વાસ મૂકી શકાય.

You can read the Telugu translation of Shri Modi's letter to the people of Andhra Pradesh

તેને અનુરૂપ તે તથ્ય છે કે તેલંગણા અલગ રાજ્ય નિર્માણના ટેકામાં ભાજપ પ્રતિસાદ આપનાર અને પારદર્શક રહ્યું છે.

નાના-નાના રાજ્યો અંગે જેનો ઇતિહાસ પ્રભાવશાળી રહ્યો હોય તેવી એકમાત્ર પાર્ટી ભાજપ છે. તે આપને યાદ જ હશે કે શ્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે તેના શાસનકાળ દરમ્યાન વર્ષ 2000માં ત્રણ નવા રાજ્યો છત્તીસગઢ, ઉત્તરાખંડ (તે સમયે તેને ઉત્તરાંચલ તરીકે ઓળખવામાં આવતું હતું) તેમજ ઝારખંડ ની રચના કરી અને આ વિસ્તારોના લોકોને તેના ઉચ્ચારણમાં નવી આશાનું કિરણ પુરૂં પાડ્યું હતું.

મિત્રો, આ જ કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 2004માં તેલંગણા મુદ્દે વચન આપીને વિજય મેળવ્યો હતો, તેણે છેલ્લા નવ-નવ વર્ષોથી લોકોની લાગણીઓ સાથે ઉપહાસકારક રમતો રમી છે. હવે, જ્યારે આ દેશના લોકોને ફરીથી મતદાન કરવાના થોડાક જ માસ બાકી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી તેલંગણાની જાહેરાત કરવા ધસી આવી છે. જે કોંગ્રેસની ગંભીરતા અને મનસૂબા અંગેની ગંભીર સંડોવણી છતી કરે છે.

વર્ષ 2004 અને 2009માં ડૉ. વાય. એસ. રાજાશેખર રેડ્ડીના નેતૃત્વ હેઠળ આંધ્રપ્રદેશમાં બહોળો વિજય મેળવ્યા બાદ, કોંગ્રેસે આ રાજ્યમાં તેના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નિધન બાદ તેની પીઠ ફેરવી લીધી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2009માં ગૃહમંત્રી શ્રી પી. ચિદમ્બરમે તેલંગણાને અલગ રાજ્ય બનાવવાની પ્રક્રિયાની શરૂઆતને અવિચારી રીતે પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ સમયાનુસાર તેલંગણા મુદ્દે અન્ય એક સમિતીની રચનાની બૂમરાણ મચાવી. પરંતુ વહીવટ, રાજકીય હિંસા અને તેલંગણાના યુવાનોની આત્મહત્યાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં ખરાબ રીતે તેનો ધબડકો થયો. તે દરમ્યાન આંધ્રપ્રદેશની શાસન વ્યવસ્થા મંદ પડી.

હાલના સમયમાં કોંગ્રેસ અને યુપીએ સરકારના ઉદ્દેશ્યો કેટલા વાસ્તવિક છે તે અંગે જ્યારે આપણે તેલંગણા મુદ્દે કોઇ ચળવળને આવકારીએ ત્યારે ફરીથી બોલીશું.

હું કોંગ્રેસ પાર્ટી અને યુપીએ સરકારના નેતાઓને નીચે દર્શાવેલા પ્રશ્નો પુછવા ઇચ્છુ છું.

પ્રશ્ન 1- તેલંગણા મુદ્દે જ્યારે જુદી-જુદી દિશાઓમાંથી બોલવામાં આવતી બાબતો વચ્ચે આપની ખુદની પાર્ટી, આપની સરકાર અને ગઠબંધનની તમામ પાર્ટીઓમાં સર્વસંમતિ બાબતનું આપનું હોમવર્ક ક્યાં છે?

પ્રશ્ન 2- બે રાજ્યોની સીમાઓ પર વહેંચાયેલા વિશિષ્ટ પાટનગર તરીકે આવેલું શહેર, હૈદરાબાદ તેલંગણામાં તેનો વધુ હિસ્સો સ્થિત હોવા છતાં વહેંચણી પામેલું પાટનગર તરીકે રાખવામાં આવ્યું. તેથી જોકે ટૂંકો સમયગાળો હોવાથી પાટનગરની વહેંચણીનો આ તર્ક વાજબી જણાતો નથી. તેનાથી વ્યવસ્થાકીય મુશ્કેલીઓનો અવકાશ રહે છે.

તેથી, એક રાજ્ય માટે તેની મર્યાદાઓમાં ન આવતું હોય કે તેની સીમાઓમાં ન આવતું હોય તેવા શહેરને પાટનગર તરીકે વિક્સાવવું કેટલું વ્યવહારિક છે?

પ્રશ્ન 3- તેલંગણાના આ નિર્ણયને આવકારવા આંધ્રપ્રદેશ અને રયાલસીમાના લોકોના મનના કેવા રચનાત્મક માપદંડોને તમે અમલમાં લીધાં? તમે તેમના મંડળની રચના અને તેમની ચિંતાઓના શમન માટે કેવી બાંહેધરી પુરી પાડી હતી? લોકોમાં સર્વસંમતિનું નિર્માણ કરવા આપણા સર્વે પાસે એક ટેકનિકલ પ્રક્રિયા હોય છે, તેને અનુસંધાને આપનો પોલિટીકલ રોડમેપ ક્યાં છે?

પ્રશ્ન 4- તેલંગણાના લોકો કે જેઓ આપના અનેક વિશ્વાસઘાત કે આપ ફરી એક વખત તેમને સવારી કરાવશો, તેનાથી ગંભીર માનસિક આઘાત ભોગવી રહ્યાં છે તેમના માટે આપે પ્રતિબદ્ધતાની શું તૈયારી દર્શાવી છે?

પ્રશ્ન ૫ : તેલંગણાના ઘણા યુવાનોએ આત્મહત્યા કરી છે. હૈદરાબાદે મૂડીરોકાણના સ્થાન તરીકે ઘણુ સહન કર્યુ છે જેના કારણે આન્દ્રપ્રદેશ રાજ્ય ખરાબ સ્થિતીમા સપડાયેલુ છે. જે રાજ્યને પહેલા ભારતમાં ચોખાનો ઘડો તરીકે ઓળખવામા આવતુ હતુ તેમા કૃષિક્ષેત્રે થયેલા વિનાશને કારણે ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

હકીકતમાં એવુ છે કે કોંગ્રેસ પક્ષે આન્દ્રપ્રદેશના લોકોને મળવાની બદલે તેની કમિટી, તેના રિપોર્ટૅ તેમજ તેની નકામી ચર્ચા વિચારણા પાછળ સમય વેડફ્યો છે. હકિકત તો એ છે કે આન્દ્રપ્રદેશે વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯ મા સૌથી વધારે કોંગ્રેસના સંસદસભ્યો આપ્યા હોવા છતા કોંગ્રેસ પ્રેસિડેન્ટે કે વાઇસ પ્રેસિડેંન્ટે કોઇ પણ પ્રકારના પગલા ભર્યા નથી. શુ કોંગ્રેસ આગેવાનોએ તેમની રાજકીય વર્તણુકને અનૂરૂપ હોય તે રીતે આન્દ્રપ્રદેશના લોકો જોડે ખરાબ વર્તન કરવા બદલ માફી ન માંગવી જોઇએ?

આન્દ્રપ્રદેશના દરેક વિસ્તારના નકશા માટે ભાજપના સિધ્ધાંતો

અમે તેલંગણાને એક રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવા માટેની અમારી પ્રતિબધ્ધતાને ટેકો આપીએ છીએ. અમે એવુ વિચારીએ છીએ કે નકશો એવો હોય કે વિસ્તારના બધા લોકોને સરળતાથી માર્ગ મળે. કોઇ એક વિસ્તારમા રાજ્યની સ્થાપના કરવા માટે બીજા વિસ્તારને ખર્ચો થાય તેવુ ન કરવુ જોઇએ.

અમે એવુ વિચારીએ છીએ કે આપણને આન્દ્રપ્રદેશ વિસ્તારમા વિશાખાપટનમ, વિજયવાડા, ગુન્ટુર, વરાંગલ, કરીમનગર, ઓંગોલ, અનંતપુર કુર્નુલ તેમજ કાદપા જેવા મોટા શહેરોનો વિકાસ કરવાની તક મળી છે.

અમે સંવિધાનનુ આદર કરીએ છીએ કે જેને દરેક નાગરિકને હક આપ્યા છે. આન્દ્રપ્રદેશમા રહેતા દરેક લોકો, દરેક કુટુંબો, વેપારો તેમજ મિલકતોના રક્ષણ માટે ભાજપ તમામ જરૂરી પગલા ભરશે.

આન્દ્રપ્રદેશના અર્થતંત્રને ફરીથી જીવંત કરવા અમે પ્રતિબધ્ધ છીએ. કાયદો અને વ્યવસ્થા, રાજકિય સ્થીરતા અને ગતિશીલ કાર્યપધ્ધતિ અમારી પ્રાથમિકતા હશે. બીજેપી ખાતરીપૂર્વક નદીના પાણીને દરેક વિસ્તારમા પહોંચાડશે.

અમે દરેક વિસ્તારમા વિશ્વાસ અને હિંમતને પાછુ લાવવા માટે પ્રતિબધ્ધ છીએ. હવે વધારે રાજકિય રમતો કે દગાખોરી નહી જોવા મળે.

આ કદાચિત એવું પ્રથમ રાજ્ય ભાષા સ્તરે આધારિત વિભાજન પામશે. જે એક ભાવનાશીલ ક્ષણ છે.

હાલમાં આ રાજ્ય વિભાજન પામી રહ્યું હોવા છતાં પણ લોકલાગણીને માન આપીને શ્રી પોટ્ટી શ્રીરામુલુ કે જેમણે આંધ્રપ્રદેશના નિર્માણ માટે તેમના જીવનને સમર્પિત કરી દીધું હતું તેના માનમાં આવો આપણે સહુ શિશ ઝુકાવીએ. તેમની યાદગીરીની પ્રેરણા લઇને આ તમામ વિસ્તારોના તેલુગુ લોકોની પ્રગતિ માટે આપણે આપણી જાતને કાર્યરત કરીએ.

આપનો,

 

 

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan

Media Coverage

Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Your Money, Your Right
December 10, 2025

During my speech at the Hindustan Times Leadership Summit a few days ago, I shared some startling facts:

Indian banks are holding Rs. 78,000 crore of unclaimed money belonging to our own citizens.

Insurance companies have nearly Rs. 14,000 crore lying unclaimed.

Mutual fund companies have around Rs. 3,000 crore and dividends worth Rs. 9,000 crore are also unclaimed.

These facts have startled a lot of people.

Afterall, these assets represent the hard-earned savings and investments of countless families.

In order to correct this, the आपकी पूंजी, आपका अधिकार - Your Money, Your Right initiative was launched in October 2025.

The aim is to ensure every citizen can reclaim what is rightfully his or hers.

To make the process of tracing and claiming funds simple and transparent, dedicated portals have also been created. They are:

• Reserve Bank of India (RBI) – UDGAM Portal for unclaimed bank deposits & balances: https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login

• Insurance Regulatory and Development Authority of India (IRDAI) – Bima Bharosa Portal for unclaimed insurance policy proceeds: https://bimabharosa.irdai.gov.in/Home/UnclaimedAmount

• Securities and Exchange Board of India (SEBI) – MITRA Portal for unclaimed amounts in mutual funds: https://app.mfcentral.com/links/inactive-folios

• Ministry of Corporate Affairs, IEPFA Portal for Unpaid dividends & unclaimed shares: https://www.iepf.gov.in/content/iepf/global/master/Home/Home.html

I am happy to share that as of December 2025, facilitation camps have been organised in 477 districts across rural and urban India. The emphasis has been to cover remote areas.

Through the coordinated efforts of all stakeholders notably the Government, regulatory bodies, banks and other financial institutions, nearly Rs. 2,000 crore has already been returned to the rightful owners.

But we want to scale up this movement in the coming days. And, for that to happen, I request you for assistance on the following:

Check whether you or your family have unclaimed deposits, insurance proceeds, dividends or investments.

Visit the portals I have mentioned above.

Make use of facilitation camps in your district.

Act now to claim what is yours and convert a forgotten financial asset into a new opportunity. Your money is yours. Let us make sure that it finds its way back to you.

Together, let us build a transparent, financially empowered and inclusive India!