પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી અનુરા કુમારા દિસાનાયકે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ ચક્રવાત દિત્વાહના પગલે શ્રીલંકામાં થયેલી જાનહાનિ અને વ્યાપક વિનાશ બદલ હૃદયપૂર્વક શોક વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે ભારતની જનતા આ મુશ્કેલીના સમયમાં શ્રીલંકાના લોકો સાથે મજબૂત એકતા અને સમર્થનમાં ઊભી છે.
રાષ્ટ્રપતિ દિસાનાયકેએ આ આફતના પગલે ભારતની સહાય બદલ ઊંડો આભાર વ્યક્ત કર્યો અને બચાવ ટીમો તથા રાહત સામગ્રીની ઝડપી તૈનાતીની પ્રશંસા કરી. તેમણે ભારતની સમયસર અને અસરકારક પ્રતિભાવ પ્રયાસો માટે શ્રીલંકાના લોકોની પ્રશંસા પણ વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દિસાનાયકેને ખાતરી આપી કે ભારત ચાલુ ઑપરેશન સાગર બંધુ હેઠળ શ્રીલંકાને સતત સહયોગ પૂરો પાડશે, જે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને બચાવ અને રાહત પૂરી પાડે છે. તેમણે ખાતરી આપી કે ભારત, તેના વિઝન મહાસાગર (MAHASAGAR) અને 'પ્રથમ પ્રતિસાદ આપનાર' (First Responder) તરીકેની સ્થાપિત સ્થિતિને અનુરૂપ, આવનારા દિવસોમાં શ્રીલંકા પુનર્વસનના પ્રયાસો હાથ ધરે, જાહેર સેવાઓ ફરી શરૂ કરે અને અસરગ્રસ્ત પ્રદેશોમાં આજીવિકા પુનઃસ્થાપિત કરવા તરફ કામ કરે ત્યારે તમામ જરૂરી સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.
બંને નેતાઓ નજીકના સંપર્કમાં રહેવા માટે સહમત થયા.


