પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બપોરે લગભગ 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ પોસ્ટ બજેટ વેબિનારમાં સહભાગી થશે. આ વેબિનાર્સ એમએસએમઇ પર વૃદ્ધિનાં એન્જિન સ્વરૂપે યોજાઈ રહ્યાં છે. ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઊર્જા અભિયાન; નિયમનકારી, રોકાણ અને વેપાર-વાણિજ્યમાં સુગમતા માટે સુધારા. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.
આ વેબિનાર સરકારી અધિકારીઓ, ઔદ્યોગિક અગ્રણીઓ અને વેપાર નિષ્ણાતોને ભારતની ઔદ્યોગિક, વેપાર અને ઊર્જા વ્યૂહરચનાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે એક સહયોગી મંચ પ્રદાન કરશે. આ ચર્ચાઓમાં નીતિગત અમલીકરણ, રોકાણની સુવિધા અને ટેકનોલોજીને અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેથી બજેટનાં પરિવર્તનકારી પગલાંનો સતત અમલ સુનિશ્ચિત થશે. વેબિનાર્સ ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને વિષયના નિષ્ણાતોને સાંકળી લેશે, જેથી બજેટની જાહેરાતોના અસરકારક અમલીકરણને વેગ મળે અને પ્રયાસોને સંરેખિત કરી શકાય.


