સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનના ગ્રાન્ડ ફિનાલેમાં 12,000થી વધુ સહભાગીઓ દેશભરના 48 નોડલ કેન્દ્રો પર યોજાશે
વિદ્યાર્થીઓ 25 મંત્રાલયો દ્વારા પોસ્ટ કરાયેલા 231 સમસ્યાનિવેદનોનો સામનો કરશે
આ વર્ષના હેકેથોનમાં, 44,000 ટીમો પાસેથી 50,000 થી વધુ વિચારો પ્રાપ્ત થયા છે - જે એસઆઈએચની પ્રથમ આવૃત્તિની તુલનામાં લગભગ સાત ગણો વધારો છે
સહભાગીઓ સ્પેસ ટેકનોલોજી, સ્માર્ટ એજ્યુકેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રોબોટિક્સ અને ડ્રોન, હેરિટેજ અને કલ્ચર સહિત વિવિધ થીમ્સ પર સમાધાનો પ્રદાન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ડિસેમ્બર, 2023ના રોજ રાત્રે 9:30 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સહભાગીઓને સંબોધન પણ કરશે.

યુવાનોની આગેવાની હેઠળના વિકાસના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન (એસઆઇએચ) એ રાષ્ટ્રવ્યાપી પહેલ છે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને સરકારના મંત્રાલયો અને વિભાગો, ઉદ્યોગો અને અન્ય સંસ્થાઓની સમસ્યાઓનું સમાધાન કરવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે. વર્ષ 2017માં લોન્ચ થયેલી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોને યુવા નવપ્રવર્તકોમાં ભારે લોકપ્રિયતા મળી છે. છેલ્લી પાંચ આવૃત્તિઓમાં, ઘણા નવીન ઉકેલો વિવિધ ડોમેન્સમાં ઉભરી આવ્યા છે અને સ્થાપિત સ્ટાર્ટઅપ્સ તરીકે સ્ટેન્ડઆઉટ છે.

આ વર્ષે એસઆઈએચનો ગ્રાન્ડ ફિનાલે 19થી 23 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે. એસઆઇએચ 2023 માં, 44,000 ટીમો પાસેથી 50,000 થી વધુ વિચારો પ્રાપ્ત થયા હતા, જે એસઆઇએચની પ્રથમ આવૃત્તિની તુલનામાં લગભગ સાત ગણો વધારો છે. દેશભરના ૪૮ નોડલ સેન્ટરો પર યોજાનારા આ ગ્રાન્ડ ફિનાલેમાં 12000થી વધુ સ્પર્ધકો અને 2500થી વધુ માર્ગદર્શકો ભાગ લેશે. સ્પેસ ટેકનોલોજી, સ્માર્ટ એજ્યુકેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રોબોટિક્સ અને ડ્રોન, હેરિટેજ અને કલ્ચર વગેરે સહિતના વિવિધ વિષયો પર સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે આ વર્ષે કુલ 1282 ટીમોને ગ્રાન્ડ ફિનાલે માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

ભાગ લેનારી ટીમો 25 કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારોના 51 વિભાગો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા 231 સમસ્યા નિવેદનો (176 સોફ્ટવેર અને 55 હાર્ડવેર) માટે સમાધાન કરશે અને તેનું સમાધાન પ્રદાન કરશે. સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2023 નું કુલ ઇનામ 2 કરોડ રૂપિયાથી વધુ છે, જ્યાં દરેક વિજેતા ટીમને સમસ્યા નિવેદન દીઠ 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Paltano Dorkar!’ PM Modi Predicts TMC Rout In Bengal, Says ‘Goons Won’t Find Space To Hide After May 4’

Media Coverage

‘Paltano Dorkar!’ PM Modi Predicts TMC Rout In Bengal, Says ‘Goons Won’t Find Space To Hide After May 4’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 એપ્રિલ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength