પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઇટીઆરએ) અને જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (એનઆઈએ) નું ઉદ્ઘાટન 5મા આયુર્વેદ દિવસ (એટલે કે) 13 નવેમ્બર, 2020ના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આ સંસ્થાઓ 21મી સદીમાં આયુર્વેદની વૃદ્ધિ અને વિકાસમાં વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.   

પૃષ્ઠભૂમિ:

ધનવંતરી જયંતિના દિવસે 2016થી દર વર્ષે આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 13 નવેમ્બર 2020ના રોજ ઉજવાશે. આયુર્વેદ દિવસ એક ઉત્સવ અથવા ઉજવણી કરતાં વ્યવસાય તથા સમાજને ફરીથી સમર્પિત થવાનો પ્રસંગ છે. આ વર્ષના ‘આયુર્વેદ દિવસ’ ની ઉજવણી કોવિડ-19 રોગચાળાના સંચાલનમાં આયુર્વેદની સંભવિત ભૂમિકા પર કેન્દ્રિત હશે.

ભારતના જાહેર આરોગ્ય પડકારો માટે અસરકારક અને પરવડે તેવા ઉપાયો પ્રદાન કરવા માટે આરોગ્ય સંભાળની આયુષ પ્રણાલીની અપાર બિન-ઉપયોગી સંભાવનાનો ઉપયોગ એ સરકારની અગ્રતા છે. પરિણામે, આયુષ શિક્ષણનું આધુનિકીકરણ એ પણ એક અગ્રતા છે. છેલ્લા 3-4 વર્ષમાં આ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. રાષ્ટ્રને સમર્પિત જામનગરમાં આઇટીઆરએ રાષ્ટ્રીય મહત્વના દરજ્જાની સંસ્થા તરીકે અને જયપુરમાં એનઆઈએ, ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ફક્ત આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણમાં જ નહીં, પરંતુ પરંપરાગત દવાઓના ઉત્ક્રાંતિમાં પણ ઐતિહાસિક પગલું છે. જે તેમને આયુર્વેદ શિક્ષણના ધોરણને અપગ્રેડ કરવાની સ્વાયતતા પ્રદાન કરશે, ઉભરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ મુજબ વિવિધ અભ્યાસક્રમો બનાવશે અને વધુમાં વધુ પુરાવા પેદા કરવા માટે અને આધુનિક સંશોધન માટે ઉત્તમ બનાવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જુલાઈ 2026
July 11, 2026

Record Exports, Record Investments, Record Pride: India’s Rise Under PM Modi is Multi-Dimensional