પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ઓક્ટોબર 2023ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીની યશોભૂમિ ખાતે 9મી G20 સંસદીય સ્પીકર્સ સમિટ (P20)નું ઉદ્ઘાટન કરશે. આ સમિટનું આયોજન ભારતની સંસદ દ્વારા ભારતના G20 પ્રેસિડેન્સીના વ્યાપક માળખા હેઠળ કરવામાં આવી રહ્યું છે.

ભારતના G20 પ્રેસિડેન્સીની થીમને અનુરૂપ, 9મી P20 સમિટની થીમ "એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય માટે સંસદ" છે. આ કાર્યક્રમમાં G20 સભ્યો અને આમંત્રિત દેશોની સંસદના સ્પીકર હાજરી આપશે. 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હી G20 લીડર્સ સમિટમાં આફ્રિકન યુનિયન G20 ના સભ્ય બન્યા પછી પાન-આફ્રિકન સંસદ પ્રથમ વખત P20 સમિટમાં ભાગ લેશે.

આ P20 સમિટ દરમિયાન વિષયોનું સત્ર નીચેના ચાર વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરશે – જેમાં જાહેર ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન; મહિલાઓની આગેવાની હેઠળનો વિકાસ; SDG ને વેગ આપવો; અને સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશનનો સમાવેશ થાય છે.

12 ઑક્ટોબર 2023ના રોજ પ્રિ-સમિટ પાર્લામેન્ટરી ફોરમ ઓન લાઇફ (પર્યાવરણ માટેની જીવનશૈલી) પણ યોજવામાં આવશે, જેથી પ્રકૃતિ સાથે સુમેળમાં હરિયાળા અને ટકાઉ ભવિષ્ય તરફની પહેલો પર વિચારણા કરવામાં આવે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint

Media Coverage

Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 એપ્રિલ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength