પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના સંસદ ભવન સંકુલ સ્થિત બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં 28મા કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ (CSPOC)નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે.
આ કોન્ફરન્સની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા કરશે અને તેમાં 42 કોમનવેલ્થ દેશો અને વિશ્વના વિવિધ ભાગોમાંથી 4 અર્ધ-સ્વાયત્ત સંસદોના 61 સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ ઉપસ્થિત રહેશે.
આ કોન્ફરન્સમાં અનેક સમકાલીન સંસદીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં મજબૂત લોકશાહી સંસ્થાઓ જાળવવામાં સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની ભૂમિકા, સંસદીય કાર્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, સંસદસભ્યો પર સોશિયલ મીડિયાનો પ્રભાવ, સંસદની જાહેર સમજ વધારવા માટે નવીન વ્યૂહરચના અને મતદાન ઉપરાંત નાગરિકોની ભાગીદારીનો સમાવેશ થાય છે.


