પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી નવેમ્બરે સવારે 9:30 વાગ્યે નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસ ખાતે ત્રીજી 'નો મની ફોર ટેરર' (NMFT) મંત્રી સ્તરીય કોન્ફરન્સ ઓન કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગમાં ઉદ્ઘાટન સંબોધન કરશે.

18મી-19મી નવેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સ, ભાગ લેનારા રાષ્ટ્રો અને સંગઠનોને આતંકવાદ વિરોધી ફાઇનાન્સિંગ પર વર્તમાન આંતરરાષ્ટ્રીય શાસનની અસરકારકતા તેમજ ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે જરૂરી પગલાંઓ અંગે વિચાર-વિમર્શ કરવા માટે એક અનન્ય પ્લેટફોર્મ પ્રદાન કરશે. આ કોન્ફરન્સ અગાઉની બે કોન્ફરન્સ (એપ્રિલ 2018માં પેરિસમાં અને નવેમ્બર 2019માં મેલબોર્નમાં આયોજિત)ના લાભો અને શીખો પર નિર્માણ કરશે અને આતંકવાદીઓને નાણાંકીય સહાય નકારવા અને સંચાલન કરવા માટે અનુમતિયુક્ત અધિકારક્ષેત્રો સુધી પહોંચવા માટે વૈશ્વિક સહયોગ વધારવા માટે કામ કરશે. તેમાં મંત્રીઓ, બહુપક્ષીય સંસ્થાઓના વડાઓ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના વડાઓ સહિત વિશ્વભરમાંથી લગભગ 450 પ્રતિનિધિઓ ભાગ લેશે.

કોન્ફરન્સ દરમિયાન, ચાર સત્રોમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે જેમાં 'આતંકવાદ અને આતંકવાદી ધિરાણમાં વૈશ્વિક પ્રવાહો', 'આતંકવાદ માટે ભંડોળની ઔપચારિક અને અનૌપચારિક ચેનલોનો ઉપયોગ', 'ઉભરતી તકનીકો અને આતંકવાદી ધિરાણ' અને 'આતંકવાદી ધિરાણ સામે લડવામાં પડકારોને સંબોધવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026