કાઉન્ટર ટેરરિઝમ, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ, કોસ્ટલ સિક્યુરિટી સહિત રાષ્ટ્રીય સુરક્ષાના નિર્ણાયક ઘટકો પર ચર્ચા કરવામાં આવશે
પોલીસિંગ અને આંતરિક સુરક્ષા બાબતોને લગતી વ્યવસાયિક પ્રથાઓ અને પ્રક્રિયાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.

29 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન આયોજિત થનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં કાઉન્ટર ટેરરિઝમ, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ, કોસ્ટલ સિક્યુરિટી, નવા ફોજદારી કાયદાઓ, નાર્કોટિક્સ સહિત રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કોન્ફરન્સ દરમિયાન વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પણ એનાયત કરવામાં આવશે.

આ કોન્ફરન્સ દેશના વરિષ્ઠ પોલીસ વ્યાવસાયિકો અને સુરક્ષા પ્રબંધકોને વિવિધ રાષ્ટ્રીય સુરક્ષા-સંબંધિત મુદ્દાઓ તેમજ ભારતમાં પોલીસ દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ ઓપરેશનલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને કલ્યાણ-સંબંધિત સમસ્યાઓ પર મુક્તપણે ચર્ચા કરવા માટે એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ કોન્ફરન્સમાં આંતરિક સુરક્ષાના જોખમો ઉપરાંત ગુના નિયંત્રણ અને કાયદા-વ્યવસ્થા વ્યવસ્થાપન સંબંધિત પડકારોનો સામનો કરવા માટે વ્યાવસાયિક પ્રથાઓ અને પ્રક્રિયાઓની રચના અને વહેંચણી અંગે વિચાર-વિમર્શમાં કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ હંમેશા ડીજીપી કોન્ફરન્સમાં ઘણો રસ દાખવ્યો છે. પ્રધાનમંત્રી ન માત્ર તમામ મુદ્દાને ધ્યાનપૂર્વક સાંભળે છે, પરંતુ નવા વિચારોના ઉદભવને મંજૂરી આપતા ખુલ્લા અને અનૌપચારિક ચર્ચાના વાતાવરણને પણ પ્રોત્સાહન આપે છે. આ વર્ષે, કોન્ફરન્સમાં કેટલીક વિશિષ્ટ સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. યોગ સેશન, બિઝનેસ સેશન, બ્રેક-આઉટ સેશન્સ અને થીમેટિક ડાઇનિંગ ટેબલથી શરૂ કરીને આખો દિવસ અસરકારક રીતે ઉપયોગમાં લેવામાં આવશે. આનાથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પ્રધાનમંત્રી સમક્ષ દેશને અસર કરતી જટિલ પોલીસિંગ અને આંતરિક સુરક્ષા બાબતો પર તેમના પરિપ્રેક્ષ્ય અને સૂચનો રજૂ કરવાની મૂલ્યવાન તક પણ મળશે.

પ્રધાનમંત્રીએ 2014થી સમગ્ર દેશમાં વાર્ષિક DGsP/IGsP કોન્ફરન્સનું આયોજન કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. આ પરિષદ ગુવાહાટી (આસામ), કચ્છના રણ (ગુજરાત), હૈદરાબાદ (તેલંગાણા), ટેકનપુર (ગ્વાલિયર, મધ્યપ્રદેશ), સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા, ગુજરાત), પુણે (મહારાષ્ટ્ર), લખનૌ (ઉત્તર પ્રદેશ), નવી દિલ્હી અને જયપુર (રાજસ્થાન)માં યોજવામાં આવી છે. આ પરંપરાને યથાવત રાખતા ભુવનેશ્વર (ઓડિશા)માં 59મી DGsP/IGsP કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, રાજ્ય પ્રધાનો (ગૃહ બાબતો), રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓના વડાઓ સહિત અન્ય લોકો ઉપસ્થિત રહેશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Engineering goods exports up 10.4% in January,2026, crosses $100 billion mark in April-January Period of FY26

Media Coverage

Engineering goods exports up 10.4% in January,2026, crosses $100 billion mark in April-January Period of FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Eminent Malayali Litterateurs Meet PM to Express Gratitude for Renaming State to Keralam
February 27, 2026

A group of eminent Malayali litterateurs called upon the Prime Minister today to express their gratitude regarding the renaming of Kerala to Keralam.

The Prime Minister stated that he was very happy to receive the eminent Malayali litterateurs and noted that the interaction was extremely insightful. The Prime Minister, further highlighted that, the meeting reflected the litterateurs' passionate commitment to Keralam and the Malayalam .

Prime Minister shared on x;

Very happy to receive a group of eminent Malayali litterateurs who came to express their gratitude for renaming Kerala to Keralam.

The interaction was extremely insightful and it reflected their passionate commitment to Keralam and Malayalam.