પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોની પ્રશંસા કરીને સૌને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આ દિવસ પર્યાવરણના રક્ષણ અને ટકાઉ વિકાસને આગળ ધપાવવા માટેની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરવાનું કામ કરે છે, જે છેલ્લા એક દાયકામાં સરકારની અસંખ્ય પહેલોને રેખાંકિત કરે છે જેણે હરિયાળા વિસ્તારનો વિસ્તાર કર્યો છે અને પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓની વસ્તીમાં વધારો કર્યો છેશ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતના લોકોએ દર્શાવ્યું છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસોમજબૂત નીતિઓવિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો કરી શકે છે.

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે ભારત પોતાની જૈવિક વિવિધતા પર ઘણો ગર્વ અનુભવે છે, જે વિવિધ જીવસૃષ્ટિ દ્વારા અસંખ્ય પ્રજાતિઓ અને આજીવિકાને ટેકો આપે છે.

ખાસ પ્રજાતિઓના પુનરુત્થાનમાં નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ), સ્નો લેપર્ડરીંછ (સ્લોથ બેરઅને ચિત્તાઓ માટેના સંરક્ષણ પ્રયાસો એક ઝલક આપે છે કે કેવી રીતે સતત પ્રતિબદ્ધતા વન્યજીવો અને જીવસૃષ્ટિને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે 'એક પેડ મા કે નામજેવી પહેલોએ દર વર્ષે આશરે 1.1 લાખ હેક્ટર વન ઉમેરવાની દિશામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

શ્રી મોદીએ ખાતરી આપી હતી કે 'વન અર્થવન ફેમિલી એન્ડ વન ફ્યુચર'ના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવીનેભારત મિશન LiFEની ભાવના દ્વારા વધુ સ્વચ્છહરિયાળા અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઊંડી સાંસ્કૃતિક નૈતિકતા પરંપરાગત ભારતીય જ્ઞાનમાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છેઅને પર્યાવરણીય કારભારીના સંદેશને મજબૂત કરવા માટે એક પવિત્ર સંસ્કૃત સુભાષિત શેર કર્યું હતું.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાંપ્રધાનમંત્રીએ શેર કર્યું:

"વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌને શુભેચ્છાઓહું પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોની પ્રશંસા કરવા માંગુ છુંઆપણી પર્યાવરણની રક્ષા કરવા અને ટકાઉ હોય તેવા વિકાસને આગળ ધપાવવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરવાનો આ દિવસ છેછેલ્લા એક દાયકામાં આપણી સરકાર દ્વારા કરવામાં આવેલા અસંખ્ય પ્રયાસો આ દિશામાં આપણા કાર્યને રેખાંકિત કરે છેભારતની કેટલીક મુખ્ય સફળતાઓમાં હરિયાળા વિસ્તારનો વિસ્તાર અને કેટલાક પ્રાણીઓની વસ્તીમાં વધારો સામેલ છેભારતના લોકોએ બતાવ્યું છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસોનીતિઓવિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા આપણા પર્યાવરણને સુધારી શકે છે."

 

"આપણે ભારતમાં આપણી જૈવિક વિવિધતા પર ખૂબ ગર્વ અનુભવીએ છીએઆપણી વિવિધ જીવસૃષ્ટિ અસંખ્ય પ્રજાતિઓ અને આજીવિકાને ટેકો આપે છેખાસ પુનરુત્થાનમાં આપણા પ્રયાસો પણ નોંધપાત્ર રહ્યા છેગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડસ્નો લેપર્ડરીંછ અને ચિત્તાઓ માટેના સંરક્ષણ પ્રયાસોએ એક ઝલક આપી છે કે કેવી રીતે સતત પ્રતિબદ્ધતા વન્યજીવો અને જીવસૃષ્ટિને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. 'એક પેડ મા કે નામજેવી પહેલોએ દર વર્ષે આશરે 1.19 લાખ હેક્ટર વન ઉમેરવાની દિશામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે."

 

"'વન અર્થવન ફેમિલી એન્ડ વન ફ્યુચર'ના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવીનેઆપણે મિશન LiFEની ભાવના દ્વારા વધુ સ્વચ્છહરિયાળા અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખીશું."

પ્રકૃતિનું સંરક્ષણ એ ફક્ત એક જવાબદારી જ નથી, પણ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અભિન્ન ભાગ પણ છે.

मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः।

माध्वीर्नः सन्त्वोषधीः॥"

આપણી આસપાસ હવા આનંદદાયક અને ફાયદાકારક રીતે વહે, નદીઓ જીવન આપનારૂં અને પોષણક્ષમ પાણી પૂરું પાડેઅને ઔષધિઓ તથા વનસ્પતિઓ તમામ જીવો માટે સ્વાસ્થ્ય અને સુખાકારી લાવે.

 

May the air flow pleasantly and beneficially around us, may the rivers provide life-giving and nourishing water, and may herbs and plants bring health and well-being to all living beings.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Mapping the subsurface: How ICAR’s ‘Soil Intelligence’ is reshaping India’s mega infrastructure boom

Media Coverage

Mapping the subsurface: How ICAR’s ‘Soil Intelligence’ is reshaping India’s mega infrastructure boom
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 11, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આચાર્ય વિનોબા ભાવેના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આચાર્ય વિનોબા ભાવેએ તેમના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સમાજના સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી.

શ્રી મોદીએ 'X' પર પોસ્ટ કર્યું:

"આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

તેમના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

તેમણે પોતાના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી."