"ભારતની આઝાદીના અમૃતકાળમાં, આપણે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવા મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી છીએ"
"તમિલ સૌરાષ્ટ્ર સંગમ એ સરદાર પટેલ અને સુબ્રમણિયા ભારતીના દેશભક્તિના સંકલ્પનો સંગમ છે"
"ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાને વિશેષતા તરીકે જુએ છે"
"આપણા વારસાનું ગૌરવ ત્યારે વધશે જ્યારે આપણે તેને જાણીશું, ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને પોતાને જાણવાનો પ્રયત્ન કરીશું"
"પશ્ચિમ અને દક્ષિણના સૌરાષ્ટ્ર અને તમિલનાડુનું આ સાંસ્કૃતિક સંમિશ્રણ હજારો વર્ષોથી ચાલતો પ્રવાહ છે"
"ભારત સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ ધરાવે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહને સંબોધન કર્યું.

સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે મહેમાનનું આયોજન કરવું એ એક વિશેષ અનુભવ છે પરંતુ દાયકાઓ પછી સ્વદેશ પાછા ફરવાનો અનુભવ અને આનંદ અજોડ છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોએ તમિલનાડુના મિત્રો માટે રેડ કાર્પેટ બિછાવી છે જેઓ એ જ ઉત્સાહ સાથે રાજ્યની મુલાકાતે છે.

પ્રધાનમંત્રી યાદ કર્યું કે મુખ્યમંત્રી તરીકે તેમણે 2010માં મદુરાઈમાં સૌરાષ્ટ્રના 50,000થી વધુ સહભાગીઓ સાથે સમાન સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્રમાં આવેલા તમિલનાડુના મહેમાનોમાં સમાન સ્નેહ અને ઉત્સાહની નોંધ લીધી હતી. મહેમાનો પ્રવાસનમાં વ્યસ્ત છે અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ભૂતકાળની અમૂલ્ય સ્મૃતિઓ, વર્તમાન પ્રત્યેની લાગણી અને અનુભવો અને ભવિષ્ય માટેના સંકલ્પો અને પ્રેરણાઓ તમિલ સંગમમાં જોઈ શકાય છે. તેમણે આજના પ્રસંગ માટે સૌરાષ્ટ્ર અને તમિલનાડુના દરેકને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની આઝાદીના અમૃતકાળમાં આપણે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવા મહત્વના સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી છીએ જે માત્ર તમિલનાડુ અને સૌરાષ્ટ્રનો સંગમ નથી પરંતુ દેવી મીનાક્ષીના રૂપમાં શક્તિની ઉપાસનાનો અને દેવી પાર્વતીનો તહેવાર પણ છે. ઉપરાંત, આ ભગવાન સોમનાથ અને ભગવાન રામનાથના રૂપમાં શિવના આત્માનો તહેવાર છે. એ જ રીતે, તે સુંદરેશ્વર અને નાગેશ્વરની ભૂમિનો સંગમ છે, આ શ્રી કૃષ્ણ અને શ્રી રંગનાથનો, નર્મદા અને વાગઈ, દાંડિયા અને કોલથમનો સંગમ છે અને દ્વારકા અને પુરી જેવા પુરીઓની પવિત્ર પરંપરાનો સંગમ છે, એમ તેમણે જણાવ્યું હતું. “તમિલ સૌરાષ્ટ્ર સંગમ એ સરદાર પટેલ અને સુબ્રમણિયા ભારતીના દેશભક્તિના સંકલ્પનો સંગમ છે. આપણે રાષ્ટ્રનિર્માણના માર્ગ પર આ વારસા સાથે આગળ વધવું પડશે,” એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

"ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાને વિશિષ્ટતા તરીકે જુએ છે", પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં ઉજવવામાં આવતી વિવિધ ભાષાઓ અને બોલીઓ, કલાના સ્વરૂપો અને શૈલીઓનો ઉલ્લેખ કરતા કહ્યું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેની માન્યતા અને આધ્યાત્મિકતામાં વિવિધતા શોધે છે અને ભગવાન શિવ અને ભગવાન બ્રહ્માની પૂજા કરવાનું અને આપણી પોતાની વિવિધ રીતે જમીનની પવિત્ર નદીઓ તરફ માથું નમાવવાનું ઉદાહરણ આપ્યું. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આ વિવિધતા આપણને વિભાજિત કરતી નથી પરંતુ આપણા સંબંધો અને સહકારને મજબૂત બનાવે છે. તેમણે રેખાંકિત કર્યું કે જ્યારે વિવિધ પ્રવાહો એક સાથે આવે છે ત્યારે એક સંગમ સર્જાય છે અને કહ્યું કે ભારત સદીઓથી કુંભ જેવી ઘટનાઓમાં નદીઓના સંગમથી લઈને વિચારોના સંગમની કલ્પનાને પોષતું આવ્યું છે. "આ સંગમની શક્તિ છે જેને સૌરાષ્ટ્ર તમિલ સંગમ આજે નવા સ્વરૂપમાં આગળ લઈ જઈ રહ્યું છે", એવી પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી. સરદાર પટેલ સાહેબના આશીર્વાદથી આવા મહાન ઉત્સવોના રૂપમાં દેશની એકતા આકાર લઈ રહી છે તેવું તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાની પરિપૂર્ણતા છે જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન જોયું હતું.

પ્રધાનમંત્રીએ વારસામાં ગૌરવના ‘પંચ પ્રાણ’ને યાદ કરીને કહ્યું હતું કે, “આપણા વારસાનું ગૌરવ ત્યારે વધશે જ્યારે આપણે તેને જાણીશું, ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને પોતાને જાણવાનો પ્રયત્ન કરીશું.” કાશી તમિલ સંગમમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમમ જેવી ઘટનાઓ આ દિશામાં અસરકારક ચળવળ બની રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના ઊંડા જોડાણની અવગણના પર ટિપ્પણી કરી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે “પૌરાણિક સમયથી આ બંને રાજ્યો વચ્ચે ઊંડો સંબંધ રહ્યો છે. પશ્ચિમ અને દક્ષિણના સૌરાષ્ટ્ર અને તમિલનાડુનું આ સાંસ્કૃતિક સંમિશ્રણ એ પ્રવાહ છે જે હજારો વર્ષોથી ગતિમાં છે.”

2047ના ધ્યેય, ગુલામીના પડકારો અને 7 દાયકાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ વિચલિત અને વિનાશક શક્તિઓ સામે ચેતવણી આપી હતી. "ભારત પાસે સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ નવીનતા લાવવાની શક્તિ છે, સૌરાષ્ટ્ર અને તમિલનાડુનો સહિયારો ઇતિહાસ અમને આની ખાતરી આપે છે", એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ સોમનાથ પરના હુમલા અને પરિણામે તમિલનાડુમાં હિજરતને યાદ કરી અને કહ્યું કે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જતા લોકો ક્યારેય નવી ભાષા, લોકો અને પર્યાવરણની ચિંતા કરતા નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો તેમની આસ્થા અને ઓળખને બચાવવા માટે તમિલનાડુમાં સ્થળાંતર કર્યું અને તમિલનાડુના લોકોએ ખુલ્લા હાથે તેમનું સ્વાગત કર્યું હતું, અને તેમને નવા જીવન માટે તમામ સુવિધાઓ આપી હતી. "એક ભારત, શ્રેષ્ઠ ભારત"નું આનાથી મોટું અને ઉંચુ ઉદાહરણ શું હોઈ શકે?", એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

મહાન સંત તિરુવલ્લવરને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું કે સુખ, સમૃદ્ધિ અને ભાગ્ય તે લોકો માટે આવે છે જેઓ પોતાના ઘરમાં અન્ય લોકોનું ઉમળકાભેર સ્વાગત કરે છે અને સંવાદિતા અને સાંસ્કૃતિક અથડામણથી દૂર રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “આપણે સંઘર્ષોને આગળ લઈ જવાની જરૂર નથી, આપણે સંગમ અને સમાગમોને આગળ લઈ જવાના છે. આપણે મતભેદો શોધવા માંગતા નથી, આપણે ભાવનાત્મક જોડાણ કરવા માગીએ છીએ”, એમ પ્રધાનમંત્રીએ તમિલનાડુના લોકોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમણે તમિલનાડુમાં સ્થાયી થવા માટે સૌરાષ્ટ્ર મૂળના લોકોને આવકાર્યા હતા. તેમણે કહ્યું કે ભારતની અમર પરંપરા જે દરેકને સર્વસમાવેશકતા સાથે લઈને આગળ વધે છે તે તમિલ સંસ્કૃતિને અપનાવનારાઓએ દર્શાવી છે પરંતુ સાથે સાથે સૌરાષ્ટ્રની ભાષા, ભોજન અને રીતરિવાજોને પણ યાદ કર્યા છે. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે આપણા પૂર્વજોના યોગદાનને ફરજની ભાવના સાથે આગળ વધારવામાં આવી રહ્યા છે. સંબોધન સમાપ્ત કરતાં, પ્રધાનમંત્રીએ દરેકને વિનંતી કરી કે તેઓ સ્થાનિક સ્તરની જેમ દેશના વિવિધ ભાગોમાંથી લોકોને આમંત્રિત કરે અને તેમને ભારતમાં જીવવાની અને શ્વાસ લેવાની તક આપે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ આ દિશામાં ઐતિહાસિક પહેલ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

પૃષ્ઠભૂમિ

આ કાર્યક્રમની ઉત્પત્તિ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના વિઝનમાં રહેલી છે જે પહેલો દ્વારા બહાર લાવે છે અને દેશના વિવિધ ભાગોમાં લોકો વચ્ચેના વર્ષો જૂના સંબંધોને ફરીથી શોધવામાં મદદ કરે છે. આને ધ્યાનમાં રાખીને, કાશી તમિલ સંગમનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતું અને સૌરાષ્ટ્ર તમિલ સંગમમ ગુજરાત અને તમિલનાડુ વચ્ચેની સહિયારી સંસ્કૃતિ અને વારસાની ઉજવણી કરીને આ વિઝનને આગળ ધપાવે છે.

સદીઓ પહેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ઘણા લોકો તમિલનાડુમાં સ્થળાંતર કરી ગયા હતા. સૌરાષ્ટ્ર તમિલ સંગમમે સૌરાષ્ટ્રીયન તમિલોને તેમના મૂળ સાથે પુનઃજોડાવાની તક પૂરી પાડી. 10 દિવસના સંગમમાં 3000થી વધુ સૌરાષ્ટ્રીયન તમિલો ખાસ ટ્રેનમાં સોમનાથ આવ્યા હતા. આ કાર્યક્રમ 17મી એપ્રિલે શરૂ થયો હતો, હવે તેનો સમાપન સમારોહ 26મી એપ્રિલે સોમનાથ ખાતે યોજાશે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
UN Hails India’s Banking Programme For Women As Global Model

Media Coverage

UN Hails India’s Banking Programme For Women As Global Model
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the power of determination and hard work
March 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that the people of India, through their firm resolve, make even the most difficult tasks possible. He noted that with tireless effort in the right direction, they achieve even the biggest goals.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“यद् दूरं यद् दुराराध्यं यच्च दूरे व्यवस्थितम्। तत् सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम्॥”

The Subhashitam conveys that no matter how far, difficult, or out of reach a goal may seem, it can be achieved through firm determination and continuous hard work. Determination and patience are the forces that turn the impossible into possible.

The Prime Minister wrote on X;

“भारत के लोग अपने दृढ़ निश्चय से किसी भी कार्य को संभव बना देते हैं। सही दिशा में अपनी अथक मेहनत से वे बड़े से बड़े लक्ष्य को भी हासिल कर दिखाते हैं।

यद् दूरं यद् दुराराध्यं यच्च दूरे व्यवस्थितम्।

तत् सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम्॥”