સમૃદ્ધ ભારત અને દરેક વ્યક્તિના સશક્તીકરણ માટેની તેમની દ્રષ્ટિ પેઢીઓને પ્રેરણા આપતી રહે છે, મહાકવિ સુબ્રમણ્યમ ભારતીના કાર્યોનું સંકલન રજૂ કરવા બદલ ગૌરવ અનુભવું છું: પીએમ
આપણા દેશમાં, શબ્દોને માત્ર અભિવ્યક્તિ ગણવામાં આવતા નથી, આપણે એવી સંસ્કૃતિનો ભાગ છીએ જે 'શબ્દ બ્રહ્મ' વિશે વાત કરે છે, શબ્દોની અનંત શક્તિની વાત કરે છે: પીએમ
સુબ્રમણ્યમ ભારતીજી મા ભારતીની સેવા કરવા માટે સમર્પિત ગહન વિચારક હતા: પીએમ
સુબ્રમણ્યમ ભારતીજીના વિચારો અને બૌદ્ધિક તેજસ્વીતા આજે પણ આપણને પ્રેરણા આપે છે: પીએમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીના સંપૂર્ણ કાર્યોના સંગ્રહનું વિમોચન કર્યું હતું. મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતની આઝાદીની લડતની યાદો અને તમિલનાડુનાં ગૌરવ માટે એક મહાન તક છે. તેમણે ઉમેર્યું હતું કે, મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની કૃતિઓના પ્રકાશનનું આજે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ 21 ગ્રંથોમાં 'કાલા વારિસૈલ ભારથિયાર પદૈપપુગલ'ના સંકલન માટે છ દાયકા સુધી ચાલેલા અસાધારણ, અભૂતપૂર્વ અને અથાક પરિશ્રમની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સીની વિશ્વનાથનજીની મહેનત આ પ્રકારની તપસ્યા હતી.  જેનો લાભ આવનારી અનેક પેઢીઓને મળશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, શ્રી વિશ્વનાથનની તપસ્યાએ તેમને મહા-મહોપાધ્યાય પાંડુરંગ વામન કાણેની યાદ અપાવી હતી.  જેમણે તેમના જીવનનાં 35 વર્ષ ધર્મશાસ્ત્રનો ઇતિહાસ લખવામાં વિતાવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શ્રી સીની વિશ્વનાથનનું કાર્ય શૈક્ષણિક દુનિયામાં એક બેન્ચ-માર્ક બની જશે તથા તેમણે તેમને અને તેમનાં સાથીદારોને તેમનાં નિર્ણાયક કાર્ય માટે અભિનંદન આપ્યાં હતાં.

'કાલા વારસૈયિલ ભારતી પદિપુગલ'નો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ગ્રંથમાં માત્ર ભારતીજીની રચનાઓનો સમાવેશ થતો નથી, પણ તેમાં તેમનાં સાહિત્ય કે સાહિત્યિક સફરની પૃષ્ઠભૂમિની ઊંડાણપૂર્વકની માહિતી અને તેમનાં સર્જનોનું ઊંડાણપૂર્વકનું દાર્શનિક વિશ્લેષણ સામેલ છે. દરેક ગ્રંથમાં ભાષ્ય, સમજૂતીઓ અને વિગતવાર ટિપ્પણીઓનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "આ આવૃત્તિ સંશોધન વિદ્વાનો અને બૌદ્ધિકોને ભારતીજીનાં વિચારોનાં ઊંડાણને સમજવામાં ઘણી મદદગાર સાબિત થશે. જેમાં તેમણે તેઓ જે સમયગાળાનાં હતાં, તેનો પરિપ્રેક્ષ્ય સમાજમાં આવશે."

 

પ્રધાનમંત્રીએ ગીતા જયંતિ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા શ્રી સુબ્રમણ્યમ ભારતીને ગીતાનાં ઉપદેશોમાં ઊંડા વિશ્વાસ અને તેના જ્ઞાનની સમાન ઊંડી સમજણ માટે બિરદાવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "તેમણે ગીતાનું તમિલમાં ભાષાંતર કર્યું હતું અને તેના ગહન સંદેશનું સરળ અને સુલભ અર્થઘટન કર્યું હતું." શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ગીતા જયંતીનો પ્રસંગ, સુબ્રમણ્યમ ભારતીજીની જન્મજયંતિ અને તેમનાં કાર્યોનું પ્રકાશન એ 'ત્રિવેણી' જેવા નોંધપાત્ર સંગમથી ઓછું નથી.

ભારતીય વિચારધારામાંથી 'શબ્દ બ્રહ્મ'ની વિભાવનાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે હંમેશા શબ્દોને અભિવ્યક્તિનાં માધ્યમથી વિશેષ ગણી છે, જે તેમની અમર્યાદિત શક્તિને પ્રદર્શિત કરે છે. "ઋષિમુનિઓ અને ચિંતકોના શબ્દો તેમના ચિંતન, અનુભવો અને આધ્યાત્મિક વ્યવહારોના સારને પ્રતિબિંબિત કરે છે, જે ભવિષ્યની પેઢીઓ માટે તેમનું જતન કરવાની આપણી જવાબદારી બનાવે છે." શ્રી મોદીએ જણાવ્યું હતું કે, મહત્ત્વપૂર્ણ કાર્યોનું સંકલન કરવાની આ પરંપરા આજે પણ પ્રસ્તુત છે. દાખલા તરીકે, પુરાણોમાં વ્યવસ્થિત રીતે સચવાયેલા મહર્ષિ વ્યાસનાં લખાણો આજે પણ ગૂંજે છે. કેટલાંક ઉદાહરણો ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદનાં સંપૂર્ણ કાર્યો, ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં લખાણો અને ભાષણો તથા દીનદયાળ ઉપાધ્યાયનાં સંપૂર્ણ કાર્યોએ સમાજ અને શિક્ષણજગતમાં મોટું પ્રદાન કર્યું છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, થિરુક્કુરલનું બહુવિધ ભાષાઓમાં ભાષાંતર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જે તેના સાહિત્યિક વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાત દરમિયાન અને તેમના સત્તાવાર નિવાસસ્થાને તેમને ટોક પિસિનમાં થિરુક્કુરલનું વિમોચન કરવાની તક મળી હતી.

 

દેશની જરૂરિયાતો પર નજર રાખીને કામ કરનાર એક મહાન ચિંતક તરીકે સુબ્રમણ્યમ ભારતીની પ્રશંસા કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તેમણે એ સમયે દેશને જરૂરી એવી દરેક દિશામાં કામ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભારતિયાર માત્ર તમિલનાડુ અને તમિલ ભાષાનો વારસો જ નહોતો, પણ એક ચિંતક હતો, જેનો દરેક શ્વાસ મા ભારતીની સેવા માટે સમર્પિત હતો, જેણે ભારતનાં ઉત્થાન અને ગૌરવનું સ્વપ્ન જોયું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે ભારતિયારજીના પ્રદાનને લોકો સુધી પહોંચાડવા માટે ફરજની ભાવના સાથે સતત કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2020માં સમગ્ર વિશ્વ કોવિડ રોગચાળાથી પ્રભાવિત થયું હોવા છતાં સરકારે સુબ્રમણ્યમ ભારતીની 100મી પુણ્યતિથિની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે સુનિશ્ચિત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ પોતે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવનો ભાગ હતા. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે ભારત અને વિદેશમાં મહાકવિ ભારતીનાં વિચારો મારફતે ભારતનું વિઝન સતત દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યું છે. કાશીને પોતાની અને સુબ્રમણ્યમ ભારતી વચ્ચે જીવંત અને આધ્યાત્મિક જોડાણ તરીકે પ્રકાશિત કરતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વિતાવેલો સમય અને સુબ્રમણ્યમ ભારતીનો સંબંધ કાશીની વિરાસતનો ભાગ બની ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી ભારતી જ્ઞાન મેળવવા કાશી આવ્યાં હતાં અને ત્યાં કાયમ રહ્યાં હતાં તથા તેમનાં કુટુંબનાં ઘણાં સભ્યો આજે પણ કાશીમાં રહે છે. કાશીમાં રહીને ભારતિયારને તેમની મૂછોની માવજત કરવાની પ્રેરણા મળી હતી એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતીયારે કાશીમાં રહીને પોતાની ઘણી કૃતિઓ લખી હતી. વારાણસીથી સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરી રહેલા પ્રધાનમંત્રીએ આ પવિત્ર કાર્યને આવકાર્યું હતું અને ઉમેર્યું હતું કે, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં મહાકવિ ભારતિયારના પ્રદાનને સમર્પિત એક આસનની સ્થાપના કરવામાં આવી એ સરકારનું સૌભાગ્ય છે.

સુપ્રસિદ્ધ કવિ અને સ્વપ્નદ્રષ્ટા શ્રી સુબ્રમણ્યમ ભારતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં પ્રધાનમંત્રીએ ભારતની સાંસ્કૃતિક, બૌદ્ધિક અને સામાજિક તાણાવાણામાં તેમના અપ્રતિમ પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "સુબ્રમણ્યમ ભારતી એક એવું વ્યક્તિત્વ ધરાવતાં હતાં, જે સદીઓમાં કદાચ એક વખત આ દુનિયાનું ગૌરવ મેળવે છે. માત્ર 39 વર્ષનું જીવન હોવા છતાં, તેમણે આપણા રાષ્ટ્ર પર અમિટ છાપ છોડી છે. "શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પોતાનાં શક્તિશાળી શબ્દો મારફતે તેમણે માત્ર સ્વતંત્રતાની જ કલ્પના જ નથી કરી, પણ લોકોની સામૂહિક ચેતનાને પણ જાગૃત કરી છે, જે તેમણે લખેલી એક પંક્તિમાં ઊંડાણપૂર્વક પ્રતિબિંબિત થાય છે, જે આજદિન સુધી આપણી સાથે ગુંજી રહી છે: "એન્રુ તનીયમ ઇન્ધા સુધિરા ઠાગમએનરુ મડિયુમ એન્ગલ એડિમાયીન મોગમ?", એટલે કે આઝાદીની આ તરસ ક્યારે છીપાવવામાં આવશે? ગુલામી સાથેનો આપણો મોહ ક્યારે સમાપ્ત થશે? પત્રકારત્વ અને સાહિત્યમાં ભારતીજીના યોગદાનની પ્રશંસા કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "ભારતીજીએ 1906માં ઇન્ડિયા વીકલીની શરૂઆત કરીને પત્રકારત્વમાં ક્રાંતિ લાવી હતી, જે રાજકીય કાર્ટૂન દર્શાવતું પ્રથમ તમિલ અખબાર હતું. કન્નન પટ્ટુ જેવી તેમની કવિતા  તેમની ગહન આધ્યાત્મિકતા અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો પ્રત્યેની ઊંડી સહાનુભૂતિને પ્રતિબિંબિત કરે છે. ગરીબ લોકો માટે વસ્ત્રોના દાન માટેની તેમની અપીલ દર્શાવે છે કે તેમના કાર્યથી કાર્ય અને પરોપકારને કેવી રીતે પ્રેરણા મળી છે. "તેમને શાશ્વત પ્રેરણાસ્ત્રોત ગણાવતા શ્રી મોદીએ તેમની નીડર સ્પષ્ટતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમના કાલાતીત વિઝનની પ્રશંસા કરી હતી, જેણે હંમેશા જનતાને સ્વતંત્રતા, સમાનતા અને કરૂણા માટે પ્રયત્નશીલ રહેવાનો આગ્રહ કર્યો હતો.

 

પ્રધાનમંત્રીએ દૂરંદેશી દ્રષ્ટિ ધરાવતા પુરુષ તરીકે શ્રી ભારતિયારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, જ્યારે સમાજ અન્ય મુશ્કેલીઓમાં ફસાયેલો હતો, ત્યારે પણ ભારતિયાર યુવાનો અને મહિલા સશક્તીકરણનાં કટ્ટર સમર્થક હતાં તથા તેમને વિજ્ઞાન અને નવીનતામાં અપાર વિશ્વાસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, ભારતિયારે એક એવા સંચારની કલ્પના કરી હતી, જે અંતર ઘટાડે અને સમગ્ર દેશને જોડે. સુબ્રમણ્યમ ભારતીની પંક્તિઓનું પઠન કરતા, 'કાશી નગરપુલાવર પેસુમઉરાઇ તાનકાંચિયાઇલકેતપાદરકોરકરુવી ચેયવોમ'; એટલે કે એક એવું ઉપકરણ હોવું જોઈએ કે જેના દ્વારા કોઈ કાંચીમાં બેસીને બનારસના સંતો શું કહે છે તે સાંભળી શકે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા ભારતને દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્ચિમમાં જોડીને આ સ્વપ્નોને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભાષિની જેવી એપ્લિકેશનોએ પણ ભાષા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર કરી દીધી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ભારતની દરેક ભાષા પ્રત્યે સન્માન અને ગર્વની લાગણી પ્રવર્તે છે, જેનો ઉદ્દેશ ભારતની દરેક ભાષાને જાળવવાનો છે, જે એક એવો માર્ગ તરફ દોરી જાય છે કે જેમાં દરેક ભાષા માટે સેવા કરવામાં આવે છે.

શ્રી ભારતીનાં સાહિત્યિક પ્રદાનની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ તેમનાં કાર્યોને પ્રાચીન તમિલ ભાષા માટે અમૂલ્ય વારસો ગણાવ્યો હતો. "સુબ્રમણ્યમ ભારતીનું સાહિત્ય તમિલ ભાષા માટે ખજાનો છે, જે વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક છે. જ્યારે અમે તેમનું સાહિત્ય ફેલાવીએ છીએ, ત્યારે અમે તમિલ ભાષાની પણ સેવા કરીએ છીએ. અને આમ કરીને, અમે આપણા દેશના પ્રાચીન વારસાને જાળવી રહ્યા છીએ અને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. તમિલનો દરજ્જો વધારવા માટે છેલ્લા એક દાયકામાં કરવામાં આવેલા પ્રયાસો પર ભાર મૂકતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "છેલ્લાં 10 વર્ષમાં દેશે તમિલના ગૌરવનું સન્માન કરવા માટે સમર્પણ સાથે કામ કર્યું છે." તેમણે ઉમેર્યું હતું કે, તેમને સંયુક્ત રાષ્ટ્રમાં તમિલના ગૌરવનું પ્રતિનિધિત્વ કરવાનો લહાવો મળ્યો છે. તેમણે નોંધ્યું હતું કે, "અમે સમગ્ર વિશ્વમાં થિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્રો પણ ખોલી રહ્યા છીએ."

 

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કવિ સુબ્રમણ્યમ ભારતીનાં કાર્યોનું સંકલન તમિલ ભાષાને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર પ્રદાન કરશે. તેમણે કહ્યું હતું કે, "આપણે સાથે મળીને વિકસિત ભારતનાં લક્ષ્યાંકો હાંસલ કરીશું અને આપણાં દેશ માટે ભારતીજીનાં સ્વપ્નોને સાકાર કરીશું." શ્રી મોદીએ કાર્યોના સંકલન અને પ્રકાશનમાં સામેલ દરેકને અભિનંદન આપીને સંબોધનનું સમાપન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ શ્રી રાવ ઇન્દ્રજિત સિંહ, શ્રી એલ. મુરુગન, સાહિત્યકાર શ્રી સીની વિશ્વનાથન, પ્રકાશક શ્રી વી. શ્રીનિવાસન ઉપસ્થિત રહ્યા હતા.

 

પૃષ્ઠ ભૂમિ

સુબ્રમણ્યમ ભારતીનાં લખાણોએ લોકોમાં દેશભક્તિ જગાવી, ભારતીય સંસ્કૃતિ અને દેશની આધ્યાત્મિક વિરાસતનો સાર લોકો સુધી એવી ભાષામાં પહોંચાડ્યો કે જેની સાથે જનતા જોડાઈ શકે. તેમની સંપૂર્ણ કૃતિઓનો 23-વોલ્યુમનો સેટ સંક્ષેપ સીની વિશ્વનાથન દ્વારા સંકલિત અને સંપાદિત કરવામાં આવ્યો છે અને એલાયન્સ પબ્લિશર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં સુબ્રમણ્યમ ભારતીના લખાણોની આવૃત્તિઓ, ખુલાસાઓ, દસ્તાવેજો, પૃષ્ઠભૂમિની માહિતી અને દાર્શનિક પ્રસ્તુતિની વિગતો છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 20 ડિસેમ્બર 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology