પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે શ્રી પટેલનું વ્યક્તિત્વ અને કાર્ય રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે નાગરિકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શત-શત વંદન. તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ રાષ્ટ્રની એકતા, અખંડતા અને વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે દેશવાસીઓની પ્રેરણાશક્તિ બની રહેશે."
देश के लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी पुण्यतिथि पर शत-शत नमन। उनका व्यक्तित्व और कृतित्व राष्ट्र की एकता, अखंडता और विकसित भारत के संकल्प की सिद्धि के लिए देशवासियों की प्रेरणाशक्ति बना रहेगा।
— Narendra Modi (@narendramodi) December 15, 2024


