પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાવીર જયંતી નિમિત્તે ભગવાન મહાવીરને વંદન કર્યાં. શ્રી મોદીએ કહ્યું કે ભગવાન મહાવીર હંમેશા અહિંસા, સત્ય અને કરુણા પર ભાર મૂકતા હતા અને તેમના આદર્શો વિશ્વભરના અસંખ્ય લોકોને શક્તિ આપે છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું કે ગયા વર્ષે સરકારે પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો, આ નિર્ણયની ઘણી પ્રશંસા થઈ હતી.

X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“આપણે બધા ભગવાન મહાવીરને નમન કરીએ છીએ, જેમણે હંમેશા અહિંસા, સત્ય અને કરુણા પર ભાર મૂક્યો હતો. તેમના આદર્શો વિશ્વભરના અસંખ્ય લોકોને શક્તિ આપે છે. તેમના ઉપદેશોને જૈન સમુદાય દ્વારા સુંદર રીતે સંરક્ષિત અને લોકપ્રિય બનાવવામાં આવ્યા છે. ભગવાન મહાવીરથી પ્રેરિત થઈને, તેઓએ જીવનના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને સામાજિક સુખાકારીમાં યોગદાન આપ્યું છે.

અમારી સરકાર હંમેશા ભગવાન મહાવીરના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે કાર્ય કરશે. ગયા વર્ષે, અમે પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો, એક એવો નિર્ણય જેની ઘણી જ પ્રશંસા થઈ હતી.”

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rolls-Royce joins with HAL at the wheel to make India a major aerospace hub

Media Coverage

Rolls-Royce joins with HAL at the wheel to make India a major aerospace hub
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 મે 2026
May 15, 2026

Viksit Bharat Unleashed: PM Modi's Blueprint Delivers Energy Independence, Tech Boom, and Diplomatic Dominance