પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે બાબાસાહેબના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે શક્તિ અને ગતિ પ્રદાન કરશે.
એક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"તમામ દેશવાસીઓ વતી ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતી પર કોટિ-કોટિ વંદન કરું છું. આ તેમની જ પ્રેરણા છે કે દેશ આજે સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત ભાવથી કાર્યરત છે. તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણને શક્તિ અને ગતિ આપશે."
सभी देशवासियों की ओर से भारत रत्न पूज्य बाबासाहेब को उनकी जयंती पर कोटि-कोटि नमन। यह उन्हीं की प्रेरणा है कि देश आज सामाजिक न्याय के सपने को साकार करने में समर्पित भाव से जुटा हुआ है। उनके सिद्धांत एवं आदर्श आत्मनिर्भर और विकसित भारत के निर्माण को मजबूती और गति देने वाले हैं। pic.twitter.com/Qhshv4uK7M
— Narendra Modi (@narendramodi) April 14, 2025


