પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વીર બાલ દિવસ કાર્યક્રમને સંબોધિત કર્યો
આજે, આપણે બહાદુર સાહિબજાદાઓને યાદ કરીએ છીએ, જેઓ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે અને તેઓ ભારતની અદમ્ય હિંમત અને બહાદુરીના સર્વોચ્ચ આદર્શોને મૂર્તિમંત કરે છે: PM
માતા ગુજરીજી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને ચાર સાહિબજાદાઓની હિંમત અને આદર્શો દરેક ભારતીયને શક્તિ આપતા રહે છે: PM
ભારતે સંસ્થાનવાદી માનસિકતામાંથી હંમેશ માટે મુક્ત થવાનો સંકલ્પ કર્યો છે: PM
જેમ જેમ ભારત પોતાને સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત કરી રહ્યું છે, તેમ તેમ તેની ભાષાકીય વિવિધતા શક્તિના સ્ત્રોત તરીકે ઉભરી રહી છે: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે 'વીર બાલ દિવસ' નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ દેશભરમાંથી આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું અને હાજર બાળકોને સંબોધતા કહ્યું કે આજે દેશ વીર બાલ દિવસ ઉજવી રહ્યો છે. તેમણે વંદે માતરમની સુંદર પ્રસ્તુતિ પર પ્રકાશ પાડ્યો અને નોંધ્યું કે કલાકારોનું સમર્પણ અને પ્રયત્ન સ્પષ્ટપણે દેખાતા હતા.

આ દિવસે રાષ્ટ્ર બહાદુર સાહિબજાદાઓને યાદ કરે છે, જેઓ ભારતનું ગૌરવ છે અને અદમ્ય હિંમત અને બહાદુરીના શિખરનું પ્રતિનિધિત્વ કરે છે તેના પર ભાર મૂકતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ સાહિબજાદાઓએ ઉંમર અને તબક્કાની સીમાઓ તોડી નાખી, ક્રૂર મુઘલ સામ્રાજ્ય સામે ખડકની જેમ ઉભા રહ્યા અને ધાર્મિક કટ્ટરતા તથા આતંકના અસ્તિત્વને હચમચાવી દીધું. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે જે રાષ્ટ્રનો ભૂતકાળ આટલો ભવ્ય હોય, જેની યુવા પેઢીને આવા પ્રેરણાદાયી વારસા મળ્યા હોય, તે કંઈપણ પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે.

શ્રી મોદીએ કહ્યું કે જ્યારે પણ 26મી ડિસેમ્બરનો દિવસ આવે છે, ત્યારે તેમને ખાતરી થાય છે કે સરકારે સાહિબજાદાઓની બહાદુરીથી પ્રેરિત થઈને વીર બાલ દિવસની ઉજવણી શરૂ કરી છે. તેમણે પ્રકાશ પાડતાં કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં, આ નવી પરંપરાએ સાહિબજાદાઓની પ્રેરણા યુવા પેઢી સુધી પહોંચાડી છે અને સાહસિક તથા પ્રતિભાશાળી યુવાનોના નિર્માણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે રાષ્ટ્ર માટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP) થી સન્માનિત કરવામાં આવે છે, અને આ વર્ષે પણ દેશભરમાંથી 20 બાળકોએ આ એવોર્ડ મેળવ્યો છે. તેમણે તેમની સાથેની વાતચીત વિશે વધુમાં જણાવ્યું કે, કેટલાક બાળકોએ અસાધારણ બહાદુરી દર્શાવી, કેટલાકે સામાજિક સેવા અને પર્યાવરણ સુરક્ષામાં પ્રશંસનીય યોગદાન આપ્યું, કેટલાકે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવા પ્રયોગો કર્યા, જ્યારે અન્ય ઘણા લોકોએ રમતગમત, કલા અને સંસ્કૃતિમાં યોગદાન આપ્યું. શ્રી મોદીએ એવોર્ડ વિજેતાઓને જણાવ્યું હતું કે આ સન્માન માત્ર તેમના માટે જ નથી પરંતુ તેમના માતા-પિતા, શિક્ષકો અને માર્ગદર્શકો માટે પણ છે જેમના પ્રયત્નોની કદર કરવામાં આવી રહી છે, અને વિજેતાઓ તથા તેમના પરિવારોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

વીર બાલ દિવસ એ લાગણી અને આદરથી ભરેલો દિવસ છે તે બાબત પર ભાર મૂકતા, શ્રી મોદીએ સાહિબજાદા અજિત સિંહ જી, સાહિબજાદા જુઝાર સિંહ જી, સાહિબજાદા જોરાવર સિંહ જી અને સાહિબજાદા ફતેહ સિંહ જીને યાદ કર્યા, જેમણે ખૂબ જ નાની ઉંમરે તે સમયની સૌથી મોટી સત્તાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો સંઘર્ષ ભારતના મૂળભૂત વિચારો અને ધાર્મિક કટ્ટરતા વચ્ચે, સત્ય અને અસત્ય વચ્ચે હતો, જેમાં એક તરફ 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી અને બીજી તરફ ઔરંગઝેબનું ક્રૂર શાસન હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સાહિબજાદાઓ ખૂબ નાના હોવા છતાં, ઔરંગઝેબ ધર્માંતરણ કરાવવા માટે ભારતીયોનું મનોબળ તોડવા માટે મક્કમ હતો અને તેથી તેમને નિશાન બનાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઔરંગઝેબ અને તેના સેનાપતિઓ ભૂલી ગયા હતા કે ગુરુ ગોવિંદ સિંહ જી કોઈ સામાન્ય માણસ નહોતા પરંતુ તપ અને બલિદાનનું મૂર્તિમંત સ્વરૂપ હતા અને સાહિબજાદાઓને આ વારસો મળ્યો હતો. તેમણે જાહેર કર્યું કે સમગ્ર મુઘલ સામ્રાજ્યની તાકાત હોવા છતાં ચાર સાહિબજાદાઓમાંથી એક પણ ડગ્યા નહીં. પ્રધાનમંત્રીએ સાહિબજાદા અજિત સિંહ જીના શબ્દો યાદ કર્યા, જે આજે પણ તેમની હિંમતનો પડઘો પાડે છે.

થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રએ શ્રી ગુરુ તેગ બહાદુર જીને તેમના 350મા શહીદ દિવસ પર યાદ કર્યા હતા અને કુરુક્ષેત્રમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો તેનું સ્મરણ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે શ્રી ગુરુ તેગ બહાદુર જીના બલિદાનમાંથી પ્રેરણા લેનારા સાહિબજાદાઓ મુઘલ અત્યાચારોથી ડરશે તેવું વિચારવું ખોટું હતું. પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડતા કહ્યું કે માતા ગુજરી, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી અને ચાર સાહિબજાદાઓની હિંમત અને આદર્શો દરેક ભારતીયને શક્તિ આપે છે અને પ્રેરણાના સ્ત્રોત બની રહે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સાહિબજાદાઓના બલિદાનની ગાથા દરેક નાગરિકના જીભે હોવી જોઈતી હતી, પરંતુ કમનસીબે, આઝાદી પછી પણ સંસ્થાનવાદી માનસિકતા પ્રવર્તી રહી હતી. તેમણે ધ્યાન દોર્યું કે આ માનસિકતા બ્રિટિશ રાજકારણી મેકોલે દ્વારા 1835માં રોપવામાં આવી હતી અને સ્વતંત્રતા પછી પણ તેને નાબૂદ થવા દેવામાં આવી ન હતી, જેના કારણે દાયકાઓ સુધી આવા સત્યોને દબાવવાના પ્રયાસો થયા હતા. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે હવે સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત થવાનો સંકલ્પ કર્યો છે, અને જાહેર કર્યું કે ભારતીય બલિદાન અને બહાદુરીના કિસ્સાઓ હવે દબાવવામાં આવશે નહીં અને દેશના નાયકો અને નાયિકાઓને હવે હાંસિયામાં ધકેલી દેવામાં આવશે નહીં. તેમણે રેખાંકિત કર્યું કે આ જ કારણ છે કે વીર બાલ દિવસ પૂરી નિષ્ઠા અને ભાવના સાથે ઉજવવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર ત્યાં જ અટકી નથી, અને નોંધ્યું કે 2035 માં મેકોલેના કાવતરાને 200 વર્ષ પૂર્ણ થશે, અને 10 વર્ષ બાકી હોવાથી ભારત સંસ્થાનવાદી માનસિકતામાંથી સંપૂર્ણ મુક્તિ પ્રદર્શિત કરશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એકવાર રાષ્ટ્ર આ માનસિકતામાંથી મુક્ત થઈ જશે, તે સ્વદેશી પરંપરાઓ પર વધુ ગર્વ અનુભવશે અને આત્મનિર્ભરતાના માર્ગ પર આગળ વધશે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રને સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત કરવાની ઝુંબેશની ઝલક તાજેતરમાં સંસદમાં જોવા મળી હતી, જ્યાં શિયાળુ સત્ર દરમિયાન સંસદસભ્યોએ હિન્દી અને અંગ્રેજી સિવાય ભારતીય ભાષાઓમાં લગભગ 160 ભાષણો આપ્યા હતા. તેમણે હાઇલાઇટ કર્યું કે લગભગ 50 ભાષણો તમિલમાં, 40 થી વધુ મરાઠીમાં અને લગભગ 25 બંગાળીવ   માં હતા, અને નોંધ્યું કે આવું દ્રશ્ય વિશ્વની કોઈપણ સંસદમાં દુર્લભ છે અને તે બધા માટે ગૌરવની વાત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મેકોલેએ ભારતની ભાષા વૈવિધ્યને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે જેમ જેમ દેશ સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત થઈ રહ્યો છે તેમ તેમ ભાષાકીય વિવિધતા એક શક્તિ બની રહી છે.

યુવા ભારત સંસ્થાના હાજર યુવાનોને સંબોધતા શ્રી મોદીએ ટિપ્પણી કરી કે તેઓ જનરેશન Z અને જનરેશન આલ્ફાનું પ્રતિનિધિત્વ કરે છે, અને તે તેમની પેઢી જ છે જે ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ દોરી જશે. તેમણે જણાવ્યું કે તેઓ તેમની ક્ષમતા અને આત્મવિશ્વાસ જુએ છે અને સમજે છે, અને તેથી તેમના પર ઘણો વિશ્વાસ રાખે છે. કહેવત ટાંકીને શ્રી મોદીએ સમજાવ્યું કે જો બાળક સમજદારીપૂર્વક બોલે તો પણ તેનો સ્વીકાર કરવો જોઈએ, જેનો અર્થ છે કે મહાનતા ઉંમરથી નહીં પણ કાર્યો અને સિદ્ધિઓથી વ્યાખ્યાયિત થાય છે. તેમણે રેખાંકિત કર્યું કે યુવાનો એવા કાર્યો સિદ્ધ કરી શકે છે જે અન્ય લોકોને પ્રેરણા આપે છે અને ઘણાએ તે સાબિત કરી દીધું છે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સિદ્ધિઓને માત્ર એક શરૂઆત તરીકે જોવી જોઈએ, કારણ કે હજી ઘણું આગળ વધવાનું છે અને સપનાઓને આકાશ સુધી લઈ જવાના છે. આ પેઢી નસીબદાર છે તે નોંધતા શ્રી મોદીએ કહ્યું કે આજે રાષ્ટ્ર તેમની પ્રતિભા સાથે મક્કમતાથી ઊભું છે, અગાઉના સમયથી વિપરીત જ્યારે યુવાનો નિરાશાના વાતાવરણને કારણે સપના જોતા પણ ડરતા હતા. તેમણે ટિપ્પણી કરી કે આજે દેશ પ્રતિભા શોધે છે, પ્લેટફોર્મ પૂરું પાડે છે અને 140 કરોડ નાગરિકોની શક્તિને તેમની આકાંક્ષાઓ સાથે જોડે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે ડિજિટલ ઇન્ડિયાની સફળતા સાથે, યુવાનો પાસે ઇન્ટરનેટની શક્તિ અને શીખવા માટેના સંસાધનો છે, જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે આગળ વધતા લોકો માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને રમતગમતમાં આગળ વધતા લોકો માટે ખેલો ઇન્ડિયા જેવા મિશન છે. તેમણે ઉલ્લેખ કર્યો કે માત્ર બે દિવસ પહેલા જ તેમણે સંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો, જે યુવાનોની પ્રગતિને ટેકો આપવા માટે ઉપલબ્ધ અનેક પ્લેટફોર્મ્સને રેખાંકિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમને ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી અને અલ્પકાલિક લોકપ્રિયતાની ચમકમાં ફસાઈ ન જવા માટે સાવચેત કર્યા, અને ભારપૂર્વક જણાવ્યું કે વિચાર અને સિદ્ધાંતોની સ્પષ્ટતા આવશ્યક છે. તેમણે તેમને રાષ્ટ્રના આદર્શો અને મહાન વ્યક્તિઓ પાસેથી શીખવા અને તેમની સફળતા માત્ર તેમના પૂરતી મર્યાદિત ન રહેતા દેશની સફળતા બને તે સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્ર નિર્માણના કેન્દ્રમાં યુવાનોને રાખીને યુવા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને નવી નીતિઓ ઘડવામાં આવી રહી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે 'મેરા યુવા ભારત' જેવા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને જોડવા, તેમને તકો પૂરી પાડવા અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભલે તે સ્પેસ ઇકોનોમી (અવકાશ અર્થતંત્ર) ને આગળ વધારવાની વાત હોય, રમતગમતને પ્રોત્સાહન આપવાની હોય, ફિનટેક અને ઉત્પાદન ક્ષેત્રોને વિસ્તારવાની હોય અથવા કૌશલ્ય વિકાસ અને ઇન્ટર્નશિપ માટેની તકો ઊભી કરવાની હોય, યુવાનો દરેક પહેલના કેન્દ્રમાં રહે છે. તેમણે વધુમાં રેખાંકિત કર્યું કે દરેક ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો ખુલી રહી છે.

ભારત આજે અભૂતપૂર્વ સંજોગોનો સામનો કરી રહ્યું છે અને વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે તે નોંધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે આગામી 25 વર્ષ રાષ્ટ્રની દિશા નક્કી કરશે અને આઝાદી પછી પહેલીવાર ભારતની ક્ષમતાઓ, આકાંક્ષાઓ અને વિશ્વની અપેક્ષાઓ એકરૂપ થઈ રહી છે. તેમણે ટિપ્પણી કરી કે આજના યુવાનો અગાઉ કરતા વધુ સારી તકોના સમયમાં મોટા થઈ રહ્યા છે, અને સરકાર તેમની પ્રતિભા, આત્મવિશ્વાસ અને નેતૃત્વનો ઉપયોગ કરવા માટે વધુ સારી તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

યુવાનોને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણ નીતિમાં મહત્વપૂર્ણ સુધારાઓ દ્વારા વિકસિત ભારતના મજબૂત પાયા નાખવામાં આવી રહ્યા છે. તેમણે સમજાવ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીની આધુનિક શિક્ષણ પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે પ્રાયોગિક શિક્ષણ પર ભાર મૂકે છે, બાળકોને ગોખવાને બદલે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે, પ્રશ્નો પૂછવાની હિંમત કેળવે છે અને સમસ્યા હલ કરવાની કુશળતા બનાવે છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે પ્રથમ વખત આ દિશામાં સાર્થક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં બહુશાખાકીય અભ્યાસ, કૌશલ્ય-આધારિત શિક્ષણ, રમતગમતને પ્રોત્સાહન અને ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું કે દેશભરમાં લાખો બાળકો અટલ ટિંકરિંગ લેબ દ્વારા નવીનતા અને સંશોધનમાં જોડાઈ રહ્યા છે અને શાળા સ્તરે પણ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, AI, ટકાઉપણું અને ડિઝાઇન થિંકિંગનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રયાસોની સાથે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ માતૃભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ પૂરો પાડ્યો છે, જેનાથી શીખવાનું સરળ બન્યું છે અને બાળકોને વિષયો વધુ સારી રીતે સમજવામાં મદદ મળી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બહાદુર સાહિબજાદાઓએ રસ્તો કેટલો મુશ્કેલ છે તે નથી જોયું, પરંતુ રસ્તો સાચો છે કે નહીં તે જોયું છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે પણ એ જ ભાવનાની જરૂર છે. તેમણે ભારતના યુવાનો પાસેથી મોટા સપના જોવા, સખત મહેનત કરવા અને ક્યારેય તેમનો આત્મવિશ્વાસ નબળો ન પડવા દેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું કે ભારતનું ભવિષ્ય તેના બાળકો અને યુવાનોના ભવિષ્ય દ્વારા ચમકશે, જેમની હિંમત, પ્રતિભા અને સમર્પણ રાષ્ટ્રની પ્રગતિનું માર્ગદર્શન કરશે. પ્રધાનમંત્રીએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ આસ્થા, જવાબદારી અને સતત ગતિ સાથે ભારત તેના ભવિષ્ય તરફ આગળ વધતું રહેશે. તેમણે ફરી એકવાર સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તમામ એવોર્ડ વિજેતા યુવાનોને અભિનંદન આપ્યા અને દરેકનો હૃદયપૂર્વક આભાર માન્યો.

 

યુવાનોને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણ નીતિમાં મહત્વપૂર્ણ સુધારાઓ દ્વારા વિકસિત ભારતના મજબૂત પાયા નાખવામાં આવી રહ્યા છે. તેમણે સમજાવ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીની આધુનિક શિક્ષણ પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે પ્રાયોગિક શિક્ષણ પર ભાર મૂકે છે, બાળકોને ગોખવાને બદલે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે, પ્રશ્નો પૂછવાની હિંમત કેળવે છે અને સમસ્યા હલ કરવાની કુશળતા બનાવે છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે પ્રથમ વખત આ દિશામાં સાર્થક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં બહુશાખાકીય અભ્યાસ, કૌશલ્ય-આધારિત શિક્ષણ, રમતગમતને પ્રોત્સાહન અને ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું કે દેશભરમાં લાખો બાળકો અટલ ટિંકરિંગ લેબ દ્વારા નવીનતા અને સંશોધનમાં જોડાઈ રહ્યા છે અને શાળા સ્તરે પણ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, AI, ટકાઉપણું અને ડિઝાઇન થિંકિંગનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રયાસોની સાથે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ માતૃભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ પૂરો પાડ્યો છે, જેનાથી શીખવાનું સરળ બન્યું છે અને બાળકોને વિષયો વધુ સારી રીતે સમજવામાં મદદ મળી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બહાદુર સાહિબજાદાઓએ રસ્તો કેટલો મુશ્કેલ છે તે નથી જોયું, પરંતુ રસ્તો સાચો છે કે નહીં તે જોયું છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે પણ એ જ ભાવનાની જરૂર છે. તેમણે ભારતના યુવાનો પાસેથી મોટા સપના જોવા, સખત મહેનત કરવા અને ક્યારેય તેમનો આત્મવિશ્વાસ નબળો ન પડવા દેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું કે ભારતનું ભવિષ્ય તેના બાળકો અને યુવાનોના ભવિષ્ય દ્વારા ચમકશે, જેમની હિંમત, પ્રતિભા અને સમર્પણ રાષ્ટ્રની પ્રગતિનું માર્ગદર્શન કરશે. પ્રધાનમંત્રીએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ આસ્થા, જવાબદારી અને સતત ગતિ સાથે ભારત તેના ભવિષ્ય તરફ આગળ વધતું રહેશે. તેમણે ફરી એકવાર સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તમામ એવોર્ડ વિજેતા યુવાનોને અભિનંદન આપ્યા અને દરેકનો હૃદયપૂર્વક આભાર માન્યો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ શ્રીમતી અન્નપૂર્ણા દેવી, શ્રીમતી સાવિત્રી ઠાકુર, શ્રી રવનીત સિંહ, શ્રી હર્ષ મલ્હોત્રા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

પૃષ્ઠભૂમિ (Background)

વીર બાલ દિવસની ઉજવણી કરવા માટે, ભારત સરકાર નાગરિકોને સાહિબજાદાઓની અસાધારણ હિંમત અને સર્વોચ્ચ બલિદાન વિશે જાણકારી આપવા અને શિક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે, અને ભારતના ઇતિહાસના યુવા નાયકોની અદમ્ય હિંમત, બલિદાન અને શૌર્યનું સન્માન અને સ્મૃતિ કરી રહી છે. પ્રવૃત્તિઓમાં વાર્તા પઠન સત્રો, પઠન, પોસ્ટર બનાવવાની અને નિબંધ લેખન સ્પર્ધાઓનો સમાવેશ થશે. આ શાળાઓ, ચાઈલ્ડ કેર સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો અને અન્ય શૈક્ષણિક પ્લેટફોર્મ તેમજ MyGov અને MyBharat પોર્ટલ પર ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા હાથ ધરવામાં આવશે.

9મી જાન્યુઆરી 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પૂરબ પ્રસંગે, પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીની શહાદતની સ્મૃતિમાં 26મી ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે ઉજવવામાં આવશે, જેમના અપ્રતિમ બલિદાન પેઢીઓને પ્રેરણા આપતા રહે છે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP)ના વિજેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules

Media Coverage

Labour reforms: Govt fully operationalises four new codes by publishing rules
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets Andhra Pradesh Chief Minister Shri N. Chandrababu Naidu and his family in Hyderabad
May 10, 2026

The Prime Minister, Shri Narendra Modi met the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, and his family at his residence in Hyderabad today.

The Prime Minister said that it is always a delight to meet Shri Chandrababu Naidu and his family and exchange views on a wide range of subjects and diverse topics.

The Prime Minister wrote on X;

“In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.

@ncbn”