“સ્વામી વિવેકાનંદના ઘરમાં ધ્યાન કર્યું એ ખૂબ જ વિશિષ્ટ અનુભવ રહ્યો અને હવે મને અંદરથી પ્રેરિત અને ઉર્જાવાન હોવાનો અહેસાસ થાય છે”
“રામકૃષ્ણ મઠ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના જેવી જ ભાવના સાથે કામ કરે છે”
“અમારું સુશાસન સ્વામી વિવેકાનંદની વિચારધારાથી પ્રેરિત છે”
“મને વિશ્વાસ છે કે સ્વામી વિવેકાનંદ ગૌરવપૂર્વક ભારતને તેમની દૂરંદેશી પરિપૂર્ણ કરવા માટે કામ કરતું જોઇ રહ્યા છે”
“દરેક ભારતીયને લાગે છે કે, હવે આપણો સમય આવ્યો છે”
“અમૃતકાળનો ઉપયોગ પાંચ વિચારો એટલે કે પંચપ્રણને આત્મસાત કરીને મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે કરી શકાય”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ચેન્નાઇમાં આવેલા વિવેકાનંદ હાઉસ ખાતે શ્રી રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા પછી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સ્વામી વિવેકાનંદના ઓરડામાં જઇને પૂજા અને ધ્યાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પવિત્ર ત્રિપુટી પર એક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

 

સ્વામી રામકૃષ્ણાનંદ દ્વારા 1897માં ચેન્નાઇમાં શરૂ કરવામાં આવેલો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન એ આધ્યાત્મિક સંસ્થાઓ છે, જે માનવતાવાદી અને સામાજિક સેવા પ્રવૃત્તિઓના વિવિધ સ્વરૂપોમાં સંકળાયેલી છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ચેન્નાઇમાં રામકૃષ્ણ મઠની સેવાની 125મી વર્ષગાંઠના અવસર પર ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, તેમના જીવનમાં રામકૃષ્ણ મઠનું ઊંડું સન્માન રહેલું છે. તમિલવાસીઓ, તમિલ ભાષા, તમિલ સંસ્કૃતિ અને ચેન્નાઇના વાતાવરણ પ્રત્યેનો તેમનો સ્નેહ અને પ્રેમ વ્યક્ત કરતી વખતે પ્રધાનમંત્રીએ ચેન્નાઇમાં સ્વામી વિવેકાનંદના ઘરની મુલાકાત લીધી તેનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેઓ પશ્ચિમની તેમની યાત્રાએથી પાછા ફર્યા પછી રોકાયા હતા. તેમણે ટિપ્પણી કરી કે આ ઘરમાં ધ્યાન કર્યું તે તેમના માટે ખૂબ જ વિશેષ અનુભવ રહ્યો હતો અને તેમને અંદરથી હવે પ્રેરિત અને ઉર્જાવાન હોવાનો અનુભવ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ટેક્નોલોજી દ્વારા યુવા પેઢીઓ સુધી પ્રાચીન વિચારોની પહોંચ વિશે ખુશી વ્યક્ત કરી હતી.

તેમના એક શ્લોકમાંથી તિરુવલ્લુવરને ટાંકીને, પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, આ દુનિયા અને ભગવાનની દુનિયા બંનેમાં દયા જેવું કંઇ નથી. તમિલનાડુમાં રામકૃષ્ણ મઠના સેવાના ક્ષેત્રો પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ શિક્ષણ, પુસ્તકાલયો, રક્તપિત્ત અંગે લોકજાગૃતિ અને પુનર્વસન, આરોગ્ય સંભાળ, નર્સિંગ અને ગ્રામીણ વિકાસના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ બાબતે પણ સૌનું ધ્યાન દોર્યું હતું કે, પહેલાંના સમયમાં રામકૃષ્ણ મઠની સેવા, સ્વામી વિવેકાનંદ પર તમિલનાડુની અસર હતી જે સામે આવી હતી. તેમણે સમજાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદને તેમના જીવનનો ઉદ્દેશ્ય કન્યાકુમારીના પ્રસિદ્ધ ખડક પર મળ્યો હતો જેણે તેમનામાં પરિવર્તન લાવી દીધું હતું અને તેની અસર શિકાગોમાં જોવા મળી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદે તમિલનાડુની પવિત્ર ભૂમિ પર પ્રથમ પગ મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રામનાદના રાજાએ તેમને ખૂબ આદર સાથે આવકાર આપ્યો હતો અને નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રેન્ચ લેખક રોમેન રોલેન્ડે આ પ્રસંગને એક ઉત્સવ તરીકે વર્ણવ્યો હતો, જ્યાં સત્તર વિજય કમાનો ઊભી કરવામાં આવી હતી અને જાહેર જીવન એક અઠવાડિયા સુધી સ્થગિત થઇ ગયું હતું.

 

સ્વામી વિવેકાનંદ મૂળ તો બંગાળના હતા પરંતુ ભારતની આઝાદીના ઘણા સમય પહેલાં તમિલનાડુમાં તેમનું એક મહાન નાયક તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું, તે પ્રસંગની નોંધ લઇને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રના લોકોમાં હજારો વર્ષોથી એક રાષ્ટ્ર તરીકે ભારતનો ખ્યાલ ખૂબ જ સ્પષ્ટ હતો જે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો સંકેત આપે છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, રામકૃષ્ણ મઠ, એવી જ ભાવના સાથે કામ કરી રહ્યો છે, અને સમગ્ર ભારતમાં ફેલાયેલી તેમની અનેક સંસ્થાઓ લોકોની નિઃસ્વાર્થ સેવા કરતી હોવાનો તેમણે પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ કાશી-તમિલ સંગમમની સફળતા પર પણ પ્રકાશ પાડ્યો હતો અને માહિતી આપી હતી કે, સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ પણ થવા જઇ રહ્યું છે. તેમણે ભારતની એકતાને આગળ વધારવા માટેના આવા તમામ પ્રયાસોને મોટી સફળતા મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “અમારું સુશાસન સ્વામી વિવેકાનંદની વિચારધારાથી જ પ્રેરિત છે”. જ્યારે વિશેષાધિકાર તૂટે છે અને સમાનતા સુનિશ્ચિત કરવામાં આવે છે ત્યારે સમાજ પ્રગતિ કરે છે તેવી સ્વામી વિવકાનંદની દૂરંદેશી સાથે સામ્યતા દર્શાવતા, પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારના તમામ મુખ્ય કાર્યક્રમોમાં સમાન દૃષ્ટિકોણ લાગુ પડે છે. તેમણે ટાંક્યું હતું કે, અગાઉના સમયમાં, મૂળભૂત સુવિધાઓને પણ વિશેષાધિકારોની જેમ ગણવામાં આવતી હતી અને માત્ર મુઠ્ઠીભર લોકો જ અથવા નાના જૂથોને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવતી હતી. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, પરંતુ હવે વિકાસના દરવાજા દરેક વ્યક્તિ માટે ખોલી દેવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે મુદ્રા યોજના, અમારી સૌથી સફળ યોજનાઓમાંની એક છે, અને આજે તેની 8મી વર્ષગાંઠની ઉજવણી થઇ રહી છે અને તેમણે તમિલનાડુના એવા નાના ઉદ્યમીઓના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો જેમણે રાજ્યને આ યોજનામાં અગ્રેસર બનાવ્યું છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, “નાના ઉદ્યોગ સાહસિકોને લગભગ 38 કરોડ જામીન મુક્ત લોન આપવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોનો સમાવેશ થાય છે”. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, વ્યવસાય માટે બેંક લોન મેળવવી એ અગાઉ એક વિશેષાધિકાર માનવામાં આવતો હતો, પરંતુ હવે તેની સુલભતા ઘણી વ્યાપક બની ગઇ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેવી જ રીતે ઘર, વીજળી, LPG કનેક્શન, શૌચાલય અને બીજી તો આવી કેટલીક મૂળભૂત સુવિધાઓ અને વસ્તુઓ દરેક પરિવાર સુધી પહોંચી રહી છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સ્વામી વિવેકાનંદ પાસે ભારત માટે એક ભવ્ય દૂરંદેશી છે. આજે, મને વિશ્વાસ છે કે સ્વામી વિવેકાનંદ ગૌરવપૂર્વક ભારતને તેમની દૂરંદેશી પરિપૂર્ણ કરવા માટે કામ કરતું જોઇ રહ્યા છે”, અને પોતાની જાતમાં તેમજ આપણા દેશમાં વિશ્વાસ વિશેના તેમના કેન્દ્રીય સંદેશની તેમણે નોંધ લીધી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, દરેક ભારતીયને લાગે છે કે હવે આપણો સમય આવ્યો છે અને ઘણા નિષ્ણાતો સૂચવે છે કે આ ભારતની સદી હશે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે દુનિયા સાથે વિશ્વાસ અને પરસ્પર આદરની સ્થિતિથી જોડાયેલા છીએ”.

મહિલાઓને મદદ કરી શકીએ એવા આપણે તો કંઇ જ નથી અને જ્યારે મહિલાઓને એક યોગ્ય પ્લેટફોર્મ મળે, ત્યારે તેઓ સમાજનું નેતૃત્વ કરશે અને સમસ્યાઓનું નિરાકરણ જાતે જ કરશે તેવા સ્વામીજીએ આપેલા ઉપદેશોને યાદ કરીને, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજનું ભારત મહિલાઓના નેતૃત્વમાં વિકાસ કરવામાં માને છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “વાત ચાહે સ્ટાર્ટઅપ્સની હોય કે રમતગમતની હોય, સશસ્ત્ર દળો હોય કે પછી ઉચ્ચ શિક્ષણ હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ અવરોધોનું બંધન તોડી રહી છે અને વિક્રમો સ્થાપિત કરી રહી છે”. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વામીજી ચારિત્ર્યના વિકાસ માટે રમતગમત અને ફિટનેસને નિર્ણાયક પરિબળ માનતા હતા અને તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આજે સમાજે રમતગમતને માત્ર ઇતર પ્રવૃત્તિ તરીકે જોવાને બદલે વ્યાવસાયિક પસંદગી તરીકે જોવાનું શરૂ કર્યું છે. તેમણે ટાંક્યું હતું કે, યોગ અને ફિટ ઇન્ડિયા હવે જન આંદોલન બની ગયા છે. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પણ સ્પર્શ કર્યો હતો જેણે ભારતમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ લાવવા માટે શિક્ષણ ક્ષેત્રમાં સુધારો કર્યો છે અને સ્વામીજીની માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો કે, શિક્ષણ દ્વારા સશક્તિકરણ પ્રાપ્ત કરી શકાય છે અને તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ટેકનિકલ તેમજ વૈજ્ઞાનિક શિક્ષણની અત્યારની જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું હતું કે, “આજે, કૌશલ્ય વિકાસને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. આપણા પાસે વિશ્વની સૌથી વાઇબ્રન્ટ ટેક અને સાયન્ટિફિક ઇકોસિસ્ટમ પણ છે”.

 

માત્ર પાંચ વિચારોને આત્મસાત કરવા અને તેમને સંપૂર્ણ રીતે જીવવું પણ ખૂબ જ શક્તિશાળી બાબત છે તેવા સ્વામી વિવેકાનંદે કહેલા શબ્દોને યાદ કરીને, પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે, આપણે હમણાં જ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી અને રાષ્ટ્રએ આગામી 25 વર્ષને અમૃતકાળ તરીકે બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ અમૃતકાળનો ઉપયોગ પંચપ્રણ – પાંચ વિચારોને આત્મસાત કરીને મહાન સિદ્ધિઓ અને ચીજો પ્રાપ્ત કરવા માટે કરી શકાય. આ એક વિકસિત ભારતના લક્ષ્યો છે, બ્રિટિશ સામ્રાજ્યના સમયની માનસિકતાના કોઇપણ નિશાનને દૂર કરવા, આપણા વારસાની ઉજવણી કરવી, એકતાને મજબૂત કરવી અને આપણી ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરવું.” પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે દરેકને આ પાંચ સિદ્ધાંતોનું પાલન કરવાનો સામૂહિક અને વ્યક્તિગત રીતે સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ સમાપનમાં કહ્યું હતું કે, “જો 140 કરોડ લોકો આવો સંકલ્પ લેશે, તો આપણે 2047 સુધીમાં વિકસિત, આત્મનિર્ભર અને સર્વસમાવેશી ભારતનું નિર્માણ કરી શકીશું”.

આ પ્રસંગે તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિ, રામકૃષ્ણ મઠના ઉપાધ્યક્ષ શ્રીમત સ્વામી ગૌતમાનંદજી અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી એલ. મુરુગન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation

Media Coverage

India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust: PM Modi at G7 Summit in Evian, France
June 16, 2026

राष्ट्रपति मैक्रों,
Your Excellencies,

नमस्कार!

G-7 समिट में हमारे गर्मजोशी भरे स्वागत के लिए मैं राष्ट्रपति मैक्रों का हार्दिक आभार व्यक्त करता हूँ।

Friends,

आज का विश्व पहले से कहीं अधिक inter-connected और inter-dependent है। किसी भी देश की ऊर्जा सुरक्षा, खाद्य सुरक्षा, स्वास्थ्य सुरक्षा, साइबर सुरक्षा और आर्थिक समृद्धि केवल उसकी सीमाओं के भीतर तय नहीं होती। Mobility, data, capital, technology, ये सभी हमें आपस में जोड़ते हैं।

ऐसे समय में Partnerships का महत्व स्वाभाविक रूप से बढ़ जाता है। लेकिन साझेदारियाँ तभी सफल होती हैं जब उनके केंद्र में विश्वास हो। आज सबसे महत्वपूर्ण Strategic Asset कोई mineral, technology या market नहीं, बल्कि आपसी विश्वास है।

विश्वास कि टेक्नॉलजी और supply chains को हथियार के रूप में नहीं, global good के लिए इस्तेमाल किया जाएगा। विश्वास कि विकास के अवसर कुछ देशों तक सीमित नहीं रहेंगे। विश्वास कि वैश्विक संस्थान सभी देशों की आकांक्षाओं को पूरा करने में सक्षम होंगे।

Friends,

पिछली सदी में मानवता को दो विश्व युद्धों से गुज़रना पड़ा। अनेक बलिदानों के बाद विश्व समुदाय ने शांति, स्थिरता और समृद्धि की ओर बढ़ने के लिए व्यवस्थाएं विकसित की। इन व्यवस्थाओं का आधार भी trust ही था।

किन्तु अनेक दशकों से, अनेक पीढ़ियों के योगदान से बनाए गए विश्वास को आज चोट पहुँच रही है। कोविड ने हमें आईना दिखाया कि trust और solidarity के दावे कितने खोखले थे।

Today the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust. And the future of our partnerships depends on building this trust.

अमेरिका के राष्ट्रपति रोनल्ड रेगन ने कहा था: Trust but Verify. यह आज के समय में भी प्रासंगिक है। भावी पीढ़ियों के प्रति हमारा दायित्व है कि हम नए युग के अनुरूप trusted rules based order का निर्माण करें।

Friends,

भारत ने सदैव विश्व को एक परिवार के रूप में देखा है। हमारे सभी प्रयास “सर्वजन हिताय, सर्वजन सुखाय” यानि, welfare and happiness for all के मूल सिद्धांत पर आधारित रहे हैं।

भारत का अनुभव दिखाता है कि विकास सबसे अधिक प्रभावी तब होता है जब वह लोगों की आकांक्षाओं से जुड़ा हो। यही सिद्धांत हमारी अंतरराष्ट्रीय साझेदारियों का भी आधार है। इसी सोच के साथ भारत ने International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure, ग्लोबल बायोफ्यूल्स एलायंस, Mission LiFE, और “एक पेड़ माँ के नाम” जैसी वैश्विक पहलों को आगे बढ़ाया है।

संकट के समय भारत ने First Responder के रूप में सभी देशों की सहायता करना अपना दायित्व समझा है। कोविड महामारी के दौरान भारत ने डेढ़ सौ से अधिक देशों को दवाइयाँ और vaccines उपलब्ध कराईं।

श्रीलंका में cyclone हो, अफगानिस्तान में भूकंप हो, मोज़ाम्बिक में floods हों, या क्यूबा और जमैका में hurricane, भारत ने सदैव "Humanity First" के सिद्धांत पर कार्य किया है। हमारी विकास साझेदारियाँ भी इसी भावना को प्रतिबिंबित करती हैं। हमारे प्रयास पार्टनर देशों में capacity building और कौशल विकास पर केन्द्रित रहे हैं।

भारत का मानना है: The true test of partnership is not what we build for others, but what we enable others to build for themselves.

Friends,

आज ग्लोबल साउथ की विश्व समुदाय से बहुत उम्मीदें हैं। किन्तु उनकी अपेक्षा सहारे की नहीं, साथ की है। वे वैश्विक विकास के लाभार्थी नहीं, उसके भागीदार बनना चाहते हैं।

हमें donor–recipient की सोच से आगे बढ़कर, equal पार्टनर्स के रूप में काम करना होगा। उनके पास-पास नहीं, साथ-साथ चलना होगा। साझेदारी को dependency के बजाय, dignity से जोड़ना होगा। इन प्रयासों से हम भावी पीढ़ियों के सतत विकास की मजबूत नींव रख सकेंगे।

Friends,

अंतरराष्ट्रीय साझेदारियाँ और वैश्विक एकजुटता तभी सार्थक बन सकती हैं, जब हम साझा चुनौतियों का मिलकर समाधान करें। भारत का दृढ विश्वास है कि विश्व के विभिन्न हिस्सों में चल रहे तनावों और युद्धों का स्थायी समाधान dialogue, diplomacy और अंतरराष्ट्रीय सहयोग के मार्ग से ही संभव है।

हम west asia में शांति प्रयासों में हुई प्रगति का स्वागत करते हैं। इस संघर्ष से west asia में हमारे मित्र देशों को जान-माल का नुकसान झेलना पड़ा है। होर्मुज़ स्ट्रेट में maritime ट्रेड में आई बाधा के कारण पूरे विश्व की अर्थव्यवस्था को नुकसान पहुंचा। भारत के कई civilians को जान गंवानी पड़ी। Global maritime ट्रेड के माध्यम से सभी देशों को आपस में जोड़ने वाले नाविकों की सुरक्षा हमारा दायित्व है। हमें यह सुनिश्चित करना होगा कि समुद्री मार्ग सुरक्षित रहें, और Seafarers बिना भय के अपना कार्य कर सकें।

Friends,

भारत इन विषयों पर सभी पार्टनर्स के साथ मिलकर काम करने के लिए पूरी तरह से तैयार है।

बहुत-बहुत धन्यवाद।