પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગકોકમાં થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી મહામહિમ પેંટોગ્ટાર્ન શિનાવાત્રા સાથે થાઇલેન્ડની સત્તાવાર મુલાકાત લીધી હતી. સરકારી ભવનમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું પ્રધાનમંત્રી શિનાવાત્રાએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ તેમની બીજી મુલાકાત હતી. આ અગાઉ બંને નેતાઓ ઓક્ટોબર, 2024માં વિયેન્ટિયાનમાં આસિયાન સંબંધિત શિખર સંમેલનની સાથે-સાથે મળ્યાં હતાં.

બંને નેતાઓએ ભારત અને થાઇલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય સહકારની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરી હતી. તેમણે રાજકીય આદાન-પ્રદાન, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી, વ્યૂહાત્મક જોડાણ, વેપાર અને રોકાણ તથા લોકો વચ્ચેનાં સંબંધોને વધારે મજબૂત કરવા ચર્ચા કરી હતી. આમ કરતી વખતે તેમણે કનેક્ટિવિટી, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, સ્ટાર્ટ-અપ, નવીનતા, ડિજિટલ, શિક્ષણ, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રમાં જોડાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે માનવ તસ્કરી, માદક દ્રવ્યોની દાણચોરી અને સાયબર કૌભાંડો સહિત આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધોનો સામનો કરવા સહકારને ગાઢ બનાવવાનાં માર્ગો પર પણ ચર્ચા કરી હતી. બંને વડા પ્રધાનોએ વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું અને બિમસ્ટેક, આસિયાન અને મેકાંગ ગંગા સહકાર સહિત પેટા-પ્રાદેશિક, પ્રાદેશિક અને બહુપક્ષીયમાં ગાઢ સહકાર સ્થાપિત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

બંને નેતાઓએ ભારત-થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના પર સંયુક્ત જાહેરનામાનાં આદાન-પ્રદાનનાં સાક્ષી બન્યાં હતાં. તેમણે હાથવણાટ અને હસ્તકળાનાં ક્ષેત્રોમાં સમજૂતીકરારોનું આદાનપ્રદાન પણ કર્યું હતું. ડિજિટલ ટેકનોલોજી; સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગો (એમએસએમઇ); અને દરિયાઈ વારસો. બંને નેતાઓએ ભારત-થાઇલેન્ડ કોન્સ્યુલર ડાયલોગની સ્થાપનાને પણ આવકારી હતી, જે બંને દેશો વચ્ચે લોકો વચ્ચેનાં સંપર્કોને વધારે સરળ બનાવશે. પરિણામોની સૂચિ અહીં જોઈ શકાય છે.

સદ્ભાવનાના ભાગરૂપે થાઇલેન્ડની સરકારે પ્રધાનમંત્રીની મુલાકાતનાં પ્રતીક સ્વરૂપે 18મી સદીનાં રામાયણ ભીંતચિત્રો દર્શાવતી વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. બંને દેશો વચ્ચે ગાઢ સાંસ્કૃતિક અને ધાર્મિક જોડાણો પર ભાર મૂકીને પ્રધાનમંત્રી શ્રી શિનાવાત્રાએ પાલીમાં બૌદ્ધ ધર્મગ્રંથો ત્રિપિટકની વિશેષ આવૃત્તિ પ્રસ્તુત કરી હતી. ભારત અને થાઇલેન્ડ વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના પ્રયાસના ભાગરૂપે પ્રધાનમંત્રીએ ગુજરાતમાંથી ઉત્ખનન પામેલા ભગવાન બુદ્ધના અવશેષોને લોકો માટે સન્માન આપવા માટે ગુજરાતથી થાઇલેન્ડ મોકલવાની ઓફર કરી હતી. ગયા વર્ષે, ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો અને તેમના બે શિષ્યોએ ભારતથી થાઇલેન્ડની યાત્રા કરી હતી, અને 4 મિલિયનથી વધુ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારત અને થાઇલેન્ડ દરિયાઈ પડોશી દેશો છે, જેઓ રામાયણ અને બૌદ્ધ ધર્મ સહિત સાંસ્કૃતિક, ભાષાકીય અને ધાર્મિક જોડાણો સાથે સહિયારા સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. થાઇલેન્ડ સાથે ભારતનાં સંબંધો અમારી 'એક્ટ ઇસ્ટ' નીતિ, આસિયાન સાથે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી, વિઝન મહાસાગર અને ઇન્ડો-પેસિફિકનાં અમારાં વિઝનનો અભિન્ન આધારસ્તંભ છે. બંને દેશો વચ્ચે સતત આદાન-પ્રદાનને કારણે સદીઓ જૂનાં સંબંધો અને સહિયારા હિતો પર આધારિત મજબૂત અને બહુઆયામી સંબંધો બન્યાં છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways renews 54,600 km of tracks since 2014, boosting speed potential and safety

Media Coverage

Indian Railways renews 54,600 km of tracks since 2014, boosting speed potential and safety
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 માર્ચ 2026
March 11, 2026

From Silent Medical Revolution to Global Manufacturing Hub: Salute to PM Modi's Relentless Push for a Stronger, Self-Reliant India