પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ સર કીર સ્ટારમર સાથે મુલાકાત કરી હતી. બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સ્ટારમરને તેમના પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી સ્ટારમરે પણ પ્રધાનમંત્રીને તેમના ઐતિહાસિક ત્રીજી કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ આપી હતી.

દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં, બંને પ્રધાનમંત્રીઓએ અર્થવ્યવસ્થા, વેપાર, નવી અને ઉભરતી તકનીકો, સંશોધન અને નવીનતા, ગ્રીન ફાઇનાન્સ અને લોકો વચ્ચેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. તેઓએ મહત્વના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

બંને નેતાઓએ વ્હેલી તકે મુક્ત વ્યાપાર કરારની વાટાઘાટો ફરી શરૂ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વાટાઘાટ કરતી ટીમોની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, કે જેથી બાકીના મુદ્દાઓને પરસ્પર સંતુષ્ટિ સાથે ઉકેલી શકાય, જેનાથી એક સંતુલિત, પરસ્પર લાભદાયી અને પ્રગતિશીલ મુક્ત વેપાર કરાર થઈ શકે.

વધતા દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારી સંબંધોના પ્રકાશમાં બંને પક્ષો વચ્ચે વધુ જોડાણ માટેની પૂરતી તકોને ઓળખીને અને યુનાઇટેડ કિંગડમમાં ભારતીય સમુદાયની કોન્સ્યુલર જરૂરિયાતોને વધુ સારી રીતે સેવા આપવાના દૃષ્ટિકોણથી, પ્રધાનમંત્રી મોદીએ યુનાઇટેડ કિંગડમમાં બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં ભારતના બે નવા કોન્સ્યુલેટની સ્થાપનાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી સ્ટારમરેએ આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ બ્રિટનમાં ભારતના આર્થિક અપરાધીઓના મુદ્દાને સંબોધવાના મહત્વની નોંધ લીધી હતી. બંને નેતાઓ પ્રવાસન અને ગતિશીલતા સંબંધિત મુદ્દાઓ પર પ્રગતિ કરવાની જરૂરિયાત પર પણ સહમત થયા હતા.

બંને નેતાઓએ પોતાના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને ભારત-બ્રિટન કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો ભાગ બનેલી વિવિધ સમજૂતીઓના ઝડપી અમલીકરણ તરફ કામ કરવા નિર્દેશ આપ્યો હતો. તેઓએ વારંવાર વધુને વધુ સંવાદ અને ચર્ચાઓ માટેની પણ આશા વ્યક્ત કરી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles

Media Coverage

Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 માર્ચ 2026
March 04, 2026

Citizens Celebrate Colours of Confidence: PM Modi's Vision Powers Holi Joy, Jobs, Security, and Global Trust