પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રુનેઇમાં ભારતના હાઈ કમિશનના નવા ચાન્સરી પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દીપ પ્રગટાવી તકતીનું અનાવરણ કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભારતીય સમુદાયનાં સભ્યો સાથે પણ વાત કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે જીવંત સેતુ તરીકે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનાં તેમનાં પ્રદાનની પ્રશંસા કરી હતી. બ્રુનેઇ પહોંચેલા ભારતીયોનો પ્રથમ તબક્કો 1920ના દાયકામાં તેલની શોધ સાથે શરૂ થયો હતો. હાલમાં બ્રુનેઈમાં લગભગ 14,000 ભારતીયો વસવાટ કરી રહ્યા છે. બ્રુનેઈના આરોગ્ય સંભાળ અને શિક્ષણ ક્ષેત્રોની વૃદ્ધિ અને વિકાસમાં ભારતીય ડોકટરો અને શિક્ષકોના યોગદાનને સારી રીતે સ્વીકારવામાં આવ્યું છે.

 

આ પ્રાસંગિક સંકુલ ભારતીયતાની ગહન ભાવનાને મૂર્તિમંત કરે છે, જે પરંપરાગત ભાતો અને લીલાછમ વૃક્ષોને કુશળતાપૂર્વક સંકલિત કરે છે. ભવ્ય ક્લેડીંગ્સ અને ટકાઉ કોટા પથ્થરોનો ઉપયોગ તેની સૌંદર્યલક્ષી અપીલમાં વધુ વધારો કરે છે, સુમેળપૂર્વક ક્લાસિક અને સમકાલીન તત્વોનું મિશ્રણ કરે છે. આ ડિઝાઇન માત્ર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જ શ્રદ્ધાંજલિ આપતી નથી, પરંતુ શાંત અને આમંત્રિત વાતાવરણ પણ બનાવે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PLI 2.0: India bets big on making more of the smartphone at home

Media Coverage

PLI 2.0: India bets big on making more of the smartphone at home
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 મે 2026
May 29, 2026

Every Sector, Every Citizen: How PM Modi’s Vision is Transforming India Across All Fronts