શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 28મી મે, 2021, શુક્રવારના રોજ વાવાઝોડા યાસને કારણે ઉદભવેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. તેમણે ઓડિશાના ભદ્રક અને બલેશ્વર જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના પુર્બા મેડિનિપુરના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ હાથ ધરવામાં આવેલા રાહત અને પુનર્વસનના કાર્યોની સમીક્ષા માટે ભુવનેશ્વરમાં એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે વાવાઝોડા યાસને કારણે મહત્તમ નુક્સાન ઓડિશામાં થયું છે અને પશ્ચિમ બંગાળ અને ઝારખંડના અમુક ભાગો પણ અસરગ્રસ્ત થયા છે.

શ્રી મોદીએ તત્કાલ રાહત પ્રવૃત્તિઓ માટે રૂ. 1000 કરોડની નાણાંકીય મદદની જાહેરાત કરી હતી. રૂ. 500 કરોડ તત્કાલ ઓડિશાને આપવામાં આવશે. અન્ય રૂ. 500 કરોડ પશ્ચિમ બંગાળ અને ઝારખંડ માટે જાહેર કરવામાં આવ્યા છે જે નુક્સાનના આધારે છૂટાં કરવામાં આવશે. કેન્દ્ર સરકાર નુક્સાનનો અંદાજ કાઢવા માટે રાજ્યોમાં એક આંતર-મંત્રાલયની ટીમ મોકલશે અને એના આધારે વધુ મદદ આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલીના સમયે રાજ્ય સરકારો સાથે નિકટતાથી કાર્ય કરશે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના પુન:સ્થાપન અને પુન:નિર્માણ માટે શક્ય એટલી તમામ મદદ કરશે.

વાવાઝોડાને કારણે જેમણે વેઠવું પડ્યું છે એ તમામ પ્રત્યે પ્રધાનમંત્રીએ એમની સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને આ આફતમાં પોતાના આત્મજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

વાવાઝોડામાં માર્યા ગયેલા મૃતકોના વારસદારોને રૂ. 2 લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત માટે રૂ. 50,000ની મદદની તેમણે જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણે મોટી આપદાઓના વધુ વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું જારી રાખવાનું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની ઘટનાઓ અને અસરો વધી રહી છે ત્યારે દૂરસંચારની પ્રણાલિઓ, ઉપશમનના પ્રયાસો અને તૈયારીઓમાં મોટા ફેરફાર કરવા જ રહ્યા. રાહત પ્રયાસોમાં વધારે સારા સહકાર માટે તેઓ લોકો વચ્ચે વિશ્વાસ નિર્માણની અગત્યતા વિશે પણ બોલ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઓડિશા સરકારની તૈયારીઓ અને આપદા પ્રબંધનની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી જેના પરિણામે જિંદગીઓને બહુ ઓછું નુક્સાન થયું હતું. તેમણે એમ પણ નોંધ્યું હતું કે આવી કુદરતી આફતોને પહોંચી વળવા માટે રાજ્યએ લાંબા ગાળાના ઉપશમનના પ્રયાસો પર ચઢાણ શરૂ કર્યું છે.

તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે રૂ. 30000 કરોડની રકમની ઉપશમન નિધિઓ માટે જોગવાઇ કરીને નાણાં પંચ દ્વારા પણ આફતોના ઉપશમન પર ભાર મૂકવામાં આવ્યો છે.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's core sector output in August rises to 14-month high of 12.1%

Media Coverage

India's core sector output in August rises to 14-month high of 12.1%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM cheers Women's Squash Team on winning Bronze Medal in Asian Games
September 29, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi praised Women's Squash Team on winning Bronze Medal in Asian Games. Shri Modi congratulated Dipika Pallikal, Joshna Chinappa, Anahat Singh and Tanvi for this achievement.

In a X post, PM said;

“Delighted that our Squash Women's Team has won the Bronze Medal in Asian Games. I congratulate @DipikaPallikal, @joshnachinappa, @Anahat_Singh13 and Tanvi for their efforts. I also wish them the very best for their future endeavours.”