પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોરબંદરમાં ચાલી રહેલા માધવપુર મેળા નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ જીવંત તહેવાર આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના શાશ્વત સાંસ્કૃતિક બંધનને પણ મજબૂત બનાવે છે. શ્રી મોદીએ કહ્યું, "આ તહેવાર 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરતી વિવિધ પરંપરાઓને એકસાથે લાવે છે. હું લોકોને આ મેળામાં આવવાનું આહ્વાન કરું છું!"
પ્રધાનમંત્રીએ એપ્રિલ 2022 ના 'મન કી બાત' કાર્યક્રમમાં માધવપુર મેળાનું મહત્વ અને આપણી સંસ્કૃતિમાં તેના સ્થાન વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ગુજરાતના પોરબંદરમાં ચાલી રહેલા માધવપુર મેળાને મારી હાર્દિક શુભેચ્છાઓ.
આ જીવંત તહેવાર આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ગુજરાત અને ઉત્તરપૂર્વ વચ્ચેના શાશ્વત સાંસ્કૃતિક બંધનને પણ મજબૂત બનાવે છે.
આ તહેવાર 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરતી વિવિધ પરંપરાઓને એકસાથે લાવે છે. હું લોકોને આ મેળાની મુલાકાત લેવાનું આહ્વાન કરું છું!"
My best wishes for the ongoing Madhavpur Mela taking place in Porbandar, Gujarat.
— Narendra Modi (@narendramodi) March 29, 2026
This vibrant celebration highlights our glorious culture and at the same time it reinforces the timeless cultural bond between Gujarat and the Northeast.
This festival brings together diverse… https://t.co/KiqLe29UIB pic.twitter.com/xRxiPJ21lY
“In the #MannKiBaat programme of April 2022, I spoke about the significance of the Madhavpur Mela and its importance in our culture. Do listen…”
In the #MannKiBaat programme of April 2022, I spoke about the significance of the Madhavpur Mela and its importance in our culture. Do listen… pic.twitter.com/mJgb4sD77w
— Narendra Modi (@narendramodi) March 29, 2026


