પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલના પત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમના પરિવાર સાથે ઘણા વર્ષોથી ગાઢ અને સૌહાર્દપૂર્ણ સંબંધ રહ્યો છે.
શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ભગવાનને દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે.
— Narendra Modi (@narendramodi) June 22, 2026
આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને…


