પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમના અનુભવી ડૉ. એમ.આર. શ્રીનિવાસનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
"ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના દિગ્ગજ ડૉ. એમ.આર. શ્રીનિવાસનના નિધનથી ખૂબ દુઃખ થયું છે. મહત્વપૂર્ણ પરમાણુ માળખાના વિકાસમાં તેમની મુખ્ય ભૂમિકા ઊર્જા ક્ષેત્રમાં આપણા આત્મનિર્ભરતાનો પાયો રહી છે. પરમાણુ ઉર્જા આયોગના તેમના પ્રેરણાદાયી નેતૃત્વ માટે તેમને યાદ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક પ્રગતિને આગળ વધારવા અને ઘણા યુવા વૈજ્ઞાનિકોને માર્ગદર્શન આપવા બદલ ભારત હંમેશા તેમનો આભારી રહેશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ."
Deeply saddened by the passing of Dr. MR Srinivasan, a stalwart of India's nuclear energy program. His instrumental role in developing critical nuclear infrastructure has been foundational to our being self-reliant in the energy sector. He is remembered for his inspiring…
— Narendra Modi (@narendramodi) May 20, 2025


