પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં તેમના જાહેર જીવન તથા પત્રકારત્વ ક્ષેત્રે યોગદાનને યાદ કર્યુ હતું અને સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી મોદીએ તેમના શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી.
ગુજરાતના પૂર્વ નાણામંત્રી શ્રી પ્રતાપભાઈ શાહના અવસાનના સમાચારથી વ્યથિત છું. ગુજરાતના જાહેર જીવન અને પત્રકારત્વ ક્ષેત્રે તેઓએ આપેલ યોગદાન સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...
— Narendra Modi (@narendramodi) May 6, 2021


