પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."
The mishap in Surendranagar district, Gujarat, is deeply distressing. Heartfelt condolences to those who have lost their loved ones. Prayers for the speedy recovery of the injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 13, 2026


