PM urges IIT Guwahati to establish a Center for disaster management and risk reduction
NEP 2020 will establish India as a major global education destination: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આઇઆઇટી, ગુવાહાટીના પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો.

ज्ञानम् विज्ञान सहितम् यत् ज्ञात्वा मोक्ष्यसे अशुभात्। કથનને ટાંકીને પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, વિજ્ઞાન સહિત તમામ પ્રકારનાં જ્ઞાનનો ઉપયોગ સમસ્યાઓનું સમાધાન કરવા માટે થાય છે.

તેમણે અત્યારે આઇઆઇટી જેવી સંસ્થાઓ વિજ્ઞાનમાં જે રીતે આગળ વધી રહી છે એના પર ગર્વ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સતત નવીનતા લાવવા માટેની આ ઊર્જાએ હજારો વર્ષોથી આપણા દેશને, આપણી સભ્યતાને જીવંત જાળવી રાખી છે.

પ્રધાનમંત્રીએ યુવા પેઢીને ભવિષ્ય માટે તૈયાર અને ફિટ રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, યુવા પેઢીની આકાંક્ષાઓ અને સ્વપ્નો ભારતના ભવિષ્યને આકાર આપશે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, આઇઆઇટી ગુવાહાટીએ આ દિશામાં પ્રયાસો કરવાની શરૂઆત કરી છે.

પ્રધાનમંત્રીએ રોગચાળા દરમિયાન સંશોધનાત્મક કાર્ય જાળવી રાખીને અને આ પ્રકારના મુશ્કેલ સ્થિતિસંજોગો વચ્ચે પણ શૈક્ષણિક સત્રો હાથ ધરીને દેશને આત્મનિર્ભર બનાવવા પ્રદાન કરવા સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એકવીસમી સદીની જરૂરિયાતો પૂર્ણ કરશે તથા ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે લીડર બનાવશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, એનઇપી 2020 એકથી વધારે શાખાઓ માટે બનાવવામાં આવી છે તથા વિવિધ અભ્યાસક્રમો પસંદ કરવાની સુવિધા આપે છે તેમજ એકથી વધારે રીતે એન્ટ્રી અને એક્ઝીટની રીતો સાથે સજ્જ છે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, એનઇપીએ સંશોધન માટે ફંડ સાથે સંબંધિત તમામ ફંડિંગ સંસ્થાઓ સાથે વધારે સંકલન સ્થાપિત કરવા રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની દરખાસ્ત પણ રજૂ કરી છે. આ ફાઉન્ડેશન વિજ્ઞાન હોય કે માનવતા સાથે સંબંધિત અન્ય કોઈ પણ શાખા હોય એને ફંડ પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એનઇપી વિદેશી વિશ્વવિદ્યાલયોને ભારતમાં તેમના કેમ્પસ સ્થાપિત કરવાની સુવિધા આપશે, જેનાથી ભારતીય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરવાની તક પ્રદાન કરશે. તેમણે કહ્યું હતું કે, એનઇપી ભારતને દુનિયાના મોટા શૈક્ષણિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતની એક્ટ ઇસ્ટ નીતિ માટે પૂર્વોત્તર વિસ્તાર કેન્દ્રમાં છે અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે ભારતના સંબંધોનું પ્રવેશદ્વાર છે. આ દેશો સાથે સંબંધોના કેન્દ્રમાં સંસ્કૃતિ, વાણિજ્ય, જોડાણ અને ક્ષમતા રહેશે. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ અન્ય નવું માધ્યમ બનવા જઈ રહ્યું છે અને આઇઆઇટી ગુવાહાટી એનું મોટું કેન્દ્ર બની શકે છે. આ પૂર્વોત્તરને નવી ઓળખ આપશે અને અહીં નવી તકો પણ ઊભી થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે આ પૂર્વોત્તર રાજ્યોના માળખાગત વિકાસ માટે ઘણો ભાર મૂક્યો હોવાથી, ખાસ કરીને રેલવે, રાજમાર્ગો, હવાઈ માર્ગો અને જળમાર્ગો પર ભાર મૂકતા નવી તકો ઊભી થઈ છે.

પ્રધાનમંત્રીએ પદવીદાન સમારંભમાં 300 યુવાન ફેલોને પીએચડીની પદવી એનાયત કરતા ખુશી વ્યક્ત કરી હતી અને તેમને દેશના વિકાસ માટે તેમના સંશોધન કાર્યને જાળવી રાખવા વિનંતી કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તેમનું સંશોધન કેવી રીતે આ વિસ્તારના વિકાસની સંભવિતતાઓ હાંસલ કરવા ઉપયોગી થઈ શકશે એ વિશે વિચારવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ આઇઆઇટી ગુવાહાટીને સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપત્તિ નિવારણ કેન્દ્ર)ની સ્થાપના કરવા અને જોખમ ઘટાડવા અપીલ કરી હતી, જેથી આ વિસ્તારના લોકોમાં આફતોમાં કામ કરવાની કુશળતા વિકસી શકે.

 

 

 

 

 

 

 

 

 

पूरा भाषण पढ़ने के लिए यहां क्लिक कीजिए

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India leads globally in renewable energy; records highest-ever 31.25 GW non-fossil addition in FY 25-26: Pralhad Joshi.

Media Coverage

India leads globally in renewable energy; records highest-ever 31.25 GW non-fossil addition in FY 25-26: Pralhad Joshi.
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi hails the commencement of 20th Session of UNESCO’s Committee on Intangible Cultural Heritage in India
December 08, 2025

The Prime Minister has expressed immense joy on the commencement of the 20th Session of the Committee on Intangible Cultural Heritage of UNESCO in India. He said that the forum has brought together delegates from over 150 nations with a shared vision to protect and popularise living traditions across the world.

The Prime Minister stated that India is glad to host this important gathering, especially at the historic Red Fort. He added that the occasion reflects India’s commitment to harnessing the power of culture to connect societies and generations.

The Prime Minister wrote on X;

“It is a matter of immense joy that the 20th Session of UNESCO’s Committee on Intangible Cultural Heritage has commenced in India. This forum has brought together delegates from over 150 nations with a vision to protect and popularise our shared living traditions. India is glad to host this gathering, and that too at the Red Fort. It also reflects our commitment to harnessing the power of culture to connect societies and generations.

@UNESCO”