પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરવા આજે તેમની બીજી ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ત્યાંના તમામ ભારતીય નાગરિકો સલામત અને સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે સમગ્ર સરકારી તંત્ર ચોવીસ કલાક કામ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે ચાર વરિષ્ઠ મંત્રીઓની વિવિધ રાષ્ટ્રોમાં તેમના વિશેષ દૂત તરીકેની મુલાકાતથી સ્થળાંતરના પ્રયાસોને વેગ મળશે. તે આ બાબતને સરકાર જે પ્રાથમિકતા આપે છે તેનું પ્રતિબિંબ પાડે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે યુક્રેનની સરહદો પર માનવીય પરિસ્થિતિનો સામનો કરવા માટે યુક્રેનને રાહત પુરવઠાનો પ્રથમ જથ્થો આવતીકાલે રવાના કરવામાં આવશે.

વિશ્વ એક પરિવાર હોવાના ભારતના સૂત્ર દ્વારા માર્ગદર્શન આપતા, પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે ભારત પડોશી દેશો અને વિકાસશીલ દેશોના એ લોકોને મદદ કરશે કે જેઓ યુક્રેનમાં ફસાયેલા છે અને તેઓ મદદ માંગી શકે છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London

Media Coverage

Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 મે 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India