The country is indebted to Baba Saheb, for his contributions to nation-building: PM Modi
Despite his struggles, Dr. Ambedkar had an inspirational vision for the nation to overcome its problems: PM Modi
Today’s generation has the capability and the potential to eradicate social evils: PM Narendra Modi
We should make our political democracy, a social democracy as well: PM Modi
Union Government is making every effort to complete schemes and projects within their intended duration: PM
‘New India’ is where everyone has equal opportunity and rights, free from caste oppression and progressing through the strength of technology: PM Modi

પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દેશને અર્પણ કર્યું હતું. તેમણે આ સંસ્થાનું શિલારોપણ એપ્રિલ, 2015માં કર્યું હતું.

આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેન્દ્ર સરકાર ડૉ. આંબેડકરનાં મૂલ્યો અને વિઝનનો પ્રસાર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

તેમણે નોંધ્યું હતું કે, ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર સંશોધન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, આ કેન્દ્ર સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક બાબતો માટે થિંક-ટેંક તરીકે કામ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વૈચારિક-આગેવાનો અને દીર્ઘદ્રષ્ટાઓએ વિવિધ સમયે આપણાં દેશને દિશા આપી છે. તેમણે કહ્યું હતું કે, બાબાસાહેબે રાષ્ટ્રનાં નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને દેશ આ માટે હંમેશા તેમનો ઋણી રહેશે. તેમણે જણાવ્યું હતું કે, તેમનાં વિઝન અને વિચારો વિશે લોકો, ખાસ કરીને યુવા પેઢી વધુને વધુ પરિચિત થાય એવું કેન્દ્ર સરકાર ઇચ્છે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કારણે ડૉ. આંબેડકરનાં જીવન સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સ્થાનોનો વિકાસ કેન્દ્ર સરકાર યાત્રાધામ તરીકે કરે છે. આ સંદર્ભમાં તેમણે દિલ્હીમાં અલીપુર, મધ્યપ્રદેશમાં મ્હો, મુંબઈમાં ઇન્દુ મિલ, નાગપુરમાં દીક્ષાભૂમિ અને લંડનમાં ઘર જેવા સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘પંચતીર્થ’ હાલની પેઢી માટે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાનો માર્ગ છે. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ વ્યવહારો માટે ભીમ એપ કેન્દ્ર સરકાર દ્વારા ડૉ. આંબેડકરનાં આર્થિક વિઝનને શ્રદ્ધાંજલિ છે.

ડૉ. આંબેડકરે ડિસેમ્બર, 1946માં બંધારણીય સભામાં કરેલા સંબોધનમાંથી કેટલાંક વિધાનો ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ડૉ. આંબેડકરે સંઘર્ષ કર્યો હોવા છતાં તેઓ સમસ્યાઓનું સમાધાન કરવા દેશ માટે પ્રેરક વિઝન ધરાવતાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આપણે હજુ પણ ડૉ. આંબેડકરનું સ્વપ્ન સાકાર કરી શક્યાં નથી. તેમણે કહ્યું હતું કે, હાલની પેઢી સામાજિક અનિષ્ટોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

પ્રધાનમંત્રીએ ડૉ. આંબેડકરનાં એ શબ્દોને યાદ કર્યા હતાં કે, આપણે રાજકીય રીતે લોકશાહી રાષ્ટ્ર બનવાની સાથે સામાજિક દ્રષ્ટિએ પણ લોકશાહી રાષ્ટ્ર બનવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં સાડા ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે સામાજિક લોકશાહીનાં તેમનાં સ્વપ્નને સાકાર કરવા કામ કર્યું છે. આ સંદર્ભમાં તેમણે સરકારની જન ધન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, વીમા યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને તાજેતરમાં લોંચ થયેલી સૌભાગ્ય યોજનાઓ જેવી મહત્ત્વપૂર્ણ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઇચ્છિત સમયગાળાની અંદર યોજનાઓ અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા તમામ પ્રયાસ કરી રહી છે તથા ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અમારી આ કટિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોઇલ હેલ્થ કાર્ડ, મિશન ઇન્દ્રધનુષ સહિત અન્ય યોજનાઓ તથા ગ્રામીણ વીજળીકરણ લક્ષ્યાંકો માટેની પ્રગતિ, સરકારી કલ્યાણકારક પહેલોનાં અમલમાં કેન્દ્ર સરકારની ઝડપ અને પ્રતિબદ્ધતા વિશે વિગતવાર વાત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વરોજગારી પેદા કરવા સ્ટેન્ડ-અપ ઇન્ડિયા સ્કીમનો ઉલ્લેખ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની “ન્યૂ ઇન્ડિયા”નાં નિર્માણ માટેની અપીલ એવા ભારત માટેની છે, જેનું સ્વપ્ન ડૉ. આંબેડકરે જોયું હતું, જેમાં દરેક વ્યક્તિને સમાન અધિકારો અને તકો મળશે, જે જ્ઞાતિજાતિનાં શોષણથી મુક્ત હશે અને ટેકનોલોજી મારફતે પ્રગતિની હરણફાળ ભરતું હશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આપણે વર્ષ 2022 સુધીમાં આ સ્વપ્ન સાકાર કરી શકીશું.

Click here to read full text of speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India adds 11 ports to e-visa scheme; total entry points rises to 88

Media Coverage

India adds 11 ports to e-visa scheme; total entry points rises to 88
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi shares a Sanskrit Subhashitam highlighting the eight essential qualities that enhance a person’s life and character
August 11, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the eight essential qualities that brighten a person's life and build character.

The Prime Minister wrote on X;

"अष्टौ गुणाः पुरुषं दीपयन्ति प्रज्ञा सुशीलत्वदमौ श्रुतं च।
पराक्रमश्च बहुभाषिता च दानं यथाशक्ति कृतज्ञता च।।"

These eight qualities brighten a person's life. Wisdom shows him the right path. Good conduct keeps his character pure, and self-control keeps him disciplined. Knowledge gives him understanding, courage helps him stand firm in difficult situations, and skillful speech earns him respect in society. Giving according to one's ability and being grateful for kindness make a person complete.