#MannKiBaat: PM extends greetings to people of Bangladesh on their independence day
India will always stand shoulder to shoulder with the people of Bangladesh: PM Modi during #MannKiBaat
Jallianwala Bagh massacre in 1919 left a deep impact on Shaheed Bhagat Singh: PM Modi during #MannKiBaat
#MannKiBaat: Bhagat Singh, Sukhdev and Rajguru were not scared of death. They lived and died for our nation, says PM Modi
We are marking 100 years of Champaran Satyagraha. This was one of the earliest Gandhian mass movements in India: PM #MannKiBaat
The Champaran Satyagraha showed us how special Mahatma Gandhi was and how unique his personality was: PM Modi during #MannKiBaat
New India manifests the strength and skills of 125 crore Indians, who will create a Bhavya and Divya Bharat, says the PM #MannKiBaat
India has extended support to the movement towards digital transactions. People of India have rejected corruption & black money: PM Modi
People of India are getting angry as far as dirt is concerned, this will lead to more efforts towards cleanliness: PM Modi during #MannKiBaat
Wastage of food is unfortunate. It is an injustice to the poor: PM Modi during #MannKiBaat
Depression can be overcome. We all can play a role in helping those suffering from depression overcome it: PM Modi during #MannKiBaat
Lets us make the 3rd International Day of Yoga memorable by involving more and more people: PM Modi during #MannKiBaat
PM Modi highlights the benefits of maternity bill during #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને મારા નમસ્કાર, દેશમાં બધી જગ્યાએ મોટા ભાગના પરિવારો પોતાના બાળકોની પરીક્ષામાં વ્યસ્ત હશે. જેમની પરીક્ષા પૂરી થઇ ગઇ હશે તેમને ત્યાં કંઇક હળવાશનું વાતાવરણ હશે અને જયાં પરીક્ષા ચાલી રહી હશે, તે પરિવારોમાં અત્યારે પણ થોડી-ઘણી તો ચિંતા હશે જ. પરંતુ આ સમયે હું એ જ કહીશ કે ગયા વખતે મેં મન કી બાતમાં વિદ્યાર્થીઓને જે – જે વાતો કરી છે, તેને ફરી સાંભળી લો. પરીક્ષાના સમયે તે વાર્તા આપને જરૂર કામમાં આવશે.

આજે 26 માર્ચ છે. 26 માર્ચ બાંગ્લાદેશની સ્વતંત્રતાનો દિવસ છે. અન્યાયની સામે એક ઐતિહાસિક લડાઇ, બંગ-બંધુના નેતૃત્વમાં બાંગ્લાદેશની જનતાનો અભૂતપૂર્વ વિજય. આજના આ મહત્વના દિવસે હું બાંગ્લાદેશના નાગરિક ભાઇઓ-બહેનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને એ કામના કરૂં છું કે, બાંગ્લાદેશ આગળ વધે, વિકાસ કરે અને બાંગ્લાદેશીવાસીઓને હું વિશ્વાસ અપાવું છું કે, ભારત બાંગ્લાદેશનું એક મજબૂત સાથી છે, એક સારૂં મિત્ર છે અને આપણે ખભે-ખભા મેળવીને આ સમગ્ર ક્ષેત્રની અંદર શાંતિ, સુરક્ષા અને વિકાસમાં આપણું યોગદાન કરતા રહીશું.

આપણે બધાને એ વાતનો ગર્વ છે કે, રવીન્દ્રનાથ ટાગોર, તેમની યાદો, એ આપણો સંયુક્ત વારસો છે. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની રચના છે. ગુરૂદેવ ટાગોર વિશે એક બહુ રસપ્રદ વાત એ છે કે, વર્ષ 1913માં તેઓ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનારના સર્વપ્રથમ એશિયાઇ વ્યક્તિ તો હતા જ સાથે અંગ્રેજોએ તેમને નાઇટહુડની પદવી આપી હતી. અને વર્ષ 1919માં જયારે અંગ્રેજોએ જલિયાંવાલા બાગમાં નરસંહાર કર્યો તો રવીન્દ્રનાથ ટાગોર એ મહાપુરૂષોમાં હતા જેમણે પોતાનો અવાજ ઉઠાવ્યો અને આ જ કાળખંડ હતો જયારે 12 વર્ષના એક બાળક પર આ ઘટનાનો ઉંડો પ્રભાવ પડ્યો. કિશોર અવસ્થામાં ખેતરોમાં હસતાકૂદતા એ બાળકને જલિયાંવાલા બાગના નૃશંસ હત્યાકાંડે જીવનની એક નવી પ્રેરણા આપી હતી અને વર્ષ 1919ના 12 વર્ષના એ બાળક ભગત, આપણા બધાના પ્રિય, આપણા બધાની પ્રેરણા – શહીદ ભગતસિંહ હતા. આજથી ત્રણ દિવસ પહેલાં, 23 માર્ચે ભગતસિંહજીને અને તેમના સાથી સુખદેવ અને રાજગુરૂને અંગ્રેજોએ ફાંસી પર લટકાવી દીધા હતા અને આપણે બધા 23 માર્ચની એ ઘટના જાણીએ છીએ – ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂના ચહેરા પર મા ભારતીની સેવા કરવાનો સંતોષ હતો – મૃત્યુનો ભય નહોતો. જીવનના બધાં સપનાં મા ભારતીની સ્વતંત્રતાના યજ્ઞમાં હોમી દીધાં હતાં. અને આ ત્રણેય વીરો આજે પણ આપણા બધાની પ્રેરણા છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના બલિદાનની ગાથાને આપણે શબ્દોમાં અલંકૃત પણ કરી નહીં શકીએ. અને આખી બ્રિટિશ સલ્તનત આ ત્રણેય યુવકોથી ડરતી હતી. જેલમાં બંધ હતા, ફાંસી નક્કી હતી, પરંતુ તેની સાથે પણ કેવી રીતે આગળ વધવું, તેની ચિંતા બ્રિટિશરોને સતાવતી હતી. અને ત્યારે જ તો ફાંસી દેવાની હતી તો 24 માર્ચે, પરંતુ 23 માર્ચે જ દઇ દેવામાં આવી. ફાંસી ચોરીછુપીથી દઇ દેવામાં આવી, જે સામાન્ય રીતે કરાતું નથી. અને પછી તેમનાં શરીરને આજના પંજાબમાં લઇ જઇને અંગ્રેજોએ ચૂપચાપ સળગાવી દીધાં હતાં. કેટલાંક વર્ષો પહેલાં મને જયારે પહેલીવાર ત્યાં જવાની તક મળી તો એ ધરતી પર હું એકપ્રકારના તરંગોનો અનુભવ કરતો હતો. અને હું દેશના નવયુવાનોને જરૂર કહીશ કે જયારે પણ તક મળે તો, પંજાબ જાવ તો, ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, ભગતસિંહના માતાજી અને બટુકેશ્વર દત્તની સમાધિના સ્થાન પર જરૂર જજો.

આ જ તો કાળખંડ હતો જયારે આઝાદીની ઝંખના, તેની તીવ્રતા, તેનો વ્યાપ વધતો જ જઇ રહ્યો હતો. એક તરફ ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા વીરોએ સશસ્ત્ર ક્રાંતિ માટે અનેક યુવકોને પ્રેરણા આપી હતી તો આજથી બરાબર સો વર્ષ પહેલાં 10 એપ્રિલ 1917ના રોજ મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. આ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દિનું વર્ષ છે. ભારતની સ્વતંત્રતાના આંદોલનમાં ગાંધીવિચાર અને ગાંધીશૈલી, તેનું પ્રગટરૂપ પહેલીવાર ચંપારણમાં નજરે પડ્યું હતું. સ્વતંત્રતાની સમગ્ર આંદોલન યાત્રામાં આ એક મોટો વળાંક હતો. ખાસ કરીને સંઘર્ષની રીત-પદ્ધતિની દ્રષ્ટિએ, આ જ કાળખંડમાં ચંપારણનો સત્યાગ્રહ, ખેડાનો સત્યાગ્રહ, અમદાવાદમાં મિલમજૂરોની હડતાળ.. તે બધામાં મહાત્મા ગાંધીના વિચાર અને કાર્યશૈલીનો ઉંડો પ્રભાવ નજરે પડતો હતો. 1915માં ગાંધી વિદેશથી પાછા આવ્યા અને 1917માં બિહારના એક નાનકડા ગામડામાં જઇને તેમણે દેશને એક નવી પ્રેરણા આપી. આજે આપણા મનમાં મહાત્મા ગાંધીની જે છબિ છે તે છબિના આધાર પર આપણે ચંપારણ સત્યાગ્રહનું મૂલ્યાંકન ન કરી શકીએ. કલ્પના કરો કે એક માણસ, જે 1915માં ભારત પાછા આવ્યા. માત્ર બે વર્ષનો કાર્યકાળ. ન તો દેશ તેમને જાણતો હતો, ન તેમનો પ્રભાવ હતો, હજુ તો શરૂઆત હતી. તે સમયે તેમને કેટલું કષ્ટ વેઠવું પડ્યું હશે, કેટલી મહેનત કરવી પડી હશે, તેનું આપણે અનુમાન કરી શકીએ છીએ. અને ચંપારણ સત્યાગ્રહ એવો હતો જેમાં મહાત્મા ગાંધીના સંગઠન કૌશલ્ય, મહાત્મા ગાંધીની ભારતીય સમાજની નાડી પારખવાની શકિત, મહાત્મા ગાંધી દ્વારા પોતાના વ્યવહારથી અંગ્રેજ સલ્તનત સામે અતિ ગરીબ, અભણ વ્યકિતને પણ સંઘર્ષ માટે સંગઠિત કરવી, પ્રેરિત કરવી, સંઘર્ષ માટે મેદાનમાં લાવવી, આ અદભૂત શકિતનું દર્શન કરાવે છે. અને આથી આ રૂપમાં આપણે મહાત્મા ગાંધીની વિરાટતાનો અનુભવ કરીએ છીએ. પરંતુ જો સો વર્ષ પહેલાના ગાંધી વિશે વિચારીએ, તે ચંપારણ સત્યાગ્રહવાળા ગાંધીને, તો સાર્વજનિક જીવનની શરૂઆત કરનારા કોઇપણ વ્યકિત માટે ચંપારણ સત્યાગ્રહ ખૂબ જ મોટા અધ્યયનનો વિષય છે. સાર્વજનિક જીવનની શરૂઆત કઇ રીતે કરી શકાય, પોતે કેટલો પરિશ્રમ કરવો પડે અને ગાંધીએ કઇ રીતે કર્યો હતો તે આપણે તેમની પાસેથી શીખી શકીએ છીએ. અને આ જ સમય હતો જયારે આપણે જે મોટા-મોટા દિગ્ગજ નેતાઓના નામ સાંભળીએ છીએ, ગાંધીએ તે સમયે રાજેન્દ્ર બાબુ હોય, આચાર્ય કૃપલાણીજી હોય, તે બધાને ગામડાઓમાં મોકલ્યા હતા. લોકો સાથે જોડાઇને, લોકો જે કામ કરી રહ્યા હતા, તેને સ્વતંત્રતાના રંગથી રંગી દેવાની રીત શીખવી હતી. અને અંગ્રેજો સમજી ન જ શક્યા કે આ ગાંધીની પદ્ધતિ-રીત શું છે ? સંઘર્ષ પણ ચાલે, સર્જન પણ ચાલે અને બંને એક સાથે ચાલે. ગાંધીએ જાણે કે એક સિક્કાની બે બાજુ બનાવી દીધી હતી. સિક્કાની એક બાજુ સંઘર્ષ તો બીજી બાજુ સર્જન. એક તરફ જેલ ભરી દેવી તો બીજી તરફ રચનાત્મક કાર્યોમાં પોતાની જાતને હોમી દેવી. ગાંધીની કાર્યશૈલીમાં એક બહુ અદભૂત સંતુલન હતું. સત્યાગ્રહ શબ્દ શું હોય છે, અસહમતિ શું હોઇ શકે છે, આટલી મોટી સલ્તનત સામે અસહયોગ શું હોય છે. એક આખી નવી વિભાવના ગાંધીએ શબ્દો દ્વારા નહીં પરંતુ એક સફળ પ્રયોગ દ્વારા પ્રસ્થાપિત કરી દીધી હતી.

આજે જયારે દેશ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી મનાવી રહ્યો છે ત્યારે ભારતના સામાન્ય માનવીની શકિત કેટલી અપાર છે, તે અપાર શકિતને સ્વતંત્રતાના આંદોલનની જેમ, સ્વરાજથી સુરાજની યાત્રા માટે, સવા સો કરોડ દેશવાસીઓની સંકલ્પ શકિત, પરિશ્રમની પરાકાષ્ઠા, સર્વજન હિતાય – સર્વજન સુખાય, આ મૂળ મંત્રને લઇને દેશ માટે, સમાજ માટે, કંઇ કરી છુટવાનો અખંડ પ્રયાસ જ સ્વતંત્રતા માટે બલિદાન આપનારા આ મહાપુરૂષોના સપનાંઓને સાકાર કરશે.

આજે જયારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ ત્યારે કયો હિન્દુસ્તાની એવો  હશે જે ભારતને બદલવા નહીં માગતો હોય ? કયો હિન્દુસ્તાની હશે જે દેશમાં પરિવર્તન માટે ભાગીદાર બનવા નહીં ઇચ્છતો હોય ? સવાસો કરોડ દેશવાસીઓની આ પરિવર્તનની ઇચ્છા, આ પરિવર્તનનો પ્રયાસ, આ જ તો છે જે નવા ભારત, ન્યુ ઇન્ડિયાનો મજબૂત પાયો નાખશે. ન્યૂ ઇન્ડિયા ન તો કોઇ સરકારી કાર્યક્રમ છે, ન તો કોઇ રાજકીય પક્ષનો ચૂંટણી ઢંઢેરો અને ન તો કોઇ પ્રોજેક્ટ છે. ન્યુ ઇન્ડિયા સવા સો કરોડ દેશવાસીઓનું આહવાન છે. આ ભાવ છે કે સવા સો કરોડ દેશવાસી મળીને કેવું ભવ્ય ભારત બનાવવા માગે છે. સવા સો કરોડ દેશવાસીઓના મનની અંદર એક આશા છે, એક ઉમંગ છે, એક સંકલ્પ છે, એક ઇચ્છા છે.

મારા પ્રિય દેશવાસીઓ, જો આપણે થોડું પણ પોતાની જીંદગીથી દૂર જઇને સંવેદનાસભર નજરથી સમાજમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને જોઇએ, આપણી આજુબાજુમાં શું થઇ રહ્યું છે, તેને જાણવા-સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને આશ્ચર્ય થશે કે લક્ષાવધિ લોકો નિઃસ્વાર્થ ભાવથી પોતાની અંગત જવાબદારીઓ ઉપરાંત સમાજ માટે, શોષિત, પીડીત, વંચિતો માટે, ગરીબો માટે, દુઃખી લોકો માટે કંઇને કંઇ કરતા નજરે પડે છે. અને તે પણ એક મૂકસેવકની જેમ તપસ્યા કરતા હોય, સાધના કરતા હોય તેમ કરતા રહે છે. અનેક લોકો નિત્ય હોસ્પિટલ જાય છે, દર્દીઓની મદદ કરે છે. અનેક લોકો જેમને ખબર પડે કે તરત રક્તદાન માટે દોડી જાય છે. અનેક લોકો છે જે કોઇ ભૂખ્યું હોય તો તેના ભોજનની ચિંતા કરે છે. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. જનસેવા એ જ પ્રભુ સેવા, આ મંત્ર આપણા લોહીમાં છે. જો આપણે એક વાર તેને સામૂહિકતાના રૂપમાં જોઇએ, સંગઠિત રૂપમાં જોઇએ તો ખબર પડશે કે આ કેટલી મોટી શક્તિ છે. જયારે ન્યુ ઇન્ડિયાની વાત થાય છે તો તેની ટીકા થવી, વિવેચના થવી, ભિન્ન દ્રષ્ટિકોણથી તેને જોવું બહુ સ્વાભાવિક છે અને તે લોકતંત્રમાં આવકાર્ય છે. પરંતુ એ વાત સાચી છે કે, સવાસો કરોડ દેશવાસીઓ જો સંકલ્પ કરે, સંકલ્પને સિદ્ધ કરવા માટે માર્ગ નક્કી કરી લે, એક પછી એક ડગ માંડતા જાય તો ન્યૂ ઇન્ડિયા – સવાસો કરોડ દેશવાસીઓનું સપનું આપણી આંખોની સામે જ સિદ્ધ થઇ શકે છે. અને જરૂરી નથી કે બધી ચીજો બજેટથી જ થાય, સરકારી પ્રોજેક્ટ કે સરકારી ધનથી જ થાય. જો દરેક નાગરિક સંકલ્પ કરે કે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ, જો દરેક નાગરિક સંકલ્પ કરે કે હું મારી જવાબદારીઓને પૂરી પ્રમાણિકતા અને નિષ્ઠાથી નિભાવીશ. જો દરેક નાગરિક સંક્લ્પ કરે કે સપ્તાહમાં એક દિવસ મારા જીવનમાં હું પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ નહીં કરૂં તો કેટલું મોટું પરિવર્તન આવી શકે. ચીજો નાની-નાની હોય છે. તમે જોજો, આ દેશનું, જે ન્યુ ઇન્ડિયાનું સપનું સવા સો કરોડ દેશવાસીઓ જોઇ રહ્યા છે, તે પોતાની આંખોની સામે સાકાર થતું જોઇ શકીશું. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક નાગરિક પોતાના નાગરિક ધર્મનું પાલન કરે, કર્તવ્યનું પાલન કરે. તે જ આપોઆપ ન્યુ ઇન્ડિયાની એક સારી શરૂઆત બની શકે છે.

આવો, 2022 ભારતની સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થવાં જઇ રહ્યાં છે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂને યાદ કરીએ છીએ. ચંપારણ સત્યાગ્રહને યાદ કરીએ છીએ તો શા માટે આપણે પણ “સ્વરાજથી સુરાજ”ની આ યાત્રામાં આપણા જીવનને અનુશાસિત કરીને, સંકલ્પબદ્ધ કરીને ન જોડાઇએ ? હું આપ સહુને નિમંત્રણ આપું છું. – આવો.

મારા પ્રિય દેશવાસીઓ, હું આજે આપનો આભાર પણ માનવા માગું છું. ગત કેટલાક દિવસોમાં આપણા દેશમાં એક એવું વાતાવરણ બન્યું. બહુ મોટી સંખ્યામાં લોકો ડીજીટલ ચૂકવણી, ડિજીધન આંદોલનમાં સહભાગી બન્યા. રોકડ વગર કેવી રીતે લેવડદેવડ થઇ શકે છે, તેની જીજ્ઞાસા પણ વધી છે. સાવ ગરીબ વ્યકિત પણ શીખવા પ્રયાસ કરી રહ્યો છે અને ધીરેધીરે લોકો પણ રોકડ વગર કેવી રીતે વેપાર કરવો, તેના તરફ આગળ વધી રહ્યા છે. વિમુદ્રિકરણ, નોટબંધી પછીથી ડીજીટલ ચૂકવણીની અલગ-અલગ રીતોમાં ઘણી વૃદ્ધિ જોવા મળી છે. ભીમ એપનો પ્રારંભ થયાને હજું તો માત્ર બે-અઢી મહિના જેટલો સમય જ થયો છે પરંતુ અત્યારસુધીમાં લગભગ દોઢ કરોડ લોકોએ તેને ડાઉનલોડ કરી છે.

મારા પ્રિય દેશવાસીઓ, કાળાં નાણાં, ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઇને આપણે આગળ વધારવાની છે, સવા સો કરોડ દેશવાસીઓ એક વર્ષમાં અઢી હજાર કરોડ ડિજીટલ લેવડદેવડ કામ કરવાનો સંકલ્પ કરી શકે શું ? અમે બજેટમાં ઘોષણા કરી છે. સવા સો કરોડ દેશવાસીઓ માટે આ કામ અગર તેઓ ઇચ્છે તો એક વર્ષ રાહ જોવાની જરૂર નથી, છ મહિનામાં કરી શકે છે. અઢી હજાર કરોડ ડીજીટલ લેવડદેવડ, જો આપણે નિશાળની ફી ભરવાની હોય તો રોકડમાં નહીં ભરીએ, ડીજીટલથી ભરીશું, આપણે રેલવેમાં પ્રવાસ કરવાનો હોય, વિમાનમાં પ્રવાસ કરવાનો હોય તો ડીજીટલ ચૂકવણી કરીશું, આપણે દવાઓ ખરીદશું તો ડીજીટલ ચૂકવણી કરીશું, આપણે સસ્તા અનાજની દુકાન ચલાવતા હોઇએ તો ડીજીટલ વ્યવસ્થા કરીશું. રોજબરોજની જીંદગીમાં આ કામો કરી શકીએ છીએ આપણે. તમને કલ્પના નથી પરંતુ તેનાથી તમે દેશની બહુ મોટી સેવા કરી શકો છો અને કાળાં નાણાં, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઇના તમે એક વીર સૈનિક બની શકો છો. ગત દિવસોમાં લોકશિક્ષા માટે ડીજીધન મેળાના અનેક કાર્યક્રમો થયા છે. દેશભરમાં 100 કાર્યક્રમો કરવાનો સંકલ્પ છે. 80-85 કાર્યક્રમો થઇ ચૂક્યા છે. તેમાં ઇનામ યોજના પણ હતી. લગભગ સાડા બાર લાખ લોકોએ ગ્રાહકનું આ ઇનામ પ્રાપ્ત કર્યું છે. 70 હજાર લોકોએ વેપારીઓ માટે જે ઇનામ હતું તે મેળવ્યું છે. અને દરેક જણે આ કામને આગળ વધારવાનો સંકલ્પ પણ કર્યો છે. 14 એપ્રિલ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. અને ઘણા વખત પહેલેથી જેમ નક્કી થયું હતું તેમ 14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડીજીધન મેળાનું સમાપન થવાનું છે. સો દિવસ પૂરા થયા બાદ એક છેલ્લો બહુ મોટો કાર્યક્રમ થવાનો છે. બહુ મોટા ડ્રો ની પણ તેમાં જોગવાઇ છે. મને વિશ્વાસ છે કે, બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીનો જેટલો પણ સમય આપણી પાસે બચ્યો છે, તેમાં આપણે ભીમ એપનો પ્રચાર કરીએ. રોકડ વ્યવહાર ઓછા કેવી રીતે થાય, નોટોથી વ્યવહાર ઓછો કેવી રીતે થાય, તેમાં આપણે તેમાં આપણે આપણું યોગદાન આપીએ.

મારા વહાલા દેશવાસીઓ, મને ખુશી થાય છે  કેમ કે દરેક વખતે હું મન કી બાત માટે લોકો પાસેથી સૂચન મંગાવું છું ત્યારે દરેક પ્રકારના સુચનો આવે છે. પરંતુ મેં એ જોયું છે કે, સ્વચ્છતા વિષય માટે હર હંમેશ લોકોનો આગ્રહ રહ્યો છે.

હમણાં જ થોડા સમય પહેલાં દહેરાદૂનથી ગાયત્રી નામની 11મા ધોરણમાં ભણતી એક દિકરીએ મને ફોન કરીને એક સંદેશ મોકલ્યો છે.

“આદરણીય પ્રધાનાચાર્ય, પ્રધાનમંત્રીજી, સાદર પ્રણામ, સૌ પ્રથમ તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે આ ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે વિજય હાંસલ કર્યો છે. હું તમારી સાથે મારા મનની વાત કરવા માંગું છું. હું કહેવા માંગું છું કે, લોકોએ સમજવું પડશે કે સ્વચ્છતા કેટલી જરૂરી છે. હું દરરોજ એક નદી પાસેથી પસાર થાઉં છું જેમાં લોકો ખૂબ જ કચરો ફેંકે છે અને નદીને પ્રદૂષિત કરે છે. તે નદી રિસ્પના પુલ પાસેથી વહેતી-વહેતી મારા ઘર સુધી આવે છે. તે નદી માટે અને અનેક વિસ્તારોમાં જઇને રેલી કાઢી છે અને એ વિશે અનેક લોકો સાતે વાતો પણ કરી છે, પરંતુ તેનો કોઇપણ ફાયદો થયો નથી. હું તમને વિનંતી કરવા માંગું છું કે, તમારી એક ટીમ મોકલીને અથવા ન્યૂઝપેપર માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડો, ધન્યવાદ.”

જુઓ ભાઇઓ અને બહેનો, 11મા ધોરણમાં અભ્યાસ કરતી દિકરીને કેટલી પીડા છે, તે નદીમાં ગંદકી જોઇને તેને કેટલો ગુસ્સો આવી રહ્યો છે. હું આ વાતને સારો સંકેત માનું છું. હું એ જ તો ઇચ્છું છું કે, સવાસો કરોડ દેશવાસીઓના મનમાં ગંદકી પ્રત્યે ગુસ્સો પેદા થાય, નારાજગી પેદા થાય, તેના પ્રત્યે રોષ જન્મે તો આપણે જ ગંદકી વિરૂદ્ધ કંઇક કરવા લાગી પડીશું. અને સારી વાત તો એ છે કે, ગાયત્રી પોતે પોતાનો ગુસ્સો પણ પ્રગટ કરી રહી છે, મને સૂચન પણ કરી રહી છે અને સાથે-સાથે એ પણ જણાવી રહી છે કે તેણે ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તેને નિષ્ફળતા મળી. જયારથી સ્વચ્છતા આંદોલનની શરૂઆત થઇ છે જાગૃતતા આવી છે. દરેક વ્યકિત તેમાં સકારાત્મક રૂપથી જોડાતા ગયા છે. તેણે એક આંદોલનનું રૂપ પણ લીધું છે. ગંદકી પ્રત્યે નફરત પણ વધી રહી છે. જાગૃતિ હોય, સક્રિય ભાગીદારી હોય, આંદોલન થાય તે તમામનું પોતાનું મહત્વ છે. પરંતુ સ્વચ્છતા આંદોલન કરતા આદતો સાથે જોડાયેલી છે. આ આંદોલન ટેવો બદલવા માટેનું આંદોલન છે, આ આંદોલન સ્વચ્છતાની ટેવો પેદા કરવા માટેનું આંદોલન છે. આ આંદોલન સામૂહિક રીતે થઇ શકે છે. કામ અઘરૂં છે પરંતુ કરવાનું છે. મને વિશ્વાસ છે કે, દેશની નવી પેઢીમાં, બાળકોમાં, વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં આ ભાવ જાગ્યો છે અને આ ખુદ એક સારા પરિણામના સંકેત છે. આજે મારા મન કી બાત કાર્યક્રમમાં ગાયત્રીની વાત જેઓ સાંભળી રહ્યાં છે હું એ તમામ દેશવાસીઓને કહીશ કે ગાયત્રીનો આ સંદેશ આપણા બધા જ માટે એક સંદેશ બનવો જોઇએ.

મારા વહાલા દેશવાસીઓ જયારથી મન કી બાત હું કરી રહ્યો છું ત્યારથી શરૂઆતથી જ મને એક વાત પર ઘણાં સૂચનો મળતા રહ્યાં અને મોટાભાગના લોકોએ અન્નના બગાડ વિષે ચિંતા વ્યક્ત કરી છે. આપણે જાણીએ છીએ કે, આપણે પરિવારમાં અને સામૂહિક ભોજન સમારંભોમાં પણ જરૂરિયાતથી વધુ ભોજન થાળીમાં લઇએ છીએ. જેટલી પણ વસ્તુ દેખાય બધું જ થાળીમાં લઇ લઇએ છીએ અને તે ખાઇ શકતા નથી. જેટલું થાળીમાં ભરીએ છીએ એનાથી અડધું પણ આપણે ખાઇ શકતા નથી અને તેને ત્યાં જ મૂકીને ચાલી નીકળીએ છીએ. તમે કયારેય વિચાર્યું છે કે આપણે જે ભોજન છોડી દઇએ છીએ તેનાથી કેટલું નુકસાન કરીએ છીએ. શું કયારેય વિચાર્યું છે કે, આપણે ભોજનનો બગાડ ન કરીએ તો કેટલાક ગરીબોનું પેટ ભરી શકીએ છીએ. આ વાત એવી નથી કે સમજાવવી પડે. આમ તો આપણાં પરિવારમાં નાના બાળકોને જયારે મા પીરસે છે તો કહેતી હોય છે કે, બેટા જેટલું ખાવું હોય એટલું જ લો. કોઇકને કોઇક પ્રયત્નો થતાં રહે છે આમ છતાં આ વિષય પર ઉદાસીનતા એક સમાજદ્રોહ છે. ગરીબો સાથે અન્યાય છે. બીજી તરફ જો બચત થાય તો પરિવારનો પણ આર્થિક લાભ થશે. સમાજ માટે વિચારો, સારી વાત છે. જો કે, આ વિષય એવો છે કે, પરિવારને પણ લાભ થાય. હું આ વિષય પર વધારે આગ્રહ નથી કરી રહ્યો પરંતુ હું ઇચ્છું છું કે, જાગૃતિ વધવી જોઇએ. હું કેટલાક યુવાનોને ઓળખું છું કે, જેઓ આ પ્રકારનું આંદોલન ચલાવે છે, તેમણે મોબાઇલ એપ બનાવેલી છે અને જયાં પણ આવો અન્નનો બગાડ થયો હોય ત્યાં લોકો તેમને બોલાવે છે, તેઓ વધારાનું અન્ન એકઠું કરે છે અને તેનો સદઉપયોગ કરે છે, મહેનત કરે છે, અને આપણાં દેશના જ યુવાનો આ બધું કરી રહ્યા છે. ભારતના દરેક રાજયમાં કોઇને કોઇ ખૂણે આવા લોકો તમને મળી રહેશે. એમનું જીવન જ આપણને પ્રેરણા આપે છે કે, આપણે અન્નનો બગાડ ન કરીએ. આપણે એટલું જ લઇએ જેટલું ખાવું હોય.

જુવો, બદલાવ માટે આ પ્રકારના જ ઉપાયો હોય છે. અને જે લોકો શરીર સ્વાસ્થ્ય અંગે જાગૃત હોય છે તે હંમેશા કહે છે – થોડું પેટ ખાલી રાખો, થોડી પ્લેટ ખાલી રાખો. અને જયારે સ્વાસ્થ્યની વાત આવી જ છે તો સાંભળો 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ WORD HEALTH DAY છે. સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2030 સુધી યુનિવર્સલ હેલ્થ કવરેજ એટલે “સૌનું આરોગ્ય”નું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ વખતે યુનાઇટેડ નેશન્સે 7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ પર, ડિપ્રેશન વિષય પર ફોકસ કર્યું છે. આ વખતની તેમની થીમ “ડિપ્રેશન” છે. આપણે પણ ડિપ્રેશન શબ્દથી પરિચિત છીએ. પરંતુ જો, તેનો શાબ્દિક અર્થ કરવો હોય તો કેટલાક લોકો તેને હતાશા તરીકે પણ જાણે છે. એક અંદાજ છે કે, વિશ્વમાં 35 કરોડથી વધુ લોકો માનસિક રીતે ડિપ્રેશનથી પિડિત છે. મુશ્કેલી એ છે કે આપણી આસપાસ આવા લોકો હોય છે પરંતુ આપણે તેમને ઓળખી શકતા નથી અને કદાચ આ વિષય પર ખુલીને વાત કરવામાં પણ આપણને સંકોચ થતો હોય છે. જે પોતે ડિપ્રેશનથી પિડીત હોય એ પણ કશું બોલતા નથી કારણ કે, તેઓ પોતે પણ આ અંગે શરમ અનુભવે છે.

હું મારા દેશવાસીઓને કહેવા માંગું છું કે, ડિપ્રેશન એવી કોઇ બિમારી નથી કે જેનાથી મુક્તિ ન મળી શકે. એના માટે એક મનોવૈજ્ઞાનિક વાતાવરણ ઉભું કરવાની જરૂર હોય છે અને તેમાંથી બહાર આવવા માટેનો પહેલો મંત્ર છે કે, ડિપ્રેશનના “સપ્રેશન”ને બદલે તેના “એકસપ્રેશન”ની જરૂર છે. તમે શું અનુભવી રહ્યાં છો તેના વિશે તમારા સાથી, મિત્રો, માતા-પિતા, ભાઇ-બહેન અને શિક્ષક સાથે ખુલીને વાત કરો. કયારેક-કયારેક એકલાપણું લાગતું હોય છે અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલીઓ પડતી હોય છે. આપણા દેશનું સૌભાગ્ય એ છે કે આપણો ઉછેર સંયુક્ત પરિવારમાં થયો છે. પરિવાર મોટા હોય છે, ત્યાં હળી-મળીને રહીએ છીએ જેના કારણે ડિપ્રેશનની શક્યતા નહિંવત હોય છે. આમ છતાં હું માતા-પિતાને કહેવા માંગું છું કે, કયારેય તમે જોયું છે કે તમારા દિકરો કે દિકરી અથવા પરિવારનો કોઇપણ સભ્ય, બધા સાથે જમવા બેઠા હોય અને તે એવું કહે કે હું હમણાં નહીં જમું, પછી જમીશ, અને તે ટેબલ પર ન આવે. ઘરના બધા જ લોકો બહાર જતાં હોય અને તે એવું કહે કે મારે નથી આવવું અને તે એકલા રહેવાનું પસંદ કરે છે. કયારેય તમારૂં ધ્યાન ગયું છે કે તે આવું કેમ કરે છે ? તમારે એ સમજવું જોઇએ કે આ ડિપ્રેશનની દિશામાં પહેલું પગથિયું છે. જો તે સમૂહમાં રહેવાનું પસંદ ન કરતો હોય અને એકલો ખૂણામાં રહેતો હોય તો પ્રયત્નપૂર્વક ધ્યાન રાખો કે આવું ન થાય. તેની સાથે ખૂલીને વાત કરો, આવા લોકોને સમૂહમાં રાખવાનો માહોલ બનાવો. હસી-ખુશીની વાતો કરતાં કરતાં તેને મુક્ત અભિવ્યકિત માટે પ્રેરિક કરો. તેની અંદર કઇ મૂંઝવણ છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો. આ ઉત્તમ ઉપાય છે. અને ડિપ્રેશન જ માનસિક અને શારિરીક બિમારીઓનું કારણ બનતું હોય છે. જેમ કે, ડાયાબિટીસ દરેક બિમારીઓનો યજમાન બનતો હોય છે. એવી  જ રીતે ડિપ્રેશન પણ આપણી ટકી રહેવાની, લડવાની, સાહસ કરવાની અને નિર્ણય લેવાની ક્ષમતાઓને ખતમ કરી દે છે. તમારા મિત્રો, તમારૂં પરિવાર, તમારૂં પરિસર અને તમારો માહોલ આ બધાં જ મળીને તમને ડિપ્રેશનમાં જતા અટકાવી શકે છે. અને જો ગયા હોય તો ઝડપથી તેમાંથી બહાર લાવી શકે છે. એક બીજી રીત એ છે કે, જો તમે પોતાના લોકો સાથે અભિવ્યકત ન થઇ શકતા હોવ તો આસપાસના જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. મન લગાવીને મદદ કરો, તેમના સુખ-દુઃખ વહેંચો, તમે અનુભવશો કે તમારી અંદરની પીડા ખતમ થતી જશે. એમના દુઃખોને જો તમે સમજવાનો પ્રયત્ન કરશો, સેવાભાવથી કરશો, તો તમારી અંદર એક નવો જ આત્મવિશ્વાસ જન્મ લેશે. અન્ય લોકો સાથે જોડાવવાથી, કોઇની સેવા કરવાથી અને નિઃસ્વાર્થભાવે સેવા કરવાથી તમારા મનનો બાર હળવો થઇ જશે.

આમ તો યોગ પણ મનને સ્વસ્થ રાખવાનો સારો ઉપાય છે. તણાવથી મુક્તિ, દબાવથી મુક્તિ અને પ્રસન્નચીત તરફ પ્રયાણ કરવા માટે યોગ બહુ મદદરૂપ બને છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને તેનું આ ત્રીજું વર્ષ છે. તમે બધા જ તૈયારીઓ કરો અને લાખોની સંખ્યામાં સમૂહમાં યોગ ઉત્સવ ઉજવો. તમારી પાસે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે કોઇ સૂચન હોય તો મને મોબાઇલ એપ્લીકેશન દ્વારા મને મોકલી આપો. યોગ વિશે જેટલા પણ ગીત અને કાવ્યમય રચનાઓ તૈયાર કરી શકતા હોય એ તૈયાર કરવી જોઇએ જેથી તેને સહજ રીતે લોકોને સમજાવી શકાય.

કારણ કે, આજે આરોગ્ય વિશે, સ્વાસ્થ્ય વિશે ઘણી વાતો નીકળી છે, ત્યારે માતાઓ અને બહેનોને એક વાત જરૂર કહેવા માંગીશ કે ભારત સરકારે થોડા દિવસો પહેલા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આપણા દેશમાં જે નોકરિયાત મહિલાઓ છે તેમની સંખ્યામાં સતત ઉમેરો થઇ રહ્યો છે, સમાજમાં તેમની ભાગીદારીમાં વધારો થઇ રહ્યો છે અને આ આવકારદાયક બાબત પણ છે. પરંતુ કામની સાથે –સાથે મહિલાઓ પાસે વિશેષ જવાબદારીઓ પણ છે. તેઓ પારિવારિક જવાબદારીઓ પણ સંભાળે છે અને કુટુંબની આર્થિક જવાબદારીઓમાં પણ તેઓ સહયોગ આપે છે જેને કારણે કયારેક-કયારેક તેમના નવજાત બાળકોને અન્યાય થતો હોય છે. ત્યારે ભારત સરકારે એક ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે કે, આ નોકરિયાત મહિલાઓને તેમના પ્રસૂતિ સમયે, મેટરનિટી લીવ કે જે પહેલાં 12 અઠવાડિયાની મળતી હતી તે વધારીને હવે 26 અઠવાડિયાની કરી દેવામાં આવી છે. વિશ્વમાં માત્ર બે કે ત્રણ દેશ એવા છે કે જેઓ આ બાબતે આપણાં કરતા આગળ છે. આપણી આ બહેનો માટે ભારતે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે જેનો મુખ્ય હેતુ નવજાત બાળકની દેખભાળ, ભારતના ભાવિ નાગરિકને જન્મના શરૂઆતના દિવસોમાં સારો ઉછેર મળે, માતાનો ભરપૂર પ્રેમ મળે એ છે. જો આમ થશે તો આપણાં આ બાળકો મોટા થઇને દેશની અમૂલ્ય અનામત બનશે. માતાઓનું આરોગ્ય પણ સચવાશે અને એ માટે આ એક મહત્વો નિર્ણય બની રહેશે. જેને કારણે ફોર્મલ સેકટરમાં કાર્ય કરવાવાળી અંદાજે 18 લાખ મહિલાઓને તેનો લાભ થશે.

મારા વહાલા દેશવાસીઓ, 5 એપ્રિલે રામનવમીનું પાવન પર્વ છે. 9 એપ્રિલે મહાવીરજયંતિ છે. 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આ તમામ મહાપુરૂષોનું જીવન આપણને પ્રેરણા આપતું રહે, અને ન્યુ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાની શકિત આપે. બે દિવસ પછી ચૈત્ર શુકલ પ્રતિપદા, વર્ષ પ્રતિપદા, નવ સંવત્સર છે આ નવા વર્ષ માટે આ સૌને ખૂબ શુભકામનાઓ. વસંતુ ઋતુ પછી પાક લણવાની શરૂઆત થશે અને ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળશે તેમનો આ શુભ સમય છે. દેશના જુદા-જુદા ભાગોમાં નવ વર્ષને જુદા-જુદા રૂપમાં ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગુડી પડવો, આંધ્ર-કર્ણાટકમાં નવા વર્ષના રૂપે ઉગાદી તરીકે, સિંધીઓ ચેટીચાંદ તરીકે, કશ્મીરીઓ નવરેહ તરીકે, જયારે અવધના વિસ્તારમાં સંવત્સર પૂજા, બિહારના મિથિલામાં જુડશીતલ અને મગધના સતુવાનીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભારત આવી અસંખ્ય વિવિધતાઓનો દેશ છે ત્યારે આપ સૌને આ નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌનો આભાર..

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India

Media Coverage

With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The HPV vaccination campaign, launched from Ajmer, marks a significant step towards empowering the nation’s Nari Shakti: PM Modi in Rajasthan
February 28, 2026
Our government is committed to all-round development: PM
Today, I had the privilege of launching the nationwide HPV vaccination campaign from Ajmer, inaugurating and laying foundation stones for multiple projects and distributing appointment letters to the youth: PM
The HPV vaccination campaign has commenced from Ajmer, this campaign is a significant step towards empowering the Nari Shakti of the country: PM
The double-engine government is moving forward by taking both Rajasthan’s heritage and development together: PM
The campaign to link rivers started by our government will significantly benefit Rajasthan: PM
There is no shortage of sunlight in Rajasthan, this very sunshine is becoming a source of savings and income for the common man: PM
A very significant role is being played by the PM Surya Ghar Free Electricity Scheme, this scheme has the power to change Rajasthan's destiny: PM

भारत माता की जय।

भारत माता की जय।

भारत माता की जय।

तीर्थराज पुष्कर और माता सावित्री की इस पावन भूमि पर, आज मुझे आप सबके बीच आने का, आपके आशीर्वाद प्राप्त करने का अवसर मिला है। इस मंच से मैं सुरसुरा के तेजाजी धाम को, पृथ्वीराज की भूमि अजमेर को प्रणाम करता हूं।

मेरे साथ बोलिए –

तीर्थराज पुष्कर की जय।

तीर्थराज पुष्कर की जय।

वीर तेजाजी महाराज की जय।

वीर तेजाजी महाराज की जय।

भगवान देव नारायण की जय।

भगवान देव नारायण की जय।

वरूण अवतार भगवान झूलेलाल जी की जय।

भगवान झूलेलाल जी की जय।

मंच पर विराजमान राजस्थान के राज्यपाल हरिभाउ बागडे जी, राज्य के लोकप्रिय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी, पूर्व मुख्यमंत्री बहन वसुंधरा जी, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी भगीरथ चौधरी जी, उपमुख्यमंत्री प्रेमचंद भैरवा जी, दिया कुमारी जी, संसद में मेरे साथी, भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौर जी, उपस्थित अन्य मंत्रिगण, अन्य महानुभाव और राजस्थान के मेरे प्यारे भाई और बहनों। मैं पूज्य संतों का बहुत आभारी हूं, कि हमें आशीर्वाद देने के लिए इतनी बड़ी संख्या में पूज्य संतगण यहां मौजूद हैं।

साथियों,

अजमेर आस्था और शौर्य की धरती है। यहां तीर्थ भी है और क्रांतिवीरों के पदचिन्ह भी हैं। अभी कल ही मैं इजराइल की यात्रा को पूरा करके भारत लौटा हूं। राजस्थान के सपूत मेजर दलपत सिंह के शौर्य को इजराइल के लोग आज भी गौरव से याद करते हैं। मुझे भी इजराइल की संसद में, मेजर दलपत सिंह जी के शौर्य को नमन करने का सौभाग्य मिला। राजस्थान के वीर बाकुरों की, इजराइल के हाइफा शहर को आजाद कराने में जो भूमिका थी, मुझे उसका गौरवगान करने का अवसर मिला है।

साथियों,

कुछ समय पहले ही, राजस्थान में भाजपा की डबल इंजर सरकार को दो साल पूरे हुए हैं, मुझे संतोष है कि आज राजस्थान विकास के नए पथ पर अग्रसर है। विकास के जिन वायदों के साथ भाजपा सरकार आपकी सेवा में आई थी, उन्हें तेजी के साथ पूरा कर रही है। और आज का दिन, विकास के इसी अभियान को तेज करने का दिवस है। थोड़ी देर पहले यहां राजस्थान के विकास से जुड़ी करबी 17 हजार करोड़ रूपयों की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। सड़क, बिजली, पानी, स्वास्थ्य, शिक्षा, हर क्षेत्र में नई शक्ति जुड़ रही है। ये सारे प्रोजेक्टस राजस्थान की जनता की सुविधा बढ़ाएंगे और राजस्थान के युवाओं के लिए, रोजगार के भी अवसर पैदा करेंगे।

साथियों,

भाजपा की डबल इंजर सरकार लगातार युवा शक्ति को सशक्त कर रही है। दो साल पहले तक राजस्थान से भर्तियों में भ्रष्टाचार और पेपर लीक की ही खबरें चमकती रहती थीं, आती रहती थीं। अब राजस्थान में पेपर लीक पर लगाम लगी है, दोषियों पर सख्त कार्रवाई हो रही है। आज यहां इसी मंच से राजस्थान के 21 हजार से अधिक युवाओं को नियुक्ति पत्र भी सौंपे गए हैं। ये बहुत बड़ा बदलाव आया है। मैं इस बदलाव के लिए, नई नौकरियों के लिए, विकास के सभी कामों के लिए, राजस्थान के आप सभी लोगों को बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

आज वीरांगनाओं की इस धरती से, मुझे देशभर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है। यहां अजमेर से HPV वैक्सीनेशन अभियान शुरू हुआ है। ये अभियान, देश की नारीशक्ति को सशक्त करने की दिशा में अहम कदम है।

साथियों,

हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है, तो घर बिखर सा जाता है। अगर मां स्वस्थ है, तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है। इसी भाव से, भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई हैं।

साथियों,

हमने 2014 से पहले का वो दौर देखा है, जिसमें शौचालय के अभाव में बहनों-बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था। बच्चियां स्कूल छोड़ देती थीं, क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी। गरीब बेटियां सेनिटरी पैड्स नहीं ले पाती थीं। पहले जो सत्ता में रहे, उनके लिए ये छोटी बातें थीं। इसलिए इन समस्याओं की चर्चा तक नहीं होती थी। लेकिन हमारे लिए ये बहनों-बेटियों को बीमार करने वाला, उनके अपमान से जुड़ा संवेदनशील मसला था। इसलिए, हमने इनका मिशन मोड पर समाधान किया।

साथियों,

गर्भावस्था के दौरान कुपोषण माताओं के जीवन के लिए बहुत बड़ा खतरा होता था। हमने सुरक्षित मातृत्व के लिए योजना चलाई, मां को पोषक आहार मिले, इसके लिए पांच हज़ार रुपए बहनों के खाते में जमा करने की योजना शुरु की। मां धुएं में खांसती रहती थी, लेकिन उफ्फ तक नहीं करती थी। हमने कहा ये नहीं चलेगा। और इसलिए उज्जवला गैस योजना बनाई गई। ये सब इसलिए संभव हुआ, क्योंकि भाजपा सरकार, सत्ता भाव से नहीं, संवेदनशीलता के साथ काम करती है।

साथियों,

21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। आज का समय राजस्थान के विकास के लिए बड़ा महत्वपूर्ण है। भाजपा की डबल इंजन सरकार, राजस्थान की विरासत और विकास, दोनों को साथ लेकर चल रही है। हम सब जानते हैं, अच्छी सड़क, अच्छी रेल और हवाई सुविधा सिर्फ सफर आसान नहीं करती, वो पूरे इलाके की किस्मत बदल देती है। जब गांव-गांव तक अच्छी सड़क पहुँचती है, तो किसान अपनी फसल सही दाम पर बेच पाता है। व्यापारी आसानी से अपना सामान बाहर भेज पाते हैं। और हमारा अजमेर-पुष्कर तो, उसकी पर्यटन की ताकत कौन नहीं जानता। अच्छी कनेक्टिविटी का पर्यटन पर सबसे अच्छा असर पड़ता है। जब सफर आसान होता है, तो ज्यादा लोग घूमने आते हैं।

और साथियों,

जब पर्यटक आते हैं तो स्वाभाविक है होटल चलते हैं, ढाबे चलते हैं, कचौड़ी और दाल बाटी ज्यादा बिकती है, यहां राजस्थान के कारीगरों का बनाया सामान बिकता है, टैक्सी चलती है, गाइड को काम मिलता है। यानी एक पर्यटक कई परिवारों की रोज़ी-रोटी बन जाता है। इसी सोच के साथ हमारी सरकार, राजस्थान में आधुनिक कनेक्टिविटी पर बहुत बल दे रही है।

साथियों,

जैसे-जैसे राजस्थान में कनेक्टिविटी का विस्तार हो रहा है, वैसे-वैसे यहां निवेश के लिए भी अवसर लगातार बढ़ते जा रहे हैं। दिल्ली-मुंबई इंडस्ट्रियल कॉरिडोर के इर्द-गिर्द उद्योगों के लिए एक बहुत ही शानदार इंफ्रास्ट्रक्चर बनाया जा रहा है। यानी राजस्थान को अवसरों की भूमि बनाने के लिए, डबल इंजन सरकार हर संभव, अनेक विध काम कर रही है।

साथियों,

राजस्थान की माताएं अपने बच्चों को पालने में ही, राष्ट्र भक्ति का संस्कार देती हैं। राजस्थान की ये धरा जानती है कि देश का सम्मान क्या होता है, और इसीलिए आज राजस्थान की इस धरा पर, मैं आप लोगों से एक और बात कहने आया हूं।

साथियों,

हाल में ही, दिल्ली में, दुनिया का सबसे बड़ा AI सम्मेलन हुआ, Artificial Intelligence इसमें दुनिया के अनेक देशों के प्रधानमंत्री, अनेक देशों के राष्ट्रपति, अनेक देशों के मंत्रि, उस कार्यक्रम में आए थे। दुनिया की बड़ी-बड़ी कंपनियां, उन कंपनियों के कर्ता-धर्ता वो भी एक छत के नीचे इकट्ठे हुए थे। सबने भारत की खुले मन से प्रशंसा की। मैं जरा राजस्थान के मेरे भाई-बहनों से पूछना चाहता हूं। जब दुनिया के इतने सारे लोग, भारत की प्रशंसा करते हैं, ये सुनकर के आपको गर्व होता है की नहीं होता है? आपको गर्व होता है कि नहीं होता है? आपको अभिमान होता है कि नहीं होता है? आपका माथा ऊंचा हुआ या नहीं हुआ? आपका सीना चौड़ा हुआ कि नहीं हुआ?

साथियों,

आपको गर्व हुआ, लेकिन हताशा निराशा में डूबी, लगातार पराजय के कारण थक चुकी कांग्रेस ने क्या किया, ये आपने देखा है। दुनियाभर के मेहमानों के सामने, कांग्रेस ने देश को बदनाम करने की कोशिश की। इन्होंने विदेशी मेहमानों के सामने देश को बेइज्जत करने के लिए पूरा ड्रामा किया।

साथियों,

कांग्रेस, पूरे देश में ल्रगातार हार रही है, और गुस्से में वो इसका बदला, वो भारत को बदनाम करके ले रही है। कभी कांग्रेस, INC यानी इंडियन नेशनल कांग्रेस थी, लेकिन अब INC नहीं बची है, इंडियन नेशनल कांग्रेस नहीं बची है, आज वो INC के बजाय MMC, MMC बन गई है। MMC यानी मुस्लिम लीगी माओवादी कांग्रेस हो चुकी है।

राजस्थान के मेरे वीरों,

इतिहास गवाह है, मुस्लिम लीग भारत से नफरत करती थी, और इसलिए मुस्लिम लीग ने देश बांट दिया। आज कांग्रेस भी वही कर रही है। माओवादी भी, भारत की समृद्धि, हमारे संविधान और हमारे सफल लोकतंत्र से नफरत करते हैं, ये घात लगाकर हमला करते हैं, कांग्रेस भी घात लगाकर, देश को बदनाम करने के लिए कहीं भी घुस जाती है। कांग्रेस के ऐसे कुकर्मों को देश कभी माफ नहीं करेगा।

साथियों,

देश को बदनाम करना, देश की सेनाओं को कमजोर करना, ये कांग्रेस की पुरानी आदत रही है। आप याद कीजिए, यही कांग्रेस है, जिसने हमारी सेना के जवानों को हथियारों और वर्दी तक के लिए तरसा कर रखा था। ये वही कांग्रेस है, जिसने सालों तक हमारे सैनिक परिवारों को वन रैंक वन पेंशन से वंचित रखा था। ये वही कांग्रेस है, जिसके जमाने में विदेशों से होने वाले रक्षा सौदों में बड़े-बड़े घोटाले होते थे।

साथियों,

बीते 11 वर्षों में भारत की सेना ने हर मोर्चे पर आतंकियों पर, देश के दुश्मनों पर करारा प्रहार किया। हमारी सेना, हर मिशन, हर मोर्चे में विजयी रही। सर्जिकल स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक, वीरता का लोहा मनवाया, लेकिन कांग्रेस के नेताओं ने इसमें भी दुश्मनों के झूठ को ही आगे बढ़ाया। देश के लिए जो भी शुभ है, जो भी अच्छा है, जो भी देशवासियों का भला करने वाला है, कांग्रेस उस सबका विरोध करती है। इसलिए, देश आज कांग्रेस को सबक सिखा रहा है।

साथियों,

राजस्थान में तो आपने कांग्रेस के कुशासन को करीब से अनुभव किया है। यहां जितने दिन कांग्रेस की सरकार रही, वो भ्रष्टाचार करने और आपसी लड़ाई-झगड़े में ही उलझी रही। कांग्रेस ने हमारे किसानों को भी हमेशा धोखा दिया है। आप याद कीजिए, कांग्रेस ने दशकों तक सिंचाई की परियोजनाओं को कैसे लटकाए रखा। इसका राजस्थान के किसानों को बहुत अधिक नुकसान हुआ है। ERCP परियोजना को कांग्रेस की सरकारों ने केवल फाइलों और घोषणाओं में उलझाकर रखा। हमारी सरकार ने आते ही इस स्कीम को फाइलों से निकालकर धरातल पर उतारने का प्रयास किया है।

साथियों,

हमारी सरकार ने नदियों को जोड़ने का जो अभियान शुरु किया है, उसका बहुत अधिक फायदा राजस्थान को मिलना तय है। संशोधित पार्वती-कालीसिंध-चंबल लिंक परियोजना हो, यमुना-राजस्थान लिंक प्रोजेक्ट हो, डबल इंजन सरकार ऐसी अनेक सिंचाई परियोजनाओं का लाभ किसानों तक पहुंचाने के लिए प्रतिबद्ध है। आज भी झालावाड़, बारां, कोटा और बूंदी जिले के लिए पानी की अनेक परियोजनाओं पर काम शुरु हुआ है। हमारा प्रयास है, कि राजस्थान में भूजल का स्तर भी ऊपर उठे।

साथियों,

भाजपा सरकार, राजस्थान के सामर्थ्य को समझते हुए, योजनाएं बना रही है, उन्हें लागू कर रही है। मुझे खुशी है कि राजस्थान अब, सूरज की ताकत से समृद्धि कमाने वाली धरती बन गया है। हम सब जानते हैं, हमारे राजस्थान में धूप की कोई कमी नहीं। अब यही धूप, सामान्य मानवी के घर की बचत और कमाई का साधन बन रही है। और इसमें बहुत बड़ी भूमिका है, प्रधानमंत्री सूर्यघर मुफ्त बिजली योजना की। इस योजना में राजस्थान का भाग्य बदलने की ताकत है। इस योजना में भाजपा सरकार लोगों को अपनी छत पर सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए की सहायता देती है। सरकार सीधे आपके बैंक खाते में पैसे भेजती है। आजादी के बाज सब बजट, सब योजनाएं देख लीजिए, जिसमें मध्यम वर्ग को सबसे ज्यादा लाभ होने वाला है, ऐेसी योजना कभी नजर नहीं आएगी, आज इन परिवारों को सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए सीधा सरकार देती है। सबसे अधिक लाभ मध्यम वर्ग के लोग ले रहे हैं। और जिससे घर पर एक छोटा सा बिजली घर तैयार हो जाता है। दिन में सूरज की रोशनी से बिजली बनती है, घर में वही बिजली काम आती है और जो ज्यादा बिजली बनती है, वो बिजली ग्रिड में जाती है। और जिस घर में बिजली बनी होती है, उसे भी इसका लाभ मिलता है।

साथियों,

आज राजस्थान में सवा लाख से अधिक परिवार इस योजना से जुड़ चुके हैं। और इस योजना की वजह से, कई घरों का बिजली बिल लगभग जीरो आ रहा है। यानी खर्च कम हुआ है, बचत ज़्यादा हुई है।

साथियों,

विकसित राजस्थान से विकसित भारत के मंत्र पर हम लगातार काम कर रहे हैं। आज जिन योजनाओं पर काम शुरू हुआ है, वो विकसित राजस्थान की नींव को और अधिक मजबूत करेंगे। जब राजस्थान विकसित होगा, तो यहां के हर परिवार का जीवन समृद्ध होगा। आप सभी को एक बार फिर, विकास परियोजनाओं के लिए बहुत-बहुत शुभकामनाएं। मेरे साथ बोलिये-

भारत माता की जय!

भारत माता की जय!

वंदे मातरम के 150 साल देश मना रहा है। मेरे साथ बोलिये-

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

बहुत-बहुत धन्यवाद।