#MannKiBaat: PM Modi expresses concern over floods in several parts of country, urges for faster relief operations
#MannKiBaat: Technology can help in accurate weather forecast and preparedness, says PM Modi
#MannKiBaat: #GST is Good and Simple Tax, can be case study for economists worldwide, says PM Modi
#MannKiBaat: PM Modi appreciates Centre-State cooperation in smooth rollout of #GST
#GST demonstrates the collective strength of our country, says PM Modi during #MannKiBaat
August is the month of revolution for India, cannot forget those who fought for freedom: PM Modi during #MannKiBaat
Mahatma Gandhi’s clarion call for ‘do or die’ instilled confidence among people to fight for freedom: PM during #MannKiBaat
By 2022, let us resolve to free the country from evils like dirt, poverty, terrorism, casteism & communalism: PM during #MannKiBaat
Let us pledge that in 2022, when we mark 75 years of independence, we would take the country t greater heights: PM during #MannKiBaat
Festivals spread the spirit of love, affection & brotherhood in society: PM Modi during #MannKiBaat
Women of our country are shining; they are excelling in every field: PM Modi during #MannKiBaat

મારા વ્હાલા દેશવાસીઓ નમસ્કાર. મનુષ્યના મન માટે વર્ષાઋતુ બહુ ગમતી ઋતુ છે. પશુ, પંખી, વનસ્પતિ, પ્રકૃતિ એમ હરકોઇ વર્ષાના આગમનથી પ્રફુલ્લિત બની જાય છે. પરંતુ કોઇકોઇ વાર વરસાદ જ્યારે વિકરાળ રૂપ ધારણ કરે છે, ત્યારે ખબર પડે છે કે, પાણીની વિનાશ કરવાની પણ કેટલી મોટી તાકાત હોય છે, પ્રકૃતિ આપણને જીવન આપે છે. આપણને પોષે છે, પરંતુ કેટલીક વાર પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો ભીષણ રૂપ લે છે અને ભારે વિનાશ વેરે છે. બદલાઇ રહેલા ઋતુચક્ર અને પર્યાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે તેની બહુ મોટી નકારાત્મક અસર પડી રહી છે. વીતેલા કેટલાક દિવસોમાં ભારતના કેટલાક ભાગોમાં, ખાસ કરીને આસામ, ઇશાન ભારત, ગુજરાત, રાજસ્થાન, બંગાળના કેટલાક વિસ્તારોએ અતિવર્ષના કારણે કુદરતી આફતનો સામનો કરવો પડ્યો છે. આવા પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોનું પૂરેપૂરૂં નિરીક્ષણ કરાઇ રહ્યું છે. વ્યાપક સ્તરે રાહતકાર્ય કરવામાં આવી રહ્યું છે. શક્ય હોય ત્યાં મંત્રીમંડળના મારા સાથીઓ પણ રૂબરૂ પહોંચી રહ્યા છે. રાજ્ય સરકારો પણ પોત-પોતાની પીતે પૂરપીડિતોની મદદના ભરપૂર પ્રયાસો કરી રહી છે. સામાજિક સંગઠનો, સાંસ્કૃતિક સંગઠનો અને સેવાભાવી નાગરિકો પણ આવી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. ભારત સરકાર તરફથી સેનાના જવાનો હોય, હવાઇદળના જવાનો હોય, રાષ્ટ્રીય આફત રાહત દળ- એનડીઆરએફના લોકો હોય, અર્ધલશ્કરી દળો હોય, તમામે તમામ આ સાથે આફતગ્રસ્તોની સેવા કરવામાં દિલો-જાનથી જોડાઇ જાય છે. પૂરના કારણે જનજીવન ખૂબ અસ્તવ્યસ્ત બની જાય છે. ઉભા પાકો, પશુધન, આંતરમાળખાકીય સગવડો, રસ્તા, વીજળી, સંદેશાવ્યવહારના સાધનો, બધાં પર માઠી અસર પડે છે. ખાસ કરીને આપણા ખેડૂત ભાઇઓને પાકનું, ખેતીનું જે નુકસાન થાય છે તે ભરપાઇ કરવા, હાલ અમે વીમાકંપનીઓ અને વિશેષ કરીને પાક વીમા કંપનીઓને પણ સામે ચાલીને મદદ કરવાની યોજના બનાવી છે, જેથી ખેડૂતોના દાવાની પતાવટ તરત થઇ શકે. અને પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અઠવાડિયાના સાતેય દિવસ, ચોવીસેય કલાક કાર્યરત કન્ટ્રોલરૂમ હેલ્પ લાઇન નંબર 1078 સતત કામ કરી રહ્યો છે. લોકો પોતાની મુશ્કેલીઓ જણાવે પણ છે, વર્ષાઋતુ પહેલાં અનેક ઠેકાણે મોક ડ્રીલ યોજીને પૂરા સરકારી તંત્રને તૈયાર કરાયું છે. એનડીઆરએફની ટીમો તહેનાત કરાઇ. ઠેકઠેકાણે આફત-મિત્ર બનાવાવમાં આવ્યા તથા આ આફતમિત્રોને આફત વખતે શું કરવું અને શું ના કરવું તેની તાલીમ અપાઇ છે. સ્વયંસેવકો તૈયાર કરાયા છે, આમ એક લોકસંગઠન ઉભું કરીને વિકટ પરિસ્થિતિમાં કામ કરવાનું શીખવાડાયું છે. હવે તો હવામાનનો આગોતરો વરતારો મળી રહ્યો છે. તેમાં ટેકનોલોજી એટલી આગળ વધી છે, અવકાશ વિજ્ઞાન પણ બહુ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે કે તેના પરિણામે આવો વરતારો લગભગ – લગભગ સાચો પડી રહ્યો છે. ધીરેધીરે આપણે લોકો પણ એવો સ્વભાવ બનાવીએ કે હવામાનના વરતારા પ્રમાણે આપણી પ્રવૃત્તિઓની ગોઠવણ કરીએ, જેથી આપણે નુકસાનથી બચી શકીએ.

હું જ્યારે પણ મન કી બાત માટે તૈયારી કરૂં છું તો હું જોઉં છું કે, મારા કરતાં વધારે દેશના નાગરિકો તૈયારી કરે છે. આ વખતે તો જીએસટીને લગતા એટલા બધા પત્રો આવ્યા છે, એટલા બધા ફોન કોલ્સ આવ્યા છે. અને હજી પણ લોકો જીએસટી વિષે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જિજ્ઞાસા પણ વ્યક્ત કરે છે. અને એક ફોન કોલ હું આપને પણ સંભળાવું છું.

“નમસ્કાર પ્રધાનમંત્રીજી, હું ગુડગાંવથી નીતૂ ગર્ગ બોલું છું. મેં આપનું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસનું પ્રવચન સાંભળ્યું, અને ખૂબ પ્રભાવિત થઇ છું. આ જ રીતે આપણા દેશમાં ગયા મહિને આજની જ તારીખે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ- જીએસટીની શરૂઆત થઇ હતી. શું આપ એ કહી શકો છો કે, સરકારે જેવી અપેક્ષા રાખી હતી તેવાં જ પરિણામ એક મહિના પછી મળી રહ્યાં છે કે નહીં ? હું આ વિષે આપના વિચારો જાણવા માંગું છું ધન્યવાદ.”

જીએસટી અમલમાં આવ્યાને લગભગ એક મહિનો થયો છે અને તેના દ્વારા ફાયદા દેખાવા લાગ્યા છે. અને જ્યારે કોઇ ગરીબ મને પત્ર લખીને કહે છે કે, જીએસટીના કારણે ગરીબોની જીવનજરૂરી ચીજોના ભાવ ઘટ્યા છે, વસ્તુઓ સસ્તી થઇ છે, ત્યારે મને બહુ સંતોષ થાય છે, ખુશી થાય છે. અને જ્યારે છેક ઇશાન ભારત, દૂરદૂરના પહાડોમાં, જંગલોમાં રહેનારી કોઇ વ્યકિત પત્ર લખે છે કે, શરૂશરૂમાં ડર લાગતો હતો કે, ખબર નહીં શું થશે, પરંતુ હવે જ્યારે હું તે વિષે શીખવા – સમજવા લાગ્યો છું, અને મને લાગે છે કે, કામ પહેલાં કરતાં વધુ સહેલું બની ગયું છે. વેપાર વધુ સરળ બની ગયો છે અને સૌથી મોટી વાત એ છે કે, ગ્રાહકોનો વેપારીમાં ભરોસો વધવા લાગ્યો છે. હમણાં હું પરિવહન ક્ષેત્ર પર જીએસટીની કેવી અસર પડી છે તે જોઇ રહ્યો હતો. હવે ટ્રકોની આવ-જા વધી છે. અંતર કાપવામાં સમય કેવો ઓછો લાગી રહ્યો છે. ધોરીમાર્ગો ટ્રાફિક જામથી મુક્ત થયા છે. ટ્રકોની ઝડપ વધવાના કારણે પ્રદૂષણ પણ ઘટ્યું છે. માલસામાન પણ બહુ જલદી પહોંચી રહ્યો છે. આ સગવડો તો થઇ છે જ, પરંતુ સાથોસાથ આર્થિક ગતિને પણ તેનાથી બળ મળે છે. પહેલાં અલગ – અલગ કરમાળખું હોવાના કારણે ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટીક ક્ષેત્રના મોટાભાગના સંસાધનો કાગળ કામ જાળવી રાખવામાં જ વપરાતા હતાં અને તેમને દરેક રાજ્યમાં પોતાના નવાંનવાં ગોડાઉન બનાવવા પડતાં હતાં. પરંતુ જીએસટી કે જેને હું ગુડ એન્ડ સિમ્પલ ટેકસ કહું છું. તેણે હકીકતમાં આપણી અર્થવ્યવસ્થા પર એક ખૂબ જ સકારાત્મક અસર કરી છે અને ઓછા સમયમાં અસર પેદા કરી છે. જે ઝડપે સરળ બદલાવ આવ્યો છે, જે ઝડપે એક-બીજામાં તબદીલી થઇ છે, નવી નોંધણીઓ થઇ છે, તેણે પૂરા દેશમાં એક નવો વિશ્વાસ પેદા કર્યો છે. અને ક્યારેક ને ક્યારેક અર્થતંત્રના નિષ્ણાતો, વ્યવસ્થાપનના તજજ્ઞો, ટેકનોલોજીના જ્ઞાનીઓ, ભારતના જીએસટીના પ્રયોગને મોડેલના સ્વરૂપમાં સંશોધન કરીને ચોક્કસ દુનિયા સમક્ષ રજૂ કરશે. દુનિયાની કેટલીયે યુનિવર્સિટીઓ માટે તે કેસ સ્ટડી બનશે. કેમ કે, આટલા મોટા સ્તરે આટલો મોટો બદલાવ કરવો અને આટલા કરોડો લોકોને સામેલ કરીને આટલા વિશાળ દેશમાં તેનો અમલ કરીને તેને સફળતાપૂર્વક આગળ વધારવો તે સ્વયં એક સફળતાનું બહુ મોટું શિખર છે. વિશ્વ ચોક્કસ તેના પર અભ્યાસ કરશે. અને જીએસટી જે રીતે લાગુ કરવામાં આવ્યો છે. તેમાં બધાં રાજ્યોની ભાગીદારી છે, બધાં રાજ્યોની જવાબદારી પણ છે. તમામ નિર્ણયો રાજ્યો અને કેન્દ્રએ સાથે મળીને સર્વસંમતિથી લીધા છે. અને તેનું જ આ પરિણામ છે કે દરેક સરકારની એક જ પ્રાથમિકતા રહી છે કે, જીએસટીના કારણે ગરીબની થાળી પર કોઇ બોજ ના પડે. અને જીએસટી એપ પર તમે બરાબર જાણી શકો છો કે, જીએસટી પહેલાં જે ચીજવસ્તુનો જેટલો ભાવ હતો તે હવે નવી પરિસ્થિતિમાં કેટલો હશે. એ બધું આપના મોબાઇલ ફોન પર ઉપલબ્ધ છે. એક રાષ્ટ્ર – એક વેરો, કેટલું મોટું સપનું સાકાર થયું છે ! જીએસટીની બાબતમાં મેં જોયું છે કે, જે રીતે એક તાલુકાથી લઇને ભારત સરકાર સુધી બેઠેલા સરકારના અધિકારીઓએ જે જહેમત ઉઠાવી છે, જે સમર્પણ ભાવથી કામ કર્યું છે, એક પ્રકારે જે મૈત્રીપૂર્ણ વાતાવરણનું સરકાર અને વેપારીઓ વચ્ચે સરકાર અને ગ્રાહકો વચ્ચે, સર્જન થયું છે તેણે વિશ્વાસ વધારવામાં બહુ મોટી ભૂમિકા અદા કરી છે. હું આ કામમાં જોડાયેલ તમામ મંત્રાલયોને, તમામ વિભાગોનો, કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓને હાર્દિક ખૂબખૂબ ધન્યવાદ પાઠવું છું. જીએસટી, ભારતની સામૂહિક શક્તિની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. અને આ માત્ર કરવેરા સુધારો જ નથી, પ્રામાણિકતાની એક નવી સંસ્કૃતિને બળ આપનારી અર્થવ્યવસ્થા છે. એક રીતે આ એક સામાજિક સુધારાનું પણ અભિયાન છે. સફળતાપૂર્વક આટલા મોટા પ્રયાસને સફળ બનાવવા બદલ હું ફરી એકવાર કરોડો દેશવાસીઓને કોટી કોટી વંદન કરૂં છું.

મારા વ્હાલા દેશવાસીઓ, ઓગષ્ટ મહિનો ક્રાંતિનો મહિનો હોય છે. સાહજિક રૂપે બાળપણથી આપણે આ વાત સાંભળતા આવ્યાં છીએ. અને એનું કારણ છે, 1 ઓગષ્ટ, 1920, અસહકાર આંદોલન શરૂ થયું. 9 ઓગષ્ટ, 1942, ભારત છોડો આંદોલન શરૂ થયું જે “ઓગષ્ટ ક્રાંતિ” ના રૂપમાં ઓળખાય છે. અને 15 ઓગષ્ટ, 1947 – દેશ સ્વતંત્ર થયો. એક રીતે ઓગષ્ટ મહિનામાં આઝાદીની તવારીખ સાથેની અનેક ઘટનાઓ વિશેષ રૂપે જોડાયેલી છે. આ વર્ષે આપણે ભારત છોડો – ક્વીટ ઇન્ડિયા આંદોલનતી 75મી વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યા છીએ. પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, ભારત છોડોનો નારો ડૉકટર યુસુફ મેહર અલીએ આપ્યો હતો. આપણી નવી પેઢીએ તે જાણવું જોઇએ કે, 9મી ઓગષ્ટ, 1942ના રોજ શું થયું હતું. 1857થી 1942 સુધી આઝાદીની તમન્ના સાથે દેશવાસીઓ જે રીતે જોડાતા રહ્યા, સંઘર્ષ કરતા રહ્યા, સહન કરતા રહ્યા, તે ઇતિહાસનાં પૃષ્ઠો ભારતના નિર્માણ માટે આપણી પ્રેરણા છે. સ્વતંત્રતા સંગ્રામના આપણા વીરોએ જે ત્યાગ, તપસ્યા અને બલિદાન આપ્યાં છે તેનાથી મોટી પ્રેરણા બીજી કઇ હોઇ શકે ? “ભારત છોડો આંદોલન” ભારતના સ્વતંત્રતા આંદોલનનો એક મહત્વનો સંઘર્ષ હતો. આ આંદોલને બ્રિટીશ રાજથી મુક્તિ માટે આખા દેશને સંકલ્પબદ્ધ કર્યો હતો. આ તે સમય હતો, જ્યારે અંગ્રેજી સત્તાના વિરોધમાં ભારતીય લોકમાનસ દેશના ખૂણેખૂણામાં, ચાહે ગામ હોય, શહેર હોય, શિક્ષિત હોય, અભણ હોય, ગરીબ હોય, અમીર હોય, હરકોઇ ખભેખભો મિલાવીને “ભારત છોડો” આંદોલનનો હિસ્સો બની ગયું હતું. જન આક્રોશ તેની ચરમસીમા પર હતો. મહાત્મા ગાંધીની હાકલ પર લાખો ભારતવાસી “કરો યા મરો” ના મંત્ર સાથે પોતાના જીવનને સંગ્રામમાં ઝંપલાવી રહ્યા હતા. દેશના લાખો નવયુવાનોએ પોતાનું શિક્ષણ છોડી દીધું હતું. પુસ્તકોનો ત્યાગ કર્યો હતો. આઝાદીનું બ્યૂગલ સાંભળીને નીકળી પડ્યા હતા. 9મી ઓગષ્ટે મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનનું આહવાન તો કર્યું, પરંતુ તમામ મોટા નેતાઓને અંગ્રેજ હકુમતે જેલમાં ઘકેલી દીધા હતા. અને તે સમયગાળો હતો કે, દેશમાં બીજી પેઢીના નેતૃત્વે, ડૉકટર લોહિયા, જયપ્રકાશ નારાયણ જેવા મહાપુરૂષોએ આગળની ભૂમિકા ભજવી હતી.

અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલનમાં 1920 અને 1942માં મહાત્મા ગાંધીના બે અલગ-અલગ રૂપ જોવા મળે છે. અસહકાર આંદોલનના રૂપરંગ જુદા હતાં અને 42ની જે સ્થિતિ આવી તે જુદી હતી, તીવ્રતા એટલી વધી ગઇ કે, મહાત્મા ગાંધી જેવા મહાપુરૂષે “કરો યા મરો”નો મંત્ર આપી દીધો. આ સમગ્ર સફળતા પાછળ લોકસમર્થન હતું, લોક સામર્થ્ય હતું. લોક સંકલ્પ હતો, લોક સંઘર્ષ હતો, પૂરો દેશ એક બનીને લડી રહ્યો હતો. કોઇ કોઇવાર હું વિચારૂં છું, જો ઇતિહાસનાં પાનાં થોડાં જોડીને આપણે જોઇએ તો ભારતનો પહેલો સ્વતંત્રતા સંગ્રામ 1857માં થયો હતો. 1857માં શરૂ થયેલો સ્વતંત્રતા સંગ્રામ 1942 સુધી પળેપળ દેશના કોઇક ને કોઇક ખૂણામાં ચાલતો રહ્યો. આ લાંબા સમયગાળાએ દેશવાસીઓનાં દિલોમાં આઝાદીની ઝંખના જગાડી દીધી. હર કોઇ કંઇક ને કંઇક કરવા માટે પ્રતિબદ્ધ બની ગયું. પેઢીઓ બદલાતી ગઇ, પરંતુ સંકલ્પમાં કોઇ ઘટાડો ના થયો. લોક આવતા ગયા, જોડાતા ગયા, જતા ગયા, નવા આવતા ગયા, નવા જોડાતા ગયા અને અંગ્રેજ સલ્તનતને ઉખાડી ફેંકવા માટે દેશ હરપળ પ્રયત્ન કરતો રહ્યો. 1857 થી 1942 સુધીના આ પરિશ્રમે, આ આંદોલને એક એવી સ્થિતિ પેદા કરી કે, 1942માં તે ચરમસીમા પર પહોંચ્યો અને ભારત છોડોનું એવું રણશીંગુ ફૂંકાયું કે, પાંચ વર્ષમાં તો 1947માં અંગ્રેજોએ જવું પડ્યું. 1857 થી 1942 આઝાદીની તે ઝંખના જન જન સુધી પહોંચી 1942 થી 1947ના પાંચ વર્ષ, એક એવો લોકજુવાળ બની ગયો, સંકલ્પથી સિદ્ધિના પાંચ નિર્ણાયક વર્ષના રૂપમાં સફળતાની સાથે દેશને આઝાદી અપાવવાનું કારણ બની ગયાં. આ પાંચ વર્ષ નિર્ણાયક વર્ષ હતાં.

હવે હું આપને આ ગણીત સાથે જોડવા માંગુ છું. 1947માં આપણે આઝાદ થયા, આજે 2017 છે. લગભગ 70 વર્ષ થઈ ગયા, સરકારો આવી-ગઈ, વ્યવસ્થાઓ બની, બદલાઈ, વિકસીત થઈ, વધી, દેશને સમસ્યાઓમાંથી મુક્ત કરવા માટે દરેક લોકોએ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા. દેશમાં રોજગાર વધારવા માટે, ગરીબી હટાવવા માટે, વિકાસ કરવા માટેના પ્રયાસો થયા. પોતપોતાની રીતે પરિશ્રમ પણ થયા, સફળતા પણ મળી, અપેક્ષાઓ પણ જાગી. જેવી રીતે 1942 થી 1947 સંકલ્પથી સિદ્ધીના એક નિર્ણાયક પાંચ વર્ષ હતા. હું જોઈ રહ્યો છું કે 2017 થી 2022 – સંકલ્પથી સિદ્ધીની તરફના વધુ પાંચ વર્ષનો ગાળો આપણી સામે આવ્યો છે. આ 2017ની 15 ઓગસ્ટને આપણે સંકલ્પ પર્વના રૂપમાં મનાવીયે અને 2022માં આઝાદીના જ્યારે 75 વર્ષ થશે ત્યારે આપણે તે સંકલ્પને સિદ્ધીમાં પરિવર્તિત કરીને જ રહીશું. જો સવા સો કરોડ દેશવાસી 9 ઓગસ્ટ, ક્રાંતિ દિવસને યાદ કરીને, આ 15 ઓગસ્ટે દરેક ભારતવાસી સંકલ્પ કરે, વ્યક્તિના રૂપમાં, નાગરિકના રૂપમાં – હું દેશ માટે આટલું કરીને જ રહીશ, પરિવારના રૂપમાં હું આ કરીશ, સમાજના રૂપમાં હું આ કરીશ, ગામ તથા શહેરના રૂપમાં હું આ કરીશ, સરકારી વિભાગના રૂપમાં હું આ કરીશ, સરકાર હોવાને કારણે આ કરીશ, કરોડો-કરોડો સંકલ્પ થાય. કરોડો-કરોડો સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પ્રયાસ થાય. તો જેવી રીતે 1942 થી 1947ના પાંચ વર્ષ દેશની આઝાદી માટે નિર્ણાયક બની ગયા તેમ આ પાંચ વર્ષ 2017 થી 2022 ના ભારતના ભવિષ્ય માટે પણ નિર્ણાયક બની શકે છે અને બનાવવા છે. પાંચ વર્ષ બાદ દેશની આઝાદીના 75 વર્ષ મનાવીશું. ત્યારે આપણે દરેક લોકોએ દ્રઢ સંકલ્પ લેવાનો છે. આજે 2017ને આપણા સંકલ્પના વર્ષ બનાવવાનું છે. આ ઓગસ્ટ મહિનામાં સંકલ્પ સાથે આપણે જોડાવાનું છે તેમજ આપણે સંકલ્પ કરવાનો છે, ગંદકી – ભારત છોડો, ગરીબી-ભારત છોડો, ભ્રષ્ટાચાર – ભારત છોડો, આતંકવાદ – ભારત છોડો, જાતિવાદ – ભારત છોડો, સંપ્રદાયવાદ – ભારત છોડો. આજે આવશ્યકતા કરો યા મરોની નથી પરંતુ નવા ભારતના સંકલ્પની સાથે જોડાવાની છે. કોશિશ કરવાની છે, સફળતા મેળવવા માટે પુરુષાર્થ કરવાની છે. આવો, આ ઓગસ્ટ મહિનામાં 9 ઓગસ્ટથી સંકલ્પ થી સિદ્ધીનું એક મહાઅભિયાન ચલાવીએ. પ્રત્યેક ભારતવાસી, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક એકમો, સ્કૂલ, કોલેજ, અલગ-અલગ સંગઠન – દરેક ન્યૂ ઈન્ડિયા માટે કંઈક ને કંઈક સંકલ્પ લે. એક એવો સંકલ્પ જેને આવનારા પાંચ વર્ષોમાં આપણે સિદ્ધ કરીને દેખાડીશું. યુવા સંગઠન, છાત્ર સંગઠન, એનજીઓ વગેરે સામૂહિક ચર્ચાનું આયોજન કરી શકે છે. નવા-નવા વિચારો ઉજાગર કરી શકે છે. એક રાષ્ટ્રના રૂપમાં આપણે ક્યાં પહોંચવાનું છે એક વ્યક્તિના નાતે તેમાં મારૂં શું યોગદાન હોઈ શકે છે, આવો આ સંકલ્પના પર્વ સાથે આપણે જોડાઈએ.

હું આજે વિશેષ રૂપથી ઓનલાઈન વર્લ્ડ, કારણ કે આપણે ક્યાંય હોઈએ કે ન હોઈએ, પરંતુ ઓનલાઈન તો જરૂરથી હોઈએ જ છીએ. જે ઓનલાઈન વાળી દુનિયા છે તેમજ ખાસ કરીને મારા યુવા સાથીઓને, મારા યુવા મિત્રોને, આમંત્રિત કરું છું કે નવા ભારતના નિર્માણમાં તેઓ ઇનોવેટીવ રીતે યોગદાન માટે આગળ આવે. ટેક્નોલોજીનો ઉપયોગ કરતા વિડીયો, પોસ્ટ, બ્લોગ, આલેખન, નવા-નવા વિચારો, એ દરેક વાત લઈને આવે. આ ઝુંબેશ ને એક જનઆંદોલનમાં પરિવર્તિત કરે. નરેન્દ્રમોદી એપ પર પણ યુવા મિત્રો માટે ‘ક્વીટ ઇન્ડિયા’ ક્વિઝ શરુ કરાશે. આ ક્વિઝ યુવાનોને દેશના ગૌરવશાળી ઈતિહાસ સાથે જોડવા અને સ્વતંત્રતા સંગ્રામના નાયકોથી પરિચિત કરાવવાનો એક પ્રયાસ છે. હું માનું છું કે આપ જરૂર આનો વ્યાપક પ્રચાર કરો, ફેલાવો કરો.

મારા પ્રિય દેશવાસીઓ, 15 ઓગસ્ટ, દેશના પ્રધાન સેવકના રૂપમાં મને લાલ કિલ્લા પરથી દેશ સાથે સંવાદ કરવાનો અવસર મળે છે. હું તો નિમિત્ત માત્ર છું. ત્યાં એ એક વ્યક્તિ નથી બોલતો, લાલ કિલ્લાથી સવા સો કરોડ દેશવાસીનો અવાજ ગૂંજે છે. તેમના સપનાઓને શબ્દબદ્ધ કરવાની કોશિશ કરાય છે અને મને ખુશી છે કે છેલ્લા 3 વર્ષથી લાગલગાટ 15 ઓગસ્ટ નિમિત્તે દેશના દરેક ખૂણામાંથી મને નવા વિચારો મળી રહ્યા છે કે મારે 15 ઓગસ્ટે શું કહેવું જોઈએ. કયા મુદ્દાઓને લેવા જોઈએ. આ વખતે પણ હું આપને નિમંત્રિત કરું છું. MY GOV પર અથવા નરેન્દ્ર મોદી એપ પર આપ આપના વિચારો મને જરૂરથી મોકલી આપો. હું સ્વયં તેને વાંચું છું અને 15 ઓગસ્ટે જેટલો પણ સમય મારી પાસે હશે તેમાં તેને પ્રગટ કરવાનો પ્રયાસ કરીશ. પાછલા ત્રણ વખતના મને મારા 15 ઓગસ્ટના ભાષણમાં એક ફરિયાદ ચોક્કસ સાંભળવા મળી કે મારું ભાષણ થોડું લાંબુ થઈ જાય છે. આ વખતે મેં મનમાં કલ્પના તો કરી છે કે હું તેને ટૂંકાવી નાખું. વધુમાં વધુ 40-45-50 મિનિટમાં પૂરું કરું. મેં મારા માટે નિયમ બનાવવાની કોશિશ કરી છે. ખબર નથી કે હું કરી શકીશ કે નહીં કરી શકું પરંતુ હું આ વખતે કોશિશ કરવાનો ઈરાદો તો ધરાવું છું કે હું મારું ભાષણ ટૂંકાવી કેવી રીતે શકું. જોઈએ છીએ કે સફળતા મળે છે કે નથી મળતી.

દેશવાસીઓ, હું એક વાત એ પણ કહેવા માગું છું. ભારતની અર્થવ્યવસ્થામાં એક સામાજિક અર્થશાસ્ત્ર છે. અને તેને આપણે ક્યારેય ઓછું આંકવું ન જોઈએ. આપણા તહેવારો, આપણા ઉત્સવો તે માત્ર આનંદ-પ્રમોદના અવસરો છે એવું નથી. આપણા ઉત્સવો, આપણા તહેવારો એક સામાજિક સુધારાનું પણ અભિયાન છે. પરંતુ તેની સાથે આપણા દરેક તહેવાર, ગરીબ થી ગરીબોની આર્થિક જિંદગીમાં સીધો સંબંધ ધરાવે છે. થોડા જ દિવસો બાદ રક્ષાબંધન, જન્માષ્ટમી, ત્યારબાદ ગણેશ ઉત્સવ, ત્યારબાદ ચોથ ચંદ્ર, પછી અનંત ચૌદશ, દુર્ગા પૂજા, દિવાળી એક પછી એક, એક પછી એક અને આ જ સાચો સમય છે જ્યારે ગરીબો માટે આર્થિક ઉપાર્જનનો અવસર મળે છે. તેમજ આ તહેવારોમાં એક સહજ સ્વાભાવિક આનંદ પણ જોડાય છે. તહેવાર સંબંધોમાં મિઠાશ, પરિવારમાં સ્નેહ, સમાજમાં ભાઈચારો લાવે છે. વ્યક્તિ તેમજ સમાજને જોડે છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની એક સહજ યાત્રા ચાલે છે. ‘અહમ્ થી વયમ્’ તરફ જવાનો એક અવસર બની જાય છે. જ્યાં સુધી અર્થવ્યવસ્થાનો સવાલ છે, રક્ષાબંધનના કેટલાય મહિના અગાઉથી સેંકડો પરિવારોમાં નાના-નાનાં ઘરેલુ ઉદ્યોગોમાં રાખડી બનાવવાની શરૂઆત થઈ જાય છે. ખાદી થી લઈને રેશમના દોરાની, કેટલીયે જાતની રાખડીઓ અને આજકાલ તો લોકો હોમમેડ રાખડીઓ વધુ પસંદ કરે છે. રાખડી બનાવવાવાળા, રાખડી વેચવાવાળા, મિઠાઈવાળા – હજારો-સેંકડોનો વ્યવસાય એક તહેવાર સાથે જોડાઈ જાય છે. આપણા પોતાના ગરીબ ભાઈ-બહેનોનો પરિવાર તેનાથી જ તો ચાલે છે. આપણે દિવાળીમાં દિપ પ્રગટાવીએ છીએ, માત્ર તે પ્રકાશ પર્વ છે તેટલું જ નહીં, તે માત્ર તહેવાર છે, ઘરનું સુશોભન છે એવું નથી. તેનો સીધો સંબંધ માટીના નાના-નાના દિવડાઓ બનાવતા એ ગરીબ પરિવારો સાથે છે. પરંતુ જ્યારે આજે હું તહેવારો તેમજ તહેવારો સાથે જોડાયેલા ગરીબોની અર્થવ્યવસ્થાની વાત કરું છું તે સાથે-સાથે હું પર્યાવરણની પણ વાત કરવા માગીશ.

મેં જોયું છે, અને ક્યારેક હું વિચારું છું કે દેશવાસીઓ મારાથી પણ વધુ જાગૃત છે, વધુ સક્રિય છે. પાછલા એક મહિનાથી સતત પર્યાવરણ પ્રત્યે જાગૃત નાગરિકોએ મને પત્રો લખ્યા છે. તેમજ તેમણે આગ્રહ કર્યો છે કે આપ ગણેશ ચતુર્થીમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશની વાત અગાઉથી કહો જેથી લોકો માટીના ગણેશની પસંદગી પર અત્યારથી જ યોજના બનાવે. સૌ પ્રથમ તો હું આવા જાગૃત નાગરિકોનો આભારી છું. તેમણે મને આગ્રહ કર્યો છે કે હું સમયથી પહેલા આ વિષય પર બોલું. આ વખતે સાર્વજનિક ગણેશોત્સવનું એક વિશેષ મહત્વ છે. લોકમાન્ય તિલકજીએ આ મહાન પરંપરાનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષ સાર્વજનિક ગણેશોત્સવનું 125મું વર્ષ છે. સવા સો વર્ષ તેમજ સવા સો કરોડ દેશવાસી – લોકમાન્ય તિલકજીએ જે મૂળ ભાવનાથી સમાજની એકતા અને સમાજની જાગૃતિ માટે, સામૂહિકતાના સંસ્કાર માટે સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ કર્યો હતો. આપણે ફરી એકવાર ગણેશોત્સવના આ વર્ષમાં નિબંધ સ્પર્ધાઓ કરીએ, ચર્ચા સભાઓ કરીએ, લોકમાન્ય તિલકના યોગદાનને યાદ કરીએ. તેમજ ફરીથી તિલકજીની જે ભાવના હતી, તે દિશામાં આપણે સાર્વજનિક ગણેશોત્સવને કેવી રીતે લઈ જઈએ, એ ભાવનાને કેવી રીતે પ્રબળ બનાવીએ અને સાથે-સાથે પર્યાવરણની રક્ષા માટે ઇકો-ફ્રેન્ડલી ગણેશ, માટીથી બનાવેલા ગણેશ, એ આપણો સંકલ્પ રહે. અને આ વખતે તો મેં ઘણું જલ્દી કહ્યું છે; મને જરૂર વિશ્વાસ છે કે આપ દરેક મારી સાથે જોડાશો અને તેનાથી લાભ એ થશે કે આપણા જે ગરીબ કારીગરો છે, ગરીબ કલાકારો છે, જેઓ મૂર્તિઓ બનાવે છે, તેમને રોજગાર મળશે, ગરીબનું પેટ ભરાશે. આવો આપણે આપણા ઉત્સવોને ગરીબો સાથે જોડીએ, ગરીબોની અર્થવ્યવસ્થા સાથે જોડીએ, આપણા તહેવારોનો આનંદ ગરીબના ઘરનો આર્થિક તહેવાર બની જાય, આર્થિક આનંદ બની જાય – તે આપણા દરેકનો પ્રયાસ રહેવો જોઈએ. હું દરેક દેશવાસીઓને આવનારા અનેક તહેવારો માટે, ઉત્સવો માટે ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.

મારા પ્રિય દેશવાસીઓ, આપણે સતત જોઈએ છીએ કે શિક્ષાનું ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, રમત-ગમત હોય – આપણી દિકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે, નવી-નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે. આપણે દેશવાસીઓને આપણી દિકરીઓ પર ગર્વ થઈ રહ્યો છે. હમણાં ગત દિવસોમાં જ આપણી દિકરીઓએ મહિલા ક્રિકેટ વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું. મને આ સપ્તાહે એ તમામ દિકરીઓને મળવાનો મોકો મળ્યો. તેમની સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું, પરંતુ હું અનુભવ કરી રહ્યો હતો કે વર્લ્ડ કપ જીતી ન શકી, તેનો તેમના પર ઘણો બોજો હતો. તેમના ચહેરા પર પણ તેનું દબાણ હતું અને તણાવ હતો. તે દિકરીઓને મેં કહ્યું અને મારું એક અલગ મૂલ્યાંકન આપ્યું. મેં કહ્યું, જુઓ આજકાલ મીડિયાનો જમાનો એવો છે કે અપેક્ષાઓ એટલી વધારી દેવામાં આવે છે અને જ્યારે સફળતા નથી મળતી તો તે આક્રોશમાં પરિવર્તિત પણ થઈ જાય છે. આપણે કેટલીયે એવી રમતો જોઈ છે કે ભારતના ખેલાડી તેમાં નિષ્ફળ જાય તો દેશનો ગુસ્સો તે ખેલાડીઓ પર તૂટી પડે છે. કેટલાક લોકો તો મર્યાદા તોડીને કંઈક એવી વાતો કહી દે છે, એવી વાત લખી નાખે છે જેથી ઘણી પીડા થાય છે. પરંતુ પ્રથમવાર થયું કે જ્યારે આપણી દિકરીઓ વિશ્વકપમાં સફળ ન થઈ શકી તો સવા સો કરોડ દેશવાસીઓએ તે પરાજયને પોતાના ખભે લઇ લીધો. જરાપણ બોજ તે દિકરીઓ પર પડવા ન દીધો. તેટલું જ નહીં આ દિકરીઓએ જે કર્યું, તેના ગુણગાન ગાયા, તેમનું ગૌરવ કર્યું. હું આને એક સુખદ બદલાવ જોવું છું અને મેં આ દિકરીઓને કહ્યું કે આપ જુઓ, આવુ સૌભાગ્ય માત્ર આપને જ પ્રાપ્ત થયું છે. તમે મનમાંથી કાઢી નાખો કે તમે સફળ નથી થયા. મેચ જીતો કે ન જીતો પરંતુ તમે સવા સો કરોડ દેશવાસીઓને જીતી લીધા છે. ખરેખર આપણા દેશની યુવા પેઢી, ખાસ કરીને આપણી દિકરીઓ ખરેખર દેશનું નામ રોશન કરવા ઘણું કરી રહી છે. હું ફરી એકવાર દેશની યુવા પેઢીને, વિશેષતઃ આપણી દિકરીઓને હ્રદયથી વધાવી લઉ છું, શુભેચ્છા પાઠવું છું.

મારા પ્રિય દેશવાસીઓ, ફરી એકવાર સ્મરણ કરાવું છું ઓગસ્ટ ક્રાંતિનું, ફરી એકવાર સ્મરણ કરાવું છું 9 ઓગસ્ટનું, ફરી એકવાર સ્મરણ કરાવું છું 15 ઓગસ્ટનું, ફરી એકવાર સ્મરણ કરાવું છું 2022, આઝાદીના 75 વર્ષનું. દરેક દેશવાસી સંકલ્પ કરે, દરેક દેશવાસી સંકલ્પને સિદ્ધ કરવાનો પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરે. આપણે સૌ એ દેશને નવી ઉંચાઈઓ પર પહોંચાડવાનો છે, પહોંચાડવાનો છે, અને પહોંચાડવાનો છે. આવો આપણે મળીને ચાલીએ, કંઈકને કંઈક કરતા રહીએ. દેશનું ભાગ્ય-ભવિષ્ય ઉત્તમ થઈને જ રહેશે, તે વિશ્વાસ સાથે આગળ વધીએ. ઘણી-ઘણી શુભેચ્છા. ધન્યવાદ….

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian IT firms move beyond software as industry shifts towards physical AI infrastructure

Media Coverage

Indian IT firms move beyond software as industry shifts towards physical AI infrastructure
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks in the Lok Sabha
April 16, 2026

आदरणीय अध्यक्ष जी,

इस महत्वपूर्ण विधेयक पर आज सुबह से चर्चा प्रारंभ हुई है। काफी साथी यहां से भी जिन मुद्दों को स्पर्श किया गया है, उसको तथ्यों से और तर्क से सदन को जरूर जानकारी देंगे। और इसलिए मैं उन विषयों में जाना नहीं चाहता।

आदरणीय अध्यक्ष जी,

राष्ट्र के जीवन में कुछ महत्वपूर्ण पल आते हैं और उस समय की समाज की मनोस्थिति और नेतृत्व की क्षमता, उस पाल को कैप्चर करके एक राष्ट्र की अमानत बना देती है, एक मजबूत धरोहर तैयार कर देती है। मैं समझता हूं कि भारत के संसदीय लोकतंत्र के इतिहास में यह वैसे ही पल हैं। आवश्यकता तो यह थी कि 25-30 साल पहले जब से यह विचार सामने आया, आवश्यकता महसूस हुई, हम इसको लागू कर देते और हम आज उसको काफी परिपक्वता तक पहुंचा देते हैं। और आवश्यकता के अनुसार उसमें समय-समय पर सुधार भी होते और यही तो लोकतंत्र की ब्‍यूटी होती है। हमारी, हम मदर ऑफ डेमोक्रेसी हैं। हमारी हजारों साल की लोकतंत्र की एक विकास यात्रा रही है, और उस विकास यात्रा में एक नया आयाम जोड़ने का एक शुभ अवसर सदन के हम सभी साथियों को मिला है। और मैंने प्रारंभ में कहा है कि हम सब भाग्यवान हैं कि हमें ऐसे महत्वपूर्ण और देश की आधी आबादी को इस राष्ट्र निर्माण की नीति निर्धारण प्रक्रिया में हिस्सेदार बनाने का सौभाग्य मिल रहा है। यह हम लोगों के लिए सौभाग्य है और मैं चाहता हूं कि मेरे सभी माननीय सांसद, मैं इधर-उधर की आज बात नहीं करना चाहता हूं, हम सभी सांसद इस महत्वपूर्ण अवसर को जाने ना दें। हम भारतीय सब मिलकर के देश को नई दिशा देने जा रहे हैं। हमारी शासन व्यवस्था को संवेदनशीलता से भरने का एक सार्थक प्रयास करने के लिए जा रहे हैं और मुझे विश्वास है कि इस मंथन से जो अमृत निकलेगा, वह देश की राजनीति की भी, उसके रूप स्वरूप को तो तय करने ही करने वाला है, लेकिन यह देश की दिशा और दशा भी तय करने वाला है, इतने महत्वपूर्ण मोड़ पर हम खड़े हैं।

आदरणीय अध्यक्ष जी,

21वीं सदी में भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। विश्व में भी आज भारत की स्वीकृति हम सब महसूस कर रहे हैं और यह हम सबके लिए गौरव का पल है। एक समय हमारे पास आया है, और इस समय को हमने एक विकसित भारत के संकल्प के साथ जोड़ा है। और मैं पक्का मानता हूं कि विकसित भारत का मतलब केवल उत्तम प्रकार के रेल, रास्ते, इंफ्रास्ट्रक्चर या कुछ आर्थिक प्रगति के आंकड़े, सिर्फ इतने से ही विकसित भारत की सीमित कल्पना वाले हम लोग नहीं हैं। हम चाहते हैं कि विकसित भारत, जिसके नीति निर्धारण में सबका साथ सबका विकास का मंत्र समाहित हो। देश की 50% जनसंख्या नीति निर्धारण का हिस्सा बने, यह समय की मांग है। हम पहले ही देरी कर चुके हैं, कारण कोई भी होंगे, जिम्‍मेवार कोई भी होंगे, लेकिन इस सच्चाई को हमें स्वीकार करना होगा कि जब हम अकेले मिलते हैं, तब मानते हैं हां यार! लेकिन जब सामूहिक रूप से मिलते हैंं, मुझे याद है जब इसकी प्रक्रिया चली थी, सभी दलों से मिलना हुआ है, एक दल को छोड़कर के, जिन-जिन से मिलना हुआ है, हर एक ने सैद्धांतिक विरोध नहीं किया है। बाद में जाकर के जो कुछ भी हुआ होगा, राजनीतिक दिशा पकड़ी जा रही है। लेकिन जो राजनीतिक दिशा में ही सोचते हैं, मैं उनको भी एडवाइस करना चाहूंगा, एक मित्र के रूप में एडवाइस करता हूं और सबको काम आएगी। हमारे देश में जबसे वूमेन रिजर्वेशन को लेकर चर्चा हुई है और उसके बाद जब-जब चुनाव आया है, हर चुनाव में महिलाओं को मिलने वाले इस अधिकार का जिस-जिस ने विरोध किया है, जिस-जिस ने विरोध किया है, देश की महिलाओं ने उन्हें माफ नहीं किया है। उनका हाल बुरे से बुरा किया है। लेकिन यह भी देखिए कि 24 का चुनाव में ऐसा नहीं हुआ। क्यों नहीं हुआ? यह इसलिए नहीं हुआ कि 24 में सबने सहमति से इसको पारित किया, तो यह विषय ही नहीं रहा। किसी के पक्ष में पॉलिटिकल फायदा नहीं हुआ, किसी का नुकसान भी नहीं हुआ। सहज रूप से जो मुद्दे थे, उन मुद्दों के आधार पर चुनाव लड़ा, क्योंकि 24 में सब साथ में थे। कुछ लोग यहां हैं, कुछ लोग नहीं है, लेकिन सब साथ में थे। आज भी मैं कहता हूं, अगर हम सब साथ में जाते हैं, तो इतिहास गवाह है कि यह किसी एक के राजनीतिक पक्ष में नहीं जाएगा। यह देश के लोकतंत्र के पक्ष में जाएगा, देश के सामूहिक निर्णय शक्ति के पक्ष में जाएगा और हम सब उसके यश के हकदार होंगे। ना ट्रेजरी बैंक इसका हकदार रहेगा, ना मोदी उसका हकदार रहेगा, यहां बैठे हुए सब हकदार रहेंगे और इसलिए जिन लोगों को इसमें राजनीति की बू आ रही है, मैं चाहूंगा कि वह खुद के परिणामों को पिछले 30 साल में देख लें। फायदा उनका भी इसी में है, रास्ता दिखा रहा हूं कि इसी में फायदा है कि जो नुकसान हो रहा है, उससे बच जाओगे और इसलिए मैं समझता हूं कि इसमें राजनीतिक रंग देने की जरूरत नहीं है।

आदरणीय अध्यक्ष जी,

मुझे याद है, तब तो मैं शासकीय व्यवस्था की राजनीति में नहीं था, मैं एक एक संगठन के कार्यकर्ता के नाते काम करता था। उस समय एक चर्चा सुनने को मिलती थी गलियारों में कि देखिए यह कैसे लोग हैं, पंचायतों में आरक्षण देना है, तो बहुत आराम से दे देते हैं। लेकिन पंचायतों में आरक्षण देना है, तो आराम से देते हैं क्योंकि उसमें उनको खुद का पद जाने का डर नहीं लगता है। उसको लगता है, हम सुरक्षित है यार, वहां दे दो। यह उस समय गलियारों में बहुत चर्चा थी कि बोले यह कभी नहीं करेंगे यहां बैठे हुए, क्यों? क्योंकि उनका कुछ जाएगा और इसलिए और बाकी पंचायत का हो जाता है, 50% तक पहुंच गए।

मैं राजनीतिक दृष्टि से और भी एक बात समझाना चाहता हूं साथियों,

आज से 25 साल, 30 साल पहले जिसने भी विरोध किया, तो विरोध राजनीतिक सतह से नीचे नहीं गया था। आज ऐसा समझने की गलती मत करना, पिछले 25-30 साल में ग्रास रूट लेवल पर पंचायती चुनाव व्यवस्थाओं में जीत कर के आई हुई बहनों में एक political consciousness है, वह ओपिनियन मेकर हैं ग्रास रूट लेवल पर, 30 साल पहले वह शांत रहती थी, बोलती नहीं थी, समझती थी, बोलती नहीं थी। आज वह वोकल है और इसलिए अब जो भी पक्ष-विपक्ष होगा, वो जो लाखों बहनें कभी ना कभी पंचायत में काम कर चुकी हैं, प्रतिनिधित्व कर चुकी है, जनता के सुख-दुख की समस्याओं को गहराई से देखा है, वह आंदोलित है। वह कहती हैं कि झाड़ू-कचरा वाले काम में तो हमें जोर देते हो, वह तो परिवार में भी पहले होता था, अब हमें निर्णय प्रक्रिया में जोड़ो और निर्णय प्रक्रियाएं विधानसभा में और पार्लियामेंट में होती हैं। और इसलिए मैं राजनीतिक जीवन में जो लोग प्रगति चाहते हैं, मैं किसी भी संसद की बात करता हूं, किसी भी एमलए की बात करता हूं, यह दल वो दल की बात मैं नहीं कर रहा हूं। जो भी राजनीतिक जीवन में सफलतापूर्वक आगे बढ़ना चाहते हैं, उनको यह मानकर चलना पड़ेगा कि पिछले 25-30 साल में लाखों बहनें ग्रास रूट लेवल पर लीडर बन चुकी हैं। अब उनके अंदर सिर्फ यहां 33% का नहीं, वहां भी वह आपके फैसलों को प्रभावित करने वाली हैं और इसलिए जो आज विरोध करेंगे उसको लंबे समय तक कीमत चुकानी पड़ेगी, लंबे समय तक कीमत चुकानी पड़ेगी। और इसलिए राजनीतिक समझदारी भी इसी में है कि हम ग्रास रूट लेवल पर महिलाओं की जो पॉलिटिकल लीडरशिप खड़ी हुई है, उसको आपने अब कंसीडर करना पड़ेगा। यहां मैंने सुना, हमारे मुलायम सिंह जी थे तब से एक विषय चला रहे हैं, उनके परिवार वाले भी चला रहे हैं। आप देश की बहनों पर भरोसा करो ना, उनकी समझदारी पर भरोसा करो, एक बार 33% बहनों को यहां आने दो, आकर के उनको निर्णय करने दो, किसको देना है, किसको नहीं देना है, इस वर्ग को देना है, उस वर्ग को देना है, करेंगे वह निर्णय, हम उनके सामर्थ्य पर आशंका क्यों करते हैं भाई? एक बार आने तो दो! उनको आने तो दो! जब आएंगे, तो 34 में और धर्मेंद्र जी, धर्मेंद्र जी मैं आपका बहुत आभारी हूं कि आपने मेरी पहचान करा दी। यह बात सही है, मैं अति पिछड़े समाज से आता हूं। धर्मेंद्र जी, मैं आपका बहुत आभारी हूं और अखिलेश जी मेरे मित्र हैं, तो कभी-कभी मदद कर देते हैं। यह बात सही है कि मैं अति पिछडे समाज से आता हूं, लेकिन मेरा दायित्व समाज के सबको साथ लेकर के चलने का है और यही मेरे संविधान ने मुझे यही रास्ता दिखाया है। मेरे लिए, मेरे लिए संविधान ही सर्वोपरि है और इसलिए और यह संविधान की ताकत है कि मेरे जैसा अत्यंत छोटे समाज का अति पिछड़े समाज के व्यक्ति को इतना बड़ा दायित्व देश ने दिया है। और इसलिए मैं तो देशवासियों का ऋणी हूँ और मैं तो संविधान निर्माताओं का ऋणी हूँ कि जिसके कारण आज मैं यहां हूं।

लेकिन आदरणीय अध्यक्ष जी!

आदरणीय अध्यक्ष जी,

आज जीवन के हर एक क्षेत्र में हम देखें कि नारी शक्ति देश के गौरव को बढ़ाने वाले, परचम लहराने में कहीं पीछे नहीं हैं जी। हम गर्व कर सकें, इस प्रकार से जीवन के अलग-अलग क्षेत्रों में आज हमारी माताएं-बहनें बहुत बड़ा योगदान, हमारी बेटियां तो कमाल कर रही हैं, जीवन के हर क्षेत्र में! इतना बड़ा सामर्थ्‍य, उसको हम हिस्सेदारी से रोकने के लिए क्यों इतनी ताकत खपा रहे हैं जी, उनके जुड़ने से सामर्थ्‍य बढ़ने वाला है और इसलिए मैं आज अपील करने आया हूं आपके पास कि इसको राजनीति के तराजू से मत तौलिये। यह राष्ट्रहित का निर्णय है।

आदरणीय अध्यक्ष जी,

आज का हमारा यह, हमारे सामने यह अवसर एक साथ बैठकर के, एक दिशा में सोच करके विकसित भारत बनाने में हमारी नारी शक्ति की भागीदारी को एक खुले मन से निर्णय करने का अवसर है, स्वीकार करने का अवसर है और मैंने जैसा पहले भी कहा कि आज पूरा देश और विशेष करके नारी शक्ति, हमारे निर्णय तो देखेंगी, लेकिन निर्णय से ज्यादा हमारी नीयत को देखेगी। और इसलिए हमारी नीयत की खोट, देश की नारी शक्ति कभी माफ नहीं करेगी।

आदरणीय अध्यक्ष जी,

2023 में इस नए सदन में हमने सर्वसम्मति से एक प्रकार से इस अधिनियम को स्वीकार किया था। पूरे देश में खुशी का वातावरण बना, उस पर कोई राजनीतिक रंग नहीं लगे और इसलिए वह कभी राजनीतिक इशू भी नहीं बना, एक अच्छी स्थिति है। अब सवाल यह है कि हमें कितने समय तक इसको रोकना है, अब यहां जो लोग जनसंख्या वगैरा के विषय उठाते हैं, क्या आपको मालूम नहीं है, मैं चाहूंगा कि अमित भाई अपने भाषण में इन सारी चीजों को उल्‍लेख करेंगे, जब कि हमने जनगणना के संबंध में कब-कब क्या-क्या किया था, बाद में कोविड आया, उसके कारण क्या मुसीबत आई, कैसे रुकावटें आई। यह सारी बात हम सबके सामने हैं, इसमें कोई विषय नहीं है। लेकिन पिछले दिनों जब हम 23 में चर्चा कर रहे थे, तब भी व्यापक रूप से बात यह थी कि इसको जल्दी करो, हर कोई कह रहा था जल्दी करो। अब 24 में संभव नहीं था क्योंकि इतने कम समय में यह करना मुश्किल था। अब 29 में हमारे पास अवसर है, अगर हम उन 29 में भी नहीं करते, तो स्थिति क्या बनेगी, हम कल्पना कर सकते हैं, तो फिर हम देश की माताओं-बहनों को यह विश्वास नहीं बना पाएंगे कि हम सचमुच में यह प्रयास सच्चे अर्थ से कर सकते हैं। और इसलिए समय की मांग है कि अब हम ज्यादा विलंब ना करें, इस दरमियान राजनीतिक दल के लोगों से, संविधान के जानकार लोगों से, जो महिलाओं में एक्टिविस्ट के नाते काम करने वाले, ऐसे लोगों से भी कई चर्चाएं हुई, कुछ लोगों ने खुद होकर के भी सुझाव दिए। सारा मंथन करते-करते यहां भी सभी दलों से लगातार बातें करके होती रही हैं। स्ट्रक्चरल वे में भी हुई है, इनफॉर्मल वे में भी हुई है और उसमें से आखिर बनाए हुए यह कुछ रास्ता निकालना होगा, ताकि हम हमारी माताओं-बहनों की शक्ति को जोड़ सकते हैं।

आदरणीय अध्यक्ष जी,

मैं एक बात जरूर कहना चाहूंगा। यहां बैठ करके हमें किसी को संविधान ने देश को टुकड़ों में सोचने का अधिकार ही नहीं दिया है। जो शपथ लेकर के हम बैठे हैं ना, हम सबको एक राष्ट्र के रूप में विचार करना हमारा दायित्व बनता है। चाहे कश्मीर हो या कन्याकुमारी, हम टुकड़ों में ना सोच सकते हैं, ना टुकड़ों में हम निर्णय कर सकते हैं। और इसलिए निराधार रूप में, जिसमें कोई सच्चाई नहीं, रत्ती भर सच्चाई नहीं, सिर्फ राजनीतिक लाभ लेने के लिए जो बवंडर खड़ा किया जा रहा है, मैं आज बड़ी जिम्मेवारी के साथ इस सदन में इस पवित्र जगह से कहना चाहता हूं, क्या यह दक्षिण हो, उत्तर हो, पूरब हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज यह जिम्मेवारी से कहना चाहता हूं कि यह निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी, यह निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी, भूतकाल में जो सरकारें रहीं और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, तो उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसी अनुपात पर होगी। अगर गारंटी शब्द चाहिए, तो मैं गारंटी शब्द उपयोग करता हूं। वादा की बात करते हो, तो मैं वादा शब्द उपयोग करता हूं। अगर तमिल में कोई अच्छा शब्द हो, तो वो भी मैं बोलने के लिए तैयार हूं, क्योंकि जब नियत साफ है, तो फिर शब्दों का खेल करने की हमें जरूरत नहीं है जी।

आदरणीय अध्यक्ष जी,

मैं आज सदन के सभी साथियों को यह भी कहना चाहता हूं कि साथियों, हम भ्रम में ना रहे, हम उस अहंकार में ना रहे हैं और मैं हम शब्द का उपयोग कर रहा हूं। मैं और तुम की बात नहीं कर रहा हूं मैं, हम इस भ्रम में ना रहें कि हम देश की नारी शक्ति को हम कुछ दे रहे हैं, जी नहीं। उसका हक है; और हमने, हमने कई दशकों से उसको रोका हुआ है, आज उसका प्रायश्चित करके हमें उस पाप में से मुक्ति पाने का यह अवसर है। हम सब जानते हैं, हर एक ने कैसे चालाकी की हर बार, चतुराई की, बिल्कुल हम तो इसके पक्ष में ही है, लेकिन; हम इसके साथ ही हैं, लेकिन; हर बार कोई ना कोई टेक्निकल पूंछ लगा दी इसको और इसको रोका गया है। हर बार ऐसे ही चीजें लाई गई हैं। हिम्मत नहीं हैं कि हम 33% महिलाओं के आरक्षण का विरोध कर पाए, वह तो जमाना चला गया, आपको करना नहीं है, लेकिन कहने की हिम्मत भी नहीं है। और इसलिए टेक्निकल बहानेबाजी, यह करो तो यह, वो करो तो वो, ढिकना करो तो, अब देश की नारी को यह नहीं समझा पाओगे, सदन में नंबर का खेल क्या होता है, वह तो समय तय करेगा, लेकिन यह पक्का है कि अब इन भांति-भांति के बहानेबाजी, भांति-भांति टेक्निकल मुद्दों के आधार पर चीजों को उलझा करके तीन दशक तक इसको अड़ंगे डालें हमने फंसा-फंसा कर रखा, आपने जो अचीव करना था, कर लिया, अब छोड़ दो ना भाई! तीन दशक कम पढ़ते हैं क्या रोकने में, तीन दशक तक आपने रोका, फिर भी कुछ कर नहीं पाए, तो अब तो करो।

आदरणीय अध्यक्ष जी,

यहां कुछ लोगों को लगता है।

आदरणीय अध्यक्ष जी,

यहां कुछ लोगों को लगता है, इसमें कहीं ना कहीं मोदी का राजनीतिक स्वार्थ है। अरे भाई, इनको बोलने दीजिए, वहां पर बेचारे के मुंह पर ताला लगा हुआ है, वहां बंगाल में कोई बोलने नहीं देता उसको।

आदरणीय अध्यक्ष जी,

आदरणीय अध्यक्ष जी,

देखिए इसका अगर विरोध करेंगे, तो स्वाभाविक है कि राजनीतिक लाभ मुझे होगा। लेकिन साथ चलेंगे, तो किसी को भी नहीं होगा, यह लिखकर रखो। किसी को नहीं होगा, क्योंकि फिर अलग पहलू हो जाता है, फिर किसी को फायदा नहीं होता। और इसलिए हमें क्रेडिट नहीं चाहिए, जैसे ही यह पारित हो जाए, मैं कल advertisement दे करके सबका धन्यवाद करने के लिए तैयार हूं, सबकी फोटो छपवाने के लिए तैयार हूं, क्रेडिट आप ले लो चलो! क्रेडिट की चिंता है क्या जी? ले लो ना क्रेडिट, आपको जिसकी फोटो छपवानी है, सरकारी खर्चे से हम करवा देंगे। सामने से, सामने से क्रेडिट का ब्लैंक चेक आपको दे रहा हूँ।

आदरणीय अध्यक्ष जी,

हमारी संसदीय लोकतंत्र में महिलाओं की भागीदारी यह सिर्फ आंकड़ों का खेल या एक लोकतांत्रिक व्यवस्था में सुधार, इतना सीमित नहीं है। लोकतंत्र की जननी के रूप में, मदर ऑफ डेमोक्रेसी के रूप में यह निर्णय भारत का कमिटमेंट है, यह सांस्कृतिक कमिटमेंट है और इसी कमिटमेंट के कारण पंचायतों में यह व्यवस्था बनी और अब तो 20 से अधिक राज्‍यों में 50% हुआ है और हमने अनुभव किया है, मुझे लंबे अरसे तक, मुझे लंबे अरसे तक मुख्यमंत्री के रूप में सेवा करने का जनता ने अवसर दिया और उसी कालखंड में ग्रासरूट लेवल पर वूमेन लीडरशिप को मैंने देखा है। मेरा अनुभव है कि संवेदनशीलता के साथ समस्याओं के समाधान में उनका कमिटमेंट बहुत ही परिणामकारी रहते थे, विकास की यात्रा को गति देने में रहते थे और उस अनुभव के आधार पर मैं कहता हूं कि इस सदन में उनकी आवाज नई शक्ति बनेगी, नई सोच जुड़ेगी, देश की दिशा में एक संवेदनशीलता जुड़ेगी, तथ्य और तर्क के आधारों पर अनुभव जब जुड़ता है, तब मैं समझता हूं उसका सामर्थ्य अनेक गुना बढ़ जाता है और सदन कितना समृद्ध होता है।

आदरणीय अध्यक्ष जी,

हमारे देश में अनुभवी नारी शक्ति की कोई कमी नहीं है, सामर्थ्यवान में कोई कमी नहीं है, हम भरोसा करें, वह कंट्रीब्यूट करेंगी, बहुत अच्छा कंट्रीब्यूट करेंगी और आज भी जितनी हमारी बहनें यहां हैं, जब भी उनको अवसर मिला है, उन्होंने बहुत अच्छे ढंग से अपनी बात बताई है, सदन को समृद्ध किया है।

आदरणीय अध्यक्ष जी,

आज देश में वर्तमान में, देश में 650 से ज्यादा पंचायत हैं, डिस्ट्रिक्ट पंचायत, करीब पौने तीन सौ महिलाएं उसका नेतृत्व कर रही हैं और केंद्र के कैबिनेट मिनिस्टर से ज्यादा उनके पास जिम्मेदारी और धन और व्यवस्था होती है, काम करती हैं जी। करीब 6700 ब्लॉक पंचायतों में 2700 से अधिक ब्लॉक पंचायत ऐसी हैं, जिसका नेतृत्व महिलाओं के हाथ में है। आज देश में 900 से अधिक शहरों में अर्बन लोकल बॉडीज की हेड के रूप में मेयर्स हों या स्टैंडिंग कमेटी का काम देखने वाली बहनें हैं, उनकी ताकत है। और मैं मानता हूं कि आज देश जो प्रगति कर रहा है, उस प्रगति में इनका भी महत्वपूर्ण योगदान है, उस ऋण को हमें स्वीकार करने का यह अवसर है। और जब यह अनुभव सदन के साथ जड़ेगा, तब वह अनेक गुना ताकत बढ़ा देगा।

आदरणीय अध्यक्ष जी,

एक लंबी प्रतीक्षा यानी एक प्रकार से हम सबके लिए यह सवालिया निशान पैदा हो, ऐसी परिस्थिति हम ही लोगों ने पैदा की है। यह अवसर है कि हम पुरानी जो कुछ भी मर्यादा रही होंगी, मुश्किलें रही होंगी, उससे बाहर निकले, हिम्मत के साथ हम आगे बढ़े और नारी शक्ति का राष्ट्र के विकास में उनकी सहभागिता को हम सुनिश्चित करें और मैं पक्का मानता हूं कि अगर आज हम मिलकर के निर्णय करते हैं और मैं तो आग्रह करूंगा कि हमें सर्व सहमति से इसको को आगे बढ़ना चाहिए और जब सर्वसम्मति से बढ़ता है, तो ट्रेजरी बैंक पर एक दबाव रहता है जी, उनको भी लगता है कि नहीं भाई सबको सबका इसमें हक है, हर एक की बात मान के चलो, कोई नुकसान नहीं है। सामूहिक शक्ति से तो अनेक परिणाम हमें अच्छे मिलते हैं।

आदरणीय अध्यक्ष जी,

मैं ज्यादा समय न लेते हुए इतना ही कहूंगा कि इसको राजनीति के तराजू से ना तोलें। हम जब भी कुछ निर्णय करने जा रहे हैं, तो देश के, इतने बड़े देश का आधा जिम्मा जो उठा रहे हैं, उनका भी कोई हक बनता है यहां आने का, हमें रोकना नहीं चाहिए। और दूसरा संख्या के संबंध में भी, संख्या के संबंध में भी, संख्या के संबंध में भी एक मत पहले से बनता आया था, चर्चा थी कि साहब यह जो है, इनका कम मत करो, अधिक कर दो, तो जल्दी हो जाएगा। वह अधिक वाला विषय अब आया है कि चलो भाई पहले जो संख्या थी 33% और बढ़ा दो, ताकि किसी को ऐसा ना लगे कि मेरा हक चला गया। एक नई शक्ति जुड़ेगी, अतिरिक्त शक्ति जुड़ेगी और अब सदन के रचना भी तो अब, जो पहले से हमने सोच कर रखा है, जगह तो बना ली है।

और आदरणीय अध्यक्ष जी,

मैं लाइटर वे में जरूर कहना चाहूंगा, हर एक के अपने राजनीतिक कारण होते हैं और पराजय का डर जरा हैरान करने वाला होता है। लेकिन अपने यहां जब कोई भी शुभ काम होता है, उसको नजर ना लग जाए, इसलिए काला टीका लगाने की परंपरा है। मैं आपका धन्यवाद करता हूं काला टीका लगाने के लिए!

बहुत-बहुत धन्यवाद!