Technology had often been equated to hardware in the past. Therefore, it is vital to bring about a change in mindset: PM
Paperless initiatives save the environment and are a great service for future generations: PM Modi
IT + IT = IT; Information Technology + Indian Talent = India Tomorrow, says Shri Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અપલોડ કરી હતી, જે ડિજિટલ ફાઇલિંગની શરૂઆત છે અને સુપ્રીમ કોર્ટની કામગીરીને પેપરલેસ બનાવવા તરફનું પગલું છે.

આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધિશ શ્રી જસ્ટિસ જે એસ ખેહારે ચાલુ વર્ષે 2 એપ્રિલના રોજ અલ્હાબાદ હાઈ કોર્ટની સ્થાપનાના 150મા વર્ષની ઉજવણીને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, એ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્ટની કામગીરીને સરળ બનાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. ડિજિટલ ફાઇલિંગ એપ્લિકેશનના લાભ સમજાવતા ભારતના મુખ્ય ન્યાયાધિશે આ પહેલને ન્યાય વ્યવસ્થામાં ટેકનોલોજીના પ્રવેશ તરફ હરણફાળ સમાન ગણાવી હતી.

એપ્લિકેશન પર પ્રેઝન્ટેશન બતાવતા શ્રી જસ્ટિસ ખાનવિલ્કરે કહ્યું હતું કે, આ નવી પહેલ “સબ કા સાથ, સબ કા વિકાસ”નું ઉદાહરણ બની જશે.

કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી શ્રી રવિશંકર પ્રસાદે આ ડિજિટલ નવીનતા માટે સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એકત્ર થયેલા લોકોને બુદ્ધપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે 10 મેને 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતની વર્ષગાંઠ તરીકે પણ યાદ કરી હતી . 

પ્રધાનમંત્રીએ અલ્હાબાદમાં 2 એપ્રિલના રોજ ભારતના મુખ્ય ન્યાયાધિશે વેકેશન દરમિયાન ઓછામાં ઓછા થોડા દિવસ કેસોની સુનાવણી કરવા ઉચ્ચ ન્યાયતંત્રને કરેલી અપીલ યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની અપીલ પ્રેરક હતી તથા સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ પાસેથી આ સંબંધમાં તેમને આનંદ થાય તેવા સમાચાર મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ જુસ્સો હકારાત્મક પરિવર્તન લાવશે અને જવાબદારીની ભાવના વધારશે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી સામાન્ય લોકોમાં વિશ્વાસ પણ જન્મશે, જે નવા ભારતનું ‘મહત્વપૂર્ણ પાસું’ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ ટેકનોલોજીને ઘણી વખત હાર્ડવેર ગણવામાં આવી હતી અને એટલે માનસિકતા બદલવી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સંસ્થાની અંદર સંયુક્તપણે ટેકનોલોજી અપનાવી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, પેપરલેસ પહેલ પર્યાવરણને બચાવે છે એટલે ભવિષ્યની પેઢીઓ માટે ઉપયોગી સેવા છે.

પ્રધાનમંત્રીએ ટેકનોલોજીના લાભ વિશે બોલતા તાજેતરમાં આયોજિત “હેકેથોન”ને યાદ કરી હતી, જેમાં ભારત સરકારના તમામ મંત્રાલયોની 400 સમસ્યાઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમનું સમાધાન કરવા ભારતની વિવિધ યુનિવર્સિટીઓના 42,000 વિદ્યાર્થીઓએ 36 કલાક ફાળવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મંત્રાલયોએ આ કવાયતના ઘણાં પરિણામો અપનાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, “ઇન્ફોર્મેશન ટેકનોલોજી” અને “ભારતીય પ્રતિભા”નો સમન્વય “ભવિષ્યના ભારત”નું સર્જન કરશે

ટેકનોલોજીના વિષય પર પ્રધાનમંત્રીએ “આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ”ની અસરો અને શક્યતાઓ વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી લોકો ગરીબોની મદદ કરવા આગળ આવ્યા હતા. આ સંદર્ભમાં તેમણે એલપીજી સબસિડી છોડવાની “ગિવ-ઇટ-અપ” મૂવમેન્ટની સફળતાને યાદ કરી હતી. તે જ રીતે તેમણે સમગ્ર દેશમાં ડૉક્ટર્સની દર મહિનાના 9મા દિવસે ગરીબ ગર્ભવતી મહિલાઓની નિઃશુલ્ક સારવાર કરવાની પહેલનો ઉલ્લેખ કર્યો હતો. આ રીતે તેમણે વકીલોને ગરીબો અને જરૂરિયાતમંદોને કાયદાકીય સહાય કરવા આગળ આવવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે શ્રી જસ્ટિસ દીપક મિશ્રા અને શ્રી જસ્ટિસ જે ચેલમેશ્વર પણ ઉપસ્થિત હતા

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Seychelles Honours PM Modi With 'Guardian Of The Blue Horizon' Title

Media Coverage

Seychelles Honours PM Modi With 'Guardian Of The Blue Horizon' Title
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasizing on respecting the diverse cultures of the world
June 29, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam:

“देशाचारान् समयाञ्जातिधर्मान् बुभूषते यस्तु परावरज्ञः।

स तत्र तत्राधिगतः सदैव महाजनस्याधिपत्यं करोति॥"

The Subhashitam emphasizes that respecting the diverse cultures of the world fosters a sense of trust and cooperation among people, and strengthens mutual understanding and brotherhood.

The Prime Minister wrote on X;

दुनिया की अलग-अलग संस्कृतियों का सम्मान करने से लोगों के बीच विश्वास और सहयोग की भावना बढ़ती है। इससे आपसी समझ और भाईचारा और मजबूत होता है।

देशाचारान् समयाञ्जातिधर्मान् बुभूषते यस्तु परावरज्ञः।

स तत्र तत्राधिगतः सदैव महाजनस्याधिपत्यं करोति॥