Our efforts are aimed at transforming India and ensuring everything in our nation matches global standards: PM
India has always contributed to world peace. Our contingent in the UN Peacekeeping Forces is among the biggest: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સનાં મનિલામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત માટે આસિયાન પ્રદેશ અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે ભારતનાં આસિયાન દેશો સાથે સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણનાં લાંબા સહિયારા વારસાની વાત કરી હતી. ખાસ કરીને તેમણે બુદ્ધ અને રામાયણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં વસેલા પ્રવાસી ભારતીયો આ વારસાનું જતન કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે અન્ય દેશને ક્યારેય નુકસાન કર્યું નથી. તેમણે પ્રથમ અને દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન દૂર દેશોમાં પોતાનાં પ્રાણોનું બલિદાન આપનાર દોઢ લાખ ભારતીય સૈનિકોનાં ત્યાગ વિશે વાત કરી હતી. 

તેમણે જણાવ્યું હતું કે, ભારતનું વર્તમાન પણ એટલું જ ઉજ્જવળ છે. તેમણે કહ્યું હતું કે, 21મી સદીને “એશિયાની સદી” કહેવાય છે, જેને “ભારતની સદી” બનાવવા અમે શક્ય તમામ પ્રયાસો કરીશું.

પ્રધાનમંત્રીએ ગરીબોનાં ઉત્થાન માટે સરકારે શરૂ કરેલી જન ધન યોજના અને ઉજ્જવલા યોજના જેવી પહેલો વિશે વાત કરી હતી. તેમણે સબસિડીને આધાર સાથે જોડવાનાં વિવિધ ફાયદાનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
UPI goes live at Eiffel Tower and French airports as India-France digital ties strengthen

Media Coverage

UPI goes live at Eiffel Tower and French airports as India-France digital ties strengthen
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 જૂન 2026
June 15, 2026

Citizens Celebrate 12 Years of Modi: Building a Saksham Middle Class at Home While Earning Global Respect Abroad