પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરોપકારી અને માનવતાવાદી બિલ્કીસ એધીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે માનવતાવાદી કાર્ય માટે તેમનું જીવનભરનું સમર્પણ વિશ્વભરના લોકોના જીવનને સ્પર્શે છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"બિલ્કીસ એધીના નિધન પર મારી નિષ્ઠાપૂર્વક સંવેદના. માનવતાવાદી કાર્ય માટેના તેમના જીવનના સમર્પણથી તેમણે વિશ્વભરના લોકોના જીવનને સ્પર્શ્યું. ભારતના લોકો પણ તેમને પ્રેમથી યાદ કરે છે. તેમના આત્માને શાંતિ મળે."
My sincere condolences on the passing of Bilquis Edhi. Her life long dedication to humanitarian work touched the lives of people across the globe. People in India too remember her fondly. May her soul rest in peace.
— Narendra Modi (@narendramodi) April 16, 2022


