પ્રિય મિત્રો,

રાષ્ટ્રીય મતદાર દિવસના ઉપક્રમે હું ખરા હૃદયથી તમારું અભિવાદન કરું છું!

આ શુભ દિવસે જ ભારતનું ચૂંટણી પંચ અસ્તિત્વમાં આવ્યું હોવાથી તેને મારી શુભેચ્છા પાઠવું છું. ભારતની લોકશાહીની સૌથી મહત્વપૂર્વ પ્રક્રિયા- ચૂંટણી માટે છેલ્લા છ દાયકાથી પોષક અને સંરક્ષકની કાર્યભૂમિકા નિભાવના ચૂંટણી પંચને હું અભિનંદન પાઠવું છું.

સર્વપ્રથમવાર 1952માં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ ચૂંટણી પ્રક્રિયાએ ઘણી લાંબી મજલ કાપી છે. ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપર ઉપરથી ઇવીએમ મશીનોના ઉપયોગ સુધી પહોંચી ગઇ છે, અગાઉ મતગણતરી એક દિવસથી વધુ સમય સુધી લંબાઇ જતી હતી, પણ હવે મતગણતરીના કલાકોમાં જ ચિત્ર સ્પષ્ટ થઇ જાય છે. પૂર્વે ચૂંટણીમાં ખૂબજ હિંસા થતી હતી. કેટલાક વિસ્તારોમાં બૂથ કેપ્ચરીંગની ઘટનાઓ પણ બનતી હતી અને ચૂંટણીને લગતી અન્ય ગેરરીતિઓ પણ થતી હતી, હવે તેનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે.

હા, પરિસ્થિતિ ખરેખર બદલાઇ છે! છતાં કેટલાક મુદ્દા આપણું ધ્યાન ચોક્કસ ખેંચે છે.

આજે જો સૌથી મહત્વનો મુદ્દો હોય તો તે છે મતદાર નોંધણીને વધુ વેગવાન બનાવવી. છેલ્લા કેટલાક સમયમાં યોજાયેલી ચૂંટણીઓના વિક્રમજનક પરિણામો આવ્યા છે. આ એક હકારાત્મક નિશાની છે છતાં હજુ પણ એવા લોકો છે, ખાસ કરીને યુવાનોએ કે જેઓએ મતદાન-લાયક હોવા છતાં મતદાર તરીકે નોંધણી કરાવી નથી. ચૂંટણી પંચ વધુને વધુ મતદાર નોંધણી કરવા બાબતે ખૂબજ સક્રિય છે, નાગરિકોના સહકારથી આપણે તેમાં વધુ સફળતા હાંસલ કરી શકીએ તેમ છીએ.

મોબાઇલ રજીસ્ટ્રેશન કિઓસ્ક જેવી વધુને વધુ સુવિધા આપી મતદારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવા આપણે વિચારવું જોઇએ.

મતદાર તરીકેની નોંધણી માટેનું ફોર્મ ભરવાથી માંડીને વોટર કાર્ડ મતદાર સુધી પહોંચવા સુધીનો સમયગાળો લાંબો છે. જો આ સમયગાળાને ટૂંકાવી શકાય અને નાગરિકોને તેમની અરજીઓની સ્થિતિની રજેરજની માહિતીથી પરિચીત રાખવામાં આવે તો તેનાથી વધુ ઉત્તમ બીજું કશું જ નહીં હોય. તેવી જ રીતે, આપણા સૈન્યમાં અથાકપણે ફરજ બજાવતા શૌર્યવાન જવાનો, ખાસ કરીને દેશના સીમાડાની રક્ષા કરતા જવાનો માટે પણ મતદાનની સુયોગ્ય સુવિધા ઉભી કરવી જોઇએ. આ સંદર્ભે કેટલીક કામગીરી જરૂર કરવામાં આવી છે, પરંતુ હજી પણ તેમાં ઘણું બધુ કરવાનું બાકી છે.

નાવીન્યતાસભર પદ્ધતિ અને વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ તથા ભવિષ્યને નજરમાં રાખીને ચૂંટણી પ્રક્રિયામાં ફરફાર કરવાની જરૂર છે. આપણે અસરકારક યુઝર ફ્રેન્ડલી ઓનલાઇન મતદાન નોંધણી સુવિધાને વિકસાવી શકીએ તેમ છીએ. મતદાન નોંધણી, મતદાન કેન્દ્રોની માહિતી આપવા સહિતના કાર્યો માટે આપણે મોબાઇલ ટેક્નોલોજીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે પડકારજનક હોવા છતાં ઓનલાઇન વોટીંગ પદ્ધતિ અંગે ચર્ચા કરવાનો સમય પણ પાકી ગયો છે.

ગત વર્ષે નામદાર સુપ્રિમ કોર્ટે ‘નન ઑફ ધી અબોવ’નો એક વિકલ્પ પુરો પાડીને મતદારો માટે એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદો યોગ્ય દિશા તરફ એક પગલા સમાન હતો, પરંતુ જ્યારે આપણા નાગરિકો તેમની નિકટના સાર્વજનિક મતદાર નોંધણી કેન્દ્ર પર મતદાર નોંધણી અને મતદાન સરળતાથી કરી શકે તેવી સુવિધા જો સફળતાપૂર્વક અમલમાં લાવવામાં આપણે સક્ષમ બનીશું ત્યારે જ તેનો ખરો અર્થ સરશે. આપણા લોકતંત્રને મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પ્રસંગોપાત જાગૃત અને સહભાગી બનવું જોઇએ. મિત્રો, આપના મતના મૂલ્યને ક્યારેય ઓછુ આંકશો નહીં!

‘મત’ એ પ્રજાના હાથમાં રહેલું એક એવું અસરકારક ઓજાર છે કે જેનાથી તેઓ ખુદને વ્યક્ત કરી શકે છે અને તેમના અવાજને સંભળાવી શકે છે. નેતાઓમાંથી ‘શક્તિશાળી’ ગણાતા લોકો પણ મતપેટી સમક્ષ વામણા જ પુરવાર થતા હોય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ 1977ની લોકસભા ચૂંટણીઓ છે. સત્તાના નશામાં મદમસ્ત બનેલા, વધુ પડતા આત્મવિશ્વાસુ અને એકહથ્થુ સત્તાવાદ ધરાવનારા સત્તાધિશ પક્ષના વડાપ્રધાને ચૂંટણીઓ જાહેર કરી હતી. સેન્સરશીપ પૂર્ણતાને આરે હતી અને અસંમતિ ધરાવતા અવાજો ઉઠવા લાગ્યા હતા, પરંતુ ત્યારે લોકોનો અવાજ અન્યોથી બુલંદ હતો. આપના મતની આ છે શક્તિ.

આપણા ઘરોમાં, ચાલો આપણે સક્રિય બનવા પ્રતિજ્ઞાબદ્ધ બનીએ અને એ બાબતની ખાતરી રાખીએ કે આપણે વધુમાં વધુ મિત્રો તેમજ કુટુંબના સભ્યોને મતદાર તરીકે નોંધણી કરાવીશું, અને ત્યારબાદ તે બાબતની ખાતરી કરીશું કે તેઓ દરેક સ્થાનિક સ્વરાજ્યથી લઈને લોકસભા સુધીની તમામ ચૂંટણીઓમાં ભાગ લેશે.

મતદાર કાર્ડ ધારણ કરવાનો અર્થ એ નથી કે આપ મતદાર છો! મતદાર યાદીમાં આપનું નામ ચકાસવું હંમેશા અવશ્ય યાદ રાખશો અને જો આપનું નામ ત્યાં ન હોય કે પછી આપે રહેઠાણ બદલ્યું હોય, તો મહેરબાની કરીને આપનું નામ તે યાદીમાં અપડેટ કરવા માટે તેને સુસંગત જરૂરી કાર્યવાહી પૂર્ણ કરશો. મતદાર કાર્ડ ધરાવનારા યોગ્ય મતદારો પોલીંગ બુથથી પરત ફરતા હોય છે, કારણકે તેમના નામ યાદીમાં હોતાં નથી, તે ખૂબ જ કમનસીબ બાબત છે અને આવું આપની સાથે ન બને તે બાબતની ખાતરી ખુદ આપ જ કરી શકો છો.

મારા એનઆરઆઇ મિત્રોને મારો એક વિશેષ સંદેશો એ છે કે યોગ્ય એનઆરઆઇ મિત્રોએ મતદાર નોંધણી કરી હોવાની ચકાસણી કરે અને મતદાનના દિવસે ભારત આવી મતદાનલાયક એનઆરઆઇ મતદારો તેમના મત આપે.

મિશન 272+ને સફળ બનાવવું...

મિશન 272+ને સફળ બનાવવા માટે શક્ય એટલા તમામ મતદારો, જેવા કે નવા, નોંધણી પામેલા અને યોગ્ય તથા જેમની નોંધણી થયેલી છે એવા મતદારોનો પણ સંપર્ક કરવો એ શક્ય એવા તમામ પ્રયત્નોમાંની એક કોશીશ છે.

અમારા પક્ષના તમામ કાર્યકરો અને સ્વયંસેવકોને મારી વિનંતી છે કે જેમની મતદાર તરીકે નોંધણી થઈ નથી એવા દરેક લોકોની પરખ કરે અને તેમને મતદાર તરીકેની નોંધણી કરવામાં સહાયતા પુરી પાડે. તેમને ફોર્મ નં. 6 ભરવામાં અને તેને બીએલઓમાં રજૂ કરવામાં સહાયતા પુરી પાડે. મતદાર નોંધણી અને મતદારોને લગતી અર્થપૂર્ણ સેવાઓ બાબતે www.India272.com પર પણ સહાયતા મળી રહેશે.

આપના ઈપીઆઇસી કે ચૂંટણી મતદાર ઓળખપત્ર નંબર 0 78200 78200 પર એસએમએસ કરી મીશન 272+ને સમર્થન આપવા હું તમામ લોકોને અરજ કરું છું. તમારા મિત્રો અને કુટુંબીજનોને પણ તેમ કરવા પ્રેરો.

રાષ્ટ્રીય મતદાર નોંધણી દિવસે, આવો આપણે આપણી લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના શપથ ગ્રહણ કરીએ અને આવનારા સમયમાં તેની પ્રક્રિયામાં વધુને વધુ સહભાગી બનીએ! આપણો દેશ હાલ ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે- હવે ગરીબી, ભ્રષ્ટાચાર, વોટબેંક આધારીત રાજકારણ, ગેરવહીવટમાંથી દેશનેમુક્ત કરવાનો અને પ્રગતિશીલ તથા સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવાનો સમય પાકી ગયો છે. ચાલો આ વખતે ભારત માટે મતદાન કરીએ!.

તમારો, 

 

નરેન્દ્ર મોદી 

National Voters’ Day: Voter as the Bharat Bhagya Vidhata!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Samsung to manufacture AI data center HVAC products in India, expanding to Asia-Pacific

Media Coverage

Samsung to manufacture AI data center HVAC products in India, expanding to Asia-Pacific
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.