"So far Shri Modi has deposits 18710 gifts he has received so far since he took over as Chief Minister in 2001"
"Narendra Modi deposits the gifts he has received as Chief Minister towards the cause of educating the girl child"
"In the last 12 years gifts worth Rs. 19 crore have been deposits by Shri Modi towards the state treasury"
"Over 3000 gifts received by Shri Modi in the last year"

Narendra Modi donates the gifts he has received in 2012 towards girl child education

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે મળેલી વધુ ૩૦૬૪ કિંમતી ભેટ સોગાદો સરકારી તોષાખાનામાં જમા કરાવી...

મુખ્યમંત્રીશ્રીને મળતી પ્રજાકીય ભેટસોગાદોની સરકાર દ્વારા જાહેર હરાજી કરાવીને ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવાનો અનન્ય ઉપક્રમ

અગાઉની જાહેર હરાજીઓમાં ભેટ સોગાદોના વેચાણમાંથી મળેલું રૂા. ૧૯ કરોડનું ભંડોળ કન્યા કેળવણી નિધિ માટે જમા

બાર વર્ષમાં ૧૯ કરોડ રૂપિયાની ભેટ સોગાદો સરકારી તોષાખાનામાં જમા કરાવી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને આ વર્ષમાં (ર૦૧ર-૧૩) જનતા તરફથી મળેલી વિવિધલક્ષી ભેટસોગાદોની અવનવીન એવી વધુ કુલ ૩૦૬૪ ચીજવસ્તુ્ઓ આજે સરકારી તોષાખાનામાં જમા કરાવી હતી. આજે જમા થયેલી કુલ ભેટસોગાદોનું અંદાજીત એકંદર મૂલ્‍ય રૂ. ૨૬.૫૪ લાખ થવા જાય છે.

મુખ્યમંત્રીશ્રીએ તોષાખાનામાં જમા કરાવેલી આ કિંમતી ભેટસોગાદોમાં ૧૦૩ વસ્તુઓ સોના-ચાંદીની છે જેની અંદાજિત અપસેટ વેલ્યુ રૂા. ૧૪ લાખ ૮૧ હજાર ૭૧ર થવા જાય છે.

Narendra Modi donates the gifts he has received in 2012 towards girl child education

સમગ્ર દેશમાં એકમાત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્ય્ક્તગત સંકલ્પ કર્યો છે. જાહેર સમારંભો અને પ્રજાજનો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા રહ્યા છે અને જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ દ્વારા કન્યાઓના શિક્ષણ માટે જ તે વાપરવામાં આવે છે.

નવેમ્બર – ૨૦૦૧ થી અત્યાર સુધીમાં ૧૩ વખત શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કન્યા કેળવણી માટેના આ પ્રેરક સંકલ્પ તરીકે કુલ મળીને ૧પ૪૬૪ ભેટસોગાદો જમા કરાવી અને તેની હરાજીમાંથી રૂ.૧૮ કરોડ ૯૧ લાખ જેટલું માતબર ભંડોળ મેળવ્યું છે. આજે તોષાખાનામાં જમા થયેલી કુલ ૩૦૬૪ કિંમતી ચીજવસ્તુઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ ૧ર વર્ષમાં જમા કરાવેલી કુલ ભેટસોગાદો ૧૮૭૧૦ જેટલી થવા જાય છે. રાજયની જનતાએ ભારે ઉમળકાભર્યો પ્રતિસાદ આપીને તેની હરાજીમાં ભાગ લીધો છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણા, રાજકોટ, વલસાડ અને વાપી ભાવનગર, ભરૂચ, આણંદ સહિત વિવિધ જિલ્લા ઓમાં આવી જાહેર હરાજી થઇ છે.

આજે જમા કરાવવામાં આવેલી ભેટસોગાદોની જાહેર હરાજીની તારીખ અને સ્થળની જાહેરાત હવે પછી કરાશે.

આજે સરકારી તોષાખાનામાં જમા થયેલી વિવિધ ૩૦૬૪ ભેટસોગાદોમાં ચાંદીના કડાં સહીત ચાંદી – સોનાની મૂર્તિઓ, કલાકૃતિઓ, કલામય રથ, ધાતુની અનન્ય કલાકૃતિઓ, ઘડિયાળો, સ્મૃતિભેટો અને ચંદ્રકો, કાષ્ટ કલાકૃતિઓ, શાલ–પાઘડીઓ, કલા છત્રીઓ, સિક્કા,અવનવી ફોટોફ્રેમ, તલવારો અને તીરકામઠા, આદિવાસી અને અન્ય કોમના પરંપરાગત વસ્ત્રો સહીતની અનેક આકર્ષક ભેટ સોગાદોનો સમાવેશ થાય છે. આમાં સોના ચાંદીની જ ૧૦૩ જેટલી ભેટસોગાદો છે.

Narendra Modi donates the gifts he has received in 2012 towards girl child education

Narendra Modi donates the gifts he has received in 2012 towards girl child education

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India attends UK-led talks as 37 countries sign pledge to secure Strait of Hormuz

Media Coverage

India attends UK-led talks as 37 countries sign pledge to secure Strait of Hormuz
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the transformative power of education
April 03, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that education is not merely a means of livelihood but a powerful medium to make life better. He noted that it is a priceless asset through which the youth of the country are setting new milestones in every field and bringing glory to the nation.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“श्रियः प्रदुग्धे विपदो रुणद्धि
यशांसि सूते मलिनं प्रमार्ष्टि।

संस्कारशौचेन परं पुनीते
शुद्धा हि बुद्धिः किल कामधेनुः॥”

The Subhashitam conveys that An educated, refined and pure intellect removes difficulties and brings success, respect, peace and progress into a person’s life. Indeed, an enlightened mind is considered like Kamadhenu, capable of fulfilling all kinds of aspirations.

The Prime Minister wrote on X;

“शिक्षा केवल आजीविका का साधन नहीं, बल्कि जीवन को श्रेष्ठ बनाने का सशक्त माध्यम भी है। यह वो अनमोल पूंजी है, जिसके जरिए आज हमारी युवाशक्ति हर क्षेत्र में नए-नए कीर्तिमान बनाकर देश का नाम रोशन कर रही है।

श्रियः प्रदुग्धे विपदो रुणद्धि
यशांसि सूते मलिनं प्रमार्ष्टि।

संस्कारशौचेन परं पुनीते
शुद्धा हि बुद्धिः किल कामधेनुः॥”