ગુજરાત પોલીસ અકાદમીઃ કરાઇ

સામાન્ય નાગરિકની સેવા-સુરક્ષા-સહાય માટેનું ઉત્તમ દાયિત્વ નિભાવીએ

લોકરક્ષક પોલીસ સંવર્ગ તાલીમાર્થીઓનો શાનદાર દિક્ષાંત સમારોહ

મુખ્યમંત્રીશ્રીએ લોકરક્ષક પોલીસ પાસીંગની પરેડનું સલામી નિરીક્ષણ કર્યું

રાષ્ટ્રપતિશ્રીના પ્રસંશનિય પોલીસ સેવા મેડલ વિજેતા પોલીસ અધિકારીઓને ચન્દ્રક અલંકરણ કરી સન્માનિત કરતા નરેન્દ્રભાઇ મોદી

લોકરક્ષક સંવર્ગમાં ૪૭૩ પ્રશિક્ષિત તાલીમાર્થીઓમાં ૧પ૦ કન્યાઓ અને ૧૬૦ સ્નાતકો તથા પ૭ અનુસ્નાતકોની સામર્થ્યવાન શકિતને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી

હિન્દુસ્તાનમાં સૌથી યુવા ટેકનોસેવી પોલીસદળનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે પોલીસ દળના આધુનિકરણ સાથે પોલીસ તાલીમનું પ્રોફેશનલ

ગુણાત્મક માળખુ ઉભૂં કરતું ગુજરાત

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત પોલીસ અકાદમી-કરાઇમાં નવપ્રશિક્ષિત એવા ૪૭૩ લોકરક્ષક પોલીસ સંવર્ગના તાલીમાર્થીઓની શાનદાર દિક્ષાન્ત પરેડનું સલામી નિરીક્ષણ કરતાં ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું કે ગુજરાત પોલીસદળ આજે દેશનું સૌથી સુશિક્ષિત ટેકનોસેવી યુવા પોલીસદળ બની ગયું છે.

તેમણે સામાન્ય નાગરિકની સેવા-સુરક્ષા-સહાય માટેનું ઉત્તમ દાયિત્વ નિભાવવાનું ઓજ અને તેજ પ્રગટ કરવાનું આહ્્‍વાન આપ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રપતિશ્રીના પ્રસંશનિય સેવા પોલીસ ચન્દ્રક વિજેતા ૩૦ પોલીસ અફસરો જેમાં રાજ્યના પોલીસ વડાથી લઇને પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે તેમને સેવા ચન્દ્રકોથી અલંકૃત કરીને અભિનંદન આપ્યા હતા.

ગુજરાત પોલીસ દળમાં ટેકનોસેવી પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ યુવાશકિત છેક પાયાની કેડરમાં જોડાઇ છે જે પોલીસની ભવિષ્યની બધી જ કેડરો માટે નવી તાકાત અને સામ્થર્ય પૂરવાર કરશે.

ગુજરાત પોલીસ દળના આધુનિકરણ સાથે પોલીસ તાલીમનું સર્વગ્રાહી માળખું આધુનિકત્તમ અને પ્રોફેશનલ બનાવી દીધું છે અને જૂની પરંપરાગત પોલીસ તાલીમના વ્યવસ્થાપનને તેજ ગતિથી બદલાતા કાયદો અને વ્યવસથાને જાળવવા તથા સામાન્ય જનની સુરક્ષાના પડકારો સામે સુસજ્જ વર્દીધારી પોલીસ દળનું માનવ વિકાસ વ્યવસ્થાપન કર્યું છે તેની સવિસ્તર રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં પોલીસ તાલીમમાં સ્થગિતતા નહીં પણ નવા પ્રશિક્ષણના આયામો ઉમેર્યા છે. ચાર પોલીસ તાલીમ સંસ્થાઓને ગુણાત્મક પરિવર્તન કરીને આધુનિક પોલીસ તાલીમના ઉત્કૃષ્ઠ કેન્દ્રો તરીકે તેને નવા પરિમાણો આપ્યા છે એટલું જ નહીં, હવે તો જિલ્લે-જિલ્લે પોલીસ તાલીમની આધુનિક સુવિધા કરવામાં આવી છે જેમાં વરિષ્ઠ અનુભવ સિધ્ધ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં ગુજરાત પોલીસ દળની બધી જ કેડરો માટે ઉત્તમ ટ્રેઇનીંગનું સંસ્થાગત માળખું ઉભું થઇ જશે એમ તેમણે ઉમેર્યું હતું.

વિકાસની તેજ ગતિના ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે સેવા નોકરીની ખૂબ વ્યાપક તકો અને માંગ હોવા છતાં રાજયના પોલીસ દળમાં ગુજરાતની કન્યાઓ સહિત જવાનો સુશિક્ષિત બનીને જોડાઇ રહ્યા છે તેનાથી પોલીસ દળ અને શાસન વ્યવસ્થાને નવી શકિત મળશે એમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું અને ઉમેર્યું કે વર્દીની શાન સાથે મહિલાશકિત પણ પોતાના સામર્થ્ય સાથે સુરક્ષા સેવામાં ઝડપથી પોતાનું કૌશલ્ય પૂરવાર કરી રહી છે.

ભૂતકાળમાં પોલીસદળમાં ભરતી ખૂબ મર્યાદિત હતી પણ તેમ છતાં તેની પ્રક્રિયામાં ભ્રષ્ટ રીતિનીતિની અનેક ફરિયાદો અને શોષણની વાતો સૌને ખબર છે પરંતુ આ સરકારે સાત વર્ષમાં પોલીસમાં ર૬૦૦૦ જેટલી જુદી જુદી કેડરોની ભરતી કરી એમાં માત્રને માત્ર સંપૂર્ણ પારદર્શિતા અને યોગ્યતા-ગૂણવત્તાના ધોરણે જ કરી છે. સામાન્ય પરિવારોના યુવાનો મળીને કુલ દશ વર્ષમાં ત્રણ લાખ યુવાનોને આ પારદર્શિ પધ્ધતિથી સરકારી નોકરી મળી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પોલીસ દળની બધી જ કેડરોને શારીરિક સૌષ્ઠવ સજ્જતા, ફીઝીકલ ફીટનેસ માટે યોગ-પ્રાણાયમ ઉપર ખાસ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું કે સ્વસ્થ મન અને સ્વસ્થ તન માટેની કાળજી લેવામાં કોઇ સમાધાન હોવું જોઇએ નહીં.

લોકરક્ષક પોલીસદળમાં સુશિક્ષિત યુવાનો અને મહિલાઓને સંવિધાન અને ત્રિરંગા રાષ્ટ્રધ્વજની નવી શકિત બનવા તેમણે આહવાન કર્યું હતું.

પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રીએ તાલીમાર્થીઓને સંવિધાન અને ફરજોના શપથ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રફૂલ્લભાઇ પટેલ, ગૃહ અધિક મુખ્ય સચિવશ્રી વરેશ સિન્હા, પોલીસ મહાનિદેશક શ્રી ચિતરંજનસિંહ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાલીમપૂર્ણ કરનારા પોલીસ લોકરક્ષકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પોલીસ અકાદમી ઇનચાર્જ નિયામકશ્રી ટી. એસ. બિસ્તે સ્વાગત પ્રવચન કર્યું હતું. સંયુકત નિયામકશ્રી અતુલ કરવાલે આભારદર્શન કર્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!