મુખ્‍યમંત્રીશ્રીનોવડાપ્રધાનશ્રીનેવધુએકવિરોધપત્ર

સામાન્‍ય નાગરિકોની સ્‍થાવર મિલ્‍કતની તબદિલીની નોંધણી ઉપર TDS કર કપાતની કેન્‍દ્રીય દરખાસ્‍ત તાત્‍કાલિક પાછી ખેચો

કેન્‍દ્રીય બજેટની સૂચિત દરખાસ્‍ત જનહિત વિરોધી અને રાજ્‍યની આવક ઉપર તરાપ મારનારી છે

ભારત સરકારની સમવાયતંત્ર વિરોધી અને રાજ્‍યની સ્‍વાયતતા ઉપર હસ્‍તક્ષેપ કરતી કેન્‍દ્રીય નીતિઓ સામે ઉગ્ર આક્રોશ

મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વડાપ્રધાનશ્રી મનમોહનસિંહને આજે પાઠવેલા પત્રમાં, આ વર્ષના બજેટમાં સ્‍થાવર મિલ્‍કતની નોંધણી માટેના ચૂકવણા ઉપર ડિડકશન ટેક્ષ એટસોર્સ (TDS) ની જે દરખાસ્‍ત કરી છે તે જનવિરોધી અને ભારતના સમવાયતંત્રના માળખાની ભાવનાનું ઉલ્લંઘન કરનારી હોવાથી તાત્‍કાલિક પાછી ખેંચી લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

મુખ્‍યમંત્રીશ્રીએ પત્રમાં જણાવ્‍યું છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્‍દ્ર સરકાર દેશના સમવાયતંત્રના માળખા (ફેડરલ સ્‍ટ્રકચર) અને રાજ્‍યોની સ્‍વાયતતાને વિપરીત અસર પહોચાડતા શ્રેણીબધ્‍ધ નિર્ણયો લીધા છે તે અંગે તેમણે પ્રધાનમંત્રીશ્રીનું વારંવાર ધ્‍યાન પણ દોર્યું છે.

આ સંદર્ભમાં, મુખ્‍યમંત્રીશ્રીએ આ વર્ષના કેન્‍દ્રીય બજેટમાં સ્‍થાવર મિલ્‍કતની નોંધણી માટેની ચૂકવણી ટેક્ષ ડિડકશન એટ સોર્સ (TDS) વેરો ઉઘરાવવાની જે દરખાસ્‍ત કરી છે તે રાજ્‍યની સત્તાઓ ઉપર હસ્‍તક્ષેપ કરનારી અને વ્‍યાપક રીતે જનહિત વિરોધી છે તેમ જણાવ્‍યું છે.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે કેન્‍દ્રના નાણાંમંત્રીએ સ્‍થાવર મિલ્‍કતની તબદિલી અંગેની નોંધણી માટે લેવાની ફી સંદર્ભમાં 1 ટકાના ધોરણે ટેક્ષ ડિડકશન કરવાની દરખાસ્‍ત કરેલી છે.

આવી મિલ્‍કતની તબદિલીના પેમેન્‍ટ અંગે કરેલું કે કરવા માટેનું ચૂકવણું (એ) નિર્દિષ્‍ટ શહેરી વિસ્‍તારોમાં આવેલી સ્‍થાવર મિલ્‍કત પ૦ લાખ રૂપિયા હોય. (બી) આ સિવાયના અન્‍ય વિસ્‍તારોમાં આવી મિલ્‍કત ર૦ લાખ રૂપિયા હોય એવા કિસ્‍સામાં, ભારત સરકાર TDS દાખલ કરવા માંગે છે તે દર્શાવે છે કે આવો વેરો પાયામાંથી જ ઉઘરાવવાનો કેન્‍દ્ર સરકારનો ઇરાદો છે, એટલું જ નહિં સમગ્ર પણે “રિયલ એસ્‍ટેટ” સેકટરમાં મિલ્‍કતોની થતી તબદિલીઓ ઉપર કેન્‍દ્રીય તંત્ર વ્‍યવસ્‍થા પ્રસ્‍થાપિત કરવાનો ઇરાદો પણ ધરાવે છે. આ સુધારો દાખલ કરવામાં ભારત સરકાર માત્ર તેની કેન્‍દ્રીય તિજોરીમાં કરવેરાની આવક વધારવાનો મૂદો જ કેન્‍દ્રસ્‍થાને રાખે છે પરંતુ તેના કારણે અન્‍ય સંબંધકર્તાઓને જે વિપરીત અસરો થવાની છે તેની કોઇ દરકાર લક્ષમાં લીધી નથી. પહેલું તો એ, કે સામાન્‍ય નાગરિકોને આના કારણે બિનજરૂરી મુસિબતોનો વ્‍યાપકપણે સામનો કરવાનો આવશે એટલું જ નહીં, મિલ્‍કતની તબદીલીના દસ્‍તાવેજોની નોંધણી કરાવવામાં જ અસહ્ય વિલંબ ઉભા થશે કારણ કે, TDS ના ચૂકવણા અને તેની કપાતના પૂરાવા ઉપલબ્‍ધ કરવાની સૂચિત પ્રક્રિયા ખૂબ જ જટિલ બની જશે અને દસ્‍તાવેજોની નોંધણીની પ્રક્રિયા અત્‍યંત વિલંબમાં મૂકાશે.

દસ્‍તાવેજોની નોંધણી અને કરવેરાની કપાત બંનેનું સત્તાતંત્ર અલગ હોવાના કારણે સામાન્‍ય નાગરિકો માટે અનેક પ્રશ્નો ઊભા થશે, એટલું જ નહીં, સૌથી ગંભીર અસર તો રાજ્‍ય સરકારના અધિકારમાં આવતી સ્‍ટેમ્‍પ ડયૂટીની આવકની વસૂલાત જે રાજ્‍યની તિજોરીનો મહત્‍વનો હિસ્‍સો છે તેના ઉપર જ વિપરીત અસર પડશે.

મુખ્‍યમંત્રીશ્રીએ વડાપ્રધાનનું એ હકિકત પ્રત્‍યે ધ્‍યાન દોર્યું છે કે રાજ્‍ય અને કેન્‍દ્રને સંબંધીત તેમજ સામાન્‍ય જનસમૂદાયને અસરકર્તા આ મૂદા અંગે કેન્‍દ્ર સરકારે રાજ્‍યો સાથે કોઇ પરામર્શ કરવાની દરકાર કરી નથી. આના ઉપરથી એવું ફલિત થાય છે કે ભારત સરકાર માત્રને માત્ર પોતાની તિજોરી, રાજ્‍યોની નાણાંકીય આવકના ભોગે ભરવા માંગે છે. આ બાબત ફરી એકવાર કેન્‍દ્ર સરકારની સમવાયતંત્ર વિરોધી માનસિકતાનો પ્રતિઘોષ પાડે છે.

મુખ્‍યમંત્રીશ્રીએ આ તમામ મૂદૃૃાઓને ધ્‍યાનમાં લઇને કેન્‍દ્રીય બજેટમાં સ્‍થાવર મિલ્‍કતની તબદિલીની નોંધણી પર લેવાનારા સૂચિત TDS કરની કેન્‍દ્રીય દરખાસ્‍તનો વિરોધ કરીને તે તાત્‍કાલિક પાછી ખેંચવા વડાપ્રધાન સમક્ષ માંગણી કરી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s G7 role indispensable, Rafale deal to align with Make in India: French envoy Mathou

Media Coverage

India’s G7 role indispensable, Rafale deal to align with Make in India: French envoy Mathou
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વિશ્વના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા
June 09, 2026

ભારતના સૌથી લાંબી મુદત સુધી સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને વિશ્વના નેતાઓ તરફથી હાર્દિક અભિનંદન મળ્યા હતા. સમગ્ર વિશ્વના નેતાઓએ પ્રધાનમંત્રીના પરિવર્તનકારી શાસન, ગ્લોબલ સાઉથ (વૈશ્વિક દક્ષિણ) માટેની તેમના પ્રયાસો  અને સર્વસમાવેશી તેમજ આર્થિક રીતે ગતિશીલ ભારતના તેમના વિઝનની પ્રશંસા કરી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસનાયકાએ પ્રધાનમંત્રીને સંબોધિત 8 જૂન 2026 ના પત્રમાં, શ્રીલંકાની સરકાર અને જનતા વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે: "આ સીમાચિહ્ન માત્ર તમારા શાસનના વર્ષોનું પ્રમાણ નથી, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીના લોકોએ તમારા નેતૃત્વમાં વારંવાર જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તેની સાબિતી છે." રાષ્ટ્રપતિએ ભારતના નોંધપાત્ર આર્થિક અને સામાજિક પરિવર્તન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના વિઝને શ્રીલંકા સહિત ભારતની સરહદોની બહાર પણ ઘણા લોકોને પ્રેરિત કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ 4-6 એપ્રિલ 2025 દરમિયાન શ્રીલંકાની મુલાકાત લીધી હતી, જે આ ટાપુ રાષ્ટ્રની તેમની ચોથી મુલાકાત હતી, જે દરમિયાન તેમને વિદેશી મહાનુભાવને આપવામાં આવતું શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતે ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' (પાડોશી પ્રથમ) ની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં શ્રીલંકા ભારતની અડીખમ ભાગીદારીના સૌથી નજીકના લાભાર્થીઓમાં સામેલ છે, જેમાં 2022 માં શ્રીલંકાની આર્થિક મુશ્કેલીઓ દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલો મહત્વપૂર્ણ સહયોગ પણ સામેલ છે.

પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી મહામહિમ જેમ્સ મરાપેએ એક વ્યક્તિગત વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને "એક રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ" ગણાવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે - "200 મિલિયન (20 કરોડ) થી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લાવીને આજે સારું જીવન પ્રદાન કરવું એ એક અદ્ભુત સિદ્ધિ છે." પ્રધાનમંત્રી મરાપેએ પાપુઆ ન્યૂ ગિનીની ઉષ્માભરી મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની તેની ઈચ્છા વ્યક્ત કરી હતી. મે 2023 માં ત્રીજી ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC-III) સમિટ માટે પ્રધાનમંત્રી મોદીની પાપુઆ ન્યૂ ગિનીની ઐતિહાસિક મુલાકાત, જે કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા લેવાયેલી સૌપ્રથમ મુલાકાત હતી, તે પ્રશાંત મહાસાગરના ટાપુ રાષ્ટ્રો સાથે ભારતના જોડાણમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ હતી. આ મુલાકાતે ગ્લોબલ સાઉથના એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાને રેખાંકિત કરી હતી.

ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી મહામહિમ કમલા પ્રસાદ-બિસેસરે આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવતા નોંધ્યું હતું કે "પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક અગ્રણી અવાજ તરીકે ઉભરી આવ્યું છે." તેમણે પ્રધાનમંત્રી મોદીની એક નમ્ર શરૂઆતથી લઈને ત્રણ ટર્મ સુધી 1.4 અબજ લોકોના દેશનું નેતૃત્વ કરવા સુધીની સફર પર પ્રકાશ પાડ્યો હતો, અને વિદેશ નીતિ, આર્થિક વૃદ્ધિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક-આર્થિક વિકાસમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓને રેખાંકિત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ 3-4 જુલાઈ 2025 દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી હતી, જે 26 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી, જે ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય પ્રવાસીઓના આગમનની 180મી વર્ષગાંઠ સાથે સુસંગત હતી.